શોધખોળ કરો

PM મોદીના ગુજરાત પ્રવાસ: ₹૮૨,૯૫૦ કરોડના વિકાસ કાર્યોની ભેટ, ભુજ, દાહોદ અને ગાંધીનગરમાં ભવ્ય કાર્યક્રમો

કચ્છમાં ₹૫૩,૪૧૪ કરોડના ૩૩ પ્રોજેક્ટ્સ, દાહોદમાં ₹૨૪ હજાર કરોડથી વધુના રેલવે પાણી પુરવઠાના કામો; ગાંધીનગરમાં ₹૫,૫૩૬ કરોડના શહેરી વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ ખાતમુહૂર્ત.

PM Modi Gujarat tour 2025: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી, ૨૬ અને ૨૭ મે, ૨૦૨૫ એમ બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ દાહોદ, ભુજ અને ગાંધીનગરમાં ₹૮૨,૯૫૦ કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને ગુજરાતને ભેટ આપશે. આ ભવ્ય કાર્યક્રમોમાં કચ્છ, જામનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, તાપી, મહિસાગર અને વડોદરા જિલ્લા સહિત અનેક વિસ્તારોને આવરી લેવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૨૬ અને ૨૭ મે, ૨૦૨૫ ના રોજ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ રાજ્યને ₹૮૨,૯૫૦ કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે. આ ભવ્ય કાર્યક્રમો દાહોદ, ભુજ અને ગાંધીનગરમાં યોજાશે.

ભુજમાં ૫૩,૪૧૪ કરોડના ૩૩ વિકાસ કાર્યો

૨૬મી મેના રોજ વડાપ્રધાન ભુજ ખાતેથી કચ્છ, જામનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, તાપી અને મહિસાગર જિલ્લાને ₹૫૩,૪૧૪ કરોડના ખર્ચે ૩૩ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ પ્રોજેક્ટ્સમાં કંડલા પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સોલાર પ્લાન્ટ્સ, પાવર ટ્રાન્સમિશન અને માર્ગ મકાનના વિકાસ કાર્યો સામેલ છે.

  • લોકાર્પણ થનારા કાર્યો: જામનગરમાં ૨૨૦/૬૬ કે.વી. બાબરઝર સબસ્ટેશન, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથમાં ૬૬ કે.વી. HTLS ટ્રાન્સમિશન લાઇનો, મોરબીમાં ૧૧ મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટ, કચ્છના મંજલ અને લાકડિયા ખાતે ૧૦ મેગાવોટ અને ૩૫ મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટ, જામનગરના બાબરઝરમાં ૨૧૦ મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટ, ગાંધીધામની ડી.પી.એ. પ્રશાસનિક કચેરીમાં સેન્ટર ઑફ એક્સેલન્સ, માતાના મઢ ખાતે મંદિર પરિસરનો વિકાસ વગેરે.
  • ખાતમુહૂર્ત થનારા કાર્યો: ખાવડા નવનિર્મિત રિન્યુએબલ એનર્જી ઝોનમાંથી વીજ પુરવઠા માટે ±૮૦૦ કે.વી. HVDC પ્રોજેક્ટ, ખાવડા રીન્યુએબલ પાર્કમાંથી વધારાની ૭ GW વીજ પુરવઠા માટે ટ્રાન્સમિશન સિસ્ટમ, મહિસાગરમાં કડાણા હાઈડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટના ૬૦ મેગાવોટ યુનિટ માટે પમ્પ મોડ ઓપરેશન, કચ્છના ગાંધીધામ શહેરમાં વાવાઝોડા પ્રતિરોધક અંડરગ્રાઉન્ડ વીજ વિતરણ નેટવર્ક, ભુજથી નખત્રાણા સુધી ચાર લેન હાઈ સ્પીડ કોરિડોર, કંડલા ખાતે ૧૦ મેગાવોટ ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન સુવિધા, કંડલામાં ૩ રોડ ઓવર બ્રિજ (ROB) નું નિર્માણ અને ધોળાવીરા ખાતે પ્રવાસન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ.

દાહોદમાં ૨૪ હજાર કરોડથી વધુના વિકાસ કાર્યો

૨૬ મેના રોજ દાહોદના ખરોડ ખાતે વડાપ્રધાન રેલવે સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોના ₹૨૪ હજાર કરોડથી વધુ મૂલ્યના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે.

