શોધખોળ કરો

Agniveer Recruitment: BSF, CRPF અને CISFમાં 10 ટકા અનામત, અગ્નિવીરો માટે ગૃહમંત્રાલયનો મોટો નિર્ણય

Agniveer Recruitment: આ સિવાય અગ્નિવીરને વય મર્યાદા અને ફિઝિકલ ટેસ્ટમાંથી પણ મુક્તિ આપવામાં આવી છે.

Agniveer Recruitment: કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (CAPF), આસામ રાઇફલ્સમાં કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) અને રાઈફલમેનના પદો પર અગ્નિવીરને 10 ટકા અનામત આપવામાં આવી રહી છે. આ સિવાય અગ્નિવીરને વય મર્યાદા અને ફિઝિકલ ટેસ્ટમાંથી પણ મુક્તિ આપવામાં આવી છે. CAPF અને આસામ રાઈફલ્સમાં ખાલી પડેલી જગ્યાઓ વિશે માહિતી આપતાં ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું કે હાલમાં આ દળોમાં 84,106 પદ ખાલી છે, જ્યારે કુલ મંજૂર પદોની સંખ્યા 10,45,751 છે.

ગૃહ મંત્રાલયે સોશિયલ સાઈટ X પર કહ્યું કે 4 વર્ષનો અનુભવ ધરાવતા અગ્નિવીરોને BSF, CRPF અને CISFમાં નિમણૂક માટે 10 ટકા અનામત મળશે. આ સાથે ઉંમર અને ફિઝિકલ ટેસ્ટમાં પણ છૂટછાટ આપવામાં આવશે.

ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયનું કહેવું છે કે કેન્દ્ર સરકાર દ્વારા અગ્નિવીરો માટે લેવામાં આવેલા આ પગલાઓ માત્ર તેમના ભવિષ્યને જ નહીં પરંતુ દેશના સુરક્ષા દળોમાં લાયક અને પ્રશિક્ષિત યુવાનોની ભરતી પણ સુનિશ્ચિત કરે છે. સરકારનો ઉદ્દેશ્ય એ છે કે અગ્નિવીર યોજના સંબંધિત લાભો અને અનામતના માધ્યમથી યુવાનોને સશસ્ત્ર દળોમાં વધુ તકો મળી શકે અને તેઓ પૂરી ઈચ્છાશક્તિ સાથે દેશની સેવા કરી શકે.

CAPFના આ દળોમાં અનામત મળશે

ભૂતપૂર્વ અગ્નિવીરોને માત્ર BSFમાં જ નહીં પરંતુ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) હેઠળના તમામ દળોમાં 10 ટકા અનામત આપવામાં આવશે. જેમાં CISF, સશસ્ત્ર સીમા દળ (SSB) અને CRPF પણ સામેલ છે.

આરપીએફમાં ફિઝિકલ ટેસ્ટમાં છૂટછાટ

RPFએ કહ્યું છે કે વય મર્યાદામાં છૂટછાટ સાથે ભૂતપૂર્વ અગ્નિવીરોને પણ PET એટલે કે ફિઝિકલ એફિસિએન્સી ટેસ્ટમાંથી મુક્તિ આપવામાં આવશે. આરપીએફના મહાનિર્દેશક તરફથી કહેવામાં આવ્યું છે કે તેઓ પૂર્વ અગ્નિવીરોને આરપીએફમાં સામેલ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

કઈ બેન્ચ માટે કેટલી છૂટ?

