શોધખોળ કરો

સોમવતી અમાસ નિમિત્તે જૂનાગઢ દામોદર કુંડે પિતૃ તર્પણ માટે ભાવિકો ઉમટ્યા

આજે સોમવતી અમાસ છે જેને લઈ મોટી સંખ્યામાં ભાવિકો પ્રાચીન દામોદર કુંડે સ્નાન અને પિતૃ મોક્ષાર્થે પીપેળે પાણી ચઢાવવા ઉમટી પડ્યા હતા.

જૂનાગઢ: આજે સોમવતી અમાસ છે જેને લઈ મોટી સંખ્યામાં ભાવિકો પ્રાચીન દામોદર કુંડે સ્નાન અને પિતૃ મોક્ષાર્થે પીપેળે પાણી ચઢાવવા ઉમટી પડ્યા હતા. લોકોએ પિતૃ તર્પણ અને દાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું.  હિન્દુ ધર્મમાં અમાસનું ખાસ મહત્વ છે અને એમાં પણ સોમવારે અમાસ આવે ત્યારે તો તેનું મહત્વ વધી જાય છે. સોમવારે આવતી અમાસ સોમવતી અમાવસ્યા ગણાય છે. આજે સોમવતી અમાસનો પવિત્ર સંયોગ સર્જાયો છે ત્યારે ધાર્મિક મહત્વ ધરાવતા પવિત્ર દામોદર કુંડ ખાતે આજે સોમવતી અમાસના દિવસે મોટી સંખ્યામાં ભાવિકો તેમના પિતૃ તર્પણ માટે આવી પહોંચ્યા હતા. 

આજે પવિત્ર દામોદર કુંડ ખાતે મોટી સંખ્યામાં ભાવિકોએ પિતૃ તર્પણ કરીને સોમવતી અમાસની ઉજવણી કરી હતી. વહેલી સવારથી જ સોનરખ નદીના જળથી ભરાયેલા દામોદર કુંડમાં પિતૃ તર્પણ કરીને ભાવિકોએ સોમવતી અમાસની ભારે આસ્થા સાથે ઉજવણી કરી હતી દામોદર કુંડમાં તમામ ધાર્મિક વિધિને આદિ અનાદિ કાળથી ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે ત્યારે અમાસ અને તેમાં પણ સોમવતી અમાસના પવિત્ર સંયોગે આજે મોટી સંખ્યામાં ભાવિકોએ તેમના પિતૃનું તર્પણ કર્યું હતું.

વિક્રમ સવંતના હિંદુ પંચાંગ અનુસાર દર મહિને એક અમાસનો સંયોગ આવતો હોય છે. મહિનાના 30 દિવસ દરમિયાન દર 15 દિવસે એક અમાસ આવતી હોય છે જે સૂર્ય અને ચંદ્રની રાશિ અનુસાર પડતી હોય છે પરંતુ અમાસના દિવસે જ્યારે સોમવાર આવતો હોય આવા પવિત્ર સંયોગને સોમવતી અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના દિવસે પિતૃ તર્પણ અને પિતૃ કાર્યને ખૂબ જ મહત્વનું માનવામાં આવ્યું છે. ધાર્મિક માન્યતા અનુસાર આજના દિવસે કરેલું પિતૃ તર્પણ પ્રત્યેક મૃતાત્માઓ સુધી પહોંચે છે અને તેના આત્માનું કલ્યાણ થાય છે. 

ઘરમાં આ પાંચ જગ્યાએ દીવાં પ્રગટાવવાથી થાય છે લાભ - 
સોમવતી અમાસના દિવસે પીપળના ઝાડને જળ ચઢાવો અને સાંજે ત્યાં તેલનો દીવો પ્રગટાવો અને પીપળના ઝાડ નીચે બેસીને પિતૃ સૂક્તનો પાઠ કરો. આનાથી પૂર્વજો પ્રસન્ન થાય છે. ગરીબીનો નાશ થાય છે.

સોમવતી અમાસ પર સૂર્યાસ્ત પછી તળાવ કે નદીમાં લોટનો દીવો પ્રગટાવો. અમાવસ્યા પર પૂર્વજો પૃથ્વી પર આવે છે અને સૂર્યાસ્ત સમયે તેમની દુનિયામાં પાછા ફરે છે. પૂર્વજોની દુનિયામાં પાછા ફરતી વખતે તેમના માર્ગ પર કોઈ અંધકાર ન રહે તેની ખાતરી કરવા માટે, પૂર્વજો માટે દીવા પ્રગટાવવામાં આવે છે.

