શોધખોળ કરો

ઓનલાઈન કામગીરી BLO માટે બની માથાનો દુઃખાવો, 500થી વધુને નોટિસ ફટકારી માંગ્યો ખુલાસો

હાલમાં દેશમાં ગુજરાત સહિત અનેક રાજ્યમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે.

હાલમાં દેશમાં ગુજરાત સહિત અનેક રાજ્યમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. ત્યારે બૂથ લેવલ ઓફિસરોને ઓફલાઈન નહીં પણ સર્વરના ધાંધિયા અને ઓનલાઈન કામગીરીથી પરેશાન છે. વારંવાર સર્વરમાં ખામી સર્જાતી હોવાથી દૈનિક માંડ 10 ફોર્મની એન્ટ્રી થઈ રહી છે. SIRની કામગીરી અંતર્ગત સૌપ્રથમ BLO ઘરે- ઘરે જઈને એન્યુમરેશન ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં BLO તરફથી તેમના બૂથના તમામ ઘરો સુધી ફોર્મ પહોંચાડાયા છે અને જેઓ ઘરે હાજર ન હતા કે અન્યત્ર રહેવા જતા રહ્યા તેવા જ લોકોના ફોર્મ બાકી રહ્યા છે. BLO તરફથી એન્યુમરેશન ફોર્મ વિતરણ અને પરત લેવા માટે ઓફલાઈન પદ્ધતિ ખૂબ જ ઉત્સાહ પૂર્વક કરવામાં આવી છે. પરંતુ બૂથ લેવલ ઓફિસરોને મુખ્ય પ્રશ્ન ઓનલાઈન કામગીરીનો છે.

ભરેલા ફોર્મની ડિજિટલાઈઝેશનની કામગીરી વખતે સર્વરમાં વારંવાર એરર આવી રહી હોવાના લીધે તેઓ ફોર્મની એન્ટ્રી કરવામાં નિષ્ફળ જઈ રહ્યા છે. દિવસ દરમિયાન ફોર્મ પરત મેળવવાની કામગીરી કર્યા બાદ તેઓ ઓનલાઈન કામગીરી માટે બેસે છે. ત્યારે સતત આવતી એરરના પગલે દૈનિક 10 કરતા પણ ઓછા ફોર્મની એન્ટ્રી થઈ રહી હોવાની વિગતો સામે આવી છે. સર્વરની એરરના કારણે ડિજિટલાઈઝેશનની કામગીરી પર અસર પડી રહી છે બીજી તરફ જે-તે વિસ્તારના મદદનીશ મતદાર નોંધણી અધિકારી બૂથ લેવલ ઓફિસરને ટાર્ગેટ કરી નોટિસ ફટકારાઈ રહી છે. અમદાવાદમાં જ 500 BLOને નોટિસ મોકલી ખુલાસો પૂછ્યો છે અને જો યોગ્ય ખુલાસો ન કરે તો કાયદાકીય કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી છે. એક તરફ કામગીરીનું ભારણ બીજી તરફ નોટિસના કારણે BLO સતત તાણ અનુભવી રહ્યા છે.

