શોધખોળ કરો

સીરપના નામે થઈ રહ્યું છે નશાનું વેચાણ, ગેરકાયદે સીરપ પ્રકરણમાં મોટો ઘટસ્ફોટ, જાણો વિગતો

પોલીસની તપાસમાં ચાંગોદર પાસે સેલ્ફ જનરેટેડ આયુર્વેદિક દવાની આડમાં અનઅધિકૃત આલ્કોહોલ યુકત પીણાનુ ઉત્પાદન અને વેચાણ કરતું હોવાનું સામે આવ્યું છે.

દેવભૂમિ દ્વારકા:  દ્વારકાના ખંભાળિયામાંથી ઝડપાયે નશીલી સિરપને લઈ સૌથી મોટો ખુલાસો થયો છે.  ગેરકાયદે સીરપ પ્રકરણમાં ચાંગોદરથી ફેકટરીનો ઘટસ્ફોટ થયો છે. પોલીસની તપાસમાં ચાંગોદર પાસે સેલ્ફ જનરેટેડ આયુર્વેદિક દવાની આડમાં અનઅધિકૃત આલ્કોહોલ યુકત પીણાનુ ઉત્પાદન અને વેચાણ કરતું હોવાનું સામે આવ્યું છે.  દવાની આડમાં આલ્કોહોલ યુક્ત પીણું તૈયાર કરવા માટેની મશીનરી, રો મટીરીયલ સહિત નશાયુક્ત પીણાની 7 હજાર 277 બોટલ, ઇથાઇલ કેમિકલ 840 લીટર, તૈયાર મિશ્રણ 1000 લીટર સહિતનો અન્ય 40થી 50 જેટલી ચીજવસ્તુનો જથ્થો તથા એક ટ્રક મળી આશરે 21 લાખ 12 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ સાથે જ ખોટા GST નંબર અને ચોક્કસ પ્રમાણપત્ર અયોગ્ય હોવાનો પણ ખુલાસો થયો છે. પોલીસે ભરત નકૂમની સાથે ખંભાળિયાના વેપારી ચિરાગ થોભાણી અને અમદાવાદના રમેશ ખરગિયા નામના શખ્શોની ધરપકડ કરી છે.  આરોપીઓ સૌરાષ્ટ્ર-કચ્છ  અમદાવાદમાં નશીલા સીરપનું વેચાણ કરતા હતા.

અસામાજિક તત્વો નશો કરવાની અનેક તરકીબો શોધી કાઢતા હોય છે.  સીરપના નામે નશીલા દ્રવ્યો વેંચવાનો પર્દાફાશ થયો છે. આ સીરપ પ્રકરણ કેસમાં દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા  બાદ પોલીસ  અમદાવાદના ચાંગોદર પહોંચી હતી. પોલીસે દરોડા પાડી સીરપ બનાવવાની ફેકટરી પકડી પાડી હતી. અમદાવાદના ચાંગોદર ખાતે ફેક્ટરીમાં આ આયુર્વેદિક સીરપની બોટલો બનાવવમાં આવતી હતી. આલ્કોહોલ, સાઈટ્રિક એસિડ, સ્વીટનર, ફ્રુટ બિયર ભેળવીને આયુર્વેદિક સીરપની બોટલો બનાવી ખુલ્લેઆમ તેનો વેચાણ કરવામાં આવી રહ્યું છે. 

ખંભાળિયા શહેરમાંથી આશરે દસ દિવસ પહેલા પકડાયેલી આયુર્વેદિક સીરપની બોટલોમાં આલ્કોહોલનું પ્રમાણ હોવાની શંકા સાથે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ તપાસ બાદ  સીપર  પ્રકરણમાં અમદાવાદમાં એક શખ્સ દ્વારા ચાંગોદરમાં ફેક્ટરી બનાવી ત્યાંથી જ ઉત્પાદન અને વેચાણ થતું હોવાની વિગતો સામે આવી હતી. 

આ ફેક્ટરીમાં આલ્કોહોલયુક્ત આયુર્વેદિક સીરપની આડમાં ગેરકાયદેસર રીતે આલ્કોહોલયુક્ત પીણાનું ઉત્પાદન તથા વેચાણ થતું હોવા અંગેના સમગ્ર પ્રકરણ પરથી પડદો ઉચકાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ ખંભાળિયાના જોધપુર ગેઈટ વિસ્તારમાં ગત તારીખ 26 જુલાઈના રોજ રાત્રિના સમયે પાર્ક કરવામાં આવેલા આઈસર ટ્રકમાં પોલીસે ચેકિંગ કરતા આ ટ્રકમાંથી સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ યુક્ત 'કાલ મેઘસવા' નામની સીરપની 4,000 બોટલ મળી આવી હતી. તે અંગે પોલીસને શંકા જતા રૂ. 5.96 લાખની સીરપ તથા 3 લાખનો ટ્રક મળી કુલ રૂપિયા 8.96 લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમરેલી-ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ: ગુજરાતમાં આ તારીખે થશે ચોમાસાની એન્ટ્રી, આજે યલો એલર્ટ
અમરેલી-ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ: ગુજરાતમાં આ તારીખે થશે ચોમાસાની એન્ટ્રી, આજે યલો એલર્ટ
ચૈતર વસાવાને 7 વર્ષની જેલ! હવે ધારાસભ્ય પદ રહેશે કે જશે? જાણો મોટો નિયમ
ચૈતર વસાવાને 7 વર્ષની જેલ! હવે ધારાસભ્ય પદ રહેશે કે જશે? જાણો મોટો નિયમ
Ambalal Patel: રાજ્યમાં 3 દિવસ ભારે વરસાદનું અંબાલાલ પટેલનું  અનુમાન, કેટલાક જિલ્લાઓમાં પૂરની સ્થિતિની આગાહી
Ambalal Patel: રાજ્યમાં 3 દિવસ ભારે વરસાદનું અંબાલાલ પટેલનું  અનુમાન, કેટલાક જિલ્લાઓમાં પૂરની સ્થિતિની આગાહી
Chaitar Vasava: વનકર્મી પર હુમલા કેસમાં AAP ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્નીને 7 વર્ષની સજા
Chaitar Vasava: વનકર્મી પર હુમલા કેસમાં AAP ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્નીને 7 વર્ષની સજા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકા પર સવાલ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : મુંબઈ પહોંચ્યું ચોમાસું
Hun To Bolish : હું તો બોલીશ : ચક્રવ્યૂહમાં ચૈતર!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
ATF News: ફ્લાઈટ ખર્ચ પર મોટી રાહત, એરલાઈન્સ હટાવશે ફ્યુઅલ સરચાર્જ, શું ઘટશે ટિકિટના ભાવ?
ATF News: ફ્લાઈટ ખર્ચ પર મોટી રાહત, એરલાઈન્સ હટાવશે ફ્યુઅલ સરચાર્જ, શું ઘટશે ટિકિટના ભાવ?
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
Embed widget