શોધખોળ કરો

કોરોના સંક્રમણને પગલે સૌરાષ્ટ્રના કયા જાણીતા પ્રવાસન સ્થળો અચોક્કસ મુદ્દત માટે કરી દેવાયા બંધ?

સાસણ, દેવળિયા, સક્કરબાગ, ગિરનાર સફારી, આબંરડી પાર્ક અચોક્કસ મુદ્દત માટે બંધ કરી દેવાયા છે. નવી ગાઇડલાઇન ન આવે ત્યાં સુધી તમામ સફારી પાર્કો અને અભ્યારણો બંધ રહેશે.

જૂનાગઢઃ ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. તેમજ મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. આ બધાની વચ્ચે સાસણ ગીર સફારી પાર્ક અને દેવળીયા પાર્ક આજથી પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. કોરોના મહામારીને લઇ વન વિભાગ દ્વારા આજથી અનિશ્ચિત કાળ માટે બંધ કરાયું છે. 

આ સિવાય જૂનાગઢ ગીરનાર નેચર સફારી પણ બંધ કરવામા આવી છે.  જૂનાગઢનું સક્કરબાગ ઝૂ પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ધારીનુ આબંરડી સફારી પાર્ક પણ બંધ રહેશે.  કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડને આદેશ કર્યો છે. સાસણ, દેવળિયા, સક્કરબાગ, ગિરનાર સફારી, આબંરડી પાર્ક અચોક્કસ મુદ્દત માટે બંધ કરી દેવાયા છે. નવી ગાઇડલાઇન ન આવે ત્યાં સુધી તમામ સફારી પાર્કો અને અભ્યારણો બંધ રહેશે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના બે ગામોએ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને લોકડાઉન લંબાવવાનો નિર્ણય લીધો છે. બોટાદમાં ઢસા ગામમાં વધુ 8 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. ગઢડાની ઢસા  ગ્રામ પંચાયત દ્વારા મહત્વ પૂર્ણ નિર્ણય લેવાયો છે. ઢસા ગામના તમામ વેપારીને સાથે રાખીને નિર્ણય લેવાયો છે. 3-05-2021થી 10-05-2021 સુધી તમામ વ્યાપાર ધંધા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. માત્ર દૂધ ની ડેરીઓ સવારના 5 થી 8 વાગ્યા સુધી અને સાંજે 5 થી 8 વાગ્યા સુધી શરૂ રખાશે. શાકભાજીવાળાને માત્ર ફેરી કરવાની રહેશે. જો કોઇ પણ વ્યક્તિ વ્યાપર ધંધા શરૂ રાખશે તો ગ્રામ પંચાયત દ્વારા દંડ આપવામાં આવશે. સતત વધતા સંક્રમણને અટકાવવા ગ્રામ પંચાયત દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. 

અમરેલીમાં વડિયાનું દેવગામ હવે આગામી 15 મે સુધી સ્વૈચ્છીક બંધ પાળશે. કોરોનાના વધતા સંક્રમણને પગલે ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય લઈને સ્વૈચ્છિક બંધને લંબાવવામાં આવ્યું છે. વેપારીઓ સવારના 7 થી બપોરે 1 વાગ્યા સુધી દુકાનો ખુલી રાખી શકશે. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા ગામ લોકોને પંચાયત દ્વારા અપીલ કરવામાં આવી છે. તો સુરત,અમદાવાદ સહિતના અન્ય જિલ્લાઓમાંથી આવતા લોકોને ગ્રામ પંચાયતને જાણ કરવા કરી 15 દિવસ સુધી હોમકોરેન્ટીન રહેવા પંચાયત દ્વારા સૂચનાઓ અપાઈ છે. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા પર ટ્રમ્પે 50% ટેરિફ લગાડ્યો તો ભારતે આપ્યો વળતો જવાબ,– ‘અમે અમારા રાષ્ટ્રીય હિતો....’
રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા પર ટ્રમ્પે 50% ટેરિફ લગાડ્યો તો ભારતે આપ્યો વળતો જવાબ,– ‘અમે અમારા રાષ્ટ્રીય હિતો....’
રેપ કેસમાં RCBનો બોલર યશ દયાલ જશે જેલ? રાજસ્થાન હાઈકોર્ટે ધરપકડ પર રોક લગાવવાનો કર્યો ઈનકાર
રેપ કેસમાં RCBનો બોલર યશ દયાલ જશે જેલ? રાજસ્થાન હાઈકોર્ટે ધરપકડ પર રોક લગાવવાનો કર્યો ઈનકાર
15 ઓગસ્ટથી શરૂ થશે FASTag Annual Pass, જાણો કેવી રીતે કરશો એક્ટિવેટ?
15 ઓગસ્ટથી શરૂ થશે FASTag Annual Pass, જાણો કેવી રીતે કરશો એક્ટિવેટ?
અમેરિકાના જ્યોર્જિયામાં આર્મી બેઝ પર  ફાયરિંગ, પાંચ જવાનોને વાગી ગોળી
અમેરિકાના જ્યોર્જિયામાં આર્મી બેઝ પર ફાયરિંગ, પાંચ જવાનોને વાગી ગોળી
Advertisement

