શોધખોળ કરો

ઓનલાઈન કામગીરી BLO માટે બની માથાનો દુઃખાવો, 500થી વધુને નોટિસ ફટકારી માંગ્યો ખુલાસો

હાલમાં દેશમાં ગુજરાત સહિત અનેક રાજ્યમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે.

હાલમાં દેશમાં ગુજરાત સહિત અનેક રાજ્યમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. ત્યારે બૂથ લેવલ ઓફિસરોને ઓફલાઈન નહીં પણ સર્વરના ધાંધિયા અને ઓનલાઈન કામગીરીથી પરેશાન છે. વારંવાર સર્વરમાં ખામી સર્જાતી હોવાથી દૈનિક માંડ 10 ફોર્મની એન્ટ્રી થઈ રહી છે. SIRની કામગીરી અંતર્ગત સૌપ્રથમ BLO ઘરે- ઘરે જઈને એન્યુમરેશન ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં BLO તરફથી તેમના બૂથના તમામ ઘરો સુધી ફોર્મ પહોંચાડાયા છે અને જેઓ ઘરે હાજર ન હતા કે અન્યત્ર રહેવા જતા રહ્યા તેવા જ લોકોના ફોર્મ બાકી રહ્યા છે. BLO તરફથી એન્યુમરેશન ફોર્મ વિતરણ અને પરત લેવા માટે ઓફલાઈન પદ્ધતિ ખૂબ જ ઉત્સાહ પૂર્વક કરવામાં આવી છે. પરંતુ બૂથ લેવલ ઓફિસરોને મુખ્ય પ્રશ્ન ઓનલાઈન કામગીરીનો છે.

ભરેલા ફોર્મની ડિજિટલાઈઝેશનની કામગીરી વખતે સર્વરમાં વારંવાર એરર આવી રહી હોવાના લીધે તેઓ ફોર્મની એન્ટ્રી કરવામાં નિષ્ફળ જઈ રહ્યા છે. દિવસ દરમિયાન ફોર્મ પરત મેળવવાની કામગીરી કર્યા બાદ તેઓ ઓનલાઈન કામગીરી માટે બેસે છે. ત્યારે સતત આવતી એરરના પગલે દૈનિક 10 કરતા પણ ઓછા ફોર્મની એન્ટ્રી થઈ રહી હોવાની વિગતો સામે આવી છે. સર્વરની એરરના કારણે ડિજિટલાઈઝેશનની કામગીરી પર અસર પડી રહી છે બીજી તરફ જે-તે વિસ્તારના મદદનીશ મતદાર નોંધણી અધિકારી બૂથ લેવલ ઓફિસરને ટાર્ગેટ કરી નોટિસ ફટકારાઈ રહી છે. અમદાવાદમાં જ 500 BLOને નોટિસ મોકલી ખુલાસો પૂછ્યો છે અને જો યોગ્ય ખુલાસો ન કરે તો કાયદાકીય કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી છે. એક તરફ કામગીરીનું ભારણ બીજી તરફ નોટિસના કારણે BLO સતત તાણ અનુભવી રહ્યા છે.

નાગરિકતા અંગે ચૂંટણી પંચના નિર્દેશ

SIR પ્રક્રિયા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ચૂંટણી પંચે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે SIR પ્રક્રિયા અને નાગરિકતા અલગ અલગ સંસ્થાઓ છે. જો કોઈ વ્યક્તિ મતદાર યાદીમાં નોંધણી કરાવવામાં નિષ્ફળ જાય છે, તો તેમની નાગરિકતા રદ કરવામાં આવશે નહીં. આનો અર્થ એ છે કે મતદાર યાદીમાં તેમનું નામ ન હોવું નાગરિકતા રદ કરવા માટેનું કારણ નથી. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ચૂંટણી પંચે જણાવ્યું હતું કે બંધારણ અને કાયદા હેઠળ ચૂંટણી પંચ પાસે લોકોના મતદાનના અધિકારને સુનિશ્ચિત કરવા માટે નાગરિકતા દસ્તાવેજો માંગવાનો અધિકાર છે. જો તેમનું નામ કાઢી નાખવામાં આવે છે, તો શું તેઓ ફરીથી મતદાર યાદીમાં સામેલ થઈ શકશે? લોકો એ પણ ચિંતિત છે કે જો SIR દરમિયાન તેમનું નામ કાઢી નાખવામાં આવે તો મતદાર યાદીમાં તેમનું નામ સામેલ થશે કે નહીં. ચૂંટણી પંચના એક વરિષ્ઠ અધિકારી જણાવે છે કે SIR પ્રક્રિયા ફક્ત મતદાર યાદીને શુદ્ધ કરવાની પ્રક્રિયા છે. તેનો હેતુ પાત્ર નાગરિકોના નામનો સમાવેશ કરવાનો અને પાત્ર ન હોય તેવા લોકોને દૂર કરવાનો છે. નિષ્ણાતો કહે છે કે જો SIR પ્રક્રિયા દરમિયાન કોઈ વ્યક્તિનું નામ મતદાર યાદીમાં સામેલ ન થાય, તો ગભરાવાની જરૂર નથી. મતદાર યાદીમાં નામનો સમાવેશ સામાન્ય પ્રક્રિયાની જેમ જ કરવામાં આવે છે. તેવી જ રીતે, વ્યક્તિ પછીથી મતદાર યાદીમાં પોતાનું નામ સામેલ કરવા માટે પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ
ભારતને આ 5 કારણોને લીધે મળી ત્રીજી વનડેમાં હાર,રોહિત-ગિલની નિષ્ફળતા, આ બોલર બન્યો ટીમ ઈન્ડિયા પર બોજ
ભારતને આ 5 કારણોને લીધે મળી ત્રીજી વનડેમાં હાર,રોહિત-ગિલની નિષ્ફળતા, આ બોલર બન્યો ટીમ ઈન્ડિયા પર બોજ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ
ભારતને આ 5 કારણોને લીધે મળી ત્રીજી વનડેમાં હાર,રોહિત-ગિલની નિષ્ફળતા, આ બોલર બન્યો ટીમ ઈન્ડિયા પર બોજ
ભારતને આ 5 કારણોને લીધે મળી ત્રીજી વનડેમાં હાર,રોહિત-ગિલની નિષ્ફળતા, આ બોલર બન્યો ટીમ ઈન્ડિયા પર બોજ
Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ
Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફેરવનાર 3 'ગુનેગાર'! હારનું કારણ જાણીને લોહી ઉકળી જશે
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફેરવનાર 3 'ગુનેગાર'! હારનું કારણ જાણીને લોહી ઉકળી જશે
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફરી વળ્યું! હાર બાદ શુભમન ગિલે કોના પર ફોડ્યું માટલું? જાણો વિગત
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફરી વળ્યું! હાર બાદ શુભમન ગિલે કોના પર ફોડ્યું માટલું? જાણો વિગત
IND vs NZ: ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર જીતી ODI શ્રેણી
IND vs NZ: ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર જીતી ODI શ્રેણી
Embed widget