શોધખોળ કરો

દિલ્હીમાં CMના શપથનો સમય બદલાયો, AAP નેતા ગોપાલ રાયે મુખ્યમંત્રી નામને લઇને કર્યો આ ખુલાસો

Delhi CM Oath Taking Ceremony: દિલ્હીના મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહ માટે રામલીલા મેદાનમાં તૈયારીઓ ચાલી રહી છે. દરમિયાન મુખ્યપ્રધાનના શપથનો સમય બદલાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Delhi CM Oath Taking Ceremony: દિલ્હીના મુખ્યમંત્રીના શપથ ગ્રહણનો સમય બદલાઈ ગયો છે. હવે શપથ સમારોહ 20 