શોધખોળ કરો

વિદેશ જવા માંગતા ભારતીયો માટે ખુશખબર, યુકેએ વિઝા નીતિ હળવી કરીને કોના માટે ખોલી દીધા દરવાજા ?

બ્રિટને ભારત સહિતના દેશોમાંથી આવતા કેરટેકર્સ માટે વિઝાનીતિમાં ફેરફાર કર્યો છે. વિઝા નીતિમાં નિયમો હળવા કરીને ભારે છૂટછાટ આપીને બ્રિટન હજારો હેલ્થ  કેર વર્કર્સની ભરતી કરશે.

લંડનઃ વિદેશ જવા માટે આતુર ભારતીયો માટે સારા સમાચાર છે. બ્રિટને વિદેશી હેલ્થ સહાયકો અને કેર ટેકર્સ માટે વિઝા નીતિ હળવી બનાવતાં ભારતીયો માટે બ્રિટનના દરવાજા ખૂલી ગયા છે. બ્રિટને ભારત સહિતના દેશોમાંથી આવતા કેરટેકર્સ માટે વિઝાનીતિમાં ફેરફાર કર્યો છે. વિઝા નીતિમાં નિયમો હળવા કરીને ભારે છૂટછાટ આપીને બ્રિટન હજારો હેલ્થ  કેર વર્કર્સની ભરતી કરશે. તેમને મિનિમમ 12 મહિનાના વિઝા આપવામાં આવશે.

આ ઉપરાંત બ્રિટનમાં હેલ્થ કેર સેક્ટરમાં પ્રવર્તી રહેલી સહાયકોની અછતને પહોંચી વળવા બ્રિટને વિદેશી કેરટેકર્સને પણ 12 માસના વિઝા આપવાનો નિર્ણય કર્યો છે. આ જાહેરાત કરતાં બ્રિટનાં ગૃહમંત્રી પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે નવી વિઝાનીતિથી દેશમાં કેરટેકર્સની અછત દૂર થશે. હળવી વિઝાનીતિના કારણે દેશમાં આવનારા વર્ક ફોર્સથી કેર સેક્ટર્સ પર આવેલું કામનું દબાણ ઘટશે. આ કામચલાઉ વ્યવસ્થા કરીને બ્રિટિશ સરકારે કેર સેક્ટર્સમાં પ્રવર્તી રહેલી કેરવર્કર્સની અછતને દૂર કરવાની દિશામાં મોટું કદમ ઉઠાવ્યું છે.

બ્રિટનમાં બ્રેક્ઝિટ એટલે કે યુરોપીયન યુનિયનમાંથી વિદાય પછી કેર સેક્ટરમાં સહાયકોની અછત વર્તાઈ રહી છે.  યુરોપીયન દેશોમાંથી બ્રિટનમાં રહેતા સહાયકો બ્રેક્ઝિટ પછી સ્વદેશ જતા રહ્યા હતા. તેના કારણે બ્રિટનના હેલ્થ સેક્ટર, સામાજિક સેક્ટર ઉપરાંત ઘરેલું સહાયકોની અછત વર્તાતી હતી. સરકારી ડ્રાઈવરોની પણ ભારે તંગી છે. આ  સંજોગોમાં બ્રિટનની સરકાર કેર સહાયક અને ડ્રાઈવરોની મોટાપાયે ભરતી કરશે.

ગૃહમંત્રી પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે,  કેર સેક્ટરમાં અત્યારે સહાયકોની અછત પ્રવર્તી રહી છે તેથી અસંખ્ય લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અછતને પહોંચી વળવામાં સરકારની નવી વિઝાનીતિ ખૂબ જ અસરકારક સાબિત થશે.

પ્રીતિ પટેલે ઉમેર્યું હતું કે,  નેશનલ હેલ્થ સર્વિસ, ઘરેલું સહાયકો, કેર ટેકર્સમાં વિદેશી નાગરિકો કાર્યરત બનશે તેમને બ્રિટિશ સરકાર પૂરતી સવલતો અને યોગ્ય વાતાવરણ પૂરું પાડશે. ખાસ તો કોરોના મહામારીના કારણે અશક્ત બનેલા વૃધ્ધ બ્રિટિશ નાગરિકો વિદેશી સહાયકોને નોકરી પર રાખી શકશે. 

 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NCR-Rain: દિલ્હીમાં ધોધમાર વરસાદ, સંગમ વિહાર-નજફગઢ સહિત વિસ્તારો પાણીમાં ગરકાવ, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન
NCR-Rain: દિલ્હીમાં ધોધમાર વરસાદ, સંગમ વિહાર-નજફગઢ સહિત વિસ્તારો પાણીમાં ગરકાવ, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Embed widget