શોધખોળ કરો

AIMIM સાંસદે પીએમ મોદીના અયોધ્યા પ્રવાસ પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરીને અમે પણ નમાજ પઢશું

સાંસદ ઈમ્તિયાઝ ઝલીલે કહ્યું, કાનૂન બધા માટે એક સમાન હોવો જોઈએ. અમે મંદિરનો વિરોધ નથી કરી રહ્યા.

ઔરંગાબાદ: AIMIM સાંસદ ઈમ્તિયાઝ ઝલીલે પ્રધાનમંત્રી મોદીના અયોધ્યા પ્રવાસ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું, દેશમાં કોરોનાના કારણે તમામ ધાર્મિક સ્થળ બંધ છે પરંતુ પીએમઓ કહી રહ્યું છે કે જ્યારે પ્રધાનમંત્રી અયોધ્યા આવશે તો ત્યાં સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરશે. જો અમે નજીકની મસ્જિદમાં સોશિયલ ડિસ્ટેંસિંગ સાથે નમાજ પઢીએ તો ગેરકાનૂની છે. સાંસદ ઈમ્તિયાઝ ઝલીલે કહ્યું, કાનૂન બધા માટે એક સમાન હોવો જોઈએ. અમે મંદિરનો વિરોધ નથી કરી રહ્યા. તે સુપ્રીમ કોર્ટના આદશે મુજબ થઈ રહ્યું છે. જોરે સરકારે તહેવાર પર પ્રતિબંધ લગાવી રહી છે, શું તે માત્ર આમ આદમી માટે છે, પ્રધાનમંત્રી માટે નહીં ? સાંસદે કહ્યું કે, પીએમઓનું કહેવું છે કે અમે શિલાન્યાસ દરમિયાન સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરીશું. નમાજ દરમિયાન અમે પણ સોશિયલ ડિસ્ટેંસિંગનું પાનલ કરીશું. તેણે કહ્યું, સમારોહમાં 200 જેટલા ખાસ લોકો આવવાના હોવાથી મોટી સંખ્યામાં પોલીસ પણ તૈનાત રહેશે. જો આ કાર્યક્રમ માટે બે કલાકની મંજૂરી આપવામાં આવે છે તો સામાન્ય શ્રદ્ધાળુઓને મંદિરમાં પૂજા કરવા કે મસ્જિદમાં નમાજ પઢવા કેમ મંજૂરી નથી અપાતી, જ્યાં ખૂબ ઓછો સમય લાગે છે. શું અયોધ્યા આવનારા લોકોની મહામારી સાથે કોઈ પ્રકારની સમજૂતી થઈ ગઈ છે કે આ દરમિયાન વાયરસ રજા પર જતો રહેશે. પ્રધાનમંત્રી મોદી 5 ઓગસ્ટે અયોધ્યામાં બનનારા રામ મંદિરનો શિલાન્યાસ કરશે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરાશે. શ્રીરામ જન્મભૂમિના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવ ગિરિએ કહ્યું કે, શિલાન્યાસ સમારોહમાં 150 આમંત્રિતો સહિત 200થી વધારે લોકો સામેલ નહીં થાય. સમારોહમાં વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ આપવામાં આવશે. પીએમ મોદી શિલાન્યાસ પહેલા રામલલાના દર્શન કરશે અને હનુમાન ગઢી મંદિરમાં હનુમાનજીની પૂજા કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચોમાસા વચ્ચે અલ નિનોનો મોટો ખતરો: દેશના 197 જિલ્લાઓ પર દુષ્કાળનું સંકટ, સરકાર એલર્ટ!
ચોમાસા વચ્ચે અલ નિનોનો મોટો ખતરો: દેશના 197 જિલ્લાઓ પર દુષ્કાળનું સંકટ, સરકાર એલર્ટ!
'2014 પછી દેશનો વિકાસ રોકેટ ગતિએ વધ્યો', 12 વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદીનો મોટો દાવો, જાણો 10 મોટી વાતો
'2014 પછી દેશનો વિકાસ રોકેટ ગતિએ વધ્યો', 12 વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદીનો મોટો દાવો, જાણો 10 મોટી વાતો
LPG સબસિડી બ્લોક થવાનો મેસેજ આવ્યો છે? જાણો શું કરવું અને શું ન કરવું
LPG સબસિડી બ્લોક થવાનો મેસેજ આવ્યો છે? જાણો શું કરવું અને શું ન કરવું
નેહરુનો રેકોર્ડ તોડ્યા બાદ પીએમ મોદીની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું - કોંગ્રેસના વિશ્વાસઘાત પછી દેશ....
નેહરુનો રેકોર્ડ તોડ્યા બાદ પીએમ મોદીની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું - કોંગ્રેસના વિશ્વાસઘાત પછી દેશ....

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેકોર્ડબ્રેક
Gujarat Rain Forecast : ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી
Patan ABVP Protest : ફી વધારા સામે ABVPનું હેમચંદ્રાચાર્ય યુનિ.માં વિરોધ પ્રદર્શન
Surat Demolition : સુરત ભૂતિયા ડિમોલિશન, મનપા અધિકારીના જુઠ્ઠાણાનો કોંગ્રેસે કર્યો પર્દાફાશ
PM Modi Speech : રાજકીય અસ્થિરતાને કારણે દેશને નુકસાન , PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'2014 પછી દેશનો વિકાસ રોકેટ ગતિએ વધ્યો', 12 વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદીનો મોટો દાવો, જાણો 10 મોટી વાતો
'2014 પછી દેશનો વિકાસ રોકેટ ગતિએ વધ્યો', 12 વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદીનો મોટો દાવો, જાણો 10 મોટી વાતો
ટ્રમ્પની ઈરાનને આરપારની ધમકી: જો ટૂંક સમયમાં કરાર નહીં થાય તો બુધવારે....
ટ્રમ્પની ઈરાનને આરપારની ધમકી: જો ટૂંક સમયમાં કરાર નહીં થાય તો બુધવારે....
નેહરુનો રેકોર્ડ તોડ્યા બાદ પીએમ મોદીની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું - કોંગ્રેસના વિશ્વાસઘાત પછી દેશ....
નેહરુનો રેકોર્ડ તોડ્યા બાદ પીએમ મોદીની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું - કોંગ્રેસના વિશ્વાસઘાત પછી દેશ....
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 16 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે, IMDનું એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 16 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે, IMDનું એલર્ટ
ચોમાસા વચ્ચે અલ નિનોનો મોટો ખતરો: દેશના 197 જિલ્લાઓ પર દુષ્કાળનું સંકટ, સરકાર એલર્ટ!
ચોમાસા વચ્ચે અલ નિનોનો મોટો ખતરો: દેશના 197 જિલ્લાઓ પર દુષ્કાળનું સંકટ, સરકાર એલર્ટ!
ભરૂચ ડબલ મર્ડરથી ધ્રૂજ્યું: સસરાએ પુત્રવધૂ અને વેવાણને મોતને ઘાટ ઉતારી, રહસ્ય અકબંધ
ભરૂચ ડબલ મર્ડરથી ધ્રૂજ્યું: સસરાએ પુત્રવધૂ અને વેવાણને મોતને ઘાટ ઉતારી, રહસ્ય અકબંધ
પોસ્ટ ઓફિસ RD યોજના: દર મહિને 5,000ની બચત પર મળશે લાખોનું રિટર્ન, સમજો વ્યાજનું પૂરું ગણિત
પોસ્ટ ઓફિસ RD યોજના: દર મહિને 5,000ની બચત પર મળશે લાખોનું રિટર્ન, સમજો વ્યાજનું પૂરું ગણિત
8મું પગાર પંચ: મોંઘવારી નહીં, હવે આ મુજબ નક્કી થશે પગાર? જાણો અપડેટ
8મું પગાર પંચ: મોંઘવારી નહીં, હવે આ મુજબ નક્કી થશે પગાર? જાણો અપડેટ
Embed widget