શોધખોળ કરો

આ તારીખથી વેરાવળથી સુરત માટે સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન દોડશે, બુકિંગ શરુ

12 ડિસેમ્બરથી વેરાવળથી સુરત માટે સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન દોડશે. આ ટ્રેનનું ટિકિટ બુકિંગ શરૂ થઈ ગયું છે.

ભાવનગર:  12 ડિસેમ્બરથી વેરાવળથી સુરત માટે સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન દોડશે. આ ટ્રેનનું ટિકિટ બુકિંગ શરૂ થઈ ગયું છે. મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ વેરાવળ અને સુરત વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ આ ટ્રેન વેરાવળથી દર મંગળવારે સવારે 11.05 કલાકે દોડશે. આ ટ્રેનને 12 ડિસેમ્બર, 2023 થી 30 જાન્યુઆરી, 2024 સુધી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ટ્રેન નંબર 09018/09017 વેરાવળ-સુરત-વેરાવળ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન. ટ્રેન નંબર 09018 વેરાવળ-સુરત સાપ્તાહિક વિશેષ ટ્રેન વેરાવળથી દર મંગળવારે 11.05
કલાકે ઉપડશે અને તે જ દિવસે 23.45 કલાકે સુરત પહોંચશે. આ ટ્રેન 12 ડિસેમ્બર, 2023 થી 30 જાન્યુઆરી, 2024 સુધી વેરાવળથી દોડશે.

એ જ રીતે ટ્રેન નંબર 09017 સુરત-વેરાવળ સાપ્તાહિક વિશેષ ટ્રેન દર સોમવારે સુરતથી 19.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 08.05 કલાકે વેરાવળ પહોંચશે. આ ટ્રેન 11 ડિસેમ્બર, 2023 થી 29 જાન્યુઆરી, 2024 સુધી ચાલશે.

આ ટ્રેન માળીયા હાટીના, કેશોદ, જૂનાગઢ, જેતલસર, ગોંડલ, રાજકોટ, અમદાવાદ અને વડોદરા સ્ટેશન પર બંને દિશામાં ઉભી રહેશે. ટ્રેન નંબર 09018 અને 09017 માટે બુકિંગ પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થઈ ગયું છે. આ ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે. 

ટિકિટ કેન્સલ કરાવવા પર ભારતીય રેલવે મુસાફરોને સંપૂર્ણ રિફંડ આપે છે

ટ્રેનો કેન્સલ થવાથી અથવા મોડી ચાલવાને કારણે ટિકિટ કેન્સલ કરાવવા પર ભારતીય રેલવે મુસાફરોને સંપૂર્ણ રિફંડ આપે છે. જો કે, મોટાભાગના પ્રવાસીઓને આની જાણ હોતી નથી. દેશના ઘણા ભાગો આ સમયે વરસાદની ઝપેટમાં છે અને આવી સ્થિતિમાં, રેલ વ્યવહાર પર માર્ગ ખરાબ રીતે પ્રભાવિત થયો છે. જો તમે પણ આવા સમયે ટ્રેનની ટિકિટ કેન્સલ કરીને સંપૂર્ણ રિફંડ મેળવવા માંગો છો, તો તેના માટે તમારે એક નાની પ્રક્રિયાને અનુસરવી પડશે. 

રેલવેના નિયમો મુજબ, જો તમારી ટ્રેન 3 કલાક કે તેથી વધુ મોડી હોય તો તમે તમારી ટિકિટનું સંપૂર્ણ રિફંડ મેળવવા માટે હકદાર છો. આ સ્થિતિમાં તમે ટિકિટ કેન્સલ કરી શકો છો. કાઉન્ટર પરની ટિકિટ માટે, ટિકિટ રદ કરવા માટે રિઝર્વેશન કાઉન્ટરની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે. જો તમે આઈઆરસીટીસી દ્વારા તમારી ટિકિટ ઓનલાઈન ખરીદી છે, તો વેબસાઈટ પર આપવામાં આવેલા કેન્સલેશન સ્ટેપ્સને અનુસરો.

 

 
 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Embed widget