શોધખોળ કરો

Surendranagar: સુરેન્દ્રનગરને મનપા બનાવવા સામે વિરોધ, વિશ્વાસમાં લીધા વગર ઠરાવ કર્યાનો આરોપ

Surendranagar:સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકામાં સમાવેશ કરેલા તમામ ૧૧ ગામોના સરપંચ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે

Surendranagar:રાજ્ય સરકારે સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરી હતી. જો કે, આ જાહેરાતની સાથે જ વિરોધ પણ શરૂ થયો છે. સુરેન્દ્રનગર શહેર આસપાસના 11 ગામોને મહાનગરપાલિકામાં ભેળવવાના ઠરાવ મામલે તમામ 11 ગામોના સંરપંચે વિરોધ કર્યો છે. સરપંચોનો આરોપ છે કે, તેમને અને ગ્રામ પંચાયતને વિશ્વાસમાં લીધા વિના જ સુરેન્દ્રનગર પાલિકાએ સીધો જ ઠરાવ કરી દીધો છે.


Surendranagar: સુરેન્દ્રનગરને મનપા બનાવવા સામે વિરોધ, વિશ્વાસમાં લીધા વગર ઠરાવ કર્યાનો આરોપ
સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકામાં સમાવેશ કરેલા તમામ ૧૧ ગામોના સરપંચ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરી દેવામાં આવી છે અને આસપાસનાં ૧૧ ગામોને મહાનગરપાલિકામાં સમાવેશ કરવા અંગે પાલિકા તંત્ર દ્વારા ઠરાવ કરી દેવામાં આવ્યો છે પરંતુ જે ગામોનો સમાવેશ કરવાની જાહેરાત કરી છે તે તમામ ૧૧ ગામોના સરપંચ દ્વારા વિરોધ કરવામાં આવતા મહાનગરપાલિકાનું કોકડુ ગુંચવાયુ છે.

આ મહાનગરપાલિકા બનાવવામાં પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો છે કારણ કે મહાનગરપાલિકા બનાવવા માટે સુરેન્દ્રનગર શહેરની આસપાસનાં જે ૧૧ ગામોનો સમાવેશ કરવાની તંત્રએ જાહેરાત કરી છે તે તમામ ગામોના સરપંચ દ્વારા મહાનગરપાલિકા સમાવેશ થવાનો ઇનકાર કરી દીધો છે. ખમીયાણા, માળોદ, રાજપર, શેખપર, ખેરાળી, મુળચંદ અને બાકરથળી સહીતના ગામોના સરપંચ એકઠા થયા હતા અને આ નિર્ણય સામે વિરોધ દર્શાવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે તંત્ર દ્વારા સરપંચોને વિશ્વાસમાં લીધા વગર જ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે અને હવે તંત્ર દ્વારા સરપંચોને ગ્રામસભા બોલાવી ઠરાવ કરવા માટે જણાવવામાં આવી રહ્યું છે જેને લઇને સરપંચ અને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે

મહાનગરપાલિકામાં ગામડાઓ ભેળવવાથી ગામડાઓમાં સુવિધાઓ મળવાના બદલે વેરાનું ભારણ વધશે જેને લઇને સરપંચ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ મામલે સરપંચો કોઇ પણ સંજોગોમાં મહાનગરપાલિકામાં સમાવેશ થવાનો ઇનકાર કરી દેતા સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાનું કોકડુ શરૂઆતમાં જ ગુંચવાયું છે ત્યારે આ મામલે આગામી સમયમાં શું નિર્ણય લેવામાં આવશે તે જોવાનું રહ્યું.                                                                   

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
Embed widget