શોધખોળ કરો

Somnath Buldozer Action: સોમનાથ બુલડોઝર કાર્યવાહીમાં મુસ્લિમ પક્ષને રાહત નથી, જાણો સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?

Somnath Buldozer Action: જમીનનો કબજો આગામી આદેશ સુધી સરકાર પાસે રહેશે અને તે કોઈ ત્રીજા પક્ષને ફાળવવામાં આવશે નહીં.

Somnath Buldozer Action: ગુજરાતના ગીર સોમનાથ બુલડોઝર એક્શન કેસમાં શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સર્વોચ્ચ અદાલતે કોઈપણ આદેશ આપવાનો ઈન્કાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ સરકારી જમીન છે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે કહ્યું કે, જમીનનો કબજો આગામી આદેશ સુધી સરકાર પાસે રહેશે અને તે કોઈ ત્રીજા પક્ષને ફાળવવામાં આવશે નહીં.

મુસ્લિમ પક્ષ તરફથી દલીલો રજૂ કરતાં કપિલ સિબ્બલે કહ્યું હતું કે આ સંરક્ષિત સ્મારક છે. કોઈપણ ત્રીજા પક્ષના અધિકારો નથી. તેના પર જસ્ટિસ ગવઈએ કહ્યું કે ત્રીજા પક્ષના અધિકારો શું છે? આ સરકારી જમીન છે. હાઈકોર્ટ આ બાબતથી વાકેફ છે. સિબ્બલે કહ્યું કે આ તમારા આદેશનું અપમાન છે. સિબ્બલે કહ્યું કે તોડી પાડવાનું કારણ એ છે કે તે સ્મારક અરબી સમુદ્રની નજીક છે અને જળાશયની નજીક હોઈ શકે નહીં. સંરક્ષિત સ્મારકો તોડી પાડવામાં આવ્યા હતા. શું તમે તમારા આદેશ છતાં તેની કલ્પના કરી શકાય છે?

સિબ્બલની આ દલીલ પર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે ત્યાં કોઈ સંરક્ષિત સ્મારક નથી. જસ્ટિસ ગવઈએ કહ્યું કે હાઈકોર્ટનો આ આદેશ 2015માં પસાર કરવામાં આવ્યો હતો. તમે જણાવેલ હેતુઓ માટે જ જમીનનો ઉપયોગ કરી શકો છો. ગુજરાત હાઈકોર્ટે પણ યથાસ્થિતિ જાળવવા આદેશ આપવાનો ઈન્કાર કર્યો હતો.

એસજીએ કહ્યું હતું કે આગામી આદેશ સુધી જમીનનો કબજો સરકાર પાસે રહેશે અને કોઈ ત્રીજા પક્ષને ફાળવવામાં આવશે નહીં. આવી સ્થિતિમાં અમને કોઈ વચગાળાનો આદેશ પસાર કરવો જરૂરી લાગતો નથી.

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાઇ હતી અવમાનનાની અરજી

28 સપ્ટેમ્બરના રોજ ગીર સોમનાથ પ્રશાસને મુસ્લિમોના કેટલાક ધાર્મિક સ્થળો, ઘરો અને કબરો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. તેની સામે સુપ્રીમ કોર્ટમાં અવમાનનાની અરજી દાખલ કરવામાં આવી છે. એવું કહેવાય છે કે બુલડોઝરની કાર્યવાહી રોકવા માટે સુપ્રીમ કોર્ટના આદેશ છતાં મોટા પાયે ડિમોલિશનનું કામ કરવામાં આવ્યું છે. ગીર સોમનાથના કલેક્ટર અને અન્ય અધિકારીઓ સામે અવમાનનાની કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. વહીવટીતંત્રની કાર્યવાહીના વિરોધમાં સમસ્ત પાટની મુસ્લિમ જમાતે અરજી દાખલ કરી હતી. અરજીમાં તેમણે સુપ્રીમ કોર્ટના 17 સપ્ટેમ્બર 2024ના આદેશના ઉલ્લંઘન સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat By Election: ભાજપે ગત ચૂંટણીમાં ગેનીબેન સામે હારેલા સ્વરુપજી ઠાકોરને ટિકિટ આપી
Gujarat By Election: ભાજપે ગત ચૂંટણીમાં ગેનીબેન સામે હારેલા સ્વરુપજી ઠાકોરને ટિકિટ આપી
આગામી સપ્તાહમાં લોન્ચ થશે M4 MacBook Pro  અને New iMac, Appleએ આપ્યા સંકેત
આગામી સપ્તાહમાં લોન્ચ થશે M4 MacBook Pro અને New iMac, Appleએ આપ્યા સંકેત
Gandhinagar: શૈક્ષણિક પ્રવાસ બાદ હવે ગુજરાતમાં બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ માટેના નિયમો જાહેર
Gandhinagar: શૈક્ષણિક પ્રવાસ બાદ હવે ગુજરાતમાં બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ માટેના નિયમો જાહેર
Rhea Chakraborty: રિયા ચક્રવર્તીને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત,સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે જોડાયેલ છે કેસ
Rhea Chakraborty: રિયા ચક્રવર્તીને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત,સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે જોડાયેલ છે કેસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad:ક્રાઈમ બ્રાન્ચે 50 શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપ્યા, 200 શંકાસ્પદોની કરાઈ પૂછપરછMaharatsra Politics: બાબા સિદ્દીકીનો દીકરો જોડાયો NCPમાં, જાણો ક્યાંથી લડશે ચૂંટણી?Gujarat Weather Updates :દિવાળીમાં પડશે ઉનાળા જેવી ગરમી!, જાણો આગાહી| Abp AsmitaDANA Cyclone | વાવાઝોડાએ મચાવી ત્રણ રાજ્યોમાં તબાહી, 110 કિમીની ઝડપે ફુંકાયો પવન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat By Election: ભાજપે ગત ચૂંટણીમાં ગેનીબેન સામે હારેલા સ્વરુપજી ઠાકોરને ટિકિટ આપી
Gujarat By Election: ભાજપે ગત ચૂંટણીમાં ગેનીબેન સામે હારેલા સ્વરુપજી ઠાકોરને ટિકિટ આપી
આગામી સપ્તાહમાં લોન્ચ થશે M4 MacBook Pro  અને New iMac, Appleએ આપ્યા સંકેત
આગામી સપ્તાહમાં લોન્ચ થશે M4 MacBook Pro અને New iMac, Appleએ આપ્યા સંકેત
Gandhinagar: શૈક્ષણિક પ્રવાસ બાદ હવે ગુજરાતમાં બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ માટેના નિયમો જાહેર
Gandhinagar: શૈક્ષણિક પ્રવાસ બાદ હવે ગુજરાતમાં બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ માટેના નિયમો જાહેર
Rhea Chakraborty: રિયા ચક્રવર્તીને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત,સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે જોડાયેલ છે કેસ
Rhea Chakraborty: રિયા ચક્રવર્તીને સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી રાહત,સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે જોડાયેલ છે કેસ
Vav Bypoll: વાવ બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસ તરફથી આ ઉમેદવાર લડશે ચૂંટણી , ચોંકાવનારુ નામ આવ્યું સામે
Vav Bypoll: વાવ બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસ તરફથી આ ઉમેદવાર લડશે ચૂંટણી , ચોંકાવનારુ નામ આવ્યું સામે
Gandhinagar: પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ બનશે ખાસ, હજારો કરોડના કાર્યોનું કરશે લોકાર્પણ અને ખાતમુહુર્ત
Gandhinagar: પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ બનશે ખાસ, હજારો કરોડના કાર્યોનું કરશે લોકાર્પણ અને ખાતમુહુર્ત
Ahmedabad: અમદાવાદમાંથી ઝડપાયા 50 બાંગ્લાદેશી નાગરિકો, અન્ય 200 જેટલા શંકાસ્પદોની કરાઇ પૂછપરછ
Ahmedabad: અમદાવાદમાંથી ઝડપાયા 50 બાંગ્લાદેશી નાગરિકો, અન્ય 200 જેટલા શંકાસ્પદોની કરાઇ પૂછપરછ
Dhanteras અને Diwali પર જરૂર કરો આ ચીજોનું દાન, માતા લક્ષ્મી થશે પ્રસન્ન
Dhanteras અને Diwali પર જરૂર કરો આ ચીજોનું દાન, માતા લક્ષ્મી થશે પ્રસન્ન
Embed widget