![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
રેમડેસિવીર માટે આ શહેરમાં રાત્રે 2 વાગ્યાથી લાગી લાઈન, દર્દીના સ્વજનો પોતાના વાહનોમાં જ રાતવાસો કરવા મજબૂર
રાજ્યમાં સૌથી વધુ 5469 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 54નાં મૃત્યુ થયા છે. ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.
![રેમડેસિવીર માટે આ શહેરમાં રાત્રે 2 વાગ્યાથી લાગી લાઈન, દર્દીના સ્વજનો પોતાના વાહનોમાં જ રાતવાસો કરવા મજબૂર People lined up overnight for remdesivir injection in Ahmedabad, people lined up from 2 p.m. રેમડેસિવીર માટે આ શહેરમાં રાત્રે 2 વાગ્યાથી લાગી લાઈન, દર્દીના સ્વજનો પોતાના વાહનોમાં જ રાતવાસો કરવા મજબૂર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/12/c2b3e6dc3f79d9f332df86bc525f64f8_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
કોરોનાની ગંભીર બિમારી ધરાવતા દર્દીઓ માટે આશાનું કિરણ બનેલા રેમડેસિવિર ઈન્જેક્શનનું વિતરણ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ચાલી રહ્યું છે. સવારે સાડા આઠ વાગ્યાથી સાંજે સાડા પાંચ વાગ્યા સુધી ઝાયડસ હોસ્પિટલમાં રેમડેસિવિર ઈન્જેક્શન મળે છે. પરંતુ અમદાવાદમાં મોડી રાતથી જ લાઈન લાગી ગઈ હતી. સવારે ઝડપથી નંબર આવે તે માટે દર્દીઓના સ્વજનો પોતાના વાહનોમાં જ રાતવાસો કરી રહ્યા છે.
માત્ર અમદાવાદ, સુરત, સુરેંદ્રનગર સહિતના શહેરોમાંથી લોકો ઈંજેક્શન લેવા માટે પહોચ્યા છે. ગઈકાલથી ફરીથી ઝાયડસ હૉસ્પિટલમાં રેમડેસિવિર ઈંજેક્શનનું વિતરણ શરૂ થયું છે. ગઈકાલે પણ લોકોની લાંબી લાઈન લાગી હતી. જેથી ટોકન આપવામા આવ્યા હતા. ઈન્જેક્શન લેવા માટે સાત દિવસની અંદર આવેલા RT-PCR રિપોર્ટ ,તબીબનું પ્રિસ્ક્રિપ્શન અને આધારકાર્ડની કોપી આપવાની રહેશે.
નોંધનીય છે કે, રાજ્યમાં સૌથી વધુ 5469 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 54નાં મૃત્યુ થયા છે. ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4800 પર પહોંચ્યો છે.
રાજ્યમાં ગઈકાલે 2976 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,15,127 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 27000 પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 27568 પર પહોંચ્યો છે. જેમાંથી 203 લોકો વેન્ટિલેટર પર અને 23365 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 90.69 ટકા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4800 પર પહોંચ્યો છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 19, સુરત કોર્પોરેશનમાં 16, વડોદરા કોર્પોરેશન-7, રાજકોટ કોર્પોરેશન-5, બનાસકાંઠા 2, સુરત 2, અમદાવાદ 1, ગાંધીનગર કોર્પોરેશન 1ન અને જામનગરમાં 1 મોત સાથે કુલ 54 લોકોના મોત થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4800 પર પહોંચી ગયો છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 1504, સુરત કોર્પોરેશનમાં 1087, રાજકોટ કોર્પોરેશનમાં 405, સુરત 361, વડોદરા કોર્પોરેશનમાં 277, જામનગર 189, વડોદરા 139, મહેસાણા 127, પાટણ 124, જામનગર 123, રાજકોટ 70, ભાવનગર કોર્પોરેશન 68, ગાંધીનગર-56, મોરબી 54, કચ્છ 53, નર્મદા 50, બનાસકાંઠા 49, નવસારી 47, દાહોદ 46, ગાંધીનગર કોર્પોરેશન-45, અમરેલી-42, જૂનાગઢ કોર્પોરેશન 42, ભરુચ 41, જૂનાગઢ 41, પંચમહાલ 40, ખેડા 39, સાબરકાંઠા 37, આણંદ 31, વલસાડ 31, ભાવનગર 29, અમદાવાદ 28, અરવલ્લી 28, સુરેન્દ્રનગર 28, બોટાદ 27, મહીસાગર 26 અને દેવભૂમિ દ્વારકા 21 કેસ નોંધાયા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)