શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
આ વર્ષે નહીં યોજાય જૂનાગઢ મહાશિવરાત્રી મેળો, માત્ર સાધુ-સંતો પરંપરા જાળવશે
દર વર્ષે મહા શિવરાત્રીના મેળામાં ૧૨ થી ૧૫ લાખ ભાવિકો આવતા હોય છે, પરંતુ આ વખતે કોરોના મહામારીને લઈને મોટી સંખ્યામાં ભાવિકો એકત્ર ના થાય અને તેઓ ઘરે બેઠા શિવરાત્રીના મેળાની પરંપરાગત ઉજવણી માણી શકે તે માટે લાઈવ પ્રસારણ કરવામાં આવશે.
![આ વર્ષે નહીં યોજાય જૂનાગઢ મહાશિવરાત્રી મેળો, માત્ર સાધુ-સંતો પરંપરા જાળવશે Junagadh Mahashivratri fair will not be held this year, only monk-saints will maintain the tradition આ વર્ષે નહીં યોજાય જૂનાગઢ મહાશિવરાત્રી મેળો, માત્ર સાધુ-સંતો પરંપરા જાળવશે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/03/02133252/Junagadh-Mahashivratri-fair.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ફાઈલ તસવીર
જૂનાગઢમાં વર્ષોની પરંપરા મુજબ લાખો ભાવિકોની હાજરીમાં યોજાતો મહા શિવરાત્રીનો મેળો કોરોના મહામારીને લઈને ભાવિકો માટે મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે પરંપરા છે તે માટે સાધુ-સંતો દ્વારા મહા વદ નોમને દિવસે સ્નાનવિધિ, ધ્વજારોહણ, પૂજન-અર્ચન કરવામાં આવશે અને પાંચ દિવસ મેળાની પરંપરા જાળવવામાં આવશે.
જૂનાગઢ ખતે ભવનાથ તળેટીમાં દરવર્ષે મહા વદ નોમને દિવસથી પાંચ દિવસ યોજાતો મહા શિવરાત્રીનો મેળો આ વર્ષે યોજાશે કે કેમ તે અંગે ગઈકાલે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષ સ્થાને સાધુ-સંતો સાથે બેઠક મળી હતી, જેમાં રૂદ્રેશ્વર જાગીર આશ્રમના ઇન્દ્રભારતી મહારાજ, અન્ય સાધુ-સંતો, મેયર ધીરુભાઈ ગોહેલ, મ્યુ.કમિશ્નર તુષાર સુમેરા, ડીસીએફ ડો.સુનિલ બેરવાલ, ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, ઉતારા મંડળના ભાવેશ વેકરીયા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં પ્રવર્તમાન કોરોના મહામારીને લઈને ભાવિકો માટે મહા શિવરાત્રીનો મેળો મોકૂફ રાખવા માટે સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો.
કોરોનાને લઈને જેમ લીલી પરિક્રમા મોકૂફ રાખીને માત્ર પરંપરા જાળવવા પ્રતિકાત્મક પરિક્રમાનું આયોજન કર્યું હતું, તેમ મેળા માટે સાધુ-સંતો દ્વારા કેવી રીતે મહા શિવરાત્રીની ઉજવણી કરવી તે નક્કી કરવામાં આવશે, આગામી તા.૭ માર્ચને મહા વદ નોમના દિવસે સાધુ-સંતો દ્વારા સ્નાનવિધિ બાદ ભવનાથ મંદિરે ધ્વજારોહણ પૂજન-અર્ચન કરીને ઉજવણી કરવામાં આવશે, ત્યાર બાદ ક્યાં અખાડામાંથી કેટલા સંતો-સેવકો આવે છે તેના પર રવેડી સહિતના કાર્યક્રમો નક્કી કરવામાં આવશે.
દર વર્ષે મહા શિવરાત્રીના મેળામાં ૧૨ થી ૧૫ લાખ ભાવિકો આવતા હોય છે, પરંતુ આ વખતે કોરોના મહામારીને લઈને મોટી સંખ્યામાં ભાવિકો એકત્ર ના થાય અને તેઓ ઘરે બેઠા શિવરાત્રીના મેળાની પરંપરાગત ઉજવણી માણી શકે તે માટે લાઈવ પ્રસારણ કરવામાં આવશે. સાથે મેળામાં આવતા લાખો ભાવિકો અને અન્નક્ષેત્રો પણ ન આવવા ઉતારા મંડળે અપીલ કરી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)