શોધખોળ કરો

વિસાવદર પેટાચૂંટણીમાં જયેશ રાદડિયાનું સુરતથી મોટું નિવેદન: ‘આક્ષેપો સાબિત થાય તો જ કરજો, કિરીટ પટેલ વિસાવદરનું.....’

સહકારી બેંકને ૪૫૦૦ કરોડનો નફો કરાવનારા કિરીટ પટેલ પર રાજકીય પ્રહારો યોગ્ય નથી; રાદડિયાની મતદારોને ભાજપને મત આપવા અપીલ.

Jayesh Radadiya Visavadar by-election: વિસાવદર વિધાનસભા બેઠકની (Assembly Seat) આગામી પેટાચૂંટણીનો (By-election) માહોલ ગરમાયો છે ત્યારે, રાજ્યના પૂર્વ મંત્રી અને ભાજપના (BJP) દિગ્ગજ નેતા જયેશ રાદડિયાએ સુરતથી (Surat) એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે વિસાવદરના ભાજપના ઉમેદવાર (BJP Candidate) કિરીટ પટેલ (Kirit Patel) સામે થઈ રહેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને વિરોધ પક્ષો (Opposition Parties) પર ચૂંટણીનો માહોલ બગાડવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો હતો.

રાદડિયાએ જણાવ્યું હતું કે, "એક અલગ મેથડથી કિરીટભાઈ સામે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આક્ષેપો તમારાથી સાબિત થાય તો જ કરો. વિસાવદરની ચૂંટણીમાં અમુક ઉમેદવાર દ્વારા માહોલ બગાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ચૂંટણીને ચૂંટણીની રીતે લડવી જોઈએ."

કિરીટ પટેલના કાર્યોની સરાહના

જયેશ રાદડિયાએ કિરીટ પટેલના ભૂતકાળના કાર્યોની સરાહના કરતા જણાવ્યું હતું કે, "ભૂતકાળની અંદર જૂનાગઢ સહકારી બેંક (Junagadh Cooperative Bank) ખાડે ગઈ હતી. ખાડે ગયેલી બેંકને ૪૫૦૦ કરોડ રૂપિયાનો નફો કિરીટ પટેલ દ્વારા કરાવવામાં આવ્યો. જૂનાગઢમાં (Junagadh) પાંચ લાખ રૂપિયા સુધીની ધિરાણની (Loan) વ્યવસ્થા ખેડૂતો માટે કરવામાં આવી."

તેમણે ઉમેર્યું કે, "સમાજની વાત આવે ત્યારે કિરીટ પટેલે જવાબદારી હંમેશા લીધી છે. કિરીટ પટેલે વ્યક્તિગત રીતે સમાજને ફાળો આપ્યો છે. તેવા વ્યક્તિ સામે આક્ષેપો થઈ રહ્યા છે, જે યોગ્ય નથી."

વિસાવદરના ઉજ્જવળ ભવિષ્ય માટે ભાજપને મત આપવા અપીલ

રાદડિયાએ વિસાવદરના મતદારોને (Voters) અપીલ કરતા કહ્યું કે, "આ વખતે વિસાવદરને એક નવી તક મળી છે. વિસાવદરના ભવિષ્ય માટે ભાજપને મતદાન (Voting) કરવું જરૂરી છે. કિરીટભાઈના હસ્તે વિસાવદરનું મજબૂત નેતૃત્વ (Strong Leadership) મળવા જઈ રહ્યું છે."

તેમણે ભાજપની તાકાત પર ભાર મૂકતા કહ્યું કે, "ભારતીય જનતા પાર્ટીની (Bharatiya Janata Party) દુકાન ક્યારેય બંધ થઈ નથી. હજારો કાર્યકરોની (Workers) ફોજ ભાજપ પાસે છે."

અંતે, રાદડિયાએ સુરત ખાતે રહેતા વિસાવદરના મતદારોને પણ ૧૯ તારીખ સુધી ચૂંટણીનો માહોલ હોવાથી વિસાવદર આવીને મતદાન કરવા વિનંતી કરી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, "જે લોકો વાતાવરણને બગાડવા આવ્યા છે, તેવા લોકોને વિસાવદર ભેસાણના (Bhesan) મતદારો પરત મોકલી દેશે."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતની 6 મહાનગરપાલિકામાં નેતાઓનું શાસન પૂરું! સરકારે વહીવટદારોની કરી નિમણૂક, જુઓ લિસ્ટ
ગુજરાતની 6 મહાનગરપાલિકામાં નેતાઓનું શાસન પૂરું! સરકારે વહીવટદારોની કરી નિમણૂક, જુઓ લિસ્ટ
દક્ષિણ ગુજરાતમાં પોસ્ટર વોર: અનંત પટેલ 'મુંગેરીલાલ' તો ધવલ પટેલ 'જુઠ્ઠાલાલ' તરીકે વાયરલ!
દક્ષિણ ગુજરાતમાં પોસ્ટર વોર: અનંત પટેલ 'મુંગેરીલાલ' તો ધવલ પટેલ 'જુઠ્ઠાલાલ' તરીકે વાયરલ!
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
સૌરાષ્ટ્રના રાજકારણને લઈ મોટા સમાચાર: કોંગ્રેસના દિગ્ગજ નેતાએ અચાનક સક્રિય રાજકારણમાંથી લીધી નિવૃત્તિ
સૌરાષ્ટ્રના રાજકારણને લઈ મોટા સમાચાર: કોંગ્રેસના દિગ્ગજ નેતાએ અચાનક સક્રિય રાજકારણમાંથી લીધી નિવૃત્તિ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મેચની ટિકિટની કાળાબજારી ! | ABP Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | શિક્ષકના હાથમાં બૉટલ કેમ ? | ABP Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | રાંધણ અને ઔદ્યોગિક ગેસ કેમ મોંઘા થયા ?
Indranil Rajguru: સૌરાષ્ટ્રના કોંગ્રેસના દિગ્ગજ નેતાએ સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થવાનો લીધો નિર્ણય
Pakistan hikes petrol price: યુદ્ધથી પાકિસ્તાનમાં હાહાકાર, 24 કલાકમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
IND vs NZ ફાઇનલ પીચ રિપોર્ટ: શું અમદાવાદમાં 250 રન બનશે? કોને થશે મોટો ફાયદો?
IND vs NZ ફાઇનલ પીચ રિપોર્ટ: શું અમદાવાદમાં 250 રન બનશે? કોને થશે મોટો ફાયદો?
IND vs NZ Final: 2 હજારની ટિકિટના 15 હજાર! અમદાવાદમાં ટિકિટની કાળાબજારીનો ખુલ્લો ખેલ
IND vs NZ Final: 2 હજારની ટિકિટના 15 હજાર! અમદાવાદમાં ટિકિટની કાળાબજારીનો ખુલ્લો ખેલ
પનીર કે ઝેર? સુરતમાં 1400 કિલો એસિડવાળું પનીર જપ્ત, કિડની અને પાચનતંત્ર માટે છે ખતરનાક
પનીર કે ઝેર? સુરતમાં 1400 કિલો એસિડવાળું પનીર જપ્ત, કિડની અને પાચનતંત્ર માટે છે ખતરનાક
LPG Booking: ઈરાનમાં યુદ્ધ વચ્ચે LPG સિલિન્ડર બુકિંગના નિયમો બદલાયા, જાણો ક્યારથી લાગુ થશે નવો રુલ્સ
LPG Booking: ઈરાનમાં યુદ્ધ વચ્ચે LPG સિલિન્ડર બુકિંગના નિયમો બદલાયા, જાણો ક્યારથી લાગુ થશે નવો રુલ્સ
Surat: સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળ્યા, ChatGPT પર સર્ચ કર્યું હતું, 'How to commit suicide'
Surat: સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળ્યા, ChatGPT પર સર્ચ કર્યું હતું, 'How to commit suicide'
IND vs NZ Final: અમદાવાદનું નામ સાંભળતા જ કેમ જીવંત થયા જૂના ઘા? શું ભારત ફરી હારશે?
IND vs NZ Final: અમદાવાદનું નામ સાંભળતા જ કેમ જીવંત થયા જૂના ઘા? શું ભારત ફરી હારશે?
Embed widget