શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ભાવનગરમાં દિવાળીના તહેવાર સમયે વરસાદી વાતાવરણ થતા વેપારીઓમાં ચિંતાનો માહોલ, જાણો વિગતે
આજે સાંજે ભાવનગર શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો.
![ભાવનગરમાં દિવાળીના તહેવાર સમયે વરસાદી વાતાવરણ થતા વેપારીઓમાં ચિંતાનો માહોલ, જાણો વિગતે Unseasonal rain in Bhavnagar ahead of diwali festivals ભાવનગરમાં દિવાળીના તહેવાર સમયે વરસાદી વાતાવરણ થતા વેપારીઓમાં ચિંતાનો માહોલ, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/10/21224352/bhavnagar-rain.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ભાવનગરઃ હાલ વરસાદે વિદાય લઈ લીધી છે ત્યારે હવામાન વિભાગે ફરીથી આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ અને દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદ પડશે તેવું હવામાન વિભાગનું માનવું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ભારે પવન સાથે કડાકા-ભડાકા સાથે વીજળી પણ જોવા મળશે.
આજે સાંજે ભાવનગર શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો. દિવાળીના તહેવાર સમયે વરસાદી વાતાવરણ થતા વેપારીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. માવઠાથી જગતતાતને પાક નિષ્ફળ જવાનો ભય છે.
આ અંગે હવામાન વિભાગે જણાવ્યાં પ્રમાણે, અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાતા તેની વધુ અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં રવિવાર-સોમવારે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)