શોધખોળ કરો

નિર્ભયાના દોષી વિનય કુમાર શર્માએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી ક્યૂરેટિવ પિટીશન, જાણો શું છે તે

પટિયાલા હાઉસ કોર્ટે મંગળવારે ચારેય દોષિતો માટે ફાંસીની તારીખ 22 જાન્યુઆરી, સવારે 7 કલાકે નક્કી કર્યા બાદ ડેથ વોરંટ જાહેર કર્યુ હતું.

નવી દિલ્હીઃ નિર્ભયા કેસના ચારેય દોષિતોને ફાંસી પર લટકાવવાની તારીખ નક્કી થયા બાદ ફાંસી આપવાની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. જ્યારે દોષિતોની કોશિશ તેમને થનારી સજામાં વિલંબ થાય તેવી છે. જેને લઈ દોષિતો પૈકી એક વિનય કુમાર શર્માએ ગુરુવારે ક્યૂરેટિવ પિટિશન દાખલ કરી છે. પટિયાલા હાઉસ કોર્ટે મંગળવારે ચારેય દોષિતો માટે ફાંસીની તારીખ 22 જાન્યુઆરી, સવારે 7 કલાકે નક્કી કર્યા બાદ ડેથ વોરંટ જાહેર કર્યુ હતું. જોકે કોર્ટના ફેંસલા બાદ દોષિતોના વકીલ એપી સિંહે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ સામે તેઓ ક્યૂરિટેવ પિટીશન દાખલ કરશે. ડેથ વોરંટ જાહેર કરતાં પટિયાલા હાઉસ કોર્ટે આ ફેંસલાને પડકારવા માટે ચારેયને 7 દિવસનો સમય આપ્યો હતો. શું છે ક્યૂરેટિવ પિટીશન ક્યૂરેટિવ પિટીશન પુનર્વિચાર અરજીથી થોડી અલગ હોય છે. તેમાં ફેંસલાના બદલે પૂરા કેસમાં તેવા મુદ્દા કે વિષયનો ઉલ્લેખ કરવામાં આવે છે, જેનાથી લાગે છે કે તેના પર ધ્યાન આપવાની જરૂર છે. 4 દોષિતો પૈકીના એક વિનય કુમાર શર્માએ આજે ક્યૂરિટેવ પિટિશન દાખલ કરી છે અને તે બાદ સુપ્રીમ કોર્ટ આ પિટિશન પર સુનાવણી કરે અને 14 દિવસની અંદર ફેંસલો ન આવે તો ફાંસીની તારીખ આગળ લંબાવવામાં આવે છે. ક્યૂરેટિવ પિટીશન ઉપરાંત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસે પણ આ દોષિતોની દયા અરજી પેન્ડિંગ છે. જો રાષ્ટ્રપતિ આ દોષિતોની દયા અરજી પર 14 દિવસમાં ફેંસલો ન લે તો ફાંસીની તારીખ આગળ લંબાવવામાં આવે છે. મર્સી પિટીશન એટલે કે દયા અરજીનો ઉપયોગ ચાર પૈકીના ત્રણ આરોપીએ હજુ સુધી કર્યો નથી. દિલ્હીના મુનરિકા વિસ્તારમાં 2012માં ચાલુ બસમાં છ લોકોએ નિર્ભયા પર દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ પીડિતાને ચાલુ બસમાંથી ફેંકી દેવામાં આવી હતી અને તેને ગંભીર ઈજા થઈ હતી. પીડિતાનું સિંગાપુરમાં સારવાર દરમિયાન મોત થયું હતું. મામલામાં છ આરોપીઓ પૈકી એક સગીર આરોપીને જુવેનાઈલ કોર્ટે ત્રણ વર્ષની સજા સંભળાવી હતી. જ્યારે મુખ્ય આરોપી રામ સિંહે દિલ્હીની તિહાડ જેલમાં આત્મહત્યા કરી લીધી હતી. બાકી 4 દોષિતોને કોર્ટે સજા સંભળાવી હતી. કાજોલે કર્યો મોટો ખુલાસો, કહ્યું- K3Gની રિલીઝ વખતે મારી કસુવાવડ થઈ હતી ‘છપાક’ની રિલીઝ પર રોકની માંગ, કોર્ટમાં ગઈ લક્ષ્મી અગ્રવાલની વકીલ, જાણો વિગતે ઈરાકઃ બગદાદના ગ્રીન ઝોનમાં ફરી રૉકેટ હુમલો, અમેરિકાના દૂતાવાસથી 100 મીટર દૂર પડ્યું રોકેટ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget