શોધખોળ કરો

Gandhinagar: સરકારના નિર્ણયથી એક લાખ ખેડૂતોને ફાયદો,  45 હજાર રૂપિયા સુધીનો થશે લાભ

ખેતી માટેના સાધનોની ખરીદી સરકારી યોજનામાં સમયમર્યાદા લંબાવાઈ હતી. 22 સપ્ટેમ્બરથી જીએસટીના સુધારાયેલા દર અમલમાં આવશે.

ખેતી માટેના સાધનોની ખરીદી સરકારી યોજનામાં સમયમર્યાદા લંબાવાઈ હતી. ખેડૂતો ઓછા થયેલા GSTના દરે સાધન સામગ્રી ખરીદી શકે તે માટે નિર્ણય લેવામાં આવ્યો હતો. ટ્રેક્ટર સહિતના સાધનોની સામગ્રી માટેની સમય મર્યાદા લંબાવાઈ હતી. સરકારના નિર્ણયથી એક લાખ ખેડૂતોને 45 હજાર સુધીનો લાભ થશે. ટ્રેક્ટર પરનો 12 ટકા જીએસટી ઘટાડીને 5 ટકા કરાયો છે. ખેતી માટે સુક્ષ્મ પિયતના સાધનો પર GST 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરાયો છે. જૈવિક દવાઓ પરના 12 ટકા જીએસટીને ઘટાડીને 5 ટકા કરાયો છે. 22 સપ્ટેમ્બરથી જીએસટીના સુધારાયેલા દર અમલમાં આવશે.

રાસાયણિક ખાતર બનાવવા માટે જરૂરી એમોનિયા અને સલ્ફ્યુરિક એસિડ પરના 18 ટકા જીએસટી દરને પણ 5 ટકા કરાયો હતો. વિધાનસભા ખાતે જાહેર અગત્યની બાબત પર ધ્યાન દોરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર દ્વારા કરાયેલા જી.એસ.ટી રીફોર્મ્સથી કૃષિ ક્ષેત્રને ખૂબ જ મોટી રાહત મળી છે.

કૃષિ માટે સૌથી મહત્વપૂર્ણ સાધન એટલે ટ્રેક્ટર પર લેવામાં આવતા 12 ટકા તેમજ ટ્રેક્ટરના ટાયર્સ અને અન્ય પાર્ટ્સ પર લેવામાં આવતા 18 ટકા જીએસટી દરને ઘટાડી હવે 5 ટકા કરવામાં આવ્યો છે. જેના પરિણામે ટ્રેક્ટરની કિંમતમાં મોટો ઘટાડો થશે. આ નિર્ણયથી ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી માટે રાજ્ય સરકારની 1,00,000 સબસીડી ઉપરાંત અંદાજીત બીજા  35 થી 45 હજાર જેટલો ફાયદો થશે.

કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં કૃષિ યાંત્રિકીકરણને પ્રોત્સાહન આપવા ખેડૂતોને ટ્રેક્ટર સહિતના બીજા કૃષિ સાધનો માટે સહાય આપવામાં આવે છે. નવા જીએસટી રિફોર્મ્સથી કૃષિ યાંત્રિકીકરણના સાધનોની ખરીદી પર ખેડૂતોને મોટો લાભ થશે. ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા જીએસટીના નવા દર પ્રથમ નવરાત્રી એટલે કે 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. જેથી રાજ્યની કૃષિ યાંત્રિકીકરણ યોજના હેઠળ સહાય મેળવતા મહત્તમ ખેડૂતોને જીએસટીના નવા દરનો પણ લાભ મળે તે માટે રાજ્ય સરકારે ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે.

નિર્ણય અંગે વિગતવાર માહિતી આપતા મંત્રી પટેલે કહ્યું હતું કે, કૃષિ યાંત્રીકીકરણ યોજનાઓ હેઠળ રાજ્યના કેટલાક ખેડૂતોને ટ્રેક્ટર અને ખેત ઓજારો/સાધનોની ખરીદી માટે મંજૂરી આપવામાં આવેલી છે. જેમાં કેટલાક ખેડૂતો માટે કૃષિ સાધનો ખરીદીની સમય મર્યાદા આગામી 22 સપ્ટેમ્બર પહેલા પૂર્ણ થવામાં છે અથવા પૂર્ણ થઈ ગઈ છે. આવા ખેડૂતોને પણ નવા જીએસટી દરનો લાભ મળે તે માટે ખરીદીની સમય મર્યાદાને 22 સપ્ટેમ્બરથી આગામી 30 દિવસ સુધી લંબાવવામાં આવી છે.

રાજ્ય સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયથી ગુજરાતના અંદાજે એક લાખ જેટલા ખેડૂતોને ખરીદીની તક મળવા સાથે જીએસટી દરમાં સુધારાનો મહત્તમ 35 થી 45 હજાર જેટલો નાણાકીય લાભ થશે. કૃષિ યાંત્રિકીકરણ માટે વપરાતા વિવિધ સાધનો અને ઓજારો પર અગાઉ લેવામાં આવતો 12 ટકા જીએસટી તેમજ સિંચાઈ ક્ષેત્રે સૂક્ષ્મ પિયત પદ્ધતિ માટેના જરૂરી ડ્રીપ અને સ્પ્રિંકલર સાધનો પરના 12 ટકા જીએસટી દરને ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. જેના કારણે કૃષિ ઓજારો અને સિંચાઈના સાધનોના ભાવોમાં ઘટાડો થશે. સૂક્ષ્મ પોષક તત્વો અને જૈવિક જંતુનાશક દવાઓ પર પણ અગાઉ લેવામાં આવતા 12 ટકા જીએસટી દર તેમજ રાસાયણિક ખાતર બનાવવા માટે જરૂરી એમોનિયાઅને સલ્ફ્યુરિક એસિડ પર લેવામાં આવતા 18 ટકા જીએસટી દરને પણ સુધારીને માત્ર 5 ટકા કરવામાં આવ્યો છે. જેથી ઘરઆંગણે રાસાયણિક ખાતરના ઉત્પાદનને વેગ મળશે અને ખેડૂતોને સમયસર અને પૂરતા જથ્થામાંખાતર ઉપલબ્ધ કરાવવામાં સરળતા પ્રાપ્ત થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Rain: રથયાત્રાના પાવન પર્વે મેઘમહેર, સુરત, પાટણ, ગીર સોમનાથ અને કચ્છમાં સાર્વત્રિક વરસાદથી લોકોમાં ખુશી
Rain: રથયાત્રાના પાવન પર્વે મેઘમહેર, સુરત, પાટણ, ગીર સોમનાથ અને કચ્છમાં સાર્વત્રિક વરસાદથી લોકોમાં ખુશી
Gujarat Rain Forecast: અષાઢી બીજના અમીછાંટણા, રાજ્યના આ જિલ્લામાં મેઘસવારીથી ખેડૂતોને જાગી આશા
Gujarat Rain Forecast: અષાઢી બીજના અમીછાંટણા, રાજ્યના આ જિલ્લામાં મેઘસવારીથી ખેડૂતોને જાગી આશા
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી

વિડિઓઝ

Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
Embed widget