શોધખોળ કરો

બે તબક્કામાં યોજાશે એશિયાઈ સિંહની વસ્તી ગણતરી, લગભગ ત્રણ હજાર જેટલા સ્વયંસેવકો જોડાશે

એશિયાઈ સિંહ એ આખા વિશ્વમાં માત્ર ગુજરાતનાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે

એશિયાઈ સિંહ એ આખા વિશ્વમાં માત્ર ગુજરાતનાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે. વર્ષ 1980થી ગીર એશિયાઇ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન તરીકે સુપ્રસિદ્ધ થયું છે. એશિયાઈ સિંહ માત્ર ગુજરાતનું જ નહીં એશિયાનું પણ ગૌરવ છે.

ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. જે અંતર્ગત એશિયાઈ સિંહની આગામી 16મી વસ્તી ગણતરી 2025 સંભવિત 10 થી 13 મે દરમિયાન બે તબક્કામાં યોજવામાં આવશે. જેમાં પ્રાથમિક વસ્તી ગણતરી મે મહિનાની 10થી 11 અને આખરી વસ્તી અંદાજ 12 થી 13 મેના રોજ હાથ ધરવામાં આવશે. આ વસ્તી ગણતરીની કામગીરી સિંહ અસ્તિત્વ ધરાવતા રાજ્યના 11 જિલ્લાના 58 તાલુકાના કુલ 35 હજાર ચો.કિમી. વિસ્તારમાં ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ પદ્ધતિથી કરવામાં આવશે. ગુજરાતમાં સૌપ્રથમ 1936માં સિંહ વસ્તી ગણતરી યોજાઇ હતી.

વસ્તી ગણતરી સાથે સિંહની હિલચાલની દિશા, લિંગ, ઉંમર, ઓળખ ચિન્હો, જી.પી.એસ. લોકેશન, ગૃપ કંપોઝીશન વગેરે વિગતો નોંધવામાં આવશે. રિજિનલ, ઝોનલ અને સબ-ઝોનલ અધિકારીઓ સહિત લગભગ ૩ હજાર જેટલા તાલીમી સ્વયંસેવકો ગણતરીમાં જોડાશે. હાઈ રીઝોલ્યુશન કેમેરા, રેડિયો કોલર, e-GujForest એપ્લિકેશન અને જી.આઇ.એસ. સોફ્ટવેર જેવી મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે.

રાજ્ય સરકાર દ્વારા એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે ગ્રામ્ય કક્ષાએ ઇકો-ડેવલપમેન્ટ કમિટીની સ્થાપના, વન્ય પ્રાણી મિત્ર નક્કી કરવાં, નિયમિત સમયાંતરે નૈસર્ગિક શૈક્ષણિક કેમ્પનું આયોજન, ગીરની વનસ્પતિસૃષ્ટિ તેમજ તૃણાહારી જીવસૃષ્ટિનું નિરીક્ષણ-દેખભાળ તેમજ કૌશલ્યવાન માનવબળ સાથે સ્થાનિક લોકોનો સહકાર લેવો જેવા અવિરત પ્રયાસો કરવામાં આવે છે, જેના પરિણામે સિંહોની પ્રત્યેક વસતી ગણતરી વખતે તેઓની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે.

વન વિભાગે પણ સિંહોના આશ્રયસ્થાનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે, જે અંતર્ગત ગત વર્ષથી સિંહોને વૈકલ્પિક આશ્રયસ્થાનરૂપે બરડા અભ્યારણ્યમાં વસાવવા તેનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ વન-પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા તથા રાજ્ય મંત્રી મુકેશ પટેલના નેતૃત્વમાં વન વિભાગ દ્વારા નિયમિત રીતે કરવામાં આવતી સિંહની વસ્તી અંદાજની કામગીરી, મુલ્યાંકન અને સંરક્ષણના પરિણામે રાજ્યમાં ઉત્તરોત્તર સિંહની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે.પ્રાપ્ત અંદાજિત આંકડા મુજબ વર્ષ 1995માં કરવામાં આવેલી સિંહોની વસ્તી ગણતરીમાં પુખ્ત નર, માદા, પાઠડા-બચ્ચા એમ મળીને કુલ 304 જેટલા સિંહ નોંધાયા હતા. તેવી જ રીતે વર્ષ 2001માં કુલ 327, વર્ષ 2005માં કુલ 359, વર્ષ 2010માં કુલ 411, વર્ષ 2015માં કુલ 523 અને છેલ્લે વર્ષ 2020માં કુલ 674 જેટલા સિંહોની વસ્તી નોંધાયેલી છે. 

સિંહોની વ્યક્તિગત ઓળખ કરવા માટે હાઈ રીઝોલ્યુશન કેમેરા, કેમેરા ટ્રેપ્સ જેવા વિવિધ ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ કરવામાં આવશે. સિંહ અવલોકનના રિયલ ટાઈમ ડેટા એન્ટ્રી કરવામાં મદદરૂપ થાય તે માટે e-GujForest એપ્લિકેશનનો ઉપયોગ પણ કરવામાં આવશે, જેમાં જી.પી.એસ. લોકેશન અને ફોટાનો સમાવેશ થવાથી ચોકસાઇ અને કાર્યક્ષમતામાં વધારો થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
મોંઘવારીના માર વચ્ચે વધુ એક ઝટકો, શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો 
મોંઘવારીના માર વચ્ચે વધુ એક ઝટકો, શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો 
ગુજરાતમાં 10 જૂન સુધી વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસશે વરસાદ
ગુજરાતમાં 10 જૂન સુધી વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસશે વરસાદ

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
PM Modi Daman Visit : 'યુદ્ધ વચ્ચે પણ ભારતનો વિકાસ દર નથી અટક્યો': PM મોદી
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
Bihar MLC Election 2026: BJPએ પવન સિંહને તો JDUએ નિશાંત કુમારને બનાવ્યા MLC ઉમેદવાર
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
Driving License: એક્સપાયર ડ્રાઈવિંગ લાઈસન્સ હોવા પર થઈ શકે છે ભારે દંડ, જાણો નિયમો
Driving License: એક્સપાયર ડ્રાઈવિંગ લાઈસન્સ હોવા પર થઈ શકે છે ભારે દંડ, જાણો નિયમો
GSRTC Recruitment 2026: GSRTCના ડ્રાઈવર-કંડક્ટર માટે ભરતી જાહેર, જાણો ક્યારથી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ
GSRTC Recruitment 2026: GSRTCના ડ્રાઈવર-કંડક્ટર માટે ભરતી જાહેર, જાણો ક્યારથી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ
Googleમાં ફરી છટણી! ક્લાઉડ અને ટૉપ સાયબર સિક્યોરિટી ટીમના કર્મચારીઓએ ગુમાવી નોકરી
Googleમાં ફરી છટણી! ક્લાઉડ અને ટૉપ સાયબર સિક્યોરિટી ટીમના કર્મચારીઓએ ગુમાવી નોકરી
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
Embed widget