  • રેલવે પ્રોજેક્ટ્સ: ₹૨૧,૪૦૫ કરોડના ખર્ચે નિર્માણ થયેલ લોકો મેન્યુફેક્ચરિંગ શોપ   રોલિંગ સ્ટોક વર્કશોપનું લોકાર્પણ. આણંદ   ગોધરા, મહેસાણા પાલનપુર, રાજકોટ   હડમતીયા રેલ લાઇનના ડબલિંગ કામ, સાબરમતી   બોટાદ ૧૦૭ કિ.મી. રેલ લાઈન ઇલેક્ટ્રિફિકેશન અને કલોલ   કડી   કટોસણ રેલ લાઈન ગેજ પરિવર્તન સહિત કુલ ₹૨૩,૬૯૨ કરોડના રેલવે કામોનું લોકાર્પણ. તેઓ દાહોદમાં ૯૦૦૦ HPનું પ્રથમ લોકોમોટિવ એન્જિન પણ દેશને સમર્પિત કરશે.
  • પાણી પુરવઠા યોજનાઓ: મહિસાગર અને દાહોદ જિલ્લાના ૧૯૩ ગામો અને એક શહેરની ૪.૬૨ લાખ વસ્તીને ૧૦૦ એલ.પી.સી.ડી મુજબ શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે ₹૧૮૧ કરોડના પીવાના પાણીની ચાર સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણ.
  • શહેરી વિકાસ અને પોલીસ હાઉસિંગ: દાહોદ સ્માર્ટ સિટી અંતર્ગત નગરપાલિકા ભવન, આદિવાસી મ્યુઝિયમ સહિત ₹૨૩૩ કરોડના વિકાસ કામો અને પોલીસ હાઉસિંગના ₹૫૩ કરોડના કામોનું લોકાર્પણ.
  • માર્ગ અને પુલના ખાતમુહૂર્ત: વડોદરા જિલ્લામાં સાવલી   ટીંબા માર્ગને ચાર માર્ગીય બનાવવા, કાયાવરોહણ   સાધલી માર્ગ, જરોદ   સમલાયા માર્ગને પહોળા કરવા તેમજ પદમલા   રણોલી માર્ગ પર નવા બ્રિજના કુલ ₹૫૮૧ કરોડના કામોનું ખાતમુહૂર્ત. છોટાઉદેપુર જિલ્લામાં ₹૨૬ કરોડના ખર્ચે નિર્માણ થનાર ભારેજ બ્રિજ અને ₹૭૩ કરોડના ખર્ચે એલ.સી ૬૫ ખાતે નિર્માણ થનાર રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત.

ગાંધીનગરમાં ,૫૩૬ કરોડના પ્રોજેક્ટ્સ

બીજા દિવસે ૨૭મી મેના રોજ વડાપ્રધાન ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં આયોજિત વિશેષ કાર્યક્રમમાં હાજરી આપશે અને શહેરી વિકાસ, માર્ગ અને મકાન, જળ સંસાધન, આરોગ્ય અને મહેસૂલ વિભાગ માટે ₹૫,૫૩૬ કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

  • શહેરી વિકાસ પ્રોજેક્ટ્સ: શહેરી વિકાસ વિભાગ હેઠળ કુલ ₹૧,૪૪૭ કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ, જેમાં જામનગર, સુરત, અમદાવાદ, ગાંધીનગર અને જૂનાગઢ શહેરના વિકાસ કાર્યોનો સમાવેશ. ₹૧,૩૪૭ કરોડના શહેરી વિકાસના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત, જેમાં અમદાવાદ ખાતે ₹૧૦૦૦ કરોડના ખર્ચે બનનારા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ ૩ના ખાતમુહૂર્તનો સમાવેશ.
  • આવાસ યોજના: પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ₹૧૦૦૬ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૨૨,૦૦૦થી વધુ રહેણાંક એકમોનું લોકાર્પણ.
  • અન્ય વિભાગો: રોડ અને બિલ્ડિંગ વિભાગ હેઠળ ₹૧૭૦ કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. જળ સંસાધન વિભાગ હેઠળ ₹૧૮૬૦ કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત.
  • આરોગ્ય સુવિધાઓ: ગાંધીનગર ખાતે યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ. અમદાવાદમાં ₹૫૮૮ કરોડના ખર્ચે ઓપીડી સાથે ૧૮૦૦ બેડ ધરાવતા IPD (ચેપી રોગ માટે ૫૦૦ બેડની સુવિધા સહિત) નું ખાતમુહૂર્ત.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: ગુજરાત પર એક બાદ એક સિસ્ટમ થશે એક્ટિવ, આ તારીખથી ફરી માવઠાનું સંકટ
Gujarat Weather Update: ગુજરાત પર એક બાદ એક સિસ્ટમ થશે એક્ટિવ, આ તારીખથી ફરી માવઠાનું સંકટ
Navsari News : વાંસદાના સરા ગામમાં નિવૃતિ સન્માન સમારોહની આડમાં ધર્માંતરણની પ્રવૃતિ? જાણો શું છે મામલો
Navsari News : વાંસદાના સરા ગામમાં નિવૃતિ સન્માન સમારોહની આડમાં ધર્માંતરણની પ્રવૃતિ? જાણો શું છે મામલો
કચ્છમાં કરા સાથે ખાબક્યો કમોસમી વરસાદ: ખેડૂતોની ચિંતા વધી, જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની નવી આગાહી
કચ્છમાં કરા સાથે ખાબક્યો કમોસમી વરસાદ: ખેડૂતોની ચિંતા વધી, જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની નવી આગાહી
Gujarat News: કોર કમિટી બાદ BJP એ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની કરી જાહેરાત, જાણો કોને-કોને મળ્યું સ્થાન?
Gujarat News: કોર કમિટી બાદ BJP એ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની કરી જાહેરાત, જાણો કોને-કોને મળ્યું સ્થાન?

