શોધખોળ કરો

મણિપુરમાં PM મોદીના પ્રવાસ પહેલા કુકી-જોની વચ્ચે સહમતિ, NH2 ખોલવાનો લેવાયો નિર્ણય

મણિપુરમાં 3 મે 2023ના રોજ મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચે વંશીય હિંસા ફાટી નીકળી હતી. ત્યારથી, રાજ્યમાં ઓછામાં ઓછા 25૦ લોકો માર્યા ગયા છે. 6૦ હજારથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. તેઓ રાહત શિબિરોમાં રહી રહ્યા છે.

13 સપ્ટેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મણિપુરની સંભવિત મુલાકાતને ધ્યાનમાં રાખીને રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મિઝોરમની રાજધાની આઈઝોલમાં બાહરાબી-સૈરાંગ રેલ્વે લાઇનનું ઉદ્ઘાટન કર્યા પછી પીએમ ઇમ્ફાલ પહોંચી શકે છે. મે 2023માં મણિપુર હિંસા પછી આ તેમની પહેલી મુલાકાત હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સંભવિત કાર્યક્રમ મુજબ, પીએમ ઇમ્ફાલમાં કાંગલા કિલ્લાની મુલાકાત લેશે અને લગભગ 15 હજાર લોકોના જનમેદનીને  સંબોધિત કરી શકે છે. આ પછી, ચુરાચંદપુરમાં લગભગ 1૦ હજાર લોકોના મેળાવડાની પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

NH-2 ઓપન કરવાનો નિર્ણય

ચુરાચંદપુર ઇમ્ફાલથી લગભગ 60 કિમી દૂર છે, જ્યાં તેઓ હેલિકોપ્ટર દ્વારા જવાની અપેક્ષા છે. જોકે, હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. દરમિયાન, ગૃહ મંત્રાલયે દિલ્હીમાં કુકી-ઝો કાઉન્સિલ (KZC), કુકી નેશનલ ઓર્ગેનાઇઝેશન (KNO) અને યુનાઇટેડ પીપલ્સ ફ્રન્ટ (UPF) સાથે ત્રિપક્ષીય બેઠક યોજ્યા બાદ NH-2 ખોલવાનો નિર્ણય લીધો છે. આસામના ડિબ્રુગઢથી મિઝોરમના તુઇપાંગ સુધીનો આ હાઇવે મણિપુરની જીવનરેખા માનવામાં આવે છે કારણ કે તે માર્ગ છે, જેના દ્વારા લોકો અન્ય રાજ્યો અને જિલ્લાઓમાં મુસાફરી કરે છે. મે 2023 ની હિંસા પછી  આ માર્ગ બંધ કરવામાં આવ્યો હતો.

NH-2 ખુલવાથી લોકો અને પરિવહનને મોટી રાહત મળશે

આ કિસ્સામાં, કુકી-જો કાઉન્સિલનું કહેવું છે કે તેમના તરફથી હાઇવે બંધ કરવામાં આવ્યો ન હતો. બેઠકમાં, સસ્પેન્શન ઓફ ઓપરેશન્સ (SoO) કરારને એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો. આમાં, સંઘર્ષ વિસ્તારોમાંથી કેમ્પ દૂર કરવા, સંખ્યા ઘટાડવા અને નજીકના CRPF અને BSF કેમ્પમાં શસ્ત્રો જમા કરાવવા પર સંમતિ થઈ છે. NH-2 ખોલવાથી લોકોને અને પરિવહનને મોટી રાહત મળશે.

મણિપુર પ્રવાસ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી, પરંતુ મિઝોરમ સરકારના ઘણા અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમને માહિતી મળી છે કે પીએમ મોદી આઈઝોલથી મણિપુર જઈ શકે છે.જો પીએમ મોદી મિઝોરમથી મણિપુર જાય છે, તો 2023 માં રાજ્યમાં વંશીય હિંસા ફાટી નીકળ્યા પછી પીએમની મણિપુરની આ પહેલી મુલાકાત હશે. મે 2023 થી મણિપુરમાં મેઈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે વંશીય હિંસામાં ઓછામાં ઓછા 260 લોકો માર્યા ગયા છે અને હજારો લોકો બેઘર થયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update Tomorrow: કાલે દેશના 21 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ 
Weather Update Tomorrow: કાલે દેશના 21 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ 
ચોમાસું કેમ અચાનક ધીમું પડી ગયું? વરસાદના બીજા રાઉન્ડ મુદ્દે હવામાન વિભાગે કરી મોટી આગાહી
ચોમાસું કેમ અચાનક ધીમું પડી ગયું? વરસાદના બીજા રાઉન્ડ મુદ્દે હવામાન વિભાગે કરી મોટી આગાહી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
ખાન સર અને તેમના બંને બોડીગાર્ડની જામીન અરજી પર આવ્યો કોર્ટનો ચુકાદો,જાણો મળી રાહત કે લાગ્યો ઝટકો?
ખાન સર અને તેમના બંને બોડીગાર્ડની જામીન અરજી પર આવ્યો કોર્ટનો ચુકાદો,જાણો મળી રાહત કે લાગ્યો ઝટકો?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
Embed widget