શોધખોળ કરો

આણંદના વાસદ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં દુર્ઘટનામાં ત્રણના મોત, મૃતકોના પરિવારજનોને 20 લાખની સહાય

હાઈ સ્પીડ રેલ કોર્પોરેશને તપાસના આદેશ આપ્યા હતા. દુર્ઘટના પાછળ ટેકનિકલ કારણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે

અમદાવાદ - મુંબઈ બુલેટ ટ્રેનની કામગીરી સમયે મોટી દુર્ઘટના સર્જાઇ હતી. આ ઘટનામાં ત્રણ શ્રમિકના મોત થયા હતા જ્યારે અન્ય એક શ્રમિક ઘાયલ થયો હતો. રાજુપુરા પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સ્ટ્રક્ચરનું કામ ચાલી રહ્યું હતું. આ સમયે સ્ટ્રકચર ધરાશાયી થતા ચાર શ્રમિકો દટાયા હતા. જેથી ક્રેઈન અને ખોદકામ મશીનોની મદદથી બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ ત્રણના મોત થયા હતા. જ્યારે એક કામદાર સારવાર હેઠળ છે. અંદાજીત ચાર કલાક સુધી રેસ્કયૂ ઓપરેશનની કામગીરી ચાલી હતી. જે બાદ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. હાલ તો હાઈ સ્પીડ રેલ કોર્પોરેશને તપાસના આદેશ આપ્યા હતા. દુર્ઘટના પાછળ ટેકનિકલ કારણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાઈ સ્પીડ રેલ કોર્પોરેશને મૃતકોને 20 - 20 લાખના વળતરની જાહેરાત કરી છે.

 આ દુર્ઘટના મહી નદી પાસે ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં બની હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.  નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મંગળવારે (5 નવેમ્બર) સાંજે ત્રણ મજૂરો મહી નદી પર કોંક્રિટ બ્લોક્સ વચ્ચે ફસાયા હતા. એક મજૂરને બચાવીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે ગુજરાતમાં કુલ 20 નદી પુલમાંથી 12નું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર કુલ 508 કિલોમીટર લાંબો છે. NHSRCLએ જણાવ્યું હતું કે ગુજરાતના નવસારી જિલ્લામાં ખરેરા નદી પર 120 મીટર લાંબો પુલ તાજેતરમાં પૂર્ણ થયો હતો. આ સાથે 12 બ્રિજનું બાંધકામ પૂર્ણ થયું છે.

ગુજરાતમાં 352 કિમીનો પ્રોજેક્ટ

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ગુજરાતના 352 કિમી અને મહારાષ્ટ્રના 156 કિમી વિસ્તારને આવરી લે છે. જેમાં મુંબઈ, થાણે, વિરાર, બોઈસર, વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ/નડિયાદ, અમદાવાદ અને સાબરમતી જેવા કુલ 12 સ્ટેશનોનું આયોજન કરવામાં આવ્યું છે.

મુંબઈ-અમદાવાદની મુસાફરી ત્રણ કલાકમાં પૂરી થશે

આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ અમદાવાદ-મુંબઈ વચ્ચેનું અંતર માત્ર ત્રણ કલાકમાં કાપવામાં આવશે. હાલમાં આ પ્રવાસ છથી આઠ કલાકનો સમય લે છે. નવસારી જિલ્લામાં ખરેરા નદી પરનો પુલ 29 ઓક્ટોબર 2024ના રોજ પૂર્ણ થયો છે.                                   

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Amreli: અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, આઇશર પાછળ બાઈક ઘૂસી જતા ત્રણના મોત
Amreli: અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, આઇશર પાછળ બાઈક ઘૂસી જતા ત્રણના મોત
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
ગુજરાતના 26 જિલ્લામાં ગૌચર જમીન પર દબાણનો વિસ્ફોટ: પોરબંદરમાં સૌથી વધુ 1,932 કિસ્સા
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ
યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા, અમદાવાદથી દુબઇ જતી તમામ ફ્લાઇટસ રદ

વિડિઓઝ

Share Market News : યુદ્ધને કારણે શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 1048 પોઇન્ટ તૂટ્યો
Hun To Bolish : હું તો બોલીશ : પશુપાલકોને ભેટ
Hun To Bolish : હું તો બોલીશ : ગ્રહણ કોને નડશે, કોને ફળશે?
Hun To Bolish : હું તો બોલીશ : મહાયુદ્ધની મહાઆફત
Gold Price Hike : આજે સોનાના ભાવમાં 7 હજારનો વધારો, કેટલો થયો ભાવ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
સાઉદીમાં US એમ્બેસી પર ઈરાનનો ડ્રોન હુમલો, ઈઝરાયલે હિઝબુલ્લાહ પર વરસાવ્યા બોમ્બ, જાણો મોટા અપડેટ્સ
સાઉદીમાં US એમ્બેસી પર ઈરાનનો ડ્રોન હુમલો, ઈઝરાયલે હિઝબુલ્લાહ પર વરસાવ્યા બોમ્બ, જાણો મોટા અપડેટ્સ
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે? તેહરાનમાં વિનાશ વેર્યા પછી ઈરાનમાં અમેરિકી સૈનિકો મોકલવાની ટ્રમ્પની ધમકી
શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે? તેહરાનમાં વિનાશ વેર્યા પછી ઈરાનમાં અમેરિકી સૈનિકો મોકલવાની ટ્રમ્પની ધમકી
સાઉથ આફ્રિકા કે ન્યૂઝીલેન્ડ, કોણ જીતી શકે છે 2026 ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ? આંકડાથી સમજો
સાઉથ આફ્રિકા કે ન્યૂઝીલેન્ડ, કોણ જીતી શકે છે 2026 ટી-20 વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલ? આંકડાથી સમજો
T20 World Cup: ટી-20 વર્લ્ડકપની સેમિફાઈનલ વરસાદમાં ધોવાશે તો કેવી રીતે થશે વિજેતાનો નિર્ણય? જાણો ICCનો નિયમ
T20 World Cup: ટી-20 વર્લ્ડકપની સેમિફાઈનલ વરસાદમાં ધોવાશે તો કેવી રીતે થશે વિજેતાનો નિર્ણય? જાણો ICCનો નિયમ
ઈરાનના હુમલાઓ વચ્ચે અબુ ધાબીમાં આવેલું BAPS હિંદુ મંદિર 9 માર્ચ સુધી બંધ રહેશે
ઈરાનના હુમલાઓ વચ્ચે અબુ ધાબીમાં આવેલું BAPS હિંદુ મંદિર 9 માર્ચ સુધી બંધ રહેશે
છેલ્લા 24 કલાક! જેરુસલેમ હચમચી ગયું, ખામેનીનો અંત, અને આવતીકાલનો 'બ્લડ મૂન'... શું કાલે વિશ્વનો નકશો બદલાશે?
છેલ્લા 24 કલાક! જેરુસલેમ હચમચી ગયું, ખામેનીનો અંત, અને આવતીકાલનો 'બ્લડ મૂન'... શું કાલે વિશ્વનો નકશો બદલાશે?
ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ: પીએમ મોદીએ ખાડી દેશોના બે નેતાને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ: પીએમ મોદીએ ખાડી દેશોના બે નેતાને લગાવ્યો ફોન, જાણો શું થઈ ચર્ચા
Embed widget