શોધખોળ કરો

ગુજરાતમાં કઈ જગ્યાએ વીજળી પડતા મહિલા સહિત બે બળદના થયા મોત?

નેત્રંગના નાના જાંબુડા ગામે વીજળી પડતા મહિલા અને બે બળદના મોત થયા છે. ધોધમાર વરસાદ પડતા વરસાદથી બચાવવા બળદોને ઝાડ નીચેથી છોડાવવા જતા વીજળી પડી હતી.

નેત્રંગઃ ગુજરાતમાં કેટલાક દિવસથી ફરીથી અનેક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. ત્યારે નેત્રંગના નાના જાંબુડા ગામે વીજળી પડતા મહિલા અને બે બળદના મોત થયા છે. ધોધમાર વરસાદ પડતા વરસાદથી બચાવવા બળદોને ઝાડ નીચેથી છોડાવવા જતા વીજળી પડી હતી. મુંગા પશુને વરસાદથી બચાવા જતા 50 વર્ષીય સુક્લિબેન મગનભાઈ વસાવા નામના મહિલાનું મોત થયું છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે સુરત જિલ્લાના ચેરાપુજી ગણાતા ઉમરપાડા તાલુકામાં બપોરે 2 કલાકમાં જ આભ ફાટ્યુ હોઈ તેમ અધધધ 11 ઈંચ વરસાદ ઝીંકાતા પાણીની રેલમછેલ થઈ ગઈ હતી. રસ્તાઓ, ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં. માંગરોળ તાલુકામાં પણ ચાર કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદી પાણી પડ્યુ છે. ફલંડ કંટ્રોલના પ્રવક્તના જણાવ્યા પ્રમાણે, સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે જ મેઘરાજા શાંત થઈ ગયા હતા.ધોધમાર વરસાદના બદલે છુટોછવાયો વરસાદ નોંધાતો હતો. જોકે હવામાન વિભાગ દ્વારા 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ હતી. જેમાં કેટલાક પોકેટમાં દેમાર વરસાદ વરસી શકે તેમ છે. આ આગાહી વચ્ચે સુરત જિલ્લાના હવામાનમાં પલ્ટો આવ્યો હતો. વાદળછાયુ વાતાવરણ નોંધાયું હતું. બપોર સુધીમાં છુટોછવાયા વરસાદના ઝાપટા પડતા હતા. જોકે બપોર બાદ મેઘરાજા આક્રમક બન્યા હતા. જેમાં ઉમરપાડા તાલુકામાં બપોરે 2થી 4ના બે કલાકમાં જ મેઘરાજા આક્રમક બનીને વરસતા 11 ઈંચ વરસાદ ખાબકતા તાલુકો પાણીથી તરબોળ થઇ ગયો હતો. આ સિવાય માંગરોળ તાલુકામાં બપોરે 12 થી 4 વાગ્યા સુધીના ચાર કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો. ઓલપાડ અને પલસાણા તાલુકાને બાદ કરતા બાકીના તાલુકામાં મેઘરાજા વરસ્યા હતા. સુરત શહેરમાં પણ વાદળીયા હવામાન વચ્ચે સામાન્ય વરસાદના ઝાપટા પડયા હતા. ઉમરપાડામાં 11.00 ઈંચ, માંગરોળમાં 5.50 ઇંચ, બારડોલીમાં 1.00 ઇંચ, મહુવામાં 0.75 ઇંચ અને કામરેજમાં 0.07 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો

વિડિઓઝ

Punjab Accident News: પંજાબમાં ધૂમ્મસના કારણે ગુજરાતના પરિવારે નડ્યો અકસ્માત, પાંચ લોકોના થયા મોત
Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Embed widget