શોધખોળ કરો

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની આવતી કાલે વરણી, જાણો કોણ કોણ પસંદગી પહેલા રાહુલ ગાંધીને મળશે?

આવતી કાલે ગુજરાત કોંગ્રેસને નવા પ્રમુખ મળશે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી સાથે દિલ્લી ખાતે મુલાકાત કરવાના છે. નોંધનીય છે કે, ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે રઘુ શર્માની નિમણૂક કરવામાં આવી છે. 

નવી દિલ્લીઃ ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારીની નિમણૂક થયા પછી પ્રદેશ પ્રમુખની વરણીને લઈને કવાયત તેજ થઈ છે. ત્યારે હવે આવતી કાલે ગુજરાત કોંગ્રેસને નવા પ્રમુખ મળી શકે છે. આવતી કાલે ગુજરાત કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી સાથે દિલ્લી ખાતે મુલાકાત કરવાના છે. નોંધનીય છે કે, ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે રઘુ શર્માની નિમણૂક કરવામાં આવી છે. ન્યૂઝ એજન્સી એએનઆઇએ કરેલા ટ્વીટ પ્રમાણે, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની વરણી પહેલા ગુજરાત કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી સાથે આવતી કાલે દિલ્લી ખાતે મુલાકાત કરશે.

ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ રાત સુધીમાં દિલ્હી પહોંચશે. આવતી કાલે રાહુલ ગાંધી સાથે ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક મળવાની છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને વિપક્ષના નેતાની પસંદગી અંગે મંથન થશે. આજે સવારથી લઇને રાત સુધી તબક્કાવાર રવાના થશે. અર્જુન મોઢવાડિયા અને સાંસદ અમીબેન યાજ્ઞિક સવારે દિલ્હી જવા રવાના થશે. ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા અને શૈલેષ પરમાર સાંજે રવાના થશે.

પરેશ ધાનણી રાત્રે 9 વાગ્યાની ફલાઇટમાં દિલ્હી  જશે. હાર્દિક પટેલ અને નરેશ રાવલ હાલ દિલ્હી પહોંચી ચૂક્યા છે. આવતી કાલે સવારે 10 વાગ્યા આસપાસ રાહુલ ગાંધી સાથે નેતાઓની બેઠક મળવાની છે. 

આજે ગાંધીનગર કોર્પોરેશનની પહેલી સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભામાં ગાંધીનગરના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની વરણી કરવામાં આવી છે. સામાન્ય સભામાં મેયર તરીકે હિતેષ મકવાણા , ડેપ્યુટી મેયર તરીકે પ્રેમલસિંહ ગોલ અને  સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જશવંત પટેલની વરણી કરવામાં આવી છે. 

 

ચૂંટણી પછી પહેલી સામાન્ય સભામાં મેયર, ડે મેયર, સ્ટેડિંગ કમિટી ચેરમેનના નામ નક્કી કરવામાં આવ્યા છે. આ સાથે આજે ગાંધીનગરને નવા મેયર મળી ગયા છે. નવા મેયર તરીકે હિતેષ મકવાણાની વરણી થઈ ગઈ છે. હિતેષ મકવાણા વોર્ડ નંબર-8ના કોર્પોરેટર છે. 

 

સ્ટેડિંગ કમિટીના સભ્યો

 

 

 

જશવંત અંબાલાલ પટેલ
મહેન્દ્રભાઈ પ્રહલાદભાઈ પટેલ
સોનાલીબેન ઉરેનભાઈ પટેલ
સોનલબા ઘનશ્યામસિંહ વાઘેલા
દિપ્તિબેન મનીષકુમાર પટેલ
દક્ષાબેન વિક્રમજી મકવાણા
કિંજલકુમાર દશરથભાઈ પટેલ
શૈલેષકુમાર વિઠ્ઠલભાઈ પટેલ
રાજેશકુમાર રાવજીભાઈ પટેલ
સંકેત રમેશભાઈ પંચાસરા
પદમસિંહ ભરતસિંહ ચૌહાણ
અંજનાબેન સુરેશભાઈ મહેતા

 

ગાંધીનગર મનપામાં ભાજપે પ્રથમવાર બહુમતી મેળવી છે. ત્યારે શહેરના પાંચમાં મેયર તરીકે હિતેશ મકવાણાની વરણી થઈ છે. ભાજપ ગાંધીનગર શહેર પ્રમુખ રુચિર ભટ્ટે મેન્ડેટ આપ્યો હતો. વોર્ડ નંબર - 6 નાં કોર્પોરેટર ગૌરાંગ વ્યાસે દરખાસ્ત મૂકી હતી. જેને વોર્ડ - 4 કોર્પોરેટર ભરત દીક્ષિતે ટેકો જાહેર કર્યો હતો. 

 

જ્યારે ગાંધીનગરના ડેપ્યુટી મેયર તરીકે પ્રેમલસિંહ ગોલની વરણી કરવામાં આવી છે. ભાજપ તરફથી તેમના નામનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો, જેને વધાવી લેવામાં આવ્યો છે. ગાંધીનગરને પ્રથમ અઢી વર્ષ અનુસુચિત જાતિમાંથી આવતા મેયર મળ્યા છે. જેમાં હિતેષ મકવાણા અને ભરત દિક્ષિતનુ નામ મેયર પદ માટે મોખરે હતું. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે પાટીદાર ઉમેદવારને સ્થાન મળવાની પ્રબળ શક્યતા છે. જેમા જશુ પટેલ અને મહેન્દ્ર દાસનુ નામ મોખરે છે. 

44 બેઠકોવાળી ગાંધીનગર મનપામાં ભાજપના 41 સભ્યો છે. પહેલીવાર સ્પષ્ટ બહુમતિ સાથે ગાંધીનગરમાં ભાજપનું બોર્ડ બન્યું છે. ભાજપ તરફથી નવા મેયર તરીકે હિતેષ મકવાણાનું નામ મુકવામાં આવ્યું હતું. જેમના નામને મંજૂરી મળી ગઈ છે. આ સાથે તેમના નામની ભાજપ દ્વારા સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી છે. અઢી વર્ષ માટે હિતેષ મકવાણા ગાંધીનગરના મેયર રહેશે. હિતેષ મકવાણા દસાડાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ પૂનમ મકવાણાના પુત્ર છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
Embed widget