શોધખોળ કરો

Pahalgam Terror Attack: પહલગામ બાદ આતંકીઓની ઉરીમાં નાપાક હરકત, સૈનાએ કર્યું જવાબી ફાયરિંગ

Pahalgam Terror Attack: પહલગામ બાદ આતંકવાદીઓ ઉરીને નિશાન બનાવવા માંગતા હતા, પરંતુ સેનાએ તેમના ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.

Kashmir Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ પાકિસ્તાને ફરી એકવાર નિષ્ફળ પ્રયાસ કર્યો છે. હવે આતંકવાદીઓએ ઉરીમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો છે. જો કે સેનાએ તેને નિષ્ફળ બનાવી દીધી છે. રિપોર્ટ અનુસાર, ઉરીના નાલામાં સરજીવન વિસ્તાર પાસે 2-3 આતંકીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. ત્યાં તૈનાત સૈનિકોએ તરત જ ચાર્જ સંભાળ્યો અને જવાબી કાર્યવાહી કરી.

 જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લાના ઉરીમાં ફરી એકવાર ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ચિનાર કોર્પ્સે X પર આ અંગેની માહિતી શેર કરી છે. બુધવારે, બારામુલ્લાના ઉરી નાલામાં સરજીવન વિસ્તાર પાસે લગભગ 2-3 આતંકવાદીઓ ઘૂસણખોરીનો પ્રયાસ કરતા પકડાયા હતા. નિયંત્રણ રેખા પર તૈનાત સતર્ક સૈનિકોએ તેમને પડકાર્યા અને તેમને રોકવાનો પ્રયાસ કર્યો, જેના કારણે ગોળીબાર પણ થયો.

ઉલ્લેખનિય છે કે,જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મોત થયા છે. આ ઘટના બાદ યુપી, દિલ્હી અને મુંબઈમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ હુમલાને 2019ના પુલવામા હુમલા બાદ ઘાટીમાં સૌથી ઘાતક હુમલો ગણાવવામાં આવી રહ્યો છે. પોલીસ અધિકારીઓએ મુખ્ય પ્રવાસી કેન્દ્રો અને બોર્ડર ક્રોસિંગ પર સુરક્ષા વધારી દીધી છે. ઉત્તર પ્રદેશ પોલીસને ખાસ કરીને ધાર્મિક સ્થળો પર સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે.

કાશી-મથુરા સહિતના ધાર્મિક સ્થળો પર સુરક્ષા વધારવામાં આવી
દિલ્હી પોલીસને ટુરિસ્ટ સ્પોટ અને અન્ય મહત્વના સ્થળો પર કડક તકેદારી રાખવા માટે પણ સૂચના આપવામાં આવી છે. દિલ્હી પોલીસના સૂત્રોએ આ અંગે માહિતી આપી છે. બીજી તરફ મુંબઈમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. જયપુર અને અમૃતસરમાં પણ પોલીસ એલર્ટ મોડ પર છે. ઉત્તર પ્રદેશના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) પ્રશાંત કુમારે રાજ્યના તમામ પોલીસ કમિશનર અને જિલ્લા મેજિસ્ટ્રેટને સતર્ક રહેવા આદેશો જાહેર  કર્યા છે. અયોધ્યા, કાશી અને મથુરા જેવા ધાર્મિક સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ડીજીપીએ તમામ જિલ્લામાં દેખરેખ વધારવા સૂચના આપી છે.

-ઘાતક આતંકવાદી હુમલાની નિંદા કરવા માટે વિવિધ સંગઠનોએ બુધવારે વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કર્યું છે અને પરિણામે જમ્મુમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

તેનું નામ પૂછ્યા બાદ આતંકીઓએ તેને ગોળી મારી દીધી હતી

પહેલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોમાં યુપી, મહારાષ્ટ્ર, બંગાળ, કર્ણાટક, બિહાર, મધ્યપ્રદેશ, હરિયાણાના લોકોનો સમાવેશ થાય છે. આ હુમલામાં આતંકવાદીઓએ તે લોકોને જ નિશાન બનાવ્યા જેઓ તેમના પરિવાર સાથે ફરવા ગયા હતા. તેઓએ લોકોને તેમના નામ પૂછ્યા પછી ગોળી મારી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
Youtube પર ગોલ્ડન બટન મળ્યા પછી કેટલી થાય છે કમાણી, તેના પર કેટલો લાગે છે ટેક્સ?
Youtube પર ગોલ્ડન બટન મળ્યા પછી કેટલી થાય છે કમાણી, તેના પર કેટલો લાગે છે ટેક્સ?
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
Embed widget