શોધખોળ કરો

સોમવતી અમાસ નિમિત્તે જૂનાગઢ દામોદર કુંડે પિતૃ તર્પણ માટે ભાવિકો ઉમટ્યા

આજે સોમવતી અમાસ છે જેને લઈ મોટી સંખ્યામાં ભાવિકો પ્રાચીન દામોદર કુંડે સ્નાન અને પિતૃ મોક્ષાર્થે પીપેળે પાણી ચઢાવવા ઉમટી પડ્યા હતા.

જૂનાગઢ: આજે સોમવતી અમાસ છે જેને લઈ મોટી સંખ્યામાં ભાવિકો પ્રાચીન દામોદર કુંડે સ્નાન અને પિતૃ મોક્ષાર્થે પીપેળે પાણી ચઢાવવા ઉમટી પડ્યા હતા. લોકોએ પિતૃ તર્પણ અને દાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું.  હિન્દુ ધર્મમાં અમાસનું ખાસ મહત્વ છે અને એમાં પણ સોમવારે અમાસ આવે ત્યારે તો તેનું મહત્વ વધી જાય છે. સોમવારે આવતી અમાસ સોમવતી અમાવસ્યા ગણાય છે. આજે સોમવતી અમાસનો પવિત્ર સંયોગ સર્જાયો છે ત્યારે ધાર્મિક મહત્વ ધરાવતા પવિત્ર દામોદર કુંડ ખાતે આજે સોમવતી અમાસના દિવસે મોટી સંખ્યામાં ભાવિકો તેમના પિતૃ તર્પણ માટે આવી પહોંચ્યા હતા. 

આજે પવિત્ર દામોદર કુંડ ખાતે મોટી સંખ્યામાં ભાવિકોએ પિતૃ તર્પણ કરીને સોમવતી અમાસની ઉજવણી કરી હતી. વહેલી સવારથી જ સોનરખ નદીના જળથી ભરાયેલા દામોદર કુંડમાં પિતૃ તર્પણ કરીને ભાવિકોએ સોમવતી અમાસની ભારે આસ્થા સાથે ઉજવણી કરી હતી દામોદર કુંડમાં તમામ ધાર્મિક વિધિને આદિ અનાદિ કાળથી ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે ત્યારે અમાસ અને તેમાં પણ સોમવતી અમાસના પવિત્ર સંયોગે આજે મોટી સંખ્યામાં ભાવિકોએ તેમના પિતૃનું તર્પણ કર્યું હતું.

વિક્રમ સવંતના હિંદુ પંચાંગ અનુસાર દર મહિને એક અમાસનો સંયોગ આવતો હોય છે. મહિનાના 30 દિવસ દરમિયાન દર 15 દિવસે એક અમાસ આવતી હોય છે જે સૂર્ય અને ચંદ્રની રાશિ અનુસાર પડતી હોય છે પરંતુ અમાસના દિવસે જ્યારે સોમવાર આવતો હોય આવા પવિત્ર સંયોગને સોમવતી અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના દિવસે પિતૃ તર્પણ અને પિતૃ કાર્યને ખૂબ જ મહત્વનું માનવામાં આવ્યું છે. ધાર્મિક માન્યતા અનુસાર આજના દિવસે કરેલું પિતૃ તર્પણ પ્રત્યેક મૃતાત્માઓ સુધી પહોંચે છે અને તેના આત્માનું કલ્યાણ થાય છે. 

ઘરમાં આ પાંચ જગ્યાએ દીવાં પ્રગટાવવાથી થાય છે લાભ - 
સોમવતી અમાસના દિવસે પીપળના ઝાડને જળ ચઢાવો અને સાંજે ત્યાં તેલનો દીવો પ્રગટાવો અને પીપળના ઝાડ નીચે બેસીને પિતૃ સૂક્તનો પાઠ કરો. આનાથી પૂર્વજો પ્રસન્ન થાય છે. ગરીબીનો નાશ થાય છે.

સોમવતી અમાસ પર સૂર્યાસ્ત પછી તળાવ કે નદીમાં લોટનો દીવો પ્રગટાવો. અમાવસ્યા પર પૂર્વજો પૃથ્વી પર આવે છે અને સૂર્યાસ્ત સમયે તેમની દુનિયામાં પાછા ફરે છે. પૂર્વજોની દુનિયામાં પાછા ફરતી વખતે તેમના માર્ગ પર કોઈ અંધકાર ન રહે તેની ખાતરી કરવા માટે, પૂર્વજો માટે દીવા પ્રગટાવવામાં આવે છે.

સોમવતી અમાસ પર હનુમાનજીની સામે દીવો પ્રગટાવો અને સુંદરકાંડ અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરો. તેનાથી શત્રુઓનો નાશ થાય છે. શનિ દોષથી રાહત મળે છે. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?
Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
Embed widget