શોધખોળ કરો

સોમવતી અમાસ નિમિત્તે જૂનાગઢ દામોદર કુંડે પિતૃ તર્પણ માટે ભાવિકો ઉમટ્યા

આજે સોમવતી અમાસ છે જેને લઈ મોટી સંખ્યામાં ભાવિકો પ્રાચીન દામોદર કુંડે સ્નાન અને પિતૃ મોક્ષાર્થે પીપેળે પાણી ચઢાવવા ઉમટી પડ્યા હતા.

જૂનાગઢ: આજે સોમવતી અમાસ છે જેને લઈ મોટી સંખ્યામાં ભાવિકો પ્રાચીન દામોદર કુંડે સ્નાન અને પિતૃ મોક્ષાર્થે પીપેળે પાણી ચઢાવવા ઉમટી પડ્યા હતા. લોકોએ પિતૃ તર્પણ અને દાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું.  હિન્દુ ધર્મમાં અમાસનું ખાસ મહત્વ છે અને એમાં પણ સોમવારે અમાસ આવે ત્યારે તો તેનું મહત્વ વધી જાય છે. સોમવારે આવતી અમાસ સોમવતી અમાવસ્યા ગણાય છે. આજે સોમવતી અમાસનો પવિત્ર સંયોગ સર્જાયો છે ત્યારે ધાર્મિક મહત્વ ધરાવતા પવિત્ર દામોદર કુંડ ખાતે આજે સોમવતી અમાસના દિવસે મોટી સંખ્યામાં ભાવિકો તેમના પિતૃ તર્પણ માટે આવી પહોંચ્યા હતા. 

આજે પવિત્ર દામોદર કુંડ ખાતે મોટી સંખ્યામાં ભાવિકોએ પિતૃ તર્પણ કરીને સોમવતી અમાસની ઉજવણી કરી હતી. વહેલી સવારથી જ સોનરખ નદીના જળથી ભરાયેલા દામોદર કુંડમાં પિતૃ તર્પણ કરીને ભાવિકોએ સોમવતી અમાસની ભારે આસ્થા સાથે ઉજવણી કરી હતી દામોદર કુંડમાં તમામ ધાર્મિક વિધિને આદિ અનાદિ કાળથી ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે ત્યારે અમાસ અને તેમાં પણ સોમવતી અમાસના પવિત્ર સંયોગે આજે મોટી સંખ્યામાં ભાવિકોએ તેમના પિતૃનું તર્પણ કર્યું હતું.

વિક્રમ સવંતના હિંદુ પંચાંગ અનુસાર દર મહિને એક અમાસનો સંયોગ આવતો હોય છે. મહિનાના 30 દિવસ દરમિયાન દર 15 દિવસે એક અમાસ આવતી હોય છે જે સૂર્ય અને ચંદ્રની રાશિ અનુસાર પડતી હોય છે પરંતુ અમાસના દિવસે જ્યારે સોમવાર આવતો હોય આવા પવિત્ર સંયોગને સોમવતી અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના દિવસે પિતૃ તર્પણ અને પિતૃ કાર્યને ખૂબ જ મહત્વનું માનવામાં આવ્યું છે. ધાર્મિક માન્યતા અનુસાર આજના દિવસે કરેલું પિતૃ તર્પણ પ્રત્યેક મૃતાત્માઓ સુધી પહોંચે છે અને તેના આત્માનું કલ્યાણ થાય છે. 

ઘરમાં આ પાંચ જગ્યાએ દીવાં પ્રગટાવવાથી થાય છે લાભ - 
સોમવતી અમાસના દિવસે પીપળના ઝાડને જળ ચઢાવો અને સાંજે ત્યાં તેલનો દીવો પ્રગટાવો અને પીપળના ઝાડ નીચે બેસીને પિતૃ સૂક્તનો પાઠ કરો. આનાથી પૂર્વજો પ્રસન્ન થાય છે. ગરીબીનો નાશ થાય છે.

સોમવતી અમાસ પર સૂર્યાસ્ત પછી તળાવ કે નદીમાં લોટનો દીવો પ્રગટાવો. અમાવસ્યા પર પૂર્વજો પૃથ્વી પર આવે છે અને સૂર્યાસ્ત સમયે તેમની દુનિયામાં પાછા ફરે છે. પૂર્વજોની દુનિયામાં પાછા ફરતી વખતે તેમના માર્ગ પર કોઈ અંધકાર ન રહે તેની ખાતરી કરવા માટે, પૂર્વજો માટે દીવા પ્રગટાવવામાં આવે છે.

સોમવતી અમાસ પર હનુમાનજીની સામે દીવો પ્રગટાવો અને સુંદરકાંડ અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરો. તેનાથી શત્રુઓનો નાશ થાય છે. શનિ દોષથી રાહત મળે છે. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
સાણંદ બન્યું સેમિકન્ડક્ટર હબ: પીએમ મોદીએ 22516 કરોડના માઇક્રોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
સાણંદ બન્યું સેમિકન્ડક્ટર હબ: પીએમ મોદીએ 22516 કરોડના માઇક્રોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું

વિડિઓઝ

Ahmedabad News : અમદાવાદના શાહ આલમ ટોલનાકા પાસે યુવતીને બુરખો હટાવવાનું કહેતા બબાલ
Hun To Bolish : હું તો બોલીશ : એક વર્ષમાં બુલેટ ટ્રેન
Hun To Bolish: હું તો બોલીશ : વિશ્વ યુદ્ધના ભણકારા ?
Hun To Bolish: હું તો બોલીશ : બેફામ ગૌહત્યારા
Dwarka DJ News : દ્વારકામાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા 14 ડી.જે. કરાયા ડિટેઇન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
પાકિસ્તાન બાદ ઈરાનમાં પણ ચીની સિસ્ટમ ફેલ, HQ 9B ને ઈઝરાયલી મિસાઈલોએ ઉડાવી
પાકિસ્તાન બાદ ઈરાનમાં પણ ચીની સિસ્ટમ ફેલ, HQ 9B ને ઈઝરાયલી મિસાઈલોએ ઉડાવી
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
વિશ્વ યુદ્ધ ગણવા માટે કેટલા દેશો યુદ્ધમાં હોવા જોઈએ? મધ્ય પૂર્વમાં ઈરાની હુમલાઓ વચ્ચે એક પ્રશ્ન ઉભો થયો છે
વિશ્વ યુદ્ધ ગણવા માટે કેટલા દેશો યુદ્ધમાં હોવા જોઈએ? મધ્ય પૂર્વમાં ઈરાની હુમલાઓ વચ્ચે એક પ્રશ્ન ઉભો થયો છે
કુલદીપ યાદવ વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાંથી આઉટ? કેપ્ટને મેચ વિનર બોલરને કેમ બેસાડ્યો બહાર, જાણો વિગતે
કુલદીપ યાદવ વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાંથી આઉટ? કેપ્ટને મેચ વિનર બોલરને કેમ બેસાડ્યો બહાર, જાણો વિગતે
Embed widget