શોધખોળ કરો

PFI Ban: દેશમાં PFI પર 5 વર્ષ માટે પ્રતિબંધને લઈ લાલુ પ્રસાદ યાદવે શું કહ્યું ?

PFI Ban : લાલુ યાદવે કહ્યું સૌથી પહેલા આરએસએસ પર પ્રતિબંધ લગાવવો જોઈએ. આ લોકો મુસ્લિમ સંગઠનોને નિશાન બનાવી રહ્યા છે અને દરેક બાબતમાં હિન્દુ-મુસ્લિમ કરે છે.

PFI Ban : બિહારની રાજધાની પટનાના ફુલવારી શરીફમાંથી ફુલવારી શરીફ ટેરર ​​મોડ્યુલની વાત સામે આવી હતી. આ પછી ધીરે ધીરે તપાસ એટલી તેજ થઈ ગઈ કે ઘણા રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા અને ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી. ફુલવારી શરીફથી વર્ષ 2047 સુધીમાં ભારતને ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવાના 'મિશન 2047'નું રહસ્ય જાણવા મળ્યું. 12 જુલાઈના રોજ પટનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ દરમિયાન હુમલાની યોજના ઘડવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું છે. દેશમાં ગૃહ મંત્રાલય દ્વારા PFI પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ લગાવ્યા બાદ હવે નેતાઓના નિવેદનો પણ સામે આવી રહ્યા છે.

RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે પણ PFI પર દેશમાં પાંચ વર્ષ માટે પ્રતિબંધને લઈને નિવેદન આપ્યું હતું. પીએફઆઈ પ્રતિબંધ પર વાત કરતા તેમણે કહ્યું કે આવા સંગઠનો પર પ્રતિબંધ મૂકવો જોઈએ. સાથે જ કહ્યું કે સૌથી પહેલા આરએસએસ પર પ્રતિબંધ લગાવવો જોઈએ. આ લોકો મુસ્લિમ સંગઠનોને નિશાન બનાવી રહ્યા છે અને દરેક બાબતમાં હિન્દુ-મુસ્લિમ કરે છે.

ગૃહ મંત્રાલય તરફથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે વિવાદાસ્પદ સંગઠન પોપ્યુલર ફંડ ઓફ ઈન્ડિયા (PFI) પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દેશભરમાં છેલ્લા ઘણા દિવસોથી આ સંગઠન વિરુદ્ધ દરોડા પાડવામાં આવી રહ્યા હતા, ત્યારબાદ આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પીએફઆઈને ગેરકાયદેસર સંગઠન જાહેર કરીને તેને આગામી પાંચ વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. આ સાથે જ આ પ્રતિબંધ તેની સાથે જોડાયેલા અન્ય તમામ સંગઠનો પર પણ લાગુ થશે. અગાઉ NIA દ્વારા દેશભરના તમામ રાજ્યોમાં આ સંગઠન વિરુદ્ધ દરોડા પાડવામાં આવ્યા હતા, આ દરોડા દરમિયાન આતંકવાદી સંબંધોના આરોપો સહિત અનેક મહત્વપૂર્ણ પુરાવા એજન્સીઓને હાથ લાગ્યા હતા.

ઓપરેશન ઓક્ટોપસ હાથ ધરવામાં આવ્યું હતું

દેશભરમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) વિરુદ્ધ શરૂ થયેલી કાર્યવાહીને ઓપરેશન ઓક્ટોપસ નામ આપવામાં આવ્યું હતું. આ અંતર્ગત પહેલા દેશના કેટલાક રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ અચાનક એક સાથે 15 રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન પીએફઆઈના તમામ નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. ઓપરેશનના બીજા રાઉન્ડ હેઠળ, 27 સપ્ટેમ્બરના રોજ, દેશના 8 રાજ્યોમાં એજન્સીઓના ઇનપુટ્સ પર, એટીએસ અને રાજ્ય પોલીસે PFIના ઘણા સ્થળો પર દરોડા પાડ્યા હતા.

મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને આસામમાં, સુરક્ષા એજન્સીઓ દ્વારા મહા દરોડામાં 170 થી વધુ PFI શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી હતી. આસામ અને મહારાષ્ટ્રમાં 25થી વધુ લોકોની, યુપીમાં 57, દિલ્હીમાં 30, મધ્યપ્રદેશમાં 21, ગુજરાતમાં 10 અને કર્ણાટકમાં 80 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન ખૂબ જ મહત્વપૂર્ણ પુરાવા હાથમાં આવ્યા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget