શોધખોળ કરો

Mahashivratri 2023: મહાશિવરાત્રિ નિમિત્તે યોજાયો ‘શ્રી સોમનાથ ઉત્સવ ૨૦૨૩’, નૃત્ય-રાસનું ભવ્ય આયોજન

મંજીરા રાસ, ધમાલ નૃત્ય, હુડો રાસ, આદિવાસી નૃત્ય, તલવાર રાસ માણી મંત્રમુગ્ધ થયા શહેરીજનો

Mahashivratri 2023: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, કમિશનરશ્રી યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર તેમજ જિલ્લા વહીવટી તંત્ર ગીર સોમનાથ તથા શ્રી સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તારીખ ૧૭ અને ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ રાત્રે ૮.૦૦ કલાકથી પ્રભાસપાટણ ખાતે સોમનાથ મંદિર પરિસર પાસે ‘શ્રી સોમનાથ ઉત્સવ ૨૦૨૩’નું ભવ્ય આયોજન છે. આ ઉત્સવમાં ૨૨૫થી વધુ કલાકારોએ ભાગ લીધો છે. સોમનાથ મંદિર ટ્રસ્ટીશ્રી પી.કે.લહેરીના અધ્યક્ષસ્થાને યોજાયેલા ‘શ્રી સોમનાથ ઉત્સવ ૨૦૨૩’ના ભવ્ય ઉદ્ઘાટન સમારોહ બાદ પહેલા દિવસે કલાકારોએ પોતાની વિવિધ ભાતીગળ નૃત્યકલાથી ઉપસ્થિત તમામને મંત્રમુગ્ધ કર્યા હતાં.

ઉદ્ઘાટન સમારોહની તકે જિલ્લા કલેકટર શ્રી રાજદેવસિંહ ગોહિલે પ્રાસંગિક ઉદ્બોધન કર્યુ હતું અને કલાકારોના ઉત્સાહને બીરદાવ્યો હતો જ્યારે જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી એચ.ડી.મકવાણાએ ઉપસ્થિત તમામ મહાનુભાવો તેમજ કાર્યક્રમ નિહાળવા આવેલા શ્રદ્ધાળુઓ અને શહેરીજનોનું શાબ્દિક સ્વાગત કર્યુ હતું. જ્યારે સોમનાથ મંદિર ટ્રસ્ટીશ્રી પી.કે.લહેરીએ કલાકારોને આશિર્વચન આપતા પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, સોમનાથની પાવન ધરા પર કલાકારો દ્વારા રજૂ થતી કૃતિથી આપણી સંસ્કૃતિ અને પરંપરાગત વારસાનો વૈભવ અહીં પુનઃ જાગૃત થઈ રહ્યો છે. જે અત્યંત આનંદની વાત છે.  

આ ભવ્ય ઉત્સવના પહેલા દિવસે સૌપ્રથમ અખિલેશ ચતુર્વેદી ગ્રુપ, મુંબઈ દ્વારા શિવ મહિમાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. જે પછી રાઠવા લોક નૃત્ય મંડળ છોટા ઉદેપુર દ્વારા આદિવાસી નૃત્ય રજૂ કરવામાં આવ્યુ હતું. આ સાથે જ જાહેર જનતાએ ક્રમશઃ આ ઉત્સવમાં મુંબઈ, પોરબંદર, ડાંગ, રાજકોટ, જુનાગઢ, ભાવનગર, તાલાલા, લીમડી, ચોરવાડ, કોડિનારથી પધારેલા ૨૨૫થી વધુ કલાકારોના  મંજીરા રાસ, ધમાલ નૃત્ય, હુડો રાસ, આદિવાસી નૃત્ય, તલવાર રાસ, શિવ મહિમા, ડાંગી નૃત્ય, રાજસ્થાની નૃત્ય, લાવણી નૃત્ય સહિત ગરબા, લોકનૃત્ય, ભક્તિ સંગીત જેવા આપણી ભાતીગળ સંસ્કૃતિની ઓળખ સમાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો માણ્યા હતાં.

આ તકે ગુજરાતી સાહિત્ય જેનાથી સમૃદ્ધ થયું છે એવા સાહિત્યકાર કનૈયાલાલ મુનશીના પ્રપૌત્ર શ્રી કાર્તિકભાઈ મુનશી,  જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી માનસિંહભાઈ પરમાર, સેક્રેટરી શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈ, જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા તેમજ બચુભાઈ વાજા સહિતના અગ્રણીઓ, પદાધિકારીઓ તેમજ અધિકારીઓ પણ હાજર રહ્યા હતાં. ‘શ્રી સોમનાથ ઉત્સવ ૨૦૨૩’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું જેથી દેશ-વિદેશના લોકોએ પણ બહોળા પ્રમાણમાં તેનો લાભ લીધો હતો.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?
રાજ્યમાં કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?
ભક્તિમાં ભેદભાવ: વાવના કલ્યાણપુરામાં મંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજનો ફાળો લેવાનો ઇન્કાર
ભક્તિમાં ભેદભાવ: વાવના કલ્યાણપુરામાં મંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજનો ફાળો લેવાનો ઇન્કાર
Indian Deportation Row: વધુ 119 ગેરકાયદે પ્રવાસીઓ સાથે અમેરિકાએ બીજુ પ્લેન કર્યું રવાના, જેમાં 8 ગુજરાતી સામેલ
Indian Deportation Row: વધુ 119 ગેરકાયદે પ્રવાસીઓ સાથે અમેરિકાએ બીજુ પ્લેન કર્યું રવાના, જેમાં 8 ગુજરાતી સામેલ
CBSE Board Exam 2025:આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, રાજ્યમાં 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
CBSE Board Exam 2025:આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, રાજ્યમાં 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News: કચ્છમાં ફરીએકવાર કુરિયરની આડમાં ગાંજાની હેરાફેરીનો પર્દાફાશRajkot News : રાજકોટમાં વિદ્યાર્થીએ છરીથી અન્ય વિદ્યાર્થી પર હુમલાનો કર્યો પ્રયાસMaha Kumbh Mela 2025 : મહાકુંભ જવા ઈચ્છતા મુસાફરો માટે સારા સમાચારUS Visa: અમેરિકા વિઝા રિન્યુઅલ માટે ભારતીયોએ જોવી પડશે વધુ રાહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?
રાજ્યમાં કમોસમી વરસાદને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, જાણો શું કહ્યું ?
ભક્તિમાં ભેદભાવ: વાવના કલ્યાણપુરામાં મંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજનો ફાળો લેવાનો ઇન્કાર
ભક્તિમાં ભેદભાવ: વાવના કલ્યાણપુરામાં મંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજનો ફાળો લેવાનો ઇન્કાર
Indian Deportation Row: વધુ 119 ગેરકાયદે પ્રવાસીઓ સાથે અમેરિકાએ બીજુ પ્લેન કર્યું રવાના, જેમાં 8 ગુજરાતી સામેલ
Indian Deportation Row: વધુ 119 ગેરકાયદે પ્રવાસીઓ સાથે અમેરિકાએ બીજુ પ્લેન કર્યું રવાના, જેમાં 8 ગુજરાતી સામેલ
CBSE Board Exam 2025:આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, રાજ્યમાં 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
CBSE Board Exam 2025:આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, રાજ્યમાં 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
MI W vs DC W: આજે WPL 2025 ની હાઇ વોલ્ટેજ મેચ, દિલ્હી-મુંબઇ મેચમાં તૂટવા જઈ રહ્યો છે આ મહારેકોર્ડ
MI W vs DC W: આજે WPL 2025 ની હાઇ વોલ્ટેજ મેચ, દિલ્હી-મુંબઇ મેચમાં તૂટવા જઈ રહ્યો છે આ મહારેકોર્ડ
EMI પર કેવી રીતે ખરીદવી  Maruti Wagon R, આ કાર માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ?
EMI પર કેવી રીતે ખરીદવી Maruti Wagon R, આ કાર માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ?
Kangana Ranaut: વેલેન્ટાઇન ડેના દિવસે કંગનાએ પોતાના મનાલી કાફેનું કર્યું ભવ્ય ઉદ્ઘાટન, જાણો કેટલા રુપિયામાં મળશે એક થાળી
Kangana Ranaut: વેલેન્ટાઇન ડેના દિવસે કંગનાએ પોતાના મનાલી કાફેનું કર્યું ભવ્ય ઉદ્ઘાટન, જાણો કેટલા રુપિયામાં મળશે એક થાળી
Accident: કુંભમાંથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 4ના મોત, 8 ઘાયલ
Accident: કુંભમાંથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 4ના મોત, 8 ઘાયલ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.