શોધખોળ કરો

રાજા રઘુવંશીના મોત બાદ પરિવાર એ જગ્યાએ પહોંચ્યો જ્યાં થઇ હતી પુત્રની હત્યા, શિલાંગ પહોંચી કર્યું આ કામ

રાજા રઘુવંશી કેસમાં 3 સહ આરોપીને જામીન મળતા મૃતકનો પરિવાર ખૂબ રોષમાં છે. પરિવાર તેમની જામીનને પડકાવાની તૈયારી કરી રહ્યો છે. આ પહેલા તેઓ પુત્રના મૃત્યના સ્થાન શિલાંગ પહોચ્યો હતો.

બે મહિના પહેલા 23 મેના રોજ મેઘાલયની રાજધાની શિલોંગમાં તેમના હનીમૂન દરમિયાન રાજા રઘુવંશીની હત્યા કરવામાં આવી હતી. રાજાની પત્ની સોનમ રઘુવંશીએ તેના પ્રેમી રાજ કુશવાહા અને તેના સાથીઓની મદદથી તેમની હત્યા કરી હતી.

મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લાના રહેવાસી રાજા રઘુવંશીની હત્યા થયાને બે મહિના થઈ ગયા છે. હનીમૂન દરમિયાન પત્ની સોનમ રઘુવંશીના કાવતરામાં ફસાયેલા રાજા રઘુવંશીનો પરિવાર તેમના પુત્રના મૃત્યુ પછી દરેક જરૂરી પગલાં લઈ રહ્યો છે, જેથી તેમના  આત્માને  શાંતિ મળે. આ પ્રયાસમાં, ગુરુવારે રાજાનો પરિવાર મેઘાલયની રાજધાની શિલોંગમાં તે સ્થળે પહોંચ્યો, જ્યાં તેમના પુત્રનું મૃત્યુ થયું હતું. રાજાના પરિવારે ઘટનાસ્થળે પૂજા વિધિ કરી હતી. પરિવારના સૂત્રો કહે છે કે, આ વિધિ રાજાની આત્માને શાંતિ મળે તે માટે કરવામાં આવી છે. રાજાના પરિવારે હનીમૂન હત્યા કેસમાં ત્રણ સહ-આરોપીઓના જામીનને પડકારવાનો પણ નિર્ણય લીધો છે.

રાજા રઘુવંશીના ભાઈ અને પરિવારના કેટલાક અન્ય સભ્યો મેઘાલયના પૂર્વ ખાસી હિલ્સમાં સૈડોંગ ધોધ પાસેના નિર્જન પાર્કિંગ વિસ્તારમાં પહોંચ્યા હતો, જ્યાં સોનમે તેના પ્રેમી રાજ કુશવાહ અને તેના સાથીઓની મદદથી તેના પતિની હત્યા કરી હતી. વિપિને શિલોંગમાં પત્રકારોને જણાવ્યું હતું કે રાજાના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવા માટે, પરિવાર એ જ સોહરા વિસ્તારમાં પહોંચ્યો હતો જ્યાં હત્યારાઓએ તેમની હત્યા કરી હતી. વિપિન રઘુવંશી મંગળવારે પૂજારી અને જ્યોતિષ વિનોદ પરિયાલ સાથે શિલોંગ પહોંચ્યા હતા. ત્યાં પૂજારીએ કેટલીક ખાસ વિધિઓ કરી હતી જેથી રાજાના આત્માને શાંતિ મળે.

પુજારીએ પત્રકારોને જણાવ્યું હતું કે, પરિવારને આશા છે કે, ધાર્મિક વિધિઓથી રાજાની આત્માને શાંતિ મળશે અને તેને ન્યાય મળશે. રાજાના પરિવારે શિલોંગમાં વકીલનો સંપર્ક કરવાનો પણ નિર્ણય લીધો છે, જેથી રાજા રઘુવંશી કેસમાં પ્રોપર્ટી ડીલર સિલોમ જેમ્સ સહિત ત્રણ આરોપીઓના જામીનને પડકારી શકાય. જેમ્સ, ફ્લેટ માલિક લોકેન્દ્ર તોમર અને સુરક્ષા ગાર્ડ બલવીર પર પુરાવા સાથે છેડછાડ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

પરિવારના સૂત્રો કહે છે કે, રાજાનો પરિવાર સોનમનો નાર્કો ટેસ્ટ કરાવવા માટે કોર્ટમાં અરજી દાખલ કરી શકે છે, જેથી રાજાની હત્યા પાછળનું સાચું કારણ જાણી શકાય. સૂત્રો એમ પણ કહે છે કે સોનમનો મોટો ભાઈ ગોવિંદ પણ શિલોંગ અને ગુવાહાટીમાં મોટા વકીલોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, જેથી તેની બહેનને જામીન મળી શકે. જોકે, સોનમના પરિવારે હજુ સુધી આવું કંઈ કહ્યું નથી.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget