શોધખોળ કરો

Ram Navami: કોલકત્તામાં રામનવમીની શોભાયાત્રા પર હુમલો, ભાજપ સાંસદ સુકાંતા મજૂમદારે કર્યો દાવો

આ અંગે તેમણે મમતા સરકાર અને રાજ્યના પોલીસ વહીવટ પર કટાક્ષ કર્યો હતો. ઉપરાંત આ હુમલાને પૂર્વ-આયોજિત ગણાવ્યો હતો.

પશ્ચિમ બંગાળના ભાજપના પ્રદેશ પ્રમુખ અને સાંસદ ડૉ. સુકાંતા મજુમદારે મોડી રાત્રે દાવો કર્યો હતો કે કોલકાતાના પાર્ક સર્કસ સેવન પોઈન્ટ વિસ્તારમાં રામ નવમીની શોભાયાત્રા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે તેમણે મમતા સરકાર અને રાજ્યના પોલીસ વહીવટ પર કટાક્ષ કર્યો હતો. ઉપરાંત આ હુમલાને પૂર્વ-આયોજિત ગણાવ્યો હતો.

ભાજપના સાંસદ સુકાંતા મજુમદારે એક્સ પર લખ્યું કે રામ નવમી શોભાયાત્રા પરત ફરી રહી હતી ત્યારે કોલકાતાના પાર્ક સર્કસ સેવન પોઈન્ટ્સ વિસ્તારમાં હિન્દુ શ્રદ્ધાળુઓ પર ક્રૂરતાથી હુમલો કરવામાં આવ્યો હતો. ફક્ત ભગવા ધ્વજ રાખવા બદલ વાહનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આના કારણે વાહનોના કાચ તૂટી ગયા હતા. ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઇ હતી.

'ભારતને બચાવવા માટે બંગાળમાંથી ટીએમસીને હટાવવી પડશે'

પોલીસ પર નિશાન સાધતા સુકાંતા મજુમદારે કહ્યું કે હિંસા થઈ ત્યારે પોલીસ ક્યાં હતી? તે ત્યાં હતી અને શાંતિથી બધું જોઈ રહી હતી. તેમણે કહ્યું કે મમતા બેનર્જીનું પોલીસ દળ સંપૂર્ણપણે લકવાગ્રસ્ત લાગે છે. નિર્દોષ હિન્દુઓના રક્ષણ માટે એક પણ પગલું ભરવામાં આવ્યું ન હતું. તેમણે કહ્યું કે આ કાયરતાપૂર્ણ નિષ્ક્રિયતા એક વાત સાબિત કરે છે કે રામ નવમી દરમિયાન બંગાળી હિન્દુઓની ગર્જનાએ વ્યવસ્થાને હચમચાવી નાખી છે. ભાજપના સાંસદે કહ્યું કે મમતાની પ્રિય 'શાંતિ વાહિની' શાંતિપૂર્ણ નથી, તેઓ નર્વસ અને ડરી ગયા છે.

'આવતા વર્ષે આપણે આનાથી પણ મોટી શોભાયાત્રા કાઢીશું'

ભાજપના સાંસદે X પરની પોસ્ટમાં કોલકાતા પોલીસને ટેગ કરી અને લખ્યું કે આ તો માત્ર શરૂઆત છે. અમે કોલકાતાને વચન આપીએ છીએ કે આવતા વર્ષે રામ નવમીની શોભાયાત્રા પાર્ક સર્કસ થઇને પસાર થશે. તે વધુ મોટી, મજબૂત અને શક્તિશાળી હશે. તેમણે વધુમાં કહ્યું કે જે પોલીસકર્મીઓ આજે ચૂપ રહ્યા હતા તેઓ જ આપણા પર ફૂલો વરસાવશે. આ શબ્દો યાદ રાખો.

શોભાયાત્રા માટે પરવાનગી લેવામાં આવી ન હતી: પોલીસ

કોલકાતા પોલીસે કહ્યું કે પાર્ક સર્કસમાં બનેલી કથિત ઘટનાના સંદર્ભમાં એ સ્પષ્ટ કરવામાં આવે છે કે કોઈ પણ શોભાયાત્રા માટે કોઈ પરવાનગી લેવામાં આવી ન હતી. વાહનને થયેલા નુકસાનની માહિતી મળતાં પોલીસે તાત્કાલિક હસ્તક્ષેપ કર્યો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી. તપાસ માટે કેસ નોંધવામાં આવી રહ્યો છે. લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ કોઈપણ અફવાઓ પર ધ્યાન ન આપે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget