શોધખોળ કરો

મોડાસાઃ પિતાએ 3 સંતાનોની હત્યા કરી ડેમમાં લાશો ફેંકી, સગર્ભા પત્નિને કુહાડીના ઘા ઝીંકી કરી ઘાયલ, કારણ જાણીને લાગી જશે આઘાત

અરવલ્લી જિલ્લાના વૈડી ડેમમાંથી ત્રણ બાળકોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે

મોડાસાઃ પિતાએ 3 સંતાનોની હત્યા કરી ડેમમાં લાશો ફેંકી, સગર્ભા પત્નિને કુહાડીના ઘા ઝીંકી કરી ઘાયલ, કારણ જાણીને લાગી જશે આઘાત

 

મોડાસાઃ અરવલ્લી જિલ્લાના વૈડી ડેમમાંથી ત્રણ બાળકોના મૃતદેહ મળવાને મુદ્દે બહુ મોટો ધડાકો થયો છે. આ ત્રણેય બાળકોની હત્યા તેના પિતાએ જ કરી નાંખી હતી. આ હત્યાનું કારણ અત્યંત આઘાતજનક છે અને અંધશ્રધ્ધા સાથે જોડાયેલું છે. ત્રણ બાળકોના હત્યારા પિતાને પોતાની પત્નિ ડાકણ હોવાની શંકા હતી તેથી તેણે ત્રણેય સંતાનોની હત્યા કરી દીધી હતી. એ પછી તેણે પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો પણ તેને બચાવી લેવાયો છે.

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં વૈડી ડેમમાંથી ત્રણ બાળકોની લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે તપાસ કરતાં મળી આવેલી 3 બાળકોની લાશોની ઓળખ થઈ હતી અને મૃતક બાળકો સગાં ભાઈ બહેન હોવાનું બહાર આવ્યું હતું. આ બાળકોની ઓળખ   9 વર્ષીય જિનલબેન,7 વર્ષીય હાર્દીક અને 2 વર્ષીય સોનલ તરીકે થઈ હતી.

પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, પિતા જીવાભાઈ કચરા ભાઈ ડેડુને જ 9 વર્ષીય જિનલબેન,7 વર્ષીય હાર્દીક અને 2 વર્ષીય સોનલની હત્યા કરી નાખીને તેમને વૈડી ડેમમાં 2 દિવસ પહેલાં નાખી દીધા હતા. આ ઉપરાંત 9 માસનો ગર્ભ ધરાવતી પત્ની જીવીબેન પણ ડાકણ હોવાના વહેમમાં જીવાભાઈએ પત્નીને પણ કુહાડીના જીવલેણ ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘાયલ મહિલા જીવીબેનને હોસ્પિટલમાં દાખલ કરાયાં છે. જીવીબેનના પિતાએ રમાડ ગામના જીવાભાઈ કચરા ભાઈ ડેડુંન સામે ફરિયાદ નોંધાવી.  ઇસરી પોલીસે ઇપીકો 302,307,મુજબ ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

ડેમમાંથી મળેલી બાળકોની લાશોને પીએમ માટે લઈ જવામાં આવી પછી મૃત્યુ પામનાર ત્રણ બાળકોના પિતાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે ઝાડ ઉપર લટકી આપઘાત કરતા પિતાને બચાવી લેવાયા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, અઠવાડિયા પહેલાં પતિ અને પત્ની વચ્ચે ઘરકંકાસ થયો હતો અને એ પછી ઉશ્કેરાઈને પિતાએ હત્યા કરી નાંખી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget