શોધખોળ કરો

કોરોના સંક્રમણને પગલે સૌરાષ્ટ્રના કયા જાણીતા પ્રવાસન સ્થળો અચોક્કસ મુદ્દત માટે કરી દેવાયા બંધ?

સાસણ, દેવળિયા, સક્કરબાગ, ગિરનાર સફારી, આબંરડી પાર્ક અચોક્કસ મુદ્દત માટે બંધ કરી દેવાયા છે. નવી ગાઇડલાઇન ન આવે ત્યાં સુધી તમામ સફારી પાર્કો અને અભ્યારણો બંધ રહેશે.

જૂનાગઢઃ ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. તેમજ મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. આ બધાની વચ્ચે સાસણ ગીર સફારી પાર્ક અને દેવળીયા પાર્ક આજથી પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. કોરોના મહામારીને લઇ વન વિભાગ દ્વારા આજથી અનિશ્ચિત કાળ માટે બંધ કરાયું છે. 

આ સિવાય જૂનાગઢ ગીરનાર નેચર સફારી પણ બંધ કરવામા આવી છે.  જૂનાગઢનું સક્કરબાગ ઝૂ પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ધારીનુ આબંરડી સફારી પાર્ક પણ બંધ રહેશે.  કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડને આદેશ કર્યો છે. સાસણ, દેવળિયા, સક્કરબાગ, ગિરનાર સફારી, આબંરડી પાર્ક અચોક્કસ મુદ્દત માટે બંધ કરી દેવાયા છે. નવી ગાઇડલાઇન ન આવે ત્યાં સુધી તમામ સફારી પાર્કો અને અભ્યારણો બંધ રહેશે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના બે ગામોએ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને લોકડાઉન લંબાવવાનો નિર્ણય લીધો છે. બોટાદમાં ઢસા ગામમાં વધુ 8 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. ગઢડાની ઢસા  ગ્રામ પંચાયત દ્વારા મહત્વ પૂર્ણ નિર્ણય લેવાયો છે. ઢસા ગામના તમામ વેપારીને સાથે રાખીને નિર્ણય લેવાયો છે. 3-05-2021થી 10-05-2021 સુધી તમામ વ્યાપાર ધંધા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. માત્ર દૂધ ની ડેરીઓ સવારના 5 થી 8 વાગ્યા સુધી અને સાંજે 5 થી 8 વાગ્યા સુધી શરૂ રખાશે. શાકભાજીવાળાને માત્ર ફેરી કરવાની રહેશે. જો કોઇ પણ વ્યક્તિ વ્યાપર ધંધા શરૂ રાખશે તો ગ્રામ પંચાયત દ્વારા દંડ આપવામાં આવશે. સતત વધતા સંક્રમણને અટકાવવા ગ્રામ પંચાયત દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. 

અમરેલીમાં વડિયાનું દેવગામ હવે આગામી 15 મે સુધી સ્વૈચ્છીક બંધ પાળશે. કોરોનાના વધતા સંક્રમણને પગલે ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય લઈને સ્વૈચ્છિક બંધને લંબાવવામાં આવ્યું છે. વેપારીઓ સવારના 7 થી બપોરે 1 વાગ્યા સુધી દુકાનો ખુલી રાખી શકશે. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા ગામ લોકોને પંચાયત દ્વારા અપીલ કરવામાં આવી છે. તો સુરત,અમદાવાદ સહિતના અન્ય જિલ્લાઓમાંથી આવતા લોકોને ગ્રામ પંચાયતને જાણ કરવા કરી 15 દિવસ સુધી હોમકોરેન્ટીન રહેવા પંચાયત દ્વારા સૂચનાઓ અપાઈ છે. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
સંસદમાં કોણે પીધી ઈ-સિગારેટ? અનુરાગ ઠાકુરે સ્પીકરને કોની કરી ફરિયાદ, જેના કારણે ગૃહમાં મચી ગયો હોબાળો
સંસદમાં કોણે પીધી ઈ-સિગારેટ? અનુરાગ ઠાકુરે સ્પીકરને કોની કરી ફરિયાદ, જેના કારણે ગૃહમાં મચી ગયો હોબાળો
"રહમાન ડકૈત" પછી "શુક્રાચાર્ય" બનશે અક્ષય ખન્ના, ફિલ્મના ફર્સ્ટ લુકે મચાવ્યો તહેલકો
ભારત સરકારની iPhone યૂઝર્સને ચેતવણી, તાત્કાલિક કરી લો આ 4 કામ નહીં તો મુશ્કેલીમાં મૂકાશો 
ભારત સરકારની iPhone યૂઝર્સને ચેતવણી, તાત્કાલિક કરી લો આ 4 કામ નહીં તો મુશ્કેલીમાં મૂકાશો 
રીવાબા જાડેજાનો મોટો દાવો- ભારતીય ખેલાડીઓ પર લગાવ્યા ગંભીર આરોપો, ક્રિકેટ જગતમાં મચ્યો ખળભળાટ
રીવાબા જાડેજાનો મોટો દાવો- ભારતીય ખેલાડીઓ પર લગાવ્યા ગંભીર આરોપો, ક્રિકેટ જગતમાં મચ્યો ખળભળાટ
Embed widget