નાગરિકતા અંગે ચૂંટણી પંચના નિર્દેશ

SIR પ્રક્રિયા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ચૂંટણી પંચે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે SIR પ્રક્રિયા અને નાગરિકતા અલગ અલગ સંસ્થાઓ છે. જો કોઈ વ્યક્તિ મતદાર યાદીમાં નોંધણી કરાવવામાં નિષ્ફળ જાય છે, તો તેમની નાગરિકતા રદ કરવામાં આવશે નહીં. આનો અર્થ એ છે કે મતદાર યાદીમાં તેમનું નામ ન હોવું નાગરિકતા રદ કરવા માટેનું કારણ નથી. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ચૂંટણી પંચે જણાવ્યું હતું કે બંધારણ અને કાયદા હેઠળ ચૂંટણી પંચ પાસે લોકોના મતદાનના અધિકારને સુનિશ્ચિત કરવા માટે નાગરિકતા દસ્તાવેજો માંગવાનો અધિકાર છે. જો તેમનું નામ કાઢી નાખવામાં આવે છે, તો શું તેઓ ફરીથી મતદાર યાદીમાં સામેલ થઈ શકશે? લોકો એ પણ ચિંતિત છે કે જો SIR દરમિયાન તેમનું નામ કાઢી નાખવામાં આવે તો મતદાર યાદીમાં તેમનું નામ સામેલ થશે કે નહીં. ચૂંટણી પંચના એક વરિષ્ઠ અધિકારી જણાવે છે કે SIR પ્રક્રિયા ફક્ત મતદાર યાદીને શુદ્ધ કરવાની પ્રક્રિયા છે. તેનો હેતુ પાત્ર નાગરિકોના નામનો સમાવેશ કરવાનો અને પાત્ર ન હોય તેવા લોકોને દૂર કરવાનો છે. નિષ્ણાતો કહે છે કે જો SIR પ્રક્રિયા દરમિયાન કોઈ વ્યક્તિનું નામ મતદાર યાદીમાં સામેલ ન થાય, તો ગભરાવાની જરૂર નથી. મતદાર યાદીમાં નામનો સમાવેશ સામાન્ય પ્રક્રિયાની જેમ જ કરવામાં આવે છે. તેવી જ રીતે, વ્યક્તિ પછીથી મતદાર યાદીમાં પોતાનું નામ સામેલ કરવા માટે પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Accident: ધોળકા-બગોદરા હાઈવે પર કારનો ભયંકર અકસ્માત, 4 લોકોના મોત
Ahmedabad Accident: ધોળકા-બગોદરા હાઈવે પર કારનો ભયંકર અકસ્માત, 4 લોકોના મોત
Gandhinagar: ચૂંટણી બાદ ઉમેદવારોને ખર્ચનો હિસાબ રજૂ કરવા ચૂંટણી પંચનું અલ્ટીમેટમ, હિસાબ નહી આપનારને ફટકારાશે નોટિસ
Gandhinagar: ચૂંટણી બાદ ઉમેદવારોને ખર્ચનો હિસાબ રજૂ કરવા ચૂંટણી પંચનું અલ્ટીમેટમ, હિસાબ નહી આપનારને ફટકારાશે નોટિસ
Ambalal Patel : લોકોને મળશે ગરમીમાંથી રાહત, ભારે પવન સાથે વરસાદી માહોલની અંબાલાલ પટેલની આગાહી 
Ambalal Patel : લોકોને મળશે ગરમીમાંથી રાહત, ભારે પવન સાથે વરસાદી માહોલની અંબાલાલ પટેલની આગાહી 
Heatwave : રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત, તાપમાનમાં 3 ડિગ્રીનો થશે ઘટાડો
Heatwave : રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત, તાપમાનમાં 3 ડિગ્રીનો થશે ઘટાડો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બંગાળમાં કોનું રાજ ?
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિના 4 એક્કા
Dabhoi Congress : ડભોઈ પાલિકાના કોંગ્રેસના 21 નગર સેવકોને અજ્ઞાત સ્થળે ખસેડાયા, ભાંગફોડનો ડર
West Bengal Voting Phase 2 : પશ્ચિમ બંગાળમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 90 ટકા મતદાન
Chaitar Vasava Allegations : ચૈતરનો હુંકાર: જેલથી અમે ડરતા નથી, ચૂંટણી પરિણામ આવ્યું અને 3 ફરિયાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મધ્યપ્રદેશના જબલપુરમાં મોટી દુર્ઘટના, ક્રૂઝ શિપ પાણીમાં ડૂબી જતા 4 ના મોત, 31 લોકો હતા સવાર 
મધ્યપ્રદેશના જબલપુરમાં મોટી દુર્ઘટના, ક્રૂઝ શિપ પાણીમાં ડૂબી જતા 4 ના મોત, 31 લોકો હતા સવાર 
Ahmedabad Accident: ધોળકા-બગોદરા હાઈવે પર કારનો ભયંકર અકસ્માત, 4 લોકોના મોત
Ahmedabad Accident: ધોળકા-બગોદરા હાઈવે પર કારનો ભયંકર અકસ્માત, 4 લોકોના મોત
સોનું થઈ ગયું ₹2000 પ્રતિ 10 ગ્રામ મોંઘુ, ચાંદીના ભાવમાં પણ ફેરફાર, જાણી લો લેટેસ્ટ કિંમત
સોનું થઈ ગયું ₹2000 પ્રતિ 10 ગ્રામ મોંઘુ, ચાંદીના ભાવમાં પણ ફેરફાર, જાણી લો લેટેસ્ટ કિંમત
Ambalal patel: કાળઝાળ ગરમી વચ્ચે અંબાલાલ પટેલની વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal patel: કાળઝાળ ગરમી વચ્ચે અંબાલાલ પટેલની વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
New Rules From May 1: બેંકિંગથી લઈ રસોઈ ગેસ અને પગાર સુધી, બદલાઈ જશે આ નિયમ, તમારા ખિસ્સા પર સીધી અસર 
New Rules From May 1: બેંકિંગથી લઈ રસોઈ ગેસ અને પગાર સુધી, બદલાઈ જશે આ નિયમ, તમારા ખિસ્સા પર સીધી અસર 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામ પહેલા મમતા બેનર્જીનો મોટો દાવો, કહ્યું-'226 થી વધુ બેઠકો જીતીશું'
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામ પહેલા મમતા બેનર્જીનો મોટો દાવો, કહ્યું-'226 થી વધુ બેઠકો જીતીશું'
Delhi weather: દિલ્હી-નોઈડામાં અચાનક વાતાવરણમાં પલટો, ભારે તોફાન અને કરા સાથે વરસાદ 
Delhi weather: દિલ્હી-નોઈડામાં અચાનક વાતાવરણમાં પલટો, ભારે તોફાન અને કરા સાથે વરસાદ 
Gold Silver: ચાંદીમાં ₹3400 નો ઉછાળો, સોનાના ભાવ પણ વધ્યા, જાણો 24 કેરેટની લેટેસ્ટ કિંમત 
Gold Silver: ચાંદીમાં ₹3400 નો ઉછાળો, સોનાના ભાવ પણ વધ્યા, જાણો 24 કેરેટની લેટેસ્ટ કિંમત 
Embed widget