શોધખોળ કરો

રાજ્યમાં આજે 39 તાલુકામાં વરસ્યો વરસાદ, બે સ્ટેટ હાઈવે સહિત કુલ 29 રસ્તા બંધ

રાજ્યમાં આજે 39 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધારે સાબરકાંઠાના વિજયનગરમાં પોણા 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો

રાજ્યમાં આજે 39 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધારે સાબરકાંઠાના વિજયનગરમાં પોણા 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તે સિવાય અરવલ્લીના મેઘરજ તાલુકામાં 1.69 ઈંચ, અરવલ્લીના ભિલોડા તાલુકામાં પોણો ઈંચ, સુરત શહેરમાં પોણો ઈંચ, નવસારી શહેર અને જૂનાગઢના વંથલીમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો.

ભારે વરસાદના કારણે રાજ્યના 52 ડેમ હાઈએલર્ટ પર, 26 ડેમ એલર્ટ પર, 23 ડેમ વોર્નિંગ લેવલ પર છે. જ્યારે 31 ડેમ 100 ટકા ભરાઈ ગયા હતા. જ્યારે 70 ડેમમાં 70થી 100 ટકા, 36 ડેમમાં 50થી 70 ટકા, 37 ડેમમાં 25થી 50 ટકા જળસંગ્રહ થયો છે. આજે સવારે 9 વાગ્યાની સ્થિતિએ 2 સ્ટેટ હાઈવે બંધ થયા હતા. પંચાયતના 26 રસ્તા. એક નેશનલ હાઈવે બંધ રહ્યો હતો. રાજ્યમાં કુલ 29 રસ્તા બંધ થયા હતા.

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. વરસાદથી ખેડૂતો ખુશ થયા હતા. યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. લાંબા વિરામ બાદ અંબાજી પંથકમાં વરસાદ વરસ્યો હતો. અરવલ્લીના મેઘરજમાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો. મેઘરજનો આંબાવાડી વિસ્તાર તો દોઢ ઈંચ વરસાદમાં જ બેટમાં ફેરવાયો હતો. અહીંની નવજીવન અને ગાયત્રી સોસાયટી વિસ્તારમાં કેડસમા પાણી ભરાયા હતા. મોડાસા અને ભિલોડા તાલુકામાં પણ વરસાદ વરસ્યો હતો.  જ્યારે ગાજણ, મરડીયા, ઈસરોલ પંથકમાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. જ્યારે ભિલોડાના ધોલવાણી, મોહનપુર, નવા ભવનાથ ઉપરાંત તાલુકાના મરડીયા, ઝમાપુર, ગાજણ વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો.

અમરેલીના ધારી તથા ગીર કાંઠાના ગામમાં આજે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ધારીના દલખાણિયા ગામે તો ધોધમાર વરસાદથી ગામના રસ્તા પર પાણી વહેતા થયા હતા. લાંબા વિરામ બાદ છેલ્લા બે દિવસથી મેઘરાજાની પધરામણીથી ખેડૂતોના સૂકાતા પાકને આંશિક જીવતદાન મળ્યું હતું. જૂનાગઢ શહેર તથા તાલુકામાં પણ જામ્યો વરસાદી માહોલ જામ્યો હતો.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગાહી કરી હતી કે રાજ્યમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસશે. હવામાન વિભાગના અનુસાર, વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં મન મૂકીને મેઘરાજા વરસશે. 16 ઓગસ્ટથી જ દક્ષિણ ગુજરાત તો સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ મૂશળધાર વરસાદ વરસશે. ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો 65 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે રાજ્યમાં 16 ઓગસ્ટથી સાર્વત્રિક વરસાદ વરસશે. કેટલાક વિસ્તારમાં તો 12 ઈંચથી વધુ વરસાદ ખાબકી શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget