શોધખોળ કરો

Surendranagar: સુરેન્દ્રનગરને મનપા બનાવવા સામે વિરોધ, વિશ્વાસમાં લીધા વગર ઠરાવ કર્યાનો આરોપ

Surendranagar:સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકામાં સમાવેશ કરેલા તમામ ૧૧ ગામોના સરપંચ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે

Surendranagar:રાજ્ય સરકારે સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરી હતી. જો કે, આ જાહેરાતની સાથે જ વિરોધ પણ શરૂ થયો છે. સુરેન્દ્રનગર શહેર આસપાસના 11 ગામોને મહાનગરપાલિકામાં ભેળવવાના ઠરાવ મામલે તમામ 11 ગામોના સંરપંચે વિરોધ કર્યો છે. સરપંચોનો આરોપ છે કે, તેમને અને ગ્રામ પંચાયતને વિશ્વાસમાં લીધા વિના જ સુરેન્દ્રનગર પાલિકાએ સીધો જ ઠરાવ કરી દીધો છે.


Surendranagar: સુરેન્દ્રનગરને મનપા બનાવવા સામે વિરોધ, વિશ્વાસમાં લીધા વગર ઠરાવ કર્યાનો આરોપ
સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકામાં સમાવેશ કરેલા તમામ ૧૧ ગામોના સરપંચ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરી દેવામાં આવી છે અને આસપાસનાં ૧૧ ગામોને મહાનગરપાલિકામાં સમાવેશ કરવા અંગે પાલિકા તંત્ર દ્વારા ઠરાવ કરી દેવામાં આવ્યો છે પરંતુ જે ગામોનો સમાવેશ કરવાની જાહેરાત કરી છે તે તમામ ૧૧ ગામોના સરપંચ દ્વારા વિરોધ કરવામાં આવતા મહાનગરપાલિકાનું કોકડુ ગુંચવાયુ છે.

આ મહાનગરપાલિકા બનાવવામાં પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો છે કારણ કે મહાનગરપાલિકા બનાવવા માટે સુરેન્દ્રનગર શહેરની આસપાસનાં જે ૧૧ ગામોનો સમાવેશ કરવાની તંત્રએ જાહેરાત કરી છે તે તમામ ગામોના સરપંચ દ્વારા મહાનગરપાલિકા સમાવેશ થવાનો ઇનકાર કરી દીધો છે. ખમીયાણા, માળોદ, રાજપર, શેખપર, ખેરાળી, મુળચંદ અને બાકરથળી સહીતના ગામોના સરપંચ એકઠા થયા હતા અને આ નિર્ણય સામે વિરોધ દર્શાવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે તંત્ર દ્વારા સરપંચોને વિશ્વાસમાં લીધા વગર જ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે અને હવે તંત્ર દ્વારા સરપંચોને ગ્રામસભા બોલાવી ઠરાવ કરવા માટે જણાવવામાં આવી રહ્યું છે જેને લઇને સરપંચ અને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે

મહાનગરપાલિકામાં ગામડાઓ ભેળવવાથી ગામડાઓમાં સુવિધાઓ મળવાના બદલે વેરાનું ભારણ વધશે જેને લઇને સરપંચ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ મામલે સરપંચો કોઇ પણ સંજોગોમાં મહાનગરપાલિકામાં સમાવેશ થવાનો ઇનકાર કરી દેતા સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાનું કોકડુ શરૂઆતમાં જ ગુંચવાયું છે ત્યારે આ મામલે આગામી સમયમાં શું નિર્ણય લેવામાં આવશે તે જોવાનું રહ્યું.                                                                   