બીએસએફના મહાનિર્દેશકે કહ્યું છે કે પૂર્વ અગ્નિવીરોને દળમાં અનામતની સાથે પણ વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે. અગ્નિવીરની પ્રથમ બેન્ચના ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવશે અને તે પછીની બેન્ચના અગ્નિવીરને ત્રણ વર્ષની છૂટછાટ આપવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા અને પશુપાલન કૉલેજની ભેટ, જાણો ક્યારે શરુ થશે અને વિદ્યાર્થીઓને કેવી મળશે સુવિધા
ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા અને પશુપાલન કૉલેજની ભેટ, જાણો ક્યારે શરુ થશે અને વિદ્યાર્થીઓને કેવી મળશે સુવિધા
Asia Cup 2025: કોને મળશે મોકો અને કોનું પત્તુ કપાશે ? અહીં જુઓ સંભવિત ભારતીય ટીમ
Asia Cup 2025: કોને મળશે મોકો અને કોનું પત્તુ કપાશે ? અહીં જુઓ સંભવિત ભારતીય ટીમ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા, પંચાયત વિભાગ અને ચૂંટણી પંચે શરૂ કરી પ્રક્રિયાઓ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા, પંચાયત વિભાગ અને ચૂંટણી પંચે શરૂ કરી પ્રક્રિયાઓ
‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
Advertisement

વિડિઓઝ

Ahmedabad Murder Case: અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં થયેલ હત્યા કેસમાં આરોપી કલ્પેશ વાઘેલાની ધરપકડ
Kunvarji Bavaliya: રાશનકાર્ડ કોઈનું નહીં કરાય રદ: અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
Sthanik Swaraj Election: પંચાયત વિભાગ અને ચૂંટણી પંચે પ્રક્રિયાઓ કરી તેજ
Shehbaz Sharif: 'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...',  અસીમ મુનીર બાદ પાકિસ્તાનના PM શહબાઝ શરીફે આપી ધમકી
PM Modi likely to visit U.S : PM મોદી આગામી મહિને જઈ શકે છે અમેરિકા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા અને પશુપાલન કૉલેજની ભેટ, જાણો ક્યારે શરુ થશે અને વિદ્યાર્થીઓને કેવી મળશે સુવિધા
ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા અને પશુપાલન કૉલેજની ભેટ, જાણો ક્યારે શરુ થશે અને વિદ્યાર્થીઓને કેવી મળશે સુવિધા
Asia Cup 2025: કોને મળશે મોકો અને કોનું પત્તુ કપાશે ? અહીં જુઓ સંભવિત ભારતીય ટીમ
Asia Cup 2025: કોને મળશે મોકો અને કોનું પત્તુ કપાશે ? અહીં જુઓ સંભવિત ભારતીય ટીમ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા, પંચાયત વિભાગ અને ચૂંટણી પંચે શરૂ કરી પ્રક્રિયાઓ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા, પંચાયત વિભાગ અને ચૂંટણી પંચે શરૂ કરી પ્રક્રિયાઓ
‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
‘…તો કોઈ પણ લાભાર્થીનું રાશનકાર્ડ રદ નહીં થાય’, અન્ન-નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા
15 ઓગસ્ટથી મળશે FASTag વાર્ષિક પાસ, જાણો ક્યા દસ્તાવેજની જરૂર પડશે?
15 ઓગસ્ટથી મળશે FASTag વાર્ષિક પાસ, જાણો ક્યા દસ્તાવેજની જરૂર પડશે?
14 નહીં 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ ઉજવતુ હતુ પાકિસ્તાન, કોણે બદલી તારીખ?
14 નહીં 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ ઉજવતુ હતુ પાકિસ્તાન, કોણે બદલી તારીખ?
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
'ભારત પાણીનું એક ટીપું પણ છીનવી શકતું નથી...', મુનીર બાદ પાકિસ્તાનના વડાપ્રધાને આપી ધમકી
Independence Day: દેશના બે વડાપ્રધાન જેમણે ક્યારેય નથી ફરકાવ્યો લાલ કિલ્લા પર ત્રિરંગો, જાણો આવું કેમ થયું?
Independence Day: દેશના બે વડાપ્રધાન જેમણે ક્યારેય નથી ફરકાવ્યો લાલ કિલ્લા પર ત્રિરંગો, જાણો આવું કેમ થયું?
Embed widget