શોધખોળ કરો

Pahalgam Terror Attack: પહલગામ બાદ આતંકીઓની ઉરીમાં નાપાક હરકત, સૈનાએ કર્યું જવાબી ફાયરિંગ

Pahalgam Terror Attack: પહલગામ બાદ આતંકવાદીઓ ઉરીને નિશાન બનાવવા માંગતા હતા, પરંતુ સેનાએ તેમના ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.

Kashmir Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ પાકિસ્તાને ફરી એકવાર નિષ્ફળ પ્રયાસ કર્યો છે. હવે આતંકવાદીઓએ ઉરીમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો છે. જો કે સેનાએ તેને નિષ્ફળ બનાવી દીધી છે. રિપોર્ટ અનુસાર, ઉરીના નાલામાં સરજીવન વિસ્તાર પાસે 2-3 આતંકીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. ત્યાં તૈનાત સૈનિકોએ તરત જ ચાર્જ સંભાળ્યો અને જવાબી કાર્યવાહી કરી.

 જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લાના ઉરીમાં ફરી એકવાર ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ચિનાર કોર્પ્સે X પર આ અંગેની માહિતી શેર કરી છે. બુધવારે, બારામુલ્લાના ઉરી નાલામાં સરજીવન વિસ્તાર પાસે લગભગ 2-3 આતંકવાદીઓ ઘૂસણખોરીનો પ્રયાસ કરતા પકડાયા હતા. નિયંત્રણ રેખા પર તૈનાત સતર્ક સૈનિકોએ તેમને પડકાર્યા અને તેમને રોકવાનો પ્રયાસ કર્યો, જેના કારણે ગોળીબાર પણ થયો.

ઉલ્લેખનિય છે કે,જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મોત થયા છે. આ ઘટના બાદ યુપી, દિલ્હી અને મુંબઈમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ હુમલાને 2019ના પુલવામા હુમલા બાદ ઘાટીમાં સૌથી ઘાતક હુમલો ગણાવવામાં આવી રહ્યો છે. પોલીસ અધિકારીઓએ મુખ્ય પ્રવાસી કેન્દ્રો અને બોર્ડર ક્રોસિંગ પર સુરક્ષા વધારી દીધી છે. ઉત્તર પ્રદેશ પોલીસને ખાસ કરીને ધાર્મિક સ્થળો પર સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે.

કાશી-મથુરા સહિતના ધાર્મિક સ્થળો પર સુરક્ષા વધારવામાં આવી
દિલ્હી પોલીસને ટુરિસ્ટ સ્પોટ અને અન્ય મહત્વના સ્થળો પર કડક તકેદારી રાખવા માટે પણ સૂચના આપવામાં આવી છે. દિલ્હી પોલીસના સૂત્રોએ આ અંગે માહિતી આપી છે. બીજી તરફ મુંબઈમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. જયપુર અને અમૃતસરમાં પણ પોલીસ એલર્ટ મોડ પર છે. ઉત્તર પ્રદેશના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) પ્રશાંત કુમારે રાજ્યના તમામ પોલીસ કમિશનર અને જિલ્લા મેજિસ્ટ્રેટને સતર્ક રહેવા આદેશો જાહેર  કર્યા છે. અયોધ્યા, કાશી અને મથુરા જેવા ધાર્મિક સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ડીજીપીએ તમામ જિલ્લામાં દેખરેખ વધારવા સૂચના આપી છે.

-ઘાતક આતંકવાદી હુમલાની નિંદા કરવા માટે વિવિધ સંગઠનોએ બુધવારે વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કર્યું છે અને પરિણામે જમ્મુમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

તેનું નામ પૂછ્યા બાદ આતંકીઓએ તેને ગોળી મારી દીધી હતી

પહેલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોમાં યુપી, મહારાષ્ટ્ર, બંગાળ, કર્ણાટક, બિહાર, મધ્યપ્રદેશ, હરિયાણાના લોકોનો સમાવેશ થાય છે. આ હુમલામાં આતંકવાદીઓએ તે લોકોને જ નિશાન બનાવ્યા જેઓ તેમના પરિવાર સાથે ફરવા ગયા હતા. તેઓએ લોકોને તેમના નામ પૂછ્યા પછી ગોળી મારી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાન-ઇઝરાયલ જંગ: પીએમ મોદીએ ઓમાનના સુલતાન અને કુવૈતના પ્રિન્સ સાથે કરી વાત, જાણો કેમ?
ઈરાન-ઇઝરાયલ જંગ: પીએમ મોદીએ ઓમાનના સુલતાન અને કુવૈતના પ્રિન્સ સાથે કરી વાત, જાણો કેમ?
Heat Alert: ઉત્તર ભારતમાં ગરમીનો પારો ઉચકાશે, કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગની ચેતવણી
Heat Alert: ઉત્તર ભારતમાં ગરમીનો પારો ઉચકાશે, કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગની ચેતવણી
ભારતમાં X પર 18+ સામગ્રી પર પ્રતિબંધ? એલોન મસ્કના નિર્ણયથી સોશિયલ મીડિયા પર હોબાળો
ભારતમાં X પર 18+ સામગ્રી પર પ્રતિબંધ? એલોન મસ્કના નિર્ણયથી સોશિયલ મીડિયા પર હોબાળો
ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી
ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી

વિડિઓઝ

Rajkot News: યુદ્ધની સ્થિતિ વચ્ચે ફસાયેલા લોકો માટે રાજકોટમાં પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ
Surat police: સુરતમાં સાધુના વેશમાં ફરતી ઠગબાજ 'મદારી ગેંગ'ના બે શખ્સો ઝડપાયા.
Mehsana News: મહેસાણા RTOની મોટી કાર્યવાહી, ટેક્સ કૌભાંડનો પર્દાફાશ!
Surat news: સુરતમાં પૂર્વ વેઈટલિફ્ટર બન્યો સાયબર ગઠિયો, લિંક મોકલી કરી લાખોની છેતરપિંડી
Junagadh News: કીર્તિ પટેલ અને ઈન્દ્રભારતી બાપુ વચ્ચેના વિવાદનો આવ્યો સુખદ અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈરાન-ઇઝરાયલ જંગ: પીએમ મોદીએ ઓમાનના સુલતાન અને કુવૈતના પ્રિન્સ સાથે કરી વાત, જાણો કેમ?
ઈરાન-ઇઝરાયલ જંગ: પીએમ મોદીએ ઓમાનના સુલતાન અને કુવૈતના પ્રિન્સ સાથે કરી વાત, જાણો કેમ?
ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી
ભાજપે રાજ્યસભા માટે 9 નામોની જાહેરાત કરી, નીતિન નવીનને પણ મળી ટીકિટ; જુઓ સંપૂર્ણ યાદી
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Chandra Grahan 2026 : ભારતમાં આટલા વાગ્યે પીક પર હશે ચંદ્ર ગ્રહણ, આકાશમાં દેખાશે 'બ્લડ મૂન'નો અદ્ભૂત નજારો 
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
Rajkot News: રાજકોટ જિલ્લા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ, યુદ્ધમાં ફસાયેલા લોકો માટે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
ઇરાન પર ઇઝરાયેલના હુમલા વચ્ચે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, મોંઘવારી વધવાનો ખતરો
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ... કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું,' ઈરાનની ચેતવણી
શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
શાકાહારી ડાયટથી ઓછો થઈ જાય છે આ પાંચ પ્રકારના કેન્સરનો ખતરો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં ખુલાસો
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
Israel US Iran War: ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં ત્રણ ભારતીયના મોત, ફારસની ખાડી, હોર્મુજ સ્ટ્રેટ, ઓમાન ખાડીમાં હુમલા
Embed widget