Ram Navami: કોલકત્તામાં રામનવમીની શોભાયાત્રા પર હુમલો, ભાજપ સાંસદ સુકાંતા મજૂમદારે કર્યો દાવો
આ અંગે તેમણે મમતા સરકાર અને રાજ્યના પોલીસ વહીવટ પર કટાક્ષ કર્યો હતો. ઉપરાંત આ હુમલાને પૂર્વ-આયોજિત ગણાવ્યો હતો.

પશ્ચિમ બંગાળના ભાજપના પ્રદેશ પ્રમુખ અને સાંસદ ડૉ. સુકાંતા મજુમદારે મોડી રાત્રે દાવો કર્યો હતો કે કોલકાતાના પાર્ક સર્કસ સેવન પોઈન્ટ વિસ્તારમાં રામ નવમીની શોભાયાત્રા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે તેમણે મમતા સરકાર અને રાજ્યના પોલીસ વહીવટ પર કટાક્ષ કર્યો હતો. ઉપરાંત આ હુમલાને પૂર્વ-આયોજિત ગણાવ્યો હતો.
ભાજપના સાંસદ સુકાંતા મજુમદારે એક્સ પર લખ્યું કે રામ નવમી શોભાયાત્રા પરત ફરી રહી હતી ત્યારે કોલકાતાના પાર્ક સર્કસ સેવન પોઈન્ટ્સ વિસ્તારમાં હિન્દુ શ્રદ્ધાળુઓ પર ક્રૂરતાથી હુમલો કરવામાં આવ્યો હતો. ફક્ત ભગવા ધ્વજ રાખવા બદલ વાહનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આના કારણે વાહનોના કાચ તૂટી ગયા હતા. ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઇ હતી.
As the Ram Navami procession returned, Hindu devotees were savagely attacked in Kolkata’s Park Circus Seven Point area. Stones rained down on vehicles just for carrying saffron flags. Windshields shattered. Chaos unleashed. This wasn’t random—it was targeted violence. And where… pic.twitter.com/Ed74Xbi2K6
— Dr. Sukanta Majumdar (@DrSukantaBJP) April 6, 2025
'ભારતને બચાવવા માટે બંગાળમાંથી ટીએમસીને હટાવવી પડશે'
પોલીસ પર નિશાન સાધતા સુકાંતા મજુમદારે કહ્યું કે હિંસા થઈ ત્યારે પોલીસ ક્યાં હતી? તે ત્યાં હતી અને શાંતિથી બધું જોઈ રહી હતી. તેમણે કહ્યું કે મમતા બેનર્જીનું પોલીસ દળ સંપૂર્ણપણે લકવાગ્રસ્ત લાગે છે. નિર્દોષ હિન્દુઓના રક્ષણ માટે એક પણ પગલું ભરવામાં આવ્યું ન હતું. તેમણે કહ્યું કે આ કાયરતાપૂર્ણ નિષ્ક્રિયતા એક વાત સાબિત કરે છે કે રામ નવમી દરમિયાન બંગાળી હિન્દુઓની ગર્જનાએ વ્યવસ્થાને હચમચાવી નાખી છે. ભાજપના સાંસદે કહ્યું કે મમતાની પ્રિય 'શાંતિ વાહિની' શાંતિપૂર્ણ નથી, તેઓ નર્વસ અને ડરી ગયા છે.
With reference to an alleged incident at Park Circus, it is clarified that no permission was taken for any procession, nor did any such movement occur in the area. Upon receiving information about damage to a vehicle, police intervened promptly to restore order. A case is being…
— Kolkata Police (@KolkataPolice) April 6, 2025
'આવતા વર્ષે આપણે આનાથી પણ મોટી શોભાયાત્રા કાઢીશું'
ભાજપના સાંસદે X પરની પોસ્ટમાં કોલકાતા પોલીસને ટેગ કરી અને લખ્યું કે આ તો માત્ર શરૂઆત છે. અમે કોલકાતાને વચન આપીએ છીએ કે આવતા વર્ષે રામ નવમીની શોભાયાત્રા પાર્ક સર્કસ થઇને પસાર થશે. તે વધુ મોટી, મજબૂત અને શક્તિશાળી હશે. તેમણે વધુમાં કહ્યું કે જે પોલીસકર્મીઓ આજે ચૂપ રહ્યા હતા તેઓ જ આપણા પર ફૂલો વરસાવશે. આ શબ્દો યાદ રાખો.
શોભાયાત્રા માટે પરવાનગી લેવામાં આવી ન હતી: પોલીસ
કોલકાતા પોલીસે કહ્યું કે પાર્ક સર્કસમાં બનેલી કથિત ઘટનાના સંદર્ભમાં એ સ્પષ્ટ કરવામાં આવે છે કે કોઈ પણ શોભાયાત્રા માટે કોઈ પરવાનગી લેવામાં આવી ન હતી. વાહનને થયેલા નુકસાનની માહિતી મળતાં પોલીસે તાત્કાલિક હસ્તક્ષેપ કર્યો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી. તપાસ માટે કેસ નોંધવામાં આવી રહ્યો છે. લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ કોઈપણ અફવાઓ પર ધ્યાન ન આપે.





















