શોધખોળ કરો

Bihar Reservation: બિહાર વિધાનસભામાં 75 ટકા અનામત બિલ પાસ  

બિહારમાં અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને પછાત વર્ગો માટે અનામતની મર્યાદા વધારવા સંબંધિત બિલને વિધાનસભાની મંજૂરી મળી ગઈ છે.

Bihar Reservation: બિહારમાં અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને પછાત વર્ગો માટે અનામતની મર્યાદા વધારવા સંબંધિત બિલને વિધાનસભાની મંજૂરી મળી ગઈ છે. બિલમાં અનામત 50 ટકાથી વધારીને 65 ટકા કરવાનો પ્રસ્તાવ છે. EWS આરક્ષણ સહિત તે 75 ટકા થઈ જશે. ભાજપે પણ આ બિલને સમર્થન આપ્યું છે.

મુખ્યમંત્રી નીતિશ કુમારના આ પગલાને લોકસભા ચૂંટણી પહેલા એક મોટો દાવ માનવામાં આવી રહ્યો છે. ચર્ચા દરમિયાન જ નીતિશ કુમાર પૂર્વ સીએમ જીતન રામ માંઝી પર ગુસ્સે થયા હતા. જીતનરામ માંઝીએ પણ  પલટવાર કર્યો હતો. આ સાથે જ સમગ્ર મામલાને લઈને ભાજપે નીતિશ કુમારને ઘેર્યા છે.

નીતિશ કુમારે શું કહ્યું ?


વિધાનસભામાં નીતિશ કુમાર જીતનરામ માંઝી પર ગુસ્સે થયા અને કહ્યું કે તેમને (CM) બનાવ્યા તે મારી મૂર્ખતા હતી. તેમણે કહ્યું, "તેને કોઈ આઈડિયા નથી. આ મારી ભૂલ છે. મેં આ માણસ (જીતનરામ માંઝી)ને સીએમ બનાવ્યો. અમે તેને જાણી જોઈને ત્યાં ભગાડ્યા છે. વર્ષ 2013માં તમને (ભાજપ) છોડી ત્યારે એકલા જ હતા. જ્યારે મેં  તેમને મુખ્યમંત્રી બનાવ્યા ત્યારે બે મહિનામાં જ પાર્ટીના લોકોએ કહેવાનું શરૂ કર્યું કે કંઈક  ગડબડ છે તેમને હટાવવા જોઈએ. અંતે મને આમ કરવાની ફરજ પડી અને ફરી મુખ્યમંત્રી બન્યો. મારી મૂર્ખતાને કારણે તેઓ સીએમ (જીતનરામ માંઝી) બન્યા.

તેમણે ભાજપ પર કટાક્ષ કરતાં કહ્યું કે તેઓ જીતનરામ માંઝીને રાજ્યપાલ કેમ નથી બનાવતા. આ અંગે ભાજપે હંગામો શરૂ કરતાં ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી.

જીતનરામ માંઝીનો પલટવાર 

જીતનરામ માંઝીએ કહ્યું કે જાતિ ગણતરી કાગળ પર થઈ છે. જમીન પર કંઈ નથી. આ અમે કહેવા માગતા હતા, પરંતુ અમને તે કહેવાની મંજૂરી આપવામાં આવી ન હતી. નીતિશ કુમારે માનસિક સંતુલન ગુમાવ્યું છે. આ કારણે તેઓ આમ કરી રહ્યા છે. 

ભાજપે આ માંગ કરી છે

બિહાર વિધાનસભા સંકુલમાં પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે ભાજપે નીતિશ કુમાર પર નિશાન સાધ્યું હતું. વિપક્ષના નેતા અને ભાજપના નેતા વિજય સિંહાએ કહ્યું કે નીતિશ કુમારે જીતન રામ માંઝીનું અપમાન કર્યું છે. આવી સ્થિતિમાં નીતિશ કુમારે તાત્કાલિક માફી માંગવી જોઈએ. સિંહાએ વધુમાં કહ્યું કે નીતિશ કુમારે દલિતોનું અપમાન કર્યું છે. તે દલિત વિરોધી છે.

લાલુ પ્રસાદ યાદવે અભિનંદન પાઠવ્યા હતા

બિહારના પૂર્વ સીએમ અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા લાલુ પ્રસાદ યાદવે બિલ પાસ થવા પર બિહારના લોકોને અભિનંદન પાઠવ્યા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી
મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Embed widget