શોધખોળ કરો

દ્વારકાધીશ મંદિર ત્રણ દિવસ સુધી રહેશે બંધ, જાણો કઈ તારીખે દર્શન માટે જશો તો ધક્કો પડશે

આ ઉત્સવમાં દર વર્ષે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટે છે.

ફૂલડોલ મહોત્સવને ધ્યાનમાં રાખીને આગામી 27,28 અને 29 માર્ચ એમ ત્રણ દિવસ દ્વારકા જગત મંદિરમાં ભક્તોને પ્રવેશ નહીં મળે. હોળી પર્વ પર દ્વારકા મંદિરમાં ફુલડોલ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.

આ ઉત્સવમાં દર વર્ષે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટે છે. પરંતુ ચાલુ વર્ષે કોરોના સંક્રમણના કારણે ફૂલડોલ મહોત્સવ સાદાઈથી ઉજવણી કરવામાં આવશે અને મંદિરમાં સોશલ ડિસ્ટંસના નિયમનો ભંગ ન થાય એ માટે ભક્તોને 27, 28 અને 29 માર્ચ એમ ત્રણ દિવસ પ્રવેશ આપવામાં આવશે નહીં.

હાલ છેલ્લા એકાદ વર્ષથી ફેલાયેલી કોરોના મહામારીના કારણે સુવિખ્યાત ડાકોર, ભવનાથ મંદિર, જૂનાગઢ ખાતે યાત્રીકોને મંદિરમાં પ્રવેશ બંધ રાખવામાં આવ્યો છે. ત્યારે દ્વારકાધીશ મંદિરના વહીવટદાર તથા જિલ્લા કલેકટર દ્વારા સ્થાનિક પૂજારીઓ, અગ્રણીઓ તથા પોલીસ વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્ર સાથે તમામ બાબતે ચર્ચા-વિચારણા કરી, આગામી તારીખ ૨૭, ૨૮, ૨૯ માર્ચ દરમિયાન ફૂલડોલ ઉત્સવની ઉજવણી પ્રસંગે યાત્રિકોને મંદિરમાં પ્રવેશ બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જુદા જુદા પ્રાંત તથા વિસ્તારોમાંથી કાળીયા ઠાકોરના દર્શનાર્થે ફૂલડોલ ઉત્સવની ઉજવણી માટે પદયાત્રા કરીને આવતા કૃષ્ણ ભક્તો માટે સમગ્ર પંથકમાં ખૂબ મોટી સંખ્યામાં સેવા કેમ્પો ધમધમે છે. જે આ વખતે બંધ રહેશે.

કોરોના વાયરસે ગુજરાતમાં ફરી માથુ ઉંચક્યું છે. છેલ્લા 24 કલાકમાં 555 નવા કેસ નોંધાયા છે જ્યારે 482 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં અમદાવાદમાં એક મૃત્યુ થયું હતું. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4416 લોકોના કોરોનાથી મોત થયા છે. ચૂંટણીઓ બાદ ગુજરાતમાં સતત કોરોનાના કેસો વધી રહ્યાં છે. રૂપાણી સરકાર ભલે સબ સલામતના દાવાઓ કરે પણ કેસો વધ્યા છે એ વાસ્તવિકતા છે.  રાજ્યમાં અત્યાર સુધી 266313 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.22 ટકા પર પહોંચ્યો છે. હાલ 3212 એક્ટિવ કેસ છે, જેમાંથી 41 લોકો વેન્ટિલેટર પર અને 3171 લોકો સ્ટેબલ છે. સરકાર આ આંકડાઓ સુધરે એ માટે પ્રયાસો કરી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Heat Wave: રાજ્યમાં કાળઝાળ ગરમીથી લૂ અને બેભાન થવાના કેસો વધ્યા, જાણો કેટલે પહોંચ્યો આંકડો
Heat Wave: રાજ્યમાં કાળઝાળ ગરમીથી લૂ અને બેભાન થવાના કેસો વધ્યા, જાણો કેટલે પહોંચ્યો આંકડો
Gujarat: ચૂંટણી પુરી થતાં જ નેતાઓનું નાટક શરૂ, ડેડીયાપાડા તા.પં. કચેરીમાં મનુસખ અને ચૈતર નાના બાળકોની જેમ ઝઘડ્યા
Gujarat: ચૂંટણી પુરી થતાં જ નેતાઓનું નાટક શરૂ, ડેડીયાપાડા તા.પં. કચેરીમાં મનુસખ અને ચૈતર નાના બાળકોની જેમ ઝઘડ્યા
Election Fact Check: પીએમ મોદીના ઘર છોડવાના આ સમાચાર છે ખોટા, ભાઈ પ્રહલાદ મોદીએ ક્યારેય નથી કહ્યું આવું, જાણો વાયરલ પોસ્ટની હકીકત
Election Fact Check: પીએમ મોદીના ઘર છોડવાના આ સમાચાર છે ખોટા, ભાઈ પ્રહલાદ મોદીએ ક્યારેય નથી કહ્યું આવું, જાણો વાયરલ પોસ્ટની હકીકત
Weather Updates: દિલ્હીમાં ગરમીએ તોડ્યો 14 વર્ષનો રેકોર્ડ, ગુજરાત સહિત આ રાજ્યોમાં 5 દિવસ ભીષણ લૂ નું એલર્ટ
દિલ્હીમાં ગરમીએ તોડ્યો 14 વર્ષનો રેકોર્ડ, ગુજરાત સહિત આ રાજ્યોમાં 5 દિવસ ભીષણ લૂ નું એલર્ટ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Rajkot | ભારે પવન સાથે ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ સ્થિતિDwarka Alret | માછીમારો થઈ જજો એલર્ટ, દરિયામાં ઉછળશે ઊંચા મોજા | Watch VideoPadminiba Vala | સંકલન સમિતિને સવાલ કરતા કરતા કોંગ્રેસ વિશે શું બોલ્યા પદ્મિની બા? | Abp AsmitaAmreli | સતત ત્રીજા દિવસે માવઠાનો માર, સાવરકુંડલા અને લીલીયાના થયા કંઈક આવા હાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Heat Wave: રાજ્યમાં કાળઝાળ ગરમીથી લૂ અને બેભાન થવાના કેસો વધ્યા, જાણો કેટલે પહોંચ્યો આંકડો
Heat Wave: રાજ્યમાં કાળઝાળ ગરમીથી લૂ અને બેભાન થવાના કેસો વધ્યા, જાણો કેટલે પહોંચ્યો આંકડો
Gujarat: ચૂંટણી પુરી થતાં જ નેતાઓનું નાટક શરૂ, ડેડીયાપાડા તા.પં. કચેરીમાં મનુસખ અને ચૈતર નાના બાળકોની જેમ ઝઘડ્યા
Gujarat: ચૂંટણી પુરી થતાં જ નેતાઓનું નાટક શરૂ, ડેડીયાપાડા તા.પં. કચેરીમાં મનુસખ અને ચૈતર નાના બાળકોની જેમ ઝઘડ્યા
Election Fact Check: પીએમ મોદીના ઘર છોડવાના આ સમાચાર છે ખોટા, ભાઈ પ્રહલાદ મોદીએ ક્યારેય નથી કહ્યું આવું, જાણો વાયરલ પોસ્ટની હકીકત
Election Fact Check: પીએમ મોદીના ઘર છોડવાના આ સમાચાર છે ખોટા, ભાઈ પ્રહલાદ મોદીએ ક્યારેય નથી કહ્યું આવું, જાણો વાયરલ પોસ્ટની હકીકત
Weather Updates: દિલ્હીમાં ગરમીએ તોડ્યો 14 વર્ષનો રેકોર્ડ, ગુજરાત સહિત આ રાજ્યોમાં 5 દિવસ ભીષણ લૂ નું એલર્ટ
દિલ્હીમાં ગરમીએ તોડ્યો 14 વર્ષનો રેકોર્ડ, ગુજરાત સહિત આ રાજ્યોમાં 5 દિવસ ભીષણ લૂ નું એલર્ટ
Madresa Survey: આજથી ગુજરાતની તમામ મદરેસાઓમાં સર્વે શરૂ, રાષ્ટ્રીય બાળ આયોગે કર્યો આદેશ
Madresa Survey: આજથી ગુજરાતની તમામ મદરેસાઓમાં સર્વે શરૂ, રાષ્ટ્રીય બાળ આયોગે કર્યો આદેશ
Burning Bus: શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં આગ લાગતાં 8 ભડથું, 20થી વધુ ઘાયલ
શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં આગ લાગતાં 8 ભડથું, 20થી વધુ ઘાયલ
Vadodara: વડોદરામાં હિટવેવથી પ્રૌઢનું મોત, 2 લોકો થયા બેભાન
વડોદરામાં હિટવેવથી પ્રૌઢનું મોત, 2 લોકો થયા બેભાન
Gurucharan Singh: તારક મહેતાનો ‘રોશન સોઢી’ 25 દિવસ બાદ ઘરે પરત ફર્યો, કહી આ વાત
Gurucharan Singh: તારક મહેતાનો ‘રોશન સોઢી’ 25 દિવસ બાદ ઘરે પરત ફર્યો, કહી આ વાત
Embed widget