શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

કોરોના સંક્રમણને પગલે સૌરાષ્ટ્રના કયા જાણીતા પ્રવાસન સ્થળો અચોક્કસ મુદ્દત માટે કરી દેવાયા બંધ?

સાસણ, દેવળિયા, સક્કરબાગ, ગિરનાર સફારી, આબંરડી પાર્ક અચોક્કસ મુદ્દત માટે બંધ કરી દેવાયા છે. નવી ગાઇડલાઇન ન આવે ત્યાં સુધી તમામ સફારી પાર્કો અને અભ્યારણો બંધ રહેશે.

જૂનાગઢઃ ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. તેમજ મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. આ બધાની વચ્ચે સાસણ ગીર સફારી પાર્ક અને દેવળીયા પાર્ક આજથી પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. કોરોના મહામારીને લઇ વન વિભાગ દ્વારા આજથી અનિશ્ચિત કાળ માટે બંધ કરાયું છે. 

આ સિવાય જૂનાગઢ ગીરનાર નેચર સફારી પણ બંધ કરવામા આવી છે.  જૂનાગઢનું સક્કરબાગ ઝૂ પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ધારીનુ આબંરડી સફારી પાર્ક પણ બંધ રહેશે.  કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડને આદેશ કર્યો છે. સાસણ, દેવળિયા, સક્કરબાગ, ગિરનાર સફારી, આબંરડી પાર્ક અચોક્કસ મુદ્દત માટે બંધ કરી દેવાયા છે. નવી ગાઇડલાઇન ન આવે ત્યાં સુધી તમામ સફારી પાર્કો અને અભ્યારણો બંધ રહેશે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના બે ગામોએ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને લોકડાઉન લંબાવવાનો નિર્ણય લીધો છે. બોટાદમાં ઢસા ગામમાં વધુ 8 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. ગઢડાની ઢસા  ગ્રામ પંચાયત દ્વારા મહત્વ પૂર્ણ નિર્ણય લેવાયો છે. ઢસા ગામના તમામ વેપારીને સાથે રાખીને નિર્ણય લેવાયો છે. 3-05-2021થી 10-05-2021 સુધી તમામ વ્યાપાર ધંધા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. માત્ર દૂધ ની ડેરીઓ સવારના 5 થી 8 વાગ્યા સુધી અને સાંજે 5 થી 8 વાગ્યા સુધી શરૂ રખાશે. શાકભાજીવાળાને માત્ર ફેરી કરવાની રહેશે. જો કોઇ પણ વ્યક્તિ વ્યાપર ધંધા શરૂ રાખશે તો ગ્રામ પંચાયત દ્વારા દંડ આપવામાં આવશે. સતત વધતા સંક્રમણને અટકાવવા ગ્રામ પંચાયત દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. 

અમરેલીમાં વડિયાનું દેવગામ હવે આગામી 15 મે સુધી સ્વૈચ્છીક બંધ પાળશે. કોરોનાના વધતા સંક્રમણને પગલે ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય લઈને સ્વૈચ્છિક બંધને લંબાવવામાં આવ્યું છે. વેપારીઓ સવારના 7 થી બપોરે 1 વાગ્યા સુધી દુકાનો ખુલી રાખી શકશે. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા ગામ લોકોને પંચાયત દ્વારા અપીલ કરવામાં આવી છે. તો સુરત,અમદાવાદ સહિતના અન્ય જિલ્લાઓમાંથી આવતા લોકોને ગ્રામ પંચાયતને જાણ કરવા કરી 15 દિવસ સુધી હોમકોરેન્ટીન રહેવા પંચાયત દ્વારા સૂચનાઓ અપાઈ છે. 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget