શોધખોળ કરો

Morbi Bridge Collapse : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં ઓરેવા કંપની જવાબદાર, SITના રિપોર્ટમાં મોટો ખુલાસો

Morbi Bridge Collapse : મોરબી બ્રિજ દૂર્ઘટનાને લઈ SITની ટીમનો અંતિમ તપાસ રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાયો હતો

Morbi Bridge Collapse :  મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના માટે ઓરેવા ગ્રુપ જવાબદાર હોવાનો ખુલાસો થયો હતો. સીટના રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે જયસુખ પટેલ અને ઓરેવા કંપનીના મેનેજરો મોરબી પુલ દુર્ઘટના માટે જવાબદાર છે. મોરબી બ્રિજ દૂર્ઘટનાને લઈ SITની ટીમનો અંતિમ તપાસ રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાયો હતો. રિપોર્ટમાં ઓરેવા કંપનીના MD,મેનેજર સહિતના લોકો દુર્ઘટના પાછળ જવાબદાર હોવાનો ઉલ્લેખ કર્યો છે.                 

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસને લઈને SITની ટીમે પાંચ હજાર પેજનો તપાસ રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કર્યો હતો. અગાઉ આંતરિક તપાસ રિપોર્ટમાં પણ મહત્વના ખુલાસાઓ થયા હતા. ઓરેવા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર, મેનેજર સહિતના લોકોની બ્રિજ તૂટવાની ઘટનામાં જવાબદારી હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના મામલાની તપાસ માટે રાજ્ય સરકારે સીટની રચના કરી હતી. SIT ની ટીમે 5000 પેજનો તપાસ અહેવાલ કોર્ટમાં રજૂ કર્યો હતો.            

સીટ રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો હતો કે દુર્ઘટના પાછળ MD જયસુખ પટેલ, મેનેજર દિનેશ દવે, મેનેજર દિપક પારેખ સહિતના અન્ય લોકો જવાબદાર છે. બ્રિજ પર પ્રતિબંધ અથવા રોકની વ્યવસ્થા નહોતી. બ્રિજ ઓપન કરતા પહેલા ફિટનેસ રિપોર્ટ તૈયાર કરાયો નહોતો. તે સિવાય ટિકિટના વેચાણ પર કોઈપણ પ્રતિબંધ મુકાયો નહોતો. બ્રિજ પર સુરક્ષાના સાધનોનો અભાવ હતો. ઓરેવા કંપનીએ બ્રિજ પર કેટલા લોકોને પ્રવેશ આપવો તેનું ધ્યાન રાખ્યું નહોતું.             

કૉંગ્રેસ નેતા લલિત કગથરાએ દાવો કર્યો હતો કે સરકાર અધિકારીઓને બચાવી રહી છે. નગરપાલિકાના અધિકારીઓને બચાવવાનો સરકાર પ્રયાસ કરી રહી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી જબરદસ્તીથી બ્રિજ ચાલુ કરાવાયો હતો. જયસુખ પટેલ નિર્દોષ છે. આ પાછળ સરકારી પ્રશાસન જવાબદાર છે.                

નોંધનીય છે કે મોરબીમાં મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ ગયા વર્ષે 30 ઑક્ટોબરે રવિવારની સાંજે તૂટી પડ્યો હતો. મોરબીમાં પુલ તૂટી પડતાં સેંકડો લોકો નદીમાં પડ્યા હતા અને કેટલાયનાં મૃત્યુ થયાં હતાં. સરકારી આંકડા અનુસાર, આ ઘટનામાં કુલ 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ બ્રિજની જાળવણીનું કામ ઓરેવા ગ્રુપને સોંપવામાં આવ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ
Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ
Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું
Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
ગુજરાત-મધ્યપ્રદેશથી જૈશ-એ-મોહમ્મદના 8 આતંકી ઝડપાયા, ગુજરાત ATSનું ઓપરેશન
ગુજરાત-મધ્યપ્રદેશથી જૈશ-એ-મોહમ્મદના 8 આતંકી ઝડપાયા, ગુજરાત ATSનું ઓપરેશન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી
Rain Update: ભારે વરસાદના કારણે રાજ્યમાં 48 રસ્તાઓ બંધ, નેશનલ હાઈવે 48 પણ પ્રભાવિત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Gujarat: ખેડૂત આંદોલનને લઈ મોટા સમાચાર, રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગતો
Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ
Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ
Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું
Junagadh Rain: કેશોદ તાલુકામાં ભારે વરસાદ, પાણી ફરી વળતા મઘરવાડા ગામ સંપર્ક વિહોણું
₹4.53 લાખમાં લોન્ચ થઈ નવી Renault Kwid, દમદાર ફીચર્સથી વધશે મારુતિ અને ટાટાનું ટેન્શન! 
₹4.53 લાખમાં લોન્ચ થઈ નવી Renault Kwid, દમદાર ફીચર્સથી વધશે મારુતિ અને ટાટાનું ટેન્શન! 
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદ ભૂક્કા બોલાવશે, આગામી 48 કલાક ભારે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદ ભૂક્કા બોલાવશે, આગામી 48 કલાક ભારે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
'અયોધ્યા જઈને કેસ કરીશ', રામ મંદિર દાન ચોરી મામલે દિગ્વિજય સિંહનું એલાન
'અયોધ્યા જઈને કેસ કરીશ', રામ મંદિર દાન ચોરી મામલે દિગ્વિજય સિંહનું એલાન
Weather Update: વીજળીના કડાકા-ભડાકા સાથે આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાન અપડેટ 
Weather Update: વીજળીના કડાકા-ભડાકા સાથે આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાન અપડેટ 
એક કલાકમાં કેટલી વીજળી પેદા કરે છે Solar Panel? જાણો શું હોય છે આખી પ્રોસેસ
એક કલાકમાં કેટલી વીજળી પેદા કરે છે Solar Panel? જાણો શું હોય છે આખી પ્રોસેસ
Embed widget