શોધખોળ કરો

ગુજરાતના આ તાલુકામાં મોતના ડરથી લોકો નથી લઈ રહ્યા કોરોના રસી, જાણો લોકોમાં શું ભ્રમ ફેલાયો છે

આરોગ્ય વિભાગ પણ સતત જાગૃતિ માટે પ્રયાસો કરી રહ્યું છે. જોકે એબીપી અસ્મિતા સમક્ષ આરોગ્ય અધિકારીએ સ્વીકાર કર્યો કે અહીં ભયમાં લોકો રસી લેવાનું ટાળી રહ્યા છે.

રાજ્ય સરકારે આજથી તમામ 33 જિલ્લામાં 18થી 45 વય જૂથના લોકોનું રસીકરણ શરૂ કર્યું છે. પરંતું વલસાડ જિલ્લાનો એક એવો તાલુકો છે જ્યાં હજુ પણ વેક્સિન લેતા લોકો ડરે છે. વલસાડ જિલ્લાના અંતરિયાળ તાલુકા એવા કપરાડા તાલુકાના લોકોના મનમાં એવો તો ભ્રમ અને અફવા ફેલાવવામાં આવી કે વેક્સિન લેતા મૃત્યુ થઈ શકે છે. જેના કારણે કપરાડા તાલુકામાં હજુ માત્ર 12 હજાર લોકોએ જ રસી મૂકાવી છે.

ગઈકાલથી 18થી વધુ વય જૂથનાને રસી શરૂ થતા માત્ર બે જ વ્યકિતએ કોરોનાની રસી લીધી છે. લોકો વેક્સિન લે તે માટે તાલુકા પંચાયત પ્રમુખ સહિતનાએ લોકોની સમજાવટ કરી છે. પરંતું હજુ લોકો રસી લેવા તૈયાર થતા નથી. તો જિલ્લા ભાજપે પણ લોકોને વેક્સિન અંગે જાગૃત કરવા અનેક પ્રયત્નો કર્યા પરંતું હજુ સુધી લોકોને સમજાવવામાં સફળતા મળી નથી.

આરોગ્ય વિભાગ પણ સતત જાગૃતિ માટે પ્રયાસો કરી રહ્યું છે. જોકે એબીપી અસ્મિતા સમક્ષ આરોગ્ય અધિકારીએ સ્વીકાર કર્યો કે અહીં ભયમાં લોકો રસી લેવાનું ટાળી રહ્યા છે.

કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી પણ કપરાડા તાલુકાની મુલાકાત લીધી અને ગ્રામજનોને રસી અંગે ગેરમાન્યતાઓ દૂર કરી રસી લેવાની અપીલ કરી છે . તો ગઈકાલે રસી લેનાર 18 વર્ષની યુવતીને ધારાસભ્યએ અભિનંદન પાઠવ્યા હતાં.

નોંધનીય છે કે, આ પહેલા રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાની રસીને લઈને લોકોમાં ફેલાયેલી અંધશ્રદ્ધાને લઈને નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર તરફથી વધારાનો વેક્સિનનો જથ્થો મળ્યો છે, જેથી 18 થી 45 વર્ષનાં યુવાનોને પૂરા રાજ્યમાં વેક્સિન મળશે. આજથી દરરોજ 3 લાખ લોકોને વેક્સિન અપાશે. 45 પ્લસ ઉંમરનાં લોકોને પણ વેકસીન આપવામાં આવી રહી છે. કમનસીબે કેટલીક જ્ઞાતિઓ, કેટલાક વર્ગ અને કેટલાંક લોકો વેક્સિન નથી લઇ રહ્યા.

તેમણે જણાવ્યું હતું કે, કેટલાંક ગામડાઓમાં પણ લોકો વેક્સિન માટે તૈયાર નથી. અમે સાધુ સંતો, અમારાં હોદેદારો લોકોને સમજાવે તે પ્રકારનાં પ્રયાસો કરી રહ્યા છીએ. ઓછા સમજુ, વ્હેમવાળા કે અંધશ્રધ્ધાવાળા લોકો વેક્સિન લેતા નથી. જાહેરમાં વેક્સિનનો અપપ્રચાર કરતા હોય તેવા લોકો અમારી સામે આવશે તો અમે તેમને પકડીને એપીડેમિક એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરીશું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Rain Forecast: રાજ્યના આ 19 જિલ્લામાં  મૂશળધાર વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Weather Rain Forecast: રાજ્યના આ 19 જિલ્લામાં મૂશળધાર વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાતમાં સક્રિય થઈ આ સિસ્ટમ, આગામી 5 દિવસ આ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં સક્રિય થઈ આ સિસ્ટમ, આગામી 5 દિવસ આ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Lok Sabha New Speaker:સતત બીજી વખત ઓમ બિરલા બન્યા લોકસભાની સ્પીકર, સુરેશને મળી માત
Lok Sabha New Speaker:સતત બીજી વખત ઓમ બિરલા બન્યા લોકસભાની સ્પીકર, સુરેશને મળી માત
ખાનગી શાળાઓમાં હવે આવા પુસ્તકો ભણાવી શકાશે નહીં, વાલીઓને પણ જાણ કરવી પડશે, સરકારે ઠરાવ પસાર કર્યો
ખાનગી શાળાઓમાં હવે આવા પુસ્તકો ભણાવી શકાશે નહીં, વાલીઓને પણ જાણ કરવી પડશે, સરકારે ઠરાવ પસાર કર્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News । સુરત વનવિભાગ દ્વારા ખેરના લાકડા ચોરીનું નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યુંPanchmahal News । પંચમહાલમાંથી નકલી ચલણી નોટના રેકેટનો થયો પર્દાફાશGujarat's School Praveshotsav 2024: આજથી ગુજરાતમાં 3 દિવસીય શાળા પ્રવેશોત્સવનો પ્રારંભNavsari News । નવસારીના ચીખલીના સમરોલીમાં પ્રશાસનના પાપે વિદ્યાર્થીઓ પતરાના શેડ નીચે ભણવા થયા મજબુર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Rain Forecast: રાજ્યના આ 19 જિલ્લામાં  મૂશળધાર વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Weather Rain Forecast: રાજ્યના આ 19 જિલ્લામાં મૂશળધાર વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાતમાં સક્રિય થઈ આ સિસ્ટમ, આગામી 5 દિવસ આ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં સક્રિય થઈ આ સિસ્ટમ, આગામી 5 દિવસ આ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Lok Sabha New Speaker:સતત બીજી વખત ઓમ બિરલા બન્યા લોકસભાની સ્પીકર, સુરેશને મળી માત
Lok Sabha New Speaker:સતત બીજી વખત ઓમ બિરલા બન્યા લોકસભાની સ્પીકર, સુરેશને મળી માત
ખાનગી શાળાઓમાં હવે આવા પુસ્તકો ભણાવી શકાશે નહીં, વાલીઓને પણ જાણ કરવી પડશે, સરકારે ઠરાવ પસાર કર્યો
ખાનગી શાળાઓમાં હવે આવા પુસ્તકો ભણાવી શકાશે નહીં, વાલીઓને પણ જાણ કરવી પડશે, સરકારે ઠરાવ પસાર કર્યો
શું એક કે બે નંબર પર પંખો ચલાવવાથી વીજળીનું બિલ ઓછું આવે છે? આજે જાણો શું છે સત્ય
શું એક કે બે નંબર પર પંખો ચલાવવાથી વીજળીનું બિલ ઓછું આવે છે? આજે જાણો શું છે સત્ય
Arvind Kejriwal Arrest: અરવિંદ કેજરીવાલને લાગ્યો ઝટકો, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી અગાઉ CBIએ કરી ધરપકડ
Arvind Kejriwal Arrest: અરવિંદ કેજરીવાલને લાગ્યો ઝટકો, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી અગાઉ CBIએ કરી ધરપકડ
Mobile Bacteria: જમતી વખતે ફોન સ્વીચ ઓફ કરી દો, નહીંતર શરીરમાં અનેક ખતરનાક બીમારીઓ ઘર કરી જશે
Mobile Bacteria: જમતી વખતે ફોન સ્વીચ ઓફ કરી દો, નહીંતર શરીરમાં અનેક ખતરનાક બીમારીઓ ઘર કરી જશે
વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને કેટલો પગાર મળશે? અન્ય દેશોમાં નેતાઓને કેટલો પગાર મળે છે? જાણો વિગતે
વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને કેટલો પગાર મળશે? અન્ય દેશોમાં નેતાઓને કેટલો પગાર મળે છે? જાણો વિગતે
Embed widget