વિસાવદર પેટાચૂંટણીમાં જયેશ રાદડિયાનું સુરતથી મોટું નિવેદન: ‘આક્ષેપો સાબિત થાય તો જ કરજો, કિરીટ પટેલ વિસાવદરનું.....’
સહકારી બેંકને ૪૫૦૦ કરોડનો નફો કરાવનારા કિરીટ પટેલ પર રાજકીય પ્રહારો યોગ્ય નથી; રાદડિયાની મતદારોને ભાજપને મત આપવા અપીલ.

Jayesh Radadiya Visavadar by-election: વિસાવદર વિધાનસભા બેઠકની (Assembly Seat) આગામી પેટાચૂંટણીનો (By-election) માહોલ ગરમાયો છે ત્યારે, રાજ્યના પૂર્વ મંત્રી અને ભાજપના (BJP) દિગ્ગજ નેતા જયેશ રાદડિયાએ સુરતથી (Surat) એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે વિસાવદરના ભાજપના ઉમેદવાર (BJP Candidate) કિરીટ પટેલ (Kirit Patel) સામે થઈ રહેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને વિરોધ પક્ષો (Opposition Parties) પર ચૂંટણીનો માહોલ બગાડવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો હતો.
રાદડિયાએ જણાવ્યું હતું કે, "એક અલગ મેથડથી કિરીટભાઈ સામે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આક્ષેપો તમારાથી સાબિત થાય તો જ કરો. વિસાવદરની ચૂંટણીમાં અમુક ઉમેદવાર દ્વારા માહોલ બગાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ચૂંટણીને ચૂંટણીની રીતે લડવી જોઈએ."
કિરીટ પટેલના કાર્યોની સરાહના
જયેશ રાદડિયાએ કિરીટ પટેલના ભૂતકાળના કાર્યોની સરાહના કરતા જણાવ્યું હતું કે, "ભૂતકાળની અંદર જૂનાગઢ સહકારી બેંક (Junagadh Cooperative Bank) ખાડે ગઈ હતી. ખાડે ગયેલી બેંકને ૪૫૦૦ કરોડ રૂપિયાનો નફો કિરીટ પટેલ દ્વારા કરાવવામાં આવ્યો. જૂનાગઢમાં (Junagadh) પાંચ લાખ રૂપિયા સુધીની ધિરાણની (Loan) વ્યવસ્થા ખેડૂતો માટે કરવામાં આવી."
તેમણે ઉમેર્યું કે, "સમાજની વાત આવે ત્યારે કિરીટ પટેલે જવાબદારી હંમેશા લીધી છે. કિરીટ પટેલે વ્યક્તિગત રીતે સમાજને ફાળો આપ્યો છે. તેવા વ્યક્તિ સામે આક્ષેપો થઈ રહ્યા છે, જે યોગ્ય નથી."
વિસાવદર વિધાનસભા પેટાચુંટણી અંતર્ગત જુનાગઢ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી આદરણીયશ્રી રત્નાકરજીની અધ્યક્ષતામાં પેટાચુંટણીની પ્રચારલક્ષી કામગીરીની સમીક્ષા સહ માર્ગદર્શન બેઠકમા ચુંટણી પ્રભારી તરીકે ઉપસ્થિત રહીને ઉપસ્થિત આગેવાનો સાથે પ્રચારલક્ષી ચર્ચાઓ કરી. pic.twitter.com/vS442xBPyb
— Jayesh Radadiya (@ijayeshradadiya) June 7, 2025
વિસાવદરના ઉજ્જવળ ભવિષ્ય માટે ભાજપને મત આપવા અપીલ
રાદડિયાએ વિસાવદરના મતદારોને (Voters) અપીલ કરતા કહ્યું કે, "આ વખતે વિસાવદરને એક નવી તક મળી છે. વિસાવદરના ભવિષ્ય માટે ભાજપને મતદાન (Voting) કરવું જરૂરી છે. કિરીટભાઈના હસ્તે વિસાવદરનું મજબૂત નેતૃત્વ (Strong Leadership) મળવા જઈ રહ્યું છે."
તેમણે ભાજપની તાકાત પર ભાર મૂકતા કહ્યું કે, "ભારતીય જનતા પાર્ટીની (Bharatiya Janata Party) દુકાન ક્યારેય બંધ થઈ નથી. હજારો કાર્યકરોની (Workers) ફોજ ભાજપ પાસે છે."
અંતે, રાદડિયાએ સુરત ખાતે રહેતા વિસાવદરના મતદારોને પણ ૧૯ તારીખ સુધી ચૂંટણીનો માહોલ હોવાથી વિસાવદર આવીને મતદાન કરવા વિનંતી કરી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, "જે લોકો વાતાવરણને બગાડવા આવ્યા છે, તેવા લોકોને વિસાવદર ભેસાણના (Bhesan) મતદારો પરત મોકલી દેશે."





