સોમવતી અમાસ પર હનુમાનજીની સામે દીવો પ્રગટાવો અને સુંદરકાંડ અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરો. તેનાથી શત્રુઓનો નાશ થાય છે. શનિ દોષથી રાહત મળે છે. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતની 84 નગરપાલિકાઓની ચૂંટણીના પરિણામો જાહેર, 1976 બેઠકો પર ભાજપની જીત, જાણો કોંગ્રેસને કેટલી સીટ મળી
ગુજરાતની 84 નગરપાલિકાઓની ચૂંટણીના પરિણામો જાહેર, 1976 બેઠકો પર ભાજપની જીત, જાણો કોંગ્રેસને કેટલી સીટ મળી
ગુજરાતની 34 જિલ્લા પંચાયતોના પરિણામો જાહેર, જાણો ક્યાં કોને કેટલી સીટ મળી અને કોને થયું વધુ નુકસાન?
ગુજરાતની 34 જિલ્લા પંચાયતોના પરિણામો જાહેર, જાણો ક્યાં કોને કેટલી સીટ મળી અને કોને થયું વધુ નુકસાન?
ગુજરાતના રાજકારણમાં ફરી સાબિત થયું,  પોલીસ કૉન્સ્ટેબલ સફળ અને IPS અધિકારીઓ નિષ્ફળ
ગુજરાતના રાજકારણમાં ફરી સાબિત થયું,  પોલીસ કૉન્સ્ટેબલ સફળ અને IPS અધિકારીઓ નિષ્ફળ
સ્થાનિક ચૂંટણીમાં દિગ્ગજોનો રકાસ: ભાજપ, કોંગ્રેસ, AAP ના આ મોટા માથાઓ હાર્યા, જુઓ લિસ્ટ
સ્થાનિક ચૂંટણીમાં દિગ્ગજોનો રકાસ: ભાજપ, કોંગ્રેસ, AAP ના આ મોટા માથાઓ હાર્યા, જુઓ લિસ્ટ

વિડિઓઝ

Local Body Election Result 2026 : આખું ગામ જીત્યા, ગઢ હારી ગયા, ખેડાવાલાના ભાજપ પર પ્રહાર
Local Body Election Result 2026: સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં મોટા ચહેરાઓનો કારમો પરાજય
Local Body Election Result 2026 : ભેંસાણ તાલુકા પંચાયતમાં ફર્યું આપનું ઝાડું
Gujarat Local Body Election Results 2026: સુરેન્દ્રનગરના મૂળી-2 બેઠક પર રાજુ કરપડાની 2502 મતથી જીત
Gujarat Local Elections Results 2026: લાઠી તા.પં.ની ચાવંડ બેઠક પર લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની પુત્રીની હાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતની 34 જિલ્લા પંચાયતોના પરિણામો જાહેર, જાણો ક્યાં કોને કેટલી સીટ મળી અને કોને થયું વધુ નુકસાન?
ગુજરાતની 34 જિલ્લા પંચાયતોના પરિણામો જાહેર, જાણો ક્યાં કોને કેટલી સીટ મળી અને કોને થયું વધુ નુકસાન?
ગુજરાતની 84 નગરપાલિકાઓની ચૂંટણીના પરિણામો જાહેર, 1976 બેઠકો પર ભાજપની જીત, જાણો કોંગ્રેસને કેટલી સીટ મળી
ગુજરાતની 84 નગરપાલિકાઓની ચૂંટણીના પરિણામો જાહેર, 1976 બેઠકો પર ભાજપની જીત, જાણો કોંગ્રેસને કેટલી સીટ મળી
સ્થાનિક ચૂંટણીમાં દિગ્ગજોનો રકાસ: ભાજપ, કોંગ્રેસ, AAP ના આ મોટા માથાઓ હાર્યા, જુઓ લિસ્ટ
સ્થાનિક ચૂંટણીમાં દિગ્ગજોનો રકાસ: ભાજપ, કોંગ્રેસ, AAP ના આ મોટા માથાઓ હાર્યા, જુઓ લિસ્ટ
ગોપાલ ઇટાલિયાના ગઢમાં 'આપ'નો સપાટો: 18 માંથી 11 બેઠકો જીતી વિસાવદર તાલુકા પંચાયત કબજે કરી
ગોપાલ ઇટાલિયાના ગઢમાં 'આપ'નો સપાટો: 18 માંથી 11 બેઠકો જીતી વિસાવદર તાલુકા પંચાયત કબજે કરી
Ahmedabad AMC Polls: અમદાવાદ મનપામાં ઓવૈસીની પાર્ટીનો સફાયો, 160 બેઠકો પર ભાજપની જીત, જાણો કોંગ્રેસને કેટલી બેઠક મળી?
અમદાવાદ મનપામાં ઓવૈસીની પાર્ટીનો સફાયો, 160 બેઠકો પર ભાજપની જીત, જાણો કોંગ્રેસને કેટલી બેઠક મળી?
સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપનો કેસરિયો: ક્યાંક 'આપ'નો પગપેસારો તો ક્યાંક કોંગ્રેસના સૂપડા સાફ!
સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપનો કેસરિયો: ક્યાંક 'આપ'નો પગપેસારો તો ક્યાંક કોંગ્રેસના સૂપડા સાફ!
અમદાવાદના ખાડિયામાં ભાજપના કાંગરા ખર્યા! ઈમરાન ખેડાવાલાનો કટાક્ષ, 'ભારત જીત્યું, પાકિસ્તાન હાર્યું'
અમદાવાદના ખાડિયામાં ભાજપના કાંગરા ખર્યા! ઈમરાન ખેડાવાલાનો કટાક્ષ, 'ભારત જીત્યું, પાકિસ્તાન હાર્યું'
જીલ્લા પંચાયતોમાં કોંગ્રેસને એવો માર પડ્યો કે બેઠકો તો માંડ આંગળીના વેઢે ગણાય એવી જ આવી! જુઓ લિસ્ટ
જીલ્લા પંચાયતોમાં કોંગ્રેસને એવો માર પડ્યો કે બેઠકો તો માંડ આંગળીના વેઢે ગણાય એવી જ આવી! જુઓ લિસ્ટ
Embed widget