શોધખોળ કરો

Bihar Reservation: બિહાર વિધાનસભામાં 75 ટકા અનામત બિલ પાસ  

બિહારમાં અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને પછાત વર્ગો માટે અનામતની મર્યાદા વધારવા સંબંધિત બિલને વિધાનસભાની મંજૂરી મળી ગઈ છે.

Bihar Reservation: બિહારમાં અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને પછાત વર્ગો માટે અનામતની મર્યાદા વધારવા સંબંધિત બિલને વિધાનસભાની મંજૂરી મળી ગઈ છે. બિલમાં અનામત 50 ટકાથી વધારીને 65 ટકા કરવાનો પ્રસ્તાવ છે. EWS આરક્ષણ સહિત તે 75 ટકા થઈ જશે. ભાજપે પણ આ બિલને સમર્થન આપ્યું છે.

મુખ્યમંત્રી નીતિશ કુમારના આ પગલાને લોકસભા ચૂંટણી પહેલા એક મોટો દાવ માનવામાં આવી રહ્યો છે. ચર્ચા દરમિયાન જ નીતિશ કુમાર પૂર્વ સીએમ જીતન રામ માંઝી પર ગુસ્સે થયા હતા. જીતનરામ માંઝીએ પણ  પલટવાર કર્યો હતો. આ સાથે જ સમગ્ર મામલાને લઈને ભાજપે નીતિશ કુમારને ઘેર્યા છે.

નીતિશ કુમારે શું કહ્યું ?


વિધાનસભામાં નીતિશ કુમાર જીતનરામ માંઝી પર ગુસ્સે થયા અને કહ્યું કે તેમને (CM) બનાવ્યા તે મારી મૂર્ખતા હતી. તેમણે કહ્યું, "તેને કોઈ આઈડિયા નથી. આ મારી ભૂલ છે. મેં આ માણસ (જીતનરામ માંઝી)ને સીએમ બનાવ્યો. અમે તેને જાણી જોઈને ત્યાં ભગાડ્યા છે. વર્ષ 2013માં તમને (ભાજપ) છોડી ત્યારે એકલા જ હતા. જ્યારે મેં  તેમને મુખ્યમંત્રી બનાવ્યા ત્યારે બે મહિનામાં જ પાર્ટીના લોકોએ કહેવાનું શરૂ કર્યું કે કંઈક  ગડબડ છે તેમને હટાવવા જોઈએ. અંતે મને આમ કરવાની ફરજ પડી અને ફરી મુખ્યમંત્રી બન્યો. મારી મૂર્ખતાને કારણે તેઓ સીએમ (જીતનરામ માંઝી) બન્યા.

તેમણે ભાજપ પર કટાક્ષ કરતાં કહ્યું કે તેઓ જીતનરામ માંઝીને રાજ્યપાલ કેમ નથી બનાવતા. આ અંગે ભાજપે હંગામો શરૂ કરતાં ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી.

જીતનરામ માંઝીનો પલટવાર 

જીતનરામ માંઝીએ કહ્યું કે જાતિ ગણતરી કાગળ પર થઈ છે. જમીન પર કંઈ નથી. આ અમે કહેવા માગતા હતા, પરંતુ અમને તે કહેવાની મંજૂરી આપવામાં આવી ન હતી. નીતિશ કુમારે માનસિક સંતુલન ગુમાવ્યું છે. આ કારણે તેઓ આમ કરી રહ્યા છે. 

ભાજપે આ માંગ કરી છે

બિહાર વિધાનસભા સંકુલમાં પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે ભાજપે નીતિશ કુમાર પર નિશાન સાધ્યું હતું. વિપક્ષના નેતા અને ભાજપના નેતા વિજય સિંહાએ કહ્યું કે નીતિશ કુમારે જીતન રામ માંઝીનું અપમાન કર્યું છે. આવી સ્થિતિમાં નીતિશ કુમારે તાત્કાલિક માફી માંગવી જોઈએ. સિંહાએ વધુમાં કહ્યું કે નીતિશ કુમારે દલિતોનું અપમાન કર્યું છે. તે દલિત વિરોધી છે.

લાલુ પ્રસાદ યાદવે અભિનંદન પાઠવ્યા હતા

બિહારના પૂર્વ સીએમ અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા લાલુ પ્રસાદ યાદવે બિલ પાસ થવા પર બિહારના લોકોને અભિનંદન પાઠવ્યા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પીએમ મોદીએ કેમ પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા કરી અપીલ, સરકારે જણાવ્યું કારણ, કહ્યું - રોજ ₹1000 કરોડ....
પીએમ મોદીએ કેમ પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા કરી અપીલ, સરકારે જણાવ્યું કારણ, કહ્યું - રોજ ₹1000 કરોડ....
પીએમ મોદીનો 15 મેથી 5 દેશોનો પ્રવાસ: વેપાર, ટેકનોલોજી અને વ્યૂહાત્મક સંબંધો પર ખાસ ભાર
પીએમ મોદીનો 15 મેથી 5 દેશોનો પ્રવાસ: વેપાર, ટેકનોલોજી અને વ્યૂહાત્મક સંબંધો પર ખાસ ભાર
પીએમ મોદીની 24 કલાકમાં 2 વખત ઈંધણ બચાવવની અપીલ, પણ લોકડાઉન જેવી સ્થિતિ નથી, જાણો 3 મોટા કારણો
પીએમ મોદીની 24 કલાકમાં 2 વખત ઈંધણ બચાવવની અપીલ, પણ લોકડાઉન જેવી સ્થિતિ નથી, જાણો 3 મોટા કારણો
પીએમ મોદીની દેશને અપીલ: ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ અને સ્કૂલોમાં ઓનલાઈન ક્લાસ ચલાવો
પીએમ મોદીની દેશને અપીલ: ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ અને સ્કૂલોમાં ઓનલાઈન ક્લાસ ચલાવો

વિડિઓઝ

Surat Congress Protest : સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર પર હુમલાના વિરોધમાં રેલી
PM Modi Speech At Sardar Dham : PM મોદીની દેશના નાગરિકોને અપીલ, શાળાઓમાં ઓનલાઇન એજ્યુકેશન પર ભાર
PM Modi Road Show In Vadodara : વડોદરામાં PM મોદીનો ભવ્ય રોડ શો , માનવ મહેરામણ ઉમટ્યું
Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલની ભીષણ આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : PMનો સંદેશ, સંયમથી સમાધાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પીએમ મોદીએ કેમ પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા કરી અપીલ, સરકારે જણાવ્યું કારણ, કહ્યું - રોજ ₹1000 કરોડ....
પીએમ મોદીએ કેમ પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા કરી અપીલ, સરકારે જણાવ્યું કારણ, કહ્યું - રોજ ₹1000 કરોડ....
પીએમ મોદીનો 15 મેથી 5 દેશોનો પ્રવાસ: વેપાર, ટેકનોલોજી અને વ્યૂહાત્મક સંબંધો પર ખાસ ભાર
પીએમ મોદીનો 15 મેથી 5 દેશોનો પ્રવાસ: વેપાર, ટેકનોલોજી અને વ્યૂહાત્મક સંબંધો પર ખાસ ભાર
પીએમ મોદીની 24 કલાકમાં 2 વખત ઈંધણ બચાવવની અપીલ, પણ લોકડાઉન જેવી સ્થિતિ નથી, જાણો 3 મોટા કારણો
પીએમ મોદીની 24 કલાકમાં 2 વખત ઈંધણ બચાવવની અપીલ, પણ લોકડાઉન જેવી સ્થિતિ નથી, જાણો 3 મોટા કારણો
Gen Z ને છે કરિયરનું ટેન્શન? રામચરિતમાનસની આ 3 ચોપાઈઓ આપશે મનની શાંતિ અને સચોટ માર્ગદર્શન
Gen Z ને છે કરિયરનું ટેન્શન? રામચરિતમાનસની આ 3 ચોપાઈઓ આપશે મનની શાંતિ અને સચોટ માર્ગદર્શન
પીએમ મોદીની દેશને અપીલ: ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ અને સ્કૂલોમાં ઓનલાઈન ક્લાસ ચલાવો
પીએમ મોદીની દેશને અપીલ: ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ અને સ્કૂલોમાં ઓનલાઈન ક્લાસ ચલાવો
આવતીકાલનું હવામાન: 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ, 60 kmphની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાન: 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ, 60 kmphની ઝડપે પવન ફૂંકાશે
પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભણકારા: ઈરાનમાંથી 2500થી વધુ ભારતીયોનું રેસ્ક્યુ, MEAનો 24/7 કંટ્રોલ રૂમ શરૂ
પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભણકારા: ઈરાનમાંથી 2500થી વધુ ભારતીયોનું રેસ્ક્યુ, MEAનો 24/7 કંટ્રોલ રૂમ શરૂ
ટ્રમ્પે ઈરાનની શાંતિ ઓફર ફગાવી: ફરી ભયાનક યુદ્ધનાં ભણકારા! ક્રૂડના ભાવમાં મોટો ભડકો
ટ્રમ્પે ઈરાનની શાંતિ ઓફર ફગાવી: ફરી ભયાનક યુદ્ધનાં ભણકારા! ક્રૂડના ભાવમાં મોટો ભડકો
Embed widget