શોધખોળ કરો

દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 257, રાજ્યમાં કોવિડ-19ના નોંધાયા સાત એક્ટિવ કેસ

19 મે, 2025 સુધીમાં ભારતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 257 છે, જે દેશની મોટી વસ્તીને ધ્યાનમાં લેતા ખૂબ જ ઓછો આંકડો છે.

ફરી એકવાર ભારતમાં કોરોના વાયરસનો ખતરો મંડરાઇ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું દેશમાં એક સપ્તાહમાં કોરોનાના નવા 58 કેસ નોંધાયા હતા. જોકે, આરોગ્ય મંત્રાલયે એક સત્તાવાર નિવેદન જાહેર કરીને કહ્યું છે કે ભારતમાં કોરોનાના કેસ નિયંત્રણમાં છે. ભારતમાં હાલની કોવિડ-19 પરિસ્થિતિ નિયંત્રણમાં છે. 19 મે, 2025 સુધીમાં ભારતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 257 છે, જે દેશની મોટી વસ્તીને ધ્યાનમાં લેતા ખૂબ જ ઓછો આંકડો છે. આમાંના લગભગ બધા જ કેસોમાં હળવા લક્ષણો છે, જેને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હોતી નથી. કેરળ 95 એક્ટિવ કોરોનાના કેસ સાથે દેશમાં મોખરે છે.

ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં કોરોનાના સાત એક્ટિવ કેસ છે. સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યમાં ગુજરાત છઠ્ઠા ક્રમે છે. નોંધનીય છે કે હોંગકોંગ, સિંગાપોર, થાઈલેન્ડમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. હોંગકોંગમાં કેસમાં 30 ગણો વધારો નોંધાયો હતો જ્યારે થાઈલેન્ડમાં 71 હજારથી વધુ એક્ટિવ કેસ જોવા મળી આવ્યા હતા.

મંત્રાલયે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં સિંગાપોર અને હોંગકોંગમાં કોવિડ-19ના કેસોમાં વધારો થયો હોવાના અહેવાલો મળ્યા છે. પરંતુ મોટાભાગના કેસો હળવા હોય છે અને અસામાન્ય ગંભીરતા અથવા મૃત્યુદર સાથે સંકળાયેલા નથી. જોકે, ભારત સરકાર અને આરોગ્ય મંત્રાલય આ બાબતો અંગે સતર્ક છે.

દેશમાં ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (IDSP) અને ICMR દ્વારા COVID-19 સહિત શ્વસન વાયરલ રોગોની દેખરેખ માટે એક મજબૂત સિસ્ટમ પણ અસ્તિત્વમાં છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે અમે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. અમે ખાતરી આપીએ છીએ કે જાહેર આરોગ્યના રક્ષણ માટે યોગ્ય પગલાં લેવામાં આવશે.

આરોગ્ય મંત્રાલયે જાહેર કરી માર્ગદર્શિકા

કોરોનાથી બચવા માટે હજુ પણ તકેદારી રાખવી જરૂરી છે. આરોગ્ય મંત્રાલયે સલાહ આપી છે કે લોકોએ નિયમિતપણે હાથ ધોવા જોઈએ, જાહેર સ્થળોએ માસ્ક પહેરવા જોઈએ, ખાંસી કે છીંક ખાતી વખતે મોં ઢાંકવું જોઈએ અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જોઈએ. હાલમાં કેન્દ્ર સરકાર તરફથી કોઈ નવી માર્ગદર્શિકા જરૂરી જણાતી નથી, પરંતુ રાજ્ય સરકારોને સતર્ક રહેવાનું કહેવામાં આવ્યું છે. ભલે સંખ્યા ઓછી હોય પણ કોરોના હજુ પણ સંપૂર્ણપણે નાબૂદ થયો નથી. સાવધાની એ શ્રેષ્ઠ બચાવ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget