શોધખોળ કરો

ઓનલાઈન કામગીરી BLO માટે બની માથાનો દુઃખાવો, 500થી વધુને નોટિસ ફટકારી માંગ્યો ખુલાસો

હાલમાં દેશમાં ગુજરાત સહિત અનેક રાજ્યમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે.

હાલમાં દેશમાં ગુજરાત સહિત અનેક રાજ્યમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. ત્યારે બૂથ લેવલ ઓફિસરોને ઓફલાઈન નહીં પણ સર્વરના ધાંધિયા અને ઓનલાઈન કામગીરીથી પરેશાન છે. વારંવાર સર્વરમાં ખામી સર્જાતી હોવાથી દૈનિક માંડ 10 ફોર્મની એન્ટ્રી થઈ રહી છે. SIRની કામગીરી અંતર્ગત સૌપ્રથમ BLO ઘરે- ઘરે જઈને એન્યુમરેશન ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં BLO તરફથી તેમના બૂથના તમામ ઘરો સુધી ફોર્મ પહોંચાડાયા છે અને જેઓ ઘરે હાજર ન હતા કે અન્યત્ર રહેવા જતા રહ્યા તેવા જ લોકોના ફોર્મ બાકી રહ્યા છે. BLO તરફથી એન્યુમરેશન ફોર્મ વિતરણ અને પરત લેવા માટે ઓફલાઈન પદ્ધતિ ખૂબ જ ઉત્સાહ પૂર્વક કરવામાં આવી છે. પરંતુ બૂથ લેવલ ઓફિસરોને મુખ્ય પ્રશ્ન ઓનલાઈન કામગીરીનો છે.

ભરેલા ફોર્મની ડિજિટલાઈઝેશનની કામગીરી વખતે સર્વરમાં વારંવાર એરર આવી રહી હોવાના લીધે તેઓ ફોર્મની એન્ટ્રી કરવામાં નિષ્ફળ જઈ રહ્યા છે. દિવસ દરમિયાન ફોર્મ પરત મેળવવાની કામગીરી કર્યા બાદ તેઓ ઓનલાઈન કામગીરી માટે બેસે છે. ત્યારે સતત આવતી એરરના પગલે દૈનિક 10 કરતા પણ ઓછા ફોર્મની એન્ટ્રી થઈ રહી હોવાની વિગતો સામે આવી છે. સર્વરની એરરના કારણે ડિજિટલાઈઝેશનની કામગીરી પર અસર પડી રહી છે બીજી તરફ જે-તે વિસ્તારના મદદનીશ મતદાર નોંધણી અધિકારી બૂથ લેવલ ઓફિસરને ટાર્ગેટ કરી નોટિસ ફટકારાઈ રહી છે. અમદાવાદમાં જ 500 BLOને નોટિસ મોકલી ખુલાસો પૂછ્યો છે અને જો યોગ્ય ખુલાસો ન કરે તો કાયદાકીય કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી છે. એક તરફ કામગીરીનું ભારણ બીજી તરફ નોટિસના કારણે BLO સતત તાણ અનુભવી રહ્યા છે.

નાગરિકતા અંગે ચૂંટણી પંચના નિર્દેશ

SIR પ્રક્રિયા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ચૂંટણી પંચે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે SIR પ્રક્રિયા અને નાગરિકતા અલગ અલગ સંસ્થાઓ છે. જો કોઈ વ્યક્તિ મતદાર યાદીમાં નોંધણી કરાવવામાં નિષ્ફળ જાય છે, તો તેમની નાગરિકતા રદ કરવામાં આવશે નહીં. આનો અર્થ એ છે કે મતદાર યાદીમાં તેમનું નામ ન હોવું નાગરિકતા રદ કરવા માટેનું કારણ નથી. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ચૂંટણી પંચે જણાવ્યું હતું કે બંધારણ અને કાયદા હેઠળ ચૂંટણી પંચ પાસે લોકોના મતદાનના અધિકારને સુનિશ્ચિત કરવા માટે નાગરિકતા દસ્તાવેજો માંગવાનો અધિકાર છે. જો તેમનું નામ કાઢી નાખવામાં આવે છે, તો શું તેઓ ફરીથી મતદાર યાદીમાં સામેલ થઈ શકશે? લોકો એ પણ ચિંતિત છે કે જો SIR દરમિયાન તેમનું નામ કાઢી નાખવામાં આવે તો મતદાર યાદીમાં તેમનું નામ સામેલ થશે કે નહીં. ચૂંટણી પંચના એક વરિષ્ઠ અધિકારી જણાવે છે કે SIR પ્રક્રિયા ફક્ત મતદાર યાદીને શુદ્ધ કરવાની પ્રક્રિયા છે. તેનો હેતુ પાત્ર નાગરિકોના નામનો સમાવેશ કરવાનો અને પાત્ર ન હોય તેવા લોકોને દૂર કરવાનો છે. નિષ્ણાતો કહે છે કે જો SIR પ્રક્રિયા દરમિયાન કોઈ વ્યક્તિનું નામ મતદાર યાદીમાં સામેલ ન થાય, તો ગભરાવાની જરૂર નથી. મતદાર યાદીમાં નામનો સમાવેશ સામાન્ય પ્રક્રિયાની જેમ જ કરવામાં આવે છે. તેવી જ રીતે, વ્યક્તિ પછીથી મતદાર યાદીમાં પોતાનું નામ સામેલ કરવા માટે પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે.

