શોધખોળ કરો

PM મોદીના કાર્યક્રમમાં હાજર રહેવા નરેશ પટેલને નિમંત્રણ, ભાજપમાં જોડાવાનું નક્કી?

ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રાજકારણમાં જોડાશે એ નક્કી છે પરંતુ કઈ પાર્ટીમાં જોડાશે તે અંગે હજી પાટીદાર આગેવાને પત્તા ખોલ્યા નથી. નરેશ પટેલ ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરી ચૂક્યા છે.

રાજકોટ: ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રાજકારણમાં જોડાશે એ નક્કી છે પરંતુ કઈ પાર્ટીમાં જોડાશે તે અંગે હજી પાટીદાર આગેવાને પત્તા ખોલ્યા નથી. નરેશ પટેલ ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરી ચૂક્યા છે. થોડા દિવસ પહેલા જામનગર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહમાં ભાજપના નેતાઓ સાથે જોવા મળ્યા હતા, આ ઉપરાંત કોંગ્રેસ હાઈ કમાન્ડ  અને પ્રશાંત કિશોર સાથે પણ મુલાકાત કરી હોવાની વાત સામે આવી છે. હવે આ બધાની વચ્ચે પીએમ મોદી ગુજરાત આવી રહ્યા છે ત્યારે તેમના કાર્યક્રમમાં નરેશ પટેલને આમંત્રણ આપવમાં આવતા રાજકારણ ગરમાયું છે.

 

આ અંગે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાનું નિવેદન સામે આવ્યું છે. આજે રાજકોટ ખાતે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે સૌરાષ્ટ્રના નવ જીલ્લાના હોદ્દેદારો સાથે બેઠક કરી  હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં સાડા ત્રણથી ચાર લાખ જેટલા લોકો એકત્રિત કરવામાં આવશે. લોકાર્પણના કાર્યક્રમ અંતર્ગત તમામ સમાજના આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. તેથી એવી અટકળો વહેતી થઈ છે કે શું નરેશ પટેલ પીએમ મોદીની હાજરીમાં ભાજપમાં જોડાશે?

આ અટકળો એટલા માટે પણ મહત્વની કારણ કે બે દિવસ પહેલા નરેશ પટેલે હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા અને દિનેશ બાંભણીયા સાથે મુલાકાત કરી હતી. હવે આ બેઠક બાદ આજે દિનેશ બાંભણીયા સીઆર પાટીલને મળવા રાજકોટ પહોંચ્યા હતા. તેથી લોકોમાં ચર્ચા છે કે પાટીદાર આગેવાનો કેસરીયો ધારણ કરે તો નવાઈ નહીં. જો કે હાલમાં તો આ બધી જો અને તોની વાતો છે. નરેશ પટેલે કહ્યું છે કે તેઓ આઠ કે દસ દિવસમાં રાજકારણમાં જોડાવા અંગે ખુલાસો કરશે.

પાટીદાર આગેવાન દિનેશ બાંભણીયા અચાનક સીઆર પાટીલને મળવા પહોંચતા રાજકારણ ગરમાયું

રાજકોટ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર નેતાઓ દરેક ગતિવિધિ ચર્ચાનો વિષય બની રહી છે. નરેશ પટેલ રાજકારણમાં આવવા અંગે પણ અટકળો ચાલી રહી છે. જો કે તેઓ ક્યા પક્ષ સાથે જોડાશે તે અંગે રહસ્ય અકબંધ છે. આ દરમિયાન તેમણે પાટિદાર સમાજના ત્રણ દિગ્ગજ આગેવાનો સાથે મુલાકાત કરી હતી. નરેશ પટેલે હાર્દિક પટેલ,દિનેશ બાંભણીયા અને અલ્પેશ કથીરિયા સાથે ખોડલધામમાં બેઠક કરી હતી. આ હવે બેઠક બાદ પાટીદાર નેતા દિનેશ બાંભણિયા સીઆર પાટીલને મળવા માટે રાજકોટ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. 

આ મુલાકાતને લઈને અનેક અટકળ વહેતી થઈ છે. જો કે તેઓ જનરલ કેટેગરીના ઉમેદવારોના પ્રશ્નોને લઈને સીઆર પાટીલ સાથે મુલાકાત કરવાના હોવાની વાત સામે આવી છે. પીએસઆઇની ભરતીમાં જનરલને ખૂબ જ અન્યાય થયો હોવાની વાત તેઓ કહી રહ્યા છે. બાંભણીયાએ કહ્યું કે, વિદ્યાર્થીઓ વતી અમે મુલાકાત કરવા આવ્યા છીએ.પી.એસ.આઈની પરીક્ષામાં વિદ્યાર્થીઓને અન્યાયને લઈને રજુઆત કરીશું. જનરલ કેટેગરીના 1282ને બદલે 107 યુવાનોની જ પંસદગી થઈ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન
Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન
7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય
7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય
Embed widget