શોધખોળ કરો

આ વર્ષે નહીં યોજાય જૂનાગઢ મહાશિવરાત્રી મેળો, માત્ર સાધુ-સંતો પરંપરા જાળવશે

દર વર્ષે મહા શિવરાત્રીના મેળામાં ૧૨ થી ૧૫ લાખ ભાવિકો આવતા હોય છે, પરંતુ આ વખતે કોરોના મહામારીને લઈને મોટી સંખ્યામાં ભાવિકો એકત્ર ના થાય અને તેઓ ઘરે બેઠા શિવરાત્રીના મેળાની પરંપરાગત ઉજવણી માણી શકે તે માટે લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

જૂનાગઢમાં વર્ષોની પરંપરા મુજબ લાખો ભાવિકોની હાજરીમાં યોજાતો મહા શિવરાત્રીનો મેળો કોરોના મહામારીને લઈને ભાવિકો માટે મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે પરંપરા છે તે માટે સાધુ-સંતો દ્વારા મહા વદ નોમને દિવસે સ્નાનવિધિ, ધ્વજારોહણ, પૂજન-અર્ચન કરવામાં આવશે અને પાંચ દિવસ મેળાની પરંપરા જાળવવામાં આવશે. જૂનાગઢ ખતે ભવનાથ તળેટીમાં દરવર્ષે મહા વદ નોમને દિવસથી પાંચ દિવસ યોજાતો મહા શિવરાત્રીનો મેળો આ વર્ષે યોજાશે કે કેમ તે અંગે ગઈકાલે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષ સ્થાને સાધુ-સંતો સાથે બેઠક મળી હતી, જેમાં રૂદ્રેશ્વર જાગીર આશ્રમના ઇન્દ્રભારતી મહારાજ, અન્ય સાધુ-સંતો, મેયર ધીરુભાઈ ગોહેલ, મ્યુ.કમિશ્નર તુષાર સુમેરા, ડીસીએફ ડો.સુનિલ બેરવાલ, ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, ઉતારા મંડળના ભાવેશ વેકરીયા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં પ્રવર્તમાન કોરોના મહામારીને લઈને ભાવિકો માટે મહા શિવરાત્રીનો મેળો મોકૂફ રાખવા માટે સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો. કોરોનાને લઈને જેમ લીલી પરિક્રમા મોકૂફ રાખીને માત્ર પરંપરા જાળવવા પ્રતિકાત્મક પરિક્રમાનું આયોજન કર્યું હતું, તેમ મેળા માટે સાધુ-સંતો દ્વારા કેવી રીતે મહા શિવરાત્રીની ઉજવણી કરવી તે નક્કી કરવામાં આવશે, આગામી તા.૭ માર્ચને મહા વદ નોમના દિવસે સાધુ-સંતો દ્વારા સ્નાનવિધિ બાદ ભવનાથ મંદિરે ધ્વજારોહણ પૂજન-અર્ચન કરીને ઉજવણી કરવામાં આવશે, ત્યાર બાદ ક્યાં અખાડામાંથી કેટલા સંતો-સેવકો આવે છે તેના પર રવેડી સહિતના કાર્યક્રમો નક્કી કરવામાં આવશે. દર વર્ષે મહા શિવરાત્રીના મેળામાં ૧૨ થી ૧૫ લાખ ભાવિકો આવતા હોય છે, પરંતુ આ વખતે કોરોના મહામારીને લઈને મોટી સંખ્યામાં ભાવિકો એકત્ર ના થાય અને તેઓ ઘરે બેઠા શિવરાત્રીના મેળાની પરંપરાગત ઉજવણી માણી શકે તે માટે લાઈવ પ્રસારણ કરવામાં આવશે. સાથે મેળામાં આવતા લાખો ભાવિકો અને અન્નક્ષેત્રો પણ ન આવવા ઉતારા મંડળે અપીલ કરી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Forecast: રાજ્ય પર વધુ એક સંકટ, 22 માર્ચે વધુ એક સિસ્ટમ થશે એક્ટિવ, કમોસમી વરસાદનું એલર્ટ
Rain Forecast: રાજ્ય પર વધુ એક સંકટ, 22 માર્ચે વધુ એક સિસ્ટમ થશે એક્ટિવ, કમોસમી વરસાદનું એલર્ટ
Rain: ગુજરાતમાં ખેડૂતો પાયમાલ: અનાજ, શાકભાજી સાથે કેરીનો પાક પણ માવઠા અને વાવાઝોડામાં ધોવાયો
Rain: ગુજરાતમાં ખેડૂતો પાયમાલ: અનાજ, શાકભાજી સાથે કેરીનો પાક પણ માવઠા અને વાવાઝોડામાં ધોવાયો
Gujarat Rain Forecast: આજે પણ માવઠાનું સંકટ યથાવત, રાજ્યના આ 10 જિલ્લાને ઘમરોળશે કમોસમી વરસાદ
Gujarat Rain Forecast: આજે પણ માવઠાનું સંકટ યથાવત, રાજ્યના આ 10 જિલ્લાને ઘમરોળશે કમોસમી વરસાદ
Rain: ભરઉનાળે માવઠાએ વિનાશ નોતર્યો, છેલ્લા 24 કલાકમાં 72 તાલુકામાં ખાબક્યો કમોસમી વરસાદ
Rain: ભરઉનાળે માવઠાએ વિનાશ નોતર્યો, છેલ્લા 24 કલાકમાં 72 તાલુકામાં ખાબક્યો કમોસમી વરસાદ