વિડિઓઝ

Bharuch News: ભરૂચની 35થી વધુ આંગણવાડી બહેનો ન્યુડ વીડિયો કોલથી પરેશાન
Hun To Bolish : હું તો બોલીશ : ડમ્પર પર વાગશે બ્રેક ?
Hun To Bolish : હું તો બોલીશ : મગફળીની ચોરી કે કૌભાંડ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ફરાળ ઉપવાસ તોડાવશે
LRD Written Exam Result : લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાના માર્ક જાહેર, પોલીસ ભરતી બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે માર્ક
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા પર ટ્રમ્પે 50% ટેરિફ લગાડ્યો તો ભારતે આપ્યો વળતો જવાબ,– ‘અમે અમારા રાષ્ટ્રીય હિતો....’
રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા પર ટ્રમ્પે 50% ટેરિફ લગાડ્યો તો ભારતે આપ્યો વળતો જવાબ,– ‘અમે અમારા રાષ્ટ્રીય હિતો....’
રેપ કેસમાં RCBનો બોલર યશ દયાલ જશે જેલ? રાજસ્થાન હાઈકોર્ટે ધરપકડ પર રોક લગાવવાનો કર્યો ઈનકાર
રેપ કેસમાં RCBનો બોલર યશ દયાલ જશે જેલ? રાજસ્થાન હાઈકોર્ટે ધરપકડ પર રોક લગાવવાનો કર્યો ઈનકાર
15 ઓગસ્ટથી શરૂ થશે FASTag Annual Pass, જાણો કેવી રીતે કરશો એક્ટિવેટ?
15 ઓગસ્ટથી શરૂ થશે FASTag Annual Pass, જાણો કેવી રીતે કરશો એક્ટિવેટ?
અમેરિકાના જ્યોર્જિયામાં આર્મી બેઝ પર  ફાયરિંગ, પાંચ જવાનોને વાગી ગોળી
અમેરિકાના જ્યોર્જિયામાં આર્મી બેઝ પર ફાયરિંગ, પાંચ જવાનોને વાગી ગોળી
અમેરિકાના ટેરિફ બોમ્બ પર રાહુલ ગાંધીની પ્રતિક્રિયા: 'પીએમ મોદી જાહેર હિતના ભોગે પોતાની નબળાઈ....', જાણો શું છે અદાણી કનેક્શન?
અમેરિકાના ટેરિફ બોમ્બ પર રાહુલ ગાંધીની પ્રતિક્રિયા: 'પીએમ મોદી જાહેર હિતના ભોગે પોતાની નબળાઈ....', જાણો શું છે અદાણી કનેક્શન?
અમેરિકાએ ભારત પર ટેરિફ બમણો કર્યો: 50% ટેક્સથી ભારતના આ ઉદ્યોગોને થશે સૌથી મોટું નુકસાન?
અમેરિકાએ ભારત પર ટેરિફ બમણો કર્યો: 50% ટેક્સથી ભારતના આ ઉદ્યોગોને થશે સૌથી મોટું નુકસાન?
સૌથી મોટા સમાચાર, ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા વધારાનો ટેરિફ બોમ્બ ફોડ્યો
સૌથી મોટા સમાચાર, ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા વધારાનો ટેરિફ બોમ્બ ફોડ્યો
'રૂબરૂ મળ્યા ત્યારે ગોપાલ ઇટાલિયા એક શબ્દ ન બોલ્યા': ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો મોટો દાવો
'રૂબરૂ મળ્યા ત્યારે ગોપાલ ઇટાલિયા એક શબ્દ ન બોલ્યા': ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો મોટો દાવો
Embed widget