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદ બંધ ફ્લેટમાંથી મળી આવેલ સોનુ અને રોકડ ક્યાંથી આવ્યાં? ATSએ  કબ્જે કર્યુ  95.5 કિલો સોનું
અમદાવાદ બંધ ફ્લેટમાંથી મળી આવેલ સોનુ અને રોકડ ક્યાંથી આવ્યાં? ATSએ કબ્જે કર્યુ 95.5 કિલો સોનું
Nagpur Violence: નાગપુરમાં અચાનક જ કેવી રીતે ભડકી હિંસા, ક્યાંથી શરૂ થયો આખરે વિવાદ, જાણો સમગ્ર વિગત
Nagpur Violence: નાગપુરમાં અચાનક જ કેવી રીતે ભડકી હિંસા, ક્યાંથી શરૂ થયો આખરે વિવાદ, જાણો સમગ્ર વિગત
ઔરંગઝેબની કબરને લઈને નાગપુરમાં હિંસા! બે જૂથો સામસામે આવી જતા પથ્થરમારો, પોલીસ થઈ લોહીલુહાણ
ઔરંગઝેબની કબરને લઈને નાગપુરમાં હિંસા! બે જૂથો સામસામે આવી જતા પથ્થરમારો, પોલીસ થઈ લોહીલુહાણ
પોલીસવાળા સુધરી જાઓ! લુખ્ખાઓ સાથેના સંબંધો ભારે પડશે, સીધી નોકરી જ જશે! હર્ષ સંઘવીની ચેતવણી!
પોલીસવાળા સુધરી જાઓ! લુખ્ખાઓ સાથેના સંબંધો ભારે પડશે, સીધી નોકરી જ જશે! હર્ષ સંઘવીની ચેતવણી!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ થયા બટાકાના ખેડૂતો બરબાદ?Hun To Bolish : હું તો બોલીશ : કલાકારોનો વિક્રમી વિવાદHarsh Sanghavi: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને શું આપી ચેતવણી?Ahmedabad Anti Social Elements : અસામાજિક તત્વોને નથી રહ્યો પોલીસનો ખૌફ!, આતંકની ઘટના CCTVમાં કેદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ બંધ ફ્લેટમાંથી મળી આવેલ સોનુ અને રોકડ ક્યાંથી આવ્યાં? ATSએ  કબ્જે કર્યુ  95.5 કિલો સોનું
અમદાવાદ બંધ ફ્લેટમાંથી મળી આવેલ સોનુ અને રોકડ ક્યાંથી આવ્યાં? ATSએ કબ્જે કર્યુ 95.5 કિલો સોનું
Nagpur Violence: નાગપુરમાં અચાનક જ કેવી રીતે ભડકી હિંસા, ક્યાંથી શરૂ થયો આખરે વિવાદ, જાણો સમગ્ર વિગત
Nagpur Violence: નાગપુરમાં અચાનક જ કેવી રીતે ભડકી હિંસા, ક્યાંથી શરૂ થયો આખરે વિવાદ, જાણો સમગ્ર વિગત
ઔરંગઝેબની કબરને લઈને નાગપુરમાં હિંસા! બે જૂથો સામસામે આવી જતા પથ્થરમારો, પોલીસ થઈ લોહીલુહાણ
ઔરંગઝેબની કબરને લઈને નાગપુરમાં હિંસા! બે જૂથો સામસામે આવી જતા પથ્થરમારો, પોલીસ થઈ લોહીલુહાણ
પોલીસવાળા સુધરી જાઓ! લુખ્ખાઓ સાથેના સંબંધો ભારે પડશે, સીધી નોકરી જ જશે! હર્ષ સંઘવીની ચેતવણી!
પોલીસવાળા સુધરી જાઓ! લુખ્ખાઓ સાથેના સંબંધો ભારે પડશે, સીધી નોકરી જ જશે! હર્ષ સંઘવીની ચેતવણી!
વિધવા મહિલાઓની પડખે ગુજરાત સરકાર: ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના બજેટમાં જંગી વધારો
વિધવા મહિલાઓની પડખે ગુજરાત સરકાર: ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના બજેટમાં જંગી વધારો
ટાંટીયાતોડ સર્વિસ બાદ પણ અમદાવાદમાં અસમાજિક તત્વોનો આતંક યથાવત, વિક્ટોરિયા ગાર્ડન નજીક પૂજારી પર હુમલો
ટાંટીયાતોડ સર્વિસ બાદ પણ અમદાવાદમાં અસમાજિક તત્વોનો આતંક યથાવત, વિક્ટોરિયા ગાર્ડન નજીક પૂજારી પર હુમલો
સુરતમાં કાળજુ કંપાવી દે તેવી ઘટના! માતા-પિતાની ભૂલને કારણે એક વર્ષની બાળકી ઝૂલામાં જ લટકી ગઈ!
સુરતમાં કાળજુ કંપાવી દે તેવી ઘટના! માતા-પિતાની ભૂલને કારણે એક વર્ષની બાળકી ઝૂલામાં જ લટકી ગઈ!
તમને ખબર પણ ન પડી એમ મોંઘવારી વધી ગઈ, જાણો ફેબ્રુઆરીમાં કઈ વસ્તુ થઈ મોંઘી અને કઈ સસ્તી
તમને ખબર પણ ન પડી એમ મોંઘવારી વધી ગઈ, જાણો ફેબ્રુઆરીમાં કઈ વસ્તુ થઈ મોંઘી અને કઈ સસ્તી
Embed widget