શોધખોળ કરો

Bihar Political Crisis: બિહારમાં આજે જ 'ખેલા હોબે', સાંજે 7 વાગ્યે રાજ્યપાલને રાજીનામું સોપી શકે છે નીતિશ, રવિવારે લેશે શપથ

Bihar Political Crisis: બિહારમાં રાજકીય પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સીએમ નીતિશ કુમાર આજે સાંજે જ રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરને મળશે અને આરજેડીના સહયોગથી ચાલી રહેલી તેમની વર્તમાન સરકારનું રાજીનામું સોંપશે.

Bihar Political Crisis: બિહારમાં રાજકીય પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સીએમ નીતિશ કુમાર આજે સાંજે જ રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરને મળશે અને આરજેડીના સહયોગથી ચાલી રહેલી તેમની વર્તમાન સરકારનું રાજીનામું સોંપશે. આ સાથે તેઓ રાજ્યપાલને ભાજપના સમર્થન સાથે નવી સરકાર બનાવવાનો દાવો પણ રજૂ કરશે. આ સાથે તેમને રવિવારે રાજભવન ખાતે ફરીથી મુખ્યમંત્રી પદના શપથ લેવડાવવામાં આવશે.

આજે સાંજે 7 વાગે રાજીનામું આપશે

સૂત્રોના જણાવ્યા અનુસાર સીએમ નીતિશ કુમાર આજે સાંજે 7 વાગે રાજભવન જશે અને ત્યાં તેમની ગઠબંધન સરકારનું રાજીનામું સોંપશે. આ સાથે, તેઓ તેમની નવી ગઠબંધન સરકાર બનાવવા માટે ભાજપના સમર્થન પત્ર અને કુલ ધારાસભ્યોની સંખ્યા સાથે ફરીથી તેમની સરકાર બનાવવાનો દાવો રાજ્યપાલને રજૂ કરશે. આ માટે બીજેપી વિધાયક દળની બેઠક બોલાવવામાં આવી રહી છે, જેમાં એક ઠરાવ પસાર કરવામાં આવશે અને સીએમ નીતિશ કુમારના પક્ષમાં સમર્થનનો પત્ર JDUને સોંપવામાં આવશે. આ પછી નીતીશ કુમારને રવિવારે સવારે 11.45 વાગ્યે રાજભવન ખાતે ફરીથી મુખ્યમંત્રી પદના શપથ લેવડાવવામાં આવશે.

ચિરાગ તેના રાજકીય ભવિષ્ય વિશે ચિંતિત હતો

 

બિહારમાં બદલાતી રાજકીય ગતિવિધિ વચ્ચે ચિરાગ પાસવાન પણ સક્રિય થયા છે. નીતીશ કુમાર સાથે તેમની જૂની રાજકીય દુશ્મની છે, જેના કારણે તેઓ છેલ્લા ઘણા સમયથી બિહાર અને કેન્દ્ર સરકારમાં સ્થાન મેળવી શક્યા નથી. હવે ફરી જ્યારે નીતિશ કુમાર એનડીએ ગઠબંધનનો ભાગ બનવા જઈ રહ્યા છે, ત્યારે ચિરાગ પાસવાન તેમના રાજકીય ભવિષ્યને લઈને ચિંતિત જણાય છે.

NDAમાં પાછા ફરવા નીતીશ કેમ બેતાબ છે?

જેડીયુના આંતરિક સૂત્રોનું કહેવું છે કે નીતીશ મહાગઠબંધન (કોંગ્રેસ, આરજેડી, જેડીયુ અને ડાબેરી પક્ષોનું ગઠબંધન) અને વિપક્ષના ઈન્ડિયા એલાયન્સથી નાખુશ જણાય છે. જો કે તેનું મુખ્ય કારણ નીતિશ કુમાર વર્તમાન રાજકીય વ્યવસ્થામાં અસ્વસ્થતા અનુભવતા હોવાનું કહેવાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જેડીયુના ઓછામાં ઓછા સાત સાંસદો લોકસભા ચૂંટણી પહેલા ભાજપના સંપર્કમાં છે.

એનડીએના સામાજિક જોડાણને કારણે આ સાંસદો 2019માં જીત્યા હતા. હવે આ જેડીયુ નેતાઓને લાગે છે કે, આરજેડી, કોંગ્રેસ અને ડાબેરી પક્ષો સાથે ગઠબંધનમાં આવા પરિણામો પ્રાપ્ત થશે નહીં. તેમજ પૂર્વ પાર્ટી ચીફ રાજીવ રંજન સિંહ સિવાય જેડીયુના મોટા ભાગના વરિષ્ઠ નેતાઓ ભાજપ સાથે ગઠબંધનની તરફેણમાં છે. નીતિશને લાગે છે કે જો તેઓ હવે પગલાં નહીં લે તો પાર્ટી તૂટી શકે છે.

જેડીયુએ 2019ની લોકસભા ચૂંટણીમાં 17માંથી 16 બેઠકો જીતી હતી. સર્વે બતાવી રહ્યા છે કે જેડીયુને આ વખતે એવા પરિણામો મળવાના નથી. નીતિશને લાગે છે કે જો તેણે વધુ સીટો જીતવી હોય તો પક્ષ બદલવો પડશે. તેઓ સારી રીતે જાણે છે કે અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને તેમની સરકારની કલ્યાણકારી યોજનાઓના કારણે 2024માં ભાજપ જીતી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
Dhurandhar Box Office Collection: 'ધુરંધર' બની સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ, 'સ્ત્રી 2', 'છાવા' અને 'જવાન'ને પછાડી
Dhurandhar Box Office Collection: 'ધુરંધર' બની સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ, 'સ્ત્રી 2', 'છાવા' અને 'જવાન'ને પછાડી

વિડિઓઝ

Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ
Hun To Bolish : જુઓ દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : દેવદૂત
Hun To Bolish : હું તો બોલીશ : કેવા હોય કાર્યકર્તા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
Aadhaar PAN Link Last Date: ફક્ત સાત દિવસ બાકી, ફટાફટ કરી લો આ કામ, નહીં તો બેકાર થઈ જશે તમારુ પાન કાર્ડ!
Dhurandhar Box Office Collection: 'ધુરંધર' બની સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ, 'સ્ત્રી 2', 'છાવા' અને 'જવાન'ને પછાડી
Dhurandhar Box Office Collection: 'ધુરંધર' બની સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ, 'સ્ત્રી 2', 'છાવા' અને 'જવાન'ને પછાડી
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર: 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર હવે CMના અગ્ર સચિવ
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
India vs NZ: ભારત સામેની ટક્કર માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, T20 અને ODI માટે અલગ-અલગ કેપ્ટન
AIIMS માં કિશોરીના પાછળ ફાસ્ટફૂડ? 'બહારનું ખાવા'નું કેમ ના પાડે છે નિષ્ણાંતો, જાણો
AIIMS માં કિશોરીના પાછળ ફાસ્ટફૂડ? 'બહારનું ખાવા'નું કેમ ના પાડે છે નિષ્ણાંતો, જાણો
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Video: અમદાવાદના સાણંદમાં 31st પહેલાં દારૂની રેલમછેલ, ટ્રક પલટી જતાં લોકોએ લૂંટ ચલાવી, પોલીસ દોડતી થઈ
Embed widget