વિડિઓઝ

Navsari News : નવસારીના વાંસદાના સરા ગામમાં ધર્માંતરણની પ્રવૃતિનો આરોપ
Ahmedabad Fire Incident : અમદાવાદમાં શેલાની સોસાયટીમાં ભીષણ આગ લાગતા દોડધામ
Hun To Bolish | હું તો બોલીશ | ઢેફાના ભાવે ડુંગળી - બટાકા
Hun To Bolish | હું તો બોલીશ | નકલી ડૉક્ટરનું નેટવર્ક
Ambaji Temple: ભક્તિ, સાહસ, ખેલદિલીનો સંગમ, શક્તિપીઠ અંબાજી પહોંચ્યા 28 સ્કેટર્સ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: ગુજરાત પર એક બાદ એક સિસ્ટમ થશે એક્ટિવ, આ તારીખથી ફરી માવઠાનું સંકટ
Gujarat Weather Update: ગુજરાત પર એક બાદ એક સિસ્ટમ થશે એક્ટિવ, આ તારીખથી ફરી માવઠાનું સંકટ
Rule Change: LPG, ATMથી લઈને PAN કાર્ડ સુધી, 1, એપ્રિલથી થશે આ પાંચ મોટા ફેરફાર
Rule Change: LPG, ATMથી લઈને PAN કાર્ડ સુધી, 1, એપ્રિલથી થશે આ પાંચ મોટા ફેરફાર
Rajkot News: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાયસન્સ સસ્પેન્ડ, તેમના નિવેદનના કારણે ફેલાઈ હતી અફવા
Rajkot News: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાયસન્સ સસ્પેન્ડ, તેમના નિવેદનના કારણે ફેલાઈ હતી અફવા
Iran Israel War: ભારત માટે આવ્યા સારા સમાચાર, ઈરાનના વિદેશમંત્રીએ કહ્યુ- 'આ પાંચ દેશોના જહાજોને નથી રોકી રહ્યા'
Iran Israel War: ભારત માટે આવ્યા સારા સમાચાર, ઈરાનના વિદેશમંત્રીએ કહ્યુ- 'આ પાંચ દેશોના જહાજોને નથી રોકી રહ્યા'
Ahmedabad News: અમદાવાદના શેલામાં રહેણાંક એકમમાં લાગેલી આગ કાબૂમાં, એસીમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ
Ahmedabad News: અમદાવાદના શેલામાં રહેણાંક એકમમાં લાગેલી આગ કાબૂમાં, એસીમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ
નાયરાએ સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો વધારો, જાણો પ્રતિ લીટર કેટલો થયો વધારો?
નાયરાએ સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો વધારો, જાણો પ્રતિ લીટર કેટલો થયો વધારો?
RCB ની ડીલ બાદ વિજય માલ્યાએ આપી પહેલી પ્રતિક્રિયા; વિરાટ કોહલીનો પણ કર્યો ઉલ્લેખ
RCB ની ડીલ બાદ વિજય માલ્યાએ આપી પહેલી પ્રતિક્રિયા; વિરાટ કોહલીનો પણ કર્યો ઉલ્લેખ
બાંગ્લાદેશમાં ભયંકર બસ દુર્ધટના, ઢાકાથી પરત આવતી બસ પદ્મા નદીમાં ખાબકી, 16નાં મૃત્યુ અનેક ઇજાગ્રસ્ત
બાંગ્લાદેશમાં ભયંકર બસ દુર્ધટના, ઢાકાથી પરત આવતી બસ પદ્મા નદીમાં ખાબકી, 16નાં મૃત્યુ અનેક ઇજાગ્રસ્ત
Embed widget