શોધખોળ કરો

'તમારા 21 વર્ષ અને મારા 8 વર્ષ સરખામણી કરીને જોઇલો ને પછી....' -વટહુકમ વિરુદ્ધ મહારેલીમાં ગરજ્યા કેજરીવાલ

રામલીલા મેદાનમાંથી કેજરીવાલે દિલ્હી વિધાનસભામાં 'ચૌથી પાસ રાજા'ની વાર્તાનું પુનરાવર્તન કર્યું હતું. કોંગ્રેસના પૂર્વ નેતા અને રાજ્યસભાના સ્વતંત્ર સાંસદ કપિલ સિબ્બલ પણ AAP ના મંચ પર જોવા મળ્યા હતા.

AAP Mega Rally: આમ આદમી પાર્ટીએ કેન્દ્રની મોદી સરકાર સામે મોરચો માંડ્યો છે, લોકસભા ચૂંટણી પહેલા મજબૂત વિપક્ષ તરીકે પોતાની છાપ બતાવવા માટે આમ આદમી પાર્ટીએ કેન્દ્રની મોદી સરકારનો વિરોધ કરવાનો શરૂ કરી દીધો છે. આજે રામલીલા મેદાનમાં આમ આદમી પાર્ટી (AAP)ની મેગા રેલી (AAP રેલી રામલીલા ગ્રાઉન્ડ) યોજાઈ હતી. સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં સેવાઓ પર નિયંત્રણ સંબંધી મુદ્દાઓને લઇને કેન્દ્રના વટહુકમ સામે આકરા પ્રહારો કર્યા હતા. આજની મેગા રેલીમાં આપના પ્રમુખ કેજરીવાલે કહ્યું કે 'પહેલીવાર આવા પીએમ આવ્યા છે જે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન નથી કરતા, બંધારણનું પાલન નથી કરતા, તેમને તમામ વિરોધ પક્ષોને આ વટહુકમનો વિરોધ કરવાની અપીલ કરી હતી.

રામલીલા મેદાનમાંથી કેજરીવાલે દિલ્હી વિધાનસભામાં 'ચૌથી પાસ રાજા'ની વાર્તાનું પુનરાવર્તન કર્યું હતું. કોંગ્રેસના પૂર્વ નેતા અને રાજ્યસભાના સ્વતંત્ર સાંસદ કપિલ સિબ્બલ પણ AAP ના મંચ પર જોવા મળ્યા હતા. કેજરીવાલની સાથે પંજાબના સીએમ ભગવંત માન અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સૌરભ ભારદ્વાજ, આતિશી અને સંજય સિંહ રેલીમાં હાજર હતા. કેજરીવાલે પોતાની રાજકીય સફર 2012માં આ રામલીલા મેદાનથી શરૂ કરી હતી.

આ ઉપરાંત આ 'મહા રેલી'ને સંબોધતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું, '2015માં દિલ્હીએ તમામ 7 બેઠકો ભાજપને આપી, મોદીને PM બનાવ્યા અને તેમને દેશનું સંચાલન કરવાનું કહ્યું અને વિધાનસભામાં દિલ્હીમાં 70માંથી 3 બેઠકો. ભાજપે AAPને 67 સીટો આપી અને કહ્યું કેજરીવાલ તમે દિલ્હીનું ધ્યાન રાખો. દિલ્હીના લોકોએ લાલ આંખે ભાજપના લોકો તરફ જોયું અને કહ્યું, 'દેશને સંભાળો, દિલ્હી તરફ આંખ ઉંચી કરશો તો સાવધાન!'.  દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું, 'મોદી 21 વર્ષથી રાજ કરે છે... હું 2015માં દિલ્હીનો મુખ્યમંત્રી બન્યો, મને 8 વર્ષ થયાં... આજે હું પડકાર ફેંકું છું... મોદીજીના 21 વર્ષ અને મારા આઠ વર્ષ... ચાલો જોઈએ કે બેમાંથી કોણે વધુ કામ કર્યું છે.'

કેજરીવાલે કહ્યું, '140 કરોડ લોકો સાથે મળીને આ વટહુકમનો વિરોધ કરશે, દેશને બચાવશે. હું આખા દેશને કહેવા માંગુ છું કે એવું ન વિચારો કે આ માત્ર દિલ્હી સાથે થયું છે. મને ખબર પડી છે કે દિલ્હી જેવો વટહુકમ રાજસ્થાન માટે લાવવામાં આવશે, પંજાબ માટે લાવવામાં આવશે, મધ્યપ્રદેશ માટે લાવવામાં આવશે... બધાએ હવે સાથે મળીને તેને રોકવું પડશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું સંબોધન શરૂ થઈ ગયું છે. કેજરીવાલે કહ્યું, 'અહીં એક-1.25 લાખ લોકો હાજર છે. હાલમાં લગભગ 20-25 હજાર લોકો બહારથી આવી રહ્યા છે. આ પછી કેજરીવાલે લોકોને હાથ ઊંચા કરીને તેમના પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા કહ્યું.

આજે દિલ્હીના રામલીલા મેદાનમાં આમ આદમી પાર્ટી કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ રાષ્ટ્રીય રાજધાનીમાં સેવાઓને નિયંત્રણ કરવાના અધ્યાદેશ વિરુદ્ધ મહારેલી યોજાવાની છે. આપ પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, આ રેલીમાં લગભગ 1 લાખ લોકો સામેલ થવાની સંભાવના છે. કેન્દ્ર સરકારના અધ્યાદેશના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીને લઈને સુરક્ષાના વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે અને સ્થાનિક પોલીસ દળની સાથે અર્ધસૈનિક બળોની લગભગ 12 કંપનીઓને રામલીલા મેદાન ખાતે તૈનાત કરવામાં આવી છે.

