શોધખોળ કરો

ગુજરાતમાં કોરોના રસીનો પહેલો ડોઝ લેનારા કેટલા હેલ્થ વર્કર્સે બીજો ડોઝ નથી લીધો તેનો આંકડો જાણીને લાગી જશે આઘાત

રાજ્યમાં અત્યાર સુધી 7,94,703 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે.

અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં ગઈકાલે એક હજારથી પણ ઓછા નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં ગઈકાલે કોરોના સંક્રમણના 644 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 10   દર્દીના મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9965 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં ગઈકાલે 1675 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યમાં હાલ સાજા થવાનો દર 97.11  ટકા છે.

રાજ્યમાં અત્યાર સુધી 7,94,703 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 13683 પર પહોંચ્યો છે. જેમાંથી 346 દર્દી વેન્ટિલેટર પર અને 13337 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.11 ટકા છે.

જોકે રસીકરણને ગુજરાતમાં જે ડેટા સામે આવ્યા છે તે જાણીને ચોંકી જશો. ગઈકાલે સરકારે આપેલા આંકડા અનુસાર રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1 કરોડ 89 લાખ 14 હજાર 463 કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે જેમાંથી ગઈકાલે 2 લાખ 66 હજાર 222 ડોઝ આપવામાં આવ્યા હતા. જોકે અહીં ચોંકાવનારો આંકડો હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઈન વર્કરનો છે. આંકડા અનુસાર હેલ્થકેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરમાં કુલ 19 લાખ 37 હજાર 968એ પ્રથમ ડોઝ લીધો છે. જ્યારે બીજો ડોઝ લેનાર હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઈ વર્કરની સંખ્યા અડધા જેટલી છે એટલે કે માત્ર 10 લાખ 85 હજાર 344 લોકોએ જ બીજો ડોઝ લીધો છે. મહત્ત્વની વાત એ છે કે ભારતમાં રસીકરણ અભિયાનની શરૂઆત જ હેલ્થકેર વર્કર અન ફ્રન્ટલાઈન વર્કરને રસી આપવથી થઈ હતી જે જાન્યુઆરીમાં શરૂઆત થઈ હતી. આ જાન્યુઆરીથી અત્યાર સુધીના 6 મહિના થવા છતાં અડધા જેટલા હેલ્થકેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરે પ્રથમ ડોઝ લીધો નથી.


ગુજરાતમાં કોરોના રસીનો પહેલો ડોઝ લેનારા કેટલા હેલ્થ વર્કર્સે બીજો ડોઝ નથી લીધો તેનો આંકડો જાણીને લાગી જશે આઘાત

ક્યાં કેટલા કેસ નોંધાયા ?

અમદાવાદ કોર્પોરેશનમાં 93, વડોદરા કોર્પોરેશનમાં 95, સુરત કોર્પોરેશન 63, વડોદરા 38, સુરતમાં 37, રાજકોટમાં 29, રાજકોટ કોર્પોરેશનમાં 29, જુનાગઢમાં 26, જામનગર કોર્પોરેશનમાં 19, ગીર સોમનાથમાં 16, ખેડામાં 16, આણંદમાં 14, અરવલ્લીમાં 13, નવસારીમાં 13, મહેસાણામાં 11, બનાસકાંઠામાં 11, ભરૂચમાં 11, અમરેલીમાં 10, જાનગરમાં 9 કેસ  નોંધાયા હતા.

આ જિલામાં ન નોંધાયા એક પણ કેસ

રાજ્યમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે, આ દરમિયાન કેટલાક જિલ્લામાં ઝીરો તો કેટલાક જિલ્લામાં સિંગલ આંકડામાં કેસ નોંધાયા છે. ડાંગ અને સુરેન્દ્રનગરમાં એક પણ કેસ નોંધાયો નહોતો. જ્યારે તાપી, મોરબી, છોટા ઉદેપુરમાં 1-1 કેસ નોંધાયા હતા.

ક્યાં કેટલા મોત થયા ?

અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશન 1, વડોદરામાં 1, સુરતમાં 1, જુનાગઢમાં 1, અમરેલીમાં 1, જામનગરમાં 1, મહિસાગરમાં 1 મળી કુલ 10 લોકોને કોરોના ભરખી ગયો હતો.

રાજ્યમાં ગઈકાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 2,66,222 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. ગઈકાલે 3674 હેલ્થકેર વર્કર  અને ફ્ર્ન્ટ લાઇન વર્કરને પ્રથમ ડોઝ, 3988 હેલ્થકેર વર્કર  અને ફ્ર્ન્ટ લાઇન વર્કરને બીજો ડોઝ,   45થી વધુના ઉંમરના 47426 લોકોને પ્રથમ ડોઝ, 45થી વધુ ઉમર23865 લોકોને બીજો ડોઝ. 18-44 વર્ષ સુધીની 165660 લોકને પ્રથમ ડોઝ અને 18-45 વર્ષના 11609 લોકોને બીજો ડોઝ અપાયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.