ટોપ સ્ટોરી

Onion Price: ખાંડ બાદ ડુંગળીના ભાવમાં વધારો, છૂટકમાં ભાવ 80 રૂપિયા સુધી પહોંચવાની શક્યતા
Onion Price: ખાંડ બાદ ડુંગળીના ભાવમાં વધારો, છૂટકમાં ભાવ 80 રૂપિયા સુધી પહોંચવાની શક્યતા
"કાયદો સર્વોપરી છે, કોઇ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી", MLA ચૈતર વસાવાને જામીન આપવાનો હાઈકોર્ટનો ઈનકાર
Gujarat: ગુજરાતમાં દારૂબંધી મુદ્દે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું મોટું નિવેદન, જાણો શું બોલ્યા?
Gujarat: ગુજરાતમાં દારૂબંધી મુદ્દે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું મોટું નિવેદન, જાણો શું બોલ્યા?
સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા નીતિન પટેલ: GEN-Z આંદોલન અને ભાવનગર લઠ્ઠાકાંડને લઈ આપી પ્રતિક્રિયા
સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા નીતિન પટેલ: GEN-Z આંદોલન અને ભાવનગર લઠ્ઠાકાંડને લઈ આપી પ્રતિક્રિયા

વિડિઓઝ

Chandigarh News : ચંદીગઢમાં મોટા આતંકી ષડયંત્રને સુરક્ષા એજન્સીઓએ બનાવ્યું નિષ્ફળ
Shravan Somvar : હર હર મહાદેવના નાદથી ગુંજી ઉટ્યું સોમનાથ મંદિરનું પરિસર
Banaskantha Crime : ધાનેરામાં સગર્ભાએ લગાવ્યો ચાર શખ્સો પર દુષ્કર્મનો આરોપ
Ahmedabad News : અમદાવાદના ધોળકામાં ઢોરની અડફેટે યુવકનું મોત
Kutch Earthquake : કચ્છમાં મોડી રાત્રે ભૂકંપ, ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 15 કિ.મી. દૂર નોંધાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
"કાયદો સર્વોપરી છે, કોઇ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી", MLA ચૈતર વસાવાને જામીન આપવાનો હાઈકોર્ટનો ઈનકાર
સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા નીતિન પટેલ: GEN-Z આંદોલન અને ભાવનગર લઠ્ઠાકાંડને લઈ આપી પ્રતિક્રિયા
સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા નીતિન પટેલ: GEN-Z આંદોલન અને ભાવનગર લઠ્ઠાકાંડને લઈ આપી પ્રતિક્રિયા
સુરત બાદ ભાવનગરમાં રેગિંગની ઘટના સામે આવતા ખળભળાટ, ધોરણ-9 ના વિદ્યાર્થી પર સિનિયરોનો અત્યાચાર
સુરત બાદ ભાવનગરમાં રેગિંગની ઘટના સામે આવતા ખળભળાટ, ધોરણ-9 ના વિદ્યાર્થી પર સિનિયરોનો અત્યાચાર
Onion Price: ખાંડ બાદ ડુંગળીના ભાવમાં વધારો, છૂટકમાં ભાવ 80 રૂપિયા સુધી પહોંચવાની શક્યતા
Onion Price: ખાંડ બાદ ડુંગળીના ભાવમાં વધારો, છૂટકમાં ભાવ 80 રૂપિયા સુધી પહોંચવાની શક્યતા
Crime News: સુરતના માંડવીમાં 23 વર્ષીય યુવતીની હત્યા, હાથ બાંધી ગળું દબાવ્યું
Crime News: સુરતના માંડવીમાં 23 વર્ષીય યુવતીની હત્યા, હાથ બાંધી ગળું દબાવ્યું
અમરાવતીની સરકારી હોસ્પિટલના NICUમાં ભીષણ આગ, 39 નવજાતમાંથી 3નાં મોત
અમરાવતીની સરકારી હોસ્પિટલના NICUમાં ભીષણ આગ, 39 નવજાતમાંથી 3નાં મોત
એક દિવસમાં દુનિયામાં કેટલા વિમાન ઉડે છે? આંકડો જાણીને ચોંકી જશો
એક દિવસમાં દુનિયામાં કેટલા વિમાન ઉડે છે? આંકડો જાણીને ચોંકી જશો
ઓછા ખર્ચમાં સારી રેન્જ ધરાવતું સ્કૂટર શોધી રહ્યા છો? બેસ્ટ છે આ ત્રણ ઈલેક્ટિક સ્કૂટર
ઓછા ખર્ચમાં સારી રેન્જ ધરાવતું સ્કૂટર શોધી રહ્યા છો? બેસ્ટ છે આ ત્રણ ઈલેક્ટિક સ્કૂટર
Embed widget