આ મહારેલી પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક ટ્વિટ કરીને આ રેલીમાં મોટી સંખ્યામાં લોકોને જોડાવવા માટે અપીલ કરી છે. તેમણે કહ્યું કે, 'દિલ્હીના લોકોના અધિકારો છીનવી લેનાર કેન્દ્ર સરકારના તાનાશાહી અધ્યાદેશ સામે દિલ્હીના લોકો રામલીલા મેદાનમાં એક થશે. બંધારણ અને લોકશાહીને બચાવવા માટે આયોજિત આ મહારેલીમાં તમારે પણ અવશ્ય પધારવું જોઈએ.' આપ દ્વારા કેન્દ્ર સરકારાના અધ્યાદેશને પરત લેવાની માગ કરાઈ છે. આપ દ્વારા કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકારે પોતાના સ્ટેન્ડ પર પુનર્વિચાર કરવો જોઈએ અને દિલ્હીના લોકોના કલ્યાણને પ્રાથમિકતા આપવી જોઈએ. આ રેલી માટે પાર્ટી દ્વારા ઘણો પ્રચાર કરવામાં આવ્યો છે, મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચ્યા છે અને તેમણે અધ્યાદેશ વિશે જણાવવામાં આવ્યું છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત,જાણો અપડેટ્સ
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત,જાણો અપડેટ્સ
અમદાવાદ પ્લેન ક્રેશ જેવી ઘટના બનતા અટકી, એર ઇન્ડિયાએ ટેકઓફની મિનિટોમાં જ કર્યું ઇમર્જન્સી લેન્ડિંગ, પ્રવાસીઓના જીવ અદ્ધર
અમદાવાદ પ્લેન ક્રેશ જેવી ઘટના બનતા અટકી, એર ઇન્ડિયાએ ટેકઓફની મિનિટોમાં જ કર્યું ઇમર્જન્સી લેન્ડિંગ, પ્રવાસીઓના જીવ અદ્ધર
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
30000 લોકોની બમ્પર ભરતી, બેંગલુરુમાં બનેલી Foxconnની ફેક્ટરીએ કર્યો કમાલ
30000 લોકોની બમ્પર ભરતી, બેંગલુરુમાં બનેલી Foxconnની ફેક્ટરીએ કર્યો કમાલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આવા લોકો બનશે ભવિષ્યમાં નેતા ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ઉંમરે પણ નહીં સુધરો ?
Hun To Bolish : હું તો બોલીશ : પાણીએ પાડ્યા બીમાર!
Gujarat Winter : ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર, બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર
Under-19 Asia Cup final 2025 : U-19 એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે ભારતની હાર, 191 રને પરાજય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત,જાણો અપડેટ્સ
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત,જાણો અપડેટ્સ
અમદાવાદ પ્લેન ક્રેશ જેવી ઘટના બનતા અટકી, એર ઇન્ડિયાએ ટેકઓફની મિનિટોમાં જ કર્યું ઇમર્જન્સી લેન્ડિંગ, પ્રવાસીઓના જીવ અદ્ધર
અમદાવાદ પ્લેન ક્રેશ જેવી ઘટના બનતા અટકી, એર ઇન્ડિયાએ ટેકઓફની મિનિટોમાં જ કર્યું ઇમર્જન્સી લેન્ડિંગ, પ્રવાસીઓના જીવ અદ્ધર
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
2023 વર્લ્ડકપની ફાઈનલમાં મળેલી હાર પર રોહિત શર્માનું છલકાયું દર્દ, નિવૃતિ પર તોડ્યું મૌન
30000 લોકોની બમ્પર ભરતી, બેંગલુરુમાં બનેલી Foxconnની ફેક્ટરીએ કર્યો કમાલ
30000 લોકોની બમ્પર ભરતી, બેંગલુરુમાં બનેલી Foxconnની ફેક્ટરીએ કર્યો કમાલ
NCERT Vacancy 2026: નોન-ટીચિંગ પદો પર બહાર પડી ભરતી, ગ્રેજ્યુએટ્સ પણ કરી શકશે અરજી, આટલો મળશે પગાર
NCERT Vacancy 2026: નોન-ટીચિંગ પદો પર બહાર પડી ભરતી, ગ્રેજ્યુએટ્સ પણ કરી શકશે અરજી, આટલો મળશે પગાર
Gold-Silver New Rates: ચાંદીના ભાવમાં અચાનક 6000નો વધારો, ગોલ્ડ પણ તોડી રહ્યું છે રેકોર્ડ
Gold-Silver New Rates: ચાંદીના ભાવમાં અચાનક 6000નો વધારો, ગોલ્ડ પણ તોડી રહ્યું છે રેકોર્ડ
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં હાર બાદ વિપક્ષનો કટાક્ષ, કહ્યું- 'જીત માટે ચૂંટણી પંચને ખૂબ ખૂબ અભિનંદન'
T20 ઈન્ટરનેશનલમાં શરમજનક રેકોર્ડ, એક ટીમના નવ બેટ્સમેન ખાતુ ખોલાવ્યા વિના થયા આઉટ
T20 ઈન્ટરનેશનલમાં શરમજનક રેકોર્ડ, એક ટીમના નવ બેટ્સમેન ખાતુ ખોલાવ્યા વિના થયા આઉટ
Embed widget