વિડિઓઝ

Morbi Marriage Mandap Collapse : મોરબીમાં મીની વાવાઝોડું ત્રાટકતા લગ્નનો મંડપ ધરાશાયી
Rajkot Water Logging : રાજકોટમાં ભારે પવન સાથે ખાબક્યો વરસાદ, ઠેર ઠેર ભરાયા પાણી
Hun To Bolish : હું તો બોલીશ : નકલી ગુરૂનું નકલી સામ્રાજ્ય
Hun To Bolish : હું તો બોલીશ : ભર ઉનાળે તોફાની વરસાદ
Stock Market: ભારતીય શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 2500 પોઈન્ટનો કડાકો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain: ગુજરાતમાં ખેડૂતો પાયમાલ: અનાજ, શાકભાજી સાથે કેરીનો પાક પણ માવઠા અને વાવાઝોડામાં ધોવાયો
Rain: ગુજરાતમાં ખેડૂતો પાયમાલ: અનાજ, શાકભાજી સાથે કેરીનો પાક પણ માવઠા અને વાવાઝોડામાં ધોવાયો
Rain Forecast: રાજ્ય પર વધુ એક સંકટ, 22 માર્ચે વધુ એક સિસ્ટમ થશે એક્ટિવ, કમોસમી વરસાદનું એલર્ટ
Rain Forecast: રાજ્ય પર વધુ એક સંકટ, 22 માર્ચે વધુ એક સિસ્ટમ થશે એક્ટિવ, કમોસમી વરસાદનું એલર્ટ
Rain: ભરઉનાળે માવઠાએ વિનાશ નોતર્યો, છેલ્લા 24 કલાકમાં 72 તાલુકામાં ખાબક્યો કમોસમી વરસાદ
Rain: ભરઉનાળે માવઠાએ વિનાશ નોતર્યો, છેલ્લા 24 કલાકમાં 72 તાલુકામાં ખાબક્યો કમોસમી વરસાદ
Gujarat Rain Forecast: આજે પણ માવઠાનું સંકટ યથાવત, રાજ્યના આ 10 જિલ્લાને ઘમરોળશે કમોસમી વરસાદ
Gujarat Rain Forecast: આજે પણ માવઠાનું સંકટ યથાવત, રાજ્યના આ 10 જિલ્લાને ઘમરોળશે કમોસમી વરસાદ
Rain: માવઠાની આગાહી, આગામી 2 કલાકમાં ભારે પવન સાથે આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Rain: માવઠાની આગાહી, આગામી 2 કલાકમાં ભારે પવન સાથે આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
રાજયમાં બરબાદીનું માવઠું, 2 લોકોનો લીધો જીવ, વૃક્ષો ધરાશાયી, પાકને નુકસાન
રાજયમાં બરબાદીનું માવઠું, 2 લોકોનો લીધો જીવ, વૃક્ષો ધરાશાયી, પાકને પારવાર નુકસાન
Weather Forecast: દિલ્લી યુપી સહિતઆ 5 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ
Weather Forecast: દિલ્લી યુપી સહિતઆ 5 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ
ઈરાની હુમલામાં યુએસ F-35 ફાઇટર જેટને થયું નુકસાન, ઇમરજન્સી લેન્ડિંગ કરવાની પડી ફરજ: રિપોર્ટ
ઈરાની હુમલામાં યુએસ F-35 ફાઇટર જેટને થયું નુકસાન, ઇમરજન્સી લેન્ડિંગ કરવાની પડી ફરજ: રિપોર્ટ
Embed widget