શોધખોળ કરો

COVID 19: નવ રાજ્યમાં ઝડપથી વધી રહ્યા છે કોરોનાના કેસ, સ્વાસ્થ્ય મંત્રાલયે યોજી બેઠક

રાજ્યોને પ્રથમ, બીજા અને બુસ્ટર ડોઝ માટે મફત કોવિડ-19 રસીકરણને ઝડપી બનાવવા માટે કહેવામાં આવ્યું હતું

ભારતમાં કોરોના (કોવિડ-19)ના કેસ વધી રહ્યા છે, તેથી આજે કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કેરળ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, આસામ, આંધ્રપ્રદેશ, હિમાચલ પ્રદેશ, મિઝોરમના 9 રાજ્યો અને અરુણાચલ પ્રદેશમાં કોવિડ-19ની સ્થિતિની સમીક્ષા કરવા માટે આજે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ રાજ્યોમાં નવા કેસ વધી રહ્યા છે અને કેટલાકમાં પોઝિટિવીટી રેટ  ઘણો ઊંચો છે. તેથી, આ રાજ્યોમાં કોવિડના સર્વેલન્સ, નિયંત્રણ અને વ્યવસ્થાપન માટેના જાહેર આરોગ્ય પગલાંની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશમાં પ્રતિ મિલિયન વસ્તી પર સરેરાશ પરીક્ષણ રાષ્ટ્રીય સરેરાશ કરતા ઓછું છે. RT-PCR પરીક્ષણોનો હિસ્સો મિઝોરમ, અરુણાચલ પ્રદેશ અને આસામમાં ઘણો ઓછો છે અને હિમાચલ પ્રદેશ, કેરળ અને પશ્ચિમ બંગાળ રાજ્યોમાં રાષ્ટ્રીય સરેરાશ કરતા ઓછો છે.

નીતિ આયોગના સભ્યો પણ હાજર રહ્યા

આ રાજ્યોને RT-PCR ટેસ્ટ ઘટતા તેમાં તાત્કાલિક સુધારો કરવા અને પ્રતિ મિલિયન સરેરાશ દૈનિક ટેસ્ટિંગમાં સુધારો કરવાનું કહેવામાં આવ્યું છે. આ બેઠકમાં નીતિ આયોગના હેલ્થ મેમ્બર ડૉ. વિનોદ પોલ પણ હાજર રહ્યા હતા.

બેઠકમાં શું સૂચના આપવામાં આવી?

કેન્દ્રીય આરોગ્ય સચિવે કોવિડ નિયંત્રણ અને વ્યવસ્થાપન વ્યૂહરચના અંગે કેટલીક માર્ગદર્શિકા અને સલાહ આપી છે. ઉચ્ચ પોઝિટિવીટી રેટની જાણ કરતા તમામ જિલ્લાઓએ વધુ RTPCR ટેસ્ટિંગ કરવાની જરૂર છે. કોઈપણ બેદરકારી આ જિલ્લાઓમાં પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. હોમ આઇસોલેશનના કેસો પર અસરકારક અને કડક રીતે દેખરેખ રાખવાની જરૂર છે જેથી કરીને તેઓ તેમના પડોશ, સમુદાય, ગામ, મહોલ્લા, વોર્ડમાં ભળી ન જાય અને ચેપ ન ફેલાવે.

રાજ્યોને 9 જૂન, 2022ના રોજ બહાર પાડવામાં આવેલી સુધારેલી સર્વેલન્સ વ્યૂહરચના અનુસાર દેખરેખ રાખવા સલાહ આપવામાં આવી હતી. તેઓને વધુમાં જિલ્લાવાર SARI (ગંભીર તીવ્ર શ્વાસોચ્છવાસની બીમારી) અને ILI (ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી)ના કેસોની દૈનિક ધોરણે જાણ કરવા નિર્દેશ આપવામાં આવ્યો હતો. તેમજ આને જીનોમ સિક્વન્સીંગ માટે મેપ કરેલ INSACG પ્રયોગશાળાઓમાં મોકલવાના રહેશે.

રાજ્યોને પ્રથમ, બીજા અને બુસ્ટર ડોઝ માટે મફત કોવિડ-19 રસીકરણને ઝડપી બનાવવા માટે કહેવામાં આવ્યું હતું. ઉપરાંત, રાજ્યોને 30મી સપ્ટેમ્બર, 2022 સુધીમાં 'કોવિડ રસીકરણ અમૃત મહોત્સવ' હેઠળ 18+ વસ્તી માટે મફત રસીકરણના ડોઝના અમલીકરણને ઝડપી બનાવવા માટે કહેવામાં આવ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
US Firing: અમેરિકામાં એક ઘરમાં પાર્ટી દરમિયાન થયું ફાઇરિનગ, 4 લોકોના મૃત્ય
US Firing: અમેરિકામાં એક ઘરમાં પાર્ટી દરમિયાન થયું ફાઇરિનગ, 4 લોકોના મૃત્ય
Embed widget