શોધખોળ કરો

Bihar Politics: PK બિહારમાં NDAની આખી બાજી પલટી નાખશે? ચૂંટણી પહેલા જ કરી દીધી મોટી જાહેરાત

Prashant Kishor News: પ્રશાંત કિશોરે શનિવારે કહ્યું કે જો તેઓ સત્તામાં આવશે તો એક કલાકની અંદર બિહારમાં દારૂબંધીને સમાપ્ત કરી દેશે.

Prashant Kishor Attack on Tejashvi Yadav: જાણીતા ચૂંટણી વ્યૂહરચનાકાર, રાજકીય વિશ્લેષક અને જન સુરાજ અભિયાન (2 ઓક્ટોબર, 2024ના રોજ રાજકીય પક્ષ બનશે)ના સ્થાપક પ્રશાંત કિશોર (PK)એ એવો મોટો રાજકીય દાવ ખેલ્યો છે, જે બિહારમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં BJPના નેતૃત્વ હેઠળના NDAની આખી બાજી પલટાવી શકે છે. PKએ શનિવારે (14 સપ્ટેમ્બર 2024) જાહેરાત કરી કે જો તેમના નેતૃત્વ હેઠળની જન સુરાજ સત્તામાં આવે તો તેઓ બિહારમાં દારૂબંધીને તરત જ સમાપ્ત કરી દેશે.

ન્યૂઝ એજન્સી 'ANI' સાથેની વાતચીત દરમિયાન PKએ કહ્યું, "બે ઓક્ટોબર માટે કોઈ ખાસ તૈયારીની જરૂર નથી. અમે છેલ્લા બે વર્ષથી તૈયારી કરી રહ્યા છીએ. જો જન સુરાજની સરકાર બને તો અમે એક કલાકની અંદર દારૂબંધી સમાપ્ત કરી દઈશું."

બિહારમાં દારૂબંધીનો શું અર્થ છે

બિહારના રાજકારણમાં દારૂબંધી ઘણું મહત્વ ધરાવે છે અને આ જ કારણ છે કે તે રાજકીય મુદ્દો પણ રહ્યો છે. વાસ્તવમાં, દારૂબંધી પાછળ નીતિશ સરકારનો ઉદ્દેશ્ય સારો હતો, પરંતુ તેનાથી અલગ તેના ઘણા આડઅસરો થઈ રહ્યા છે જે આર્થિક રીતે પછાત આ રાજ્ય માટે યોગ્ય નથી. આંકડાઓ પર નજર કરીએ તો દારૂબંધીથી બિહારને કરોડો રૂપિયાના મહેસૂલનું નુકસાન થયું છે અને હજુ પણ થઈ રહ્યું છે. અંદાજ મુજબ 2015માં દારૂથી થતી એક્સાઇઝ ડ્યુટીથી રાજ્યને 4,000 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી. દારૂબંધી લાગુ થયા પછીથી અત્યાર સુધીમાં રાજ્યને લગભગ 40,000 કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે. મદ્ય નિષેધ ઉત્પાદન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે દારૂબંધીથી દર વર્ષે 10,000 કરોડથી વધુ મહેસૂલનું નુકસાન થઈ રહ્યું છે.

આ ઉપરાંત દારૂબંધી હોવા છતાં બિહારમાં દારૂનો ગેરકાયદેસર ધંધો ચાલી રહ્યો છે. માફિયા દારૂબંધીની આડમાં કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. આ બધાથી અલગ દારૂબંધી પછી પણ બિહારમાં ઝેરી દારૂ પીવાથી લોકોના મૃત્યુનો આંકડો પણ વધી રહ્યો છે.

બિહાર ચૂંટણી પર આ નિર્ણય/જાહેરાત કેવી અસર કરશે?

જો દારૂબંધીના નિર્ણયને લઈને આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પર અસરના સંદર્ભમાં જોઈએ તો આ ખૂબ જ મહત્વ ધરાવશે. વાસ્તવમાં, લાંબા સમયથી ઘણા લોકો તેને હટાવવાની માંગ કરી રહ્યા છે. વેપારીઓથી લઈને સામાન્ય લોકો સુધી એવા લોકોની સંખ્યા ઘણી મોટી છે જે દારૂબંધી હટાવવાની તરફેણમાં છે. આ ઉપરાંત જો દારૂબંધી હટે તો મહેસૂલનું નુકસાન પણ ઓછું થશે. આવી સ્થિતિમાં રાજકીય નિષ્ણાતો કહે છે કે આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં આ મોટો મુદ્દો બની શકે છે.

વર્તમાન સમયમાં શું રાજકીય સ્થિતિ છે?

દારૂબંધીને લઈને વર્તમાન રાજકીય સ્થિતિ જોઈએ તો તે ખૂબ જ રસપ્રદ છે. નીતિશ કુમાર NDA સાથે મળીને સરકાર ચલાવી રહ્યા છે. આ જ NDAમાં સામેલ બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને હમ પાર્ટીના મુખિયા જીતન રામ માંઝી ઘણી વાર દારૂબંધીને ખોટું કહી ચૂક્યા છે અને તેઓ તેને હટાવવાની માંગ કરી ચૂક્યા છે. આવી સ્થિતિમાં આ જોવું રસપ્રદ રહેશે કે શું આ વખતે પણ તેઓ આ માંગ પર કાયમ રહે છે કે નહીં. વિપક્ષમાં રહીને ભારતીય જનતા પાર્ટીના નેતા ડૉ. સંજય જયસવાલે પણ આ કાયદા પર પુનર્વિચાર કરવાની માંગ ઉઠાવી હતી.

તેજસ્વી યાદવ વિશે શું કહ્યું?

રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવની યાત્રા વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું, "તેમને મારી શુભેચ્છાઓ... ઓછામાં ઓછું તેઓ ઘરની બહાર તો નીકળ્યા અને જનતાની વચ્ચે તો ગયા." તેજસ્વી યાદવના આ દાવા પછી કે નીતિશ કુમારે ભાજપના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA)માં જોડાવા માટે હાથ જોડીને માફી માંગી છે, RJD અને મુખ્યમંત્રી નીતિશ કુમાર વચ્ચે ચાલી રહેલા શાબ્દિક યુદ્ધ પર ટિપ્પણી કરતા કિશોરે કહ્યું કે બંને નેતાઓએ બિહારને નુકસાન પહોંચાડ્યું છે.

આ પણ વાંચોઃ

કોંગ્રેસના શાસનમાં ગણપતિજીને પણ જેલમાં નાખવામાં આવી રહ્યા છે', ચૂંટણી રેલીમાં PM મોદીનો મોટો હુમલો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
LSG vs PBKS: શ્રેયસ અય્યર અને પ્રભસિમરનની વિસ્ફોટક ઈનિંગ,પંજાબે 8 વિકેટથી જીતી મેચ  
LSG vs PBKS: શ્રેયસ અય્યર અને પ્રભસિમરનની વિસ્ફોટક ઈનિંગ,પંજાબે 8 વિકેટથી જીતી મેચ  
વક્ફ બિલ પર સરકારને ચંદ્રબાબુ બાદ મળ્યો નીતીશ કુમારનો સાથ, JDUએ સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો   
વક્ફ બિલ પર સરકારને ચંદ્રબાબુ બાદ મળ્યો નીતીશ કુમારનો સાથ, JDUએ સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો   
2000 રુપિયાની નોટને લઈ RBIએ આપી મહત્વની જાણકારી, જાણો તેના વિશે   
2000 રુપિયાની નોટને લઈ RBIએ આપી મહત્વની જાણકારી, જાણો તેના વિશે   
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટોલનાકાથી મોંઘવારીની એન્ટ્રીHun To Bolish : હું તો બોલીશ : કોના પાપે મોત ?Rana sanga controversy : રાણા સાંગા પર સાંસદની ટિપ્પણીથી વિવાદ, રાજકોટમાં ક્ષત્રિય આગેવાનો વિરોધAnklav APMC: આણંદની આંકલાવ APMCની ચૂંટણીમાં કોંગ્રેસની પેનલની બિનહરીફ જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
ડીસા ફટાકડા ગોડાઉનમાં બ્લાસ્ટ, મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, SITની કરાઈ રચના
LSG vs PBKS: શ્રેયસ અય્યર અને પ્રભસિમરનની વિસ્ફોટક ઈનિંગ,પંજાબે 8 વિકેટથી જીતી મેચ  
LSG vs PBKS: શ્રેયસ અય્યર અને પ્રભસિમરનની વિસ્ફોટક ઈનિંગ,પંજાબે 8 વિકેટથી જીતી મેચ  
વક્ફ બિલ પર સરકારને ચંદ્રબાબુ બાદ મળ્યો નીતીશ કુમારનો સાથ, JDUએ સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો   
વક્ફ બિલ પર સરકારને ચંદ્રબાબુ બાદ મળ્યો નીતીશ કુમારનો સાથ, JDUએ સાંસદો માટે વ્હીપ જાહેર કર્યો   
2000 રુપિયાની નોટને લઈ RBIએ આપી મહત્વની જાણકારી, જાણો તેના વિશે   
2000 રુપિયાની નોટને લઈ RBIએ આપી મહત્વની જાણકારી, જાણો તેના વિશે   
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
'મુસ્લિમોના પક્ષમાં છે ચંદ્રાબાબુ નાયડુ...', સંસદમાં વક્ફ બિલ રજૂ થાય તે પહેલા TDP સ્ટેન્ડ ક્લિય કર્યુ
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
Deesa Fire Update: ડીસા ફટાકડાના ગેરકાયદે ગોડાઉન બ્લાસ્ટમાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો
વેનિટીમાં કપડા બદલી રહી હતી શાલિની પાંડે, અચાનક અંદર આવ્યો સાઉથ ડાયરેક્ટર, અભિનેત્રીનો મોટો ખુલાસો 
વેનિટીમાં કપડા બદલી રહી હતી શાલિની પાંડે, અચાનક અંદર આવ્યો સાઉથ ડાયરેક્ટર, અભિનેત્રીનો મોટો ખુલાસો 
Gold Rate Today: સોનાના ભાવમાં 2000 રુપિયાનો મોટો ઉછાળો, જાણો હવે 10 ગ્રામ માટે કેટલા ચૂકવવા પડશે 
Gold Rate Today: સોનાના ભાવમાં 2000 રુપિયાનો મોટો ઉછાળો, જાણો હવે 10 ગ્રામ માટે કેટલા ચૂકવવા પડશે 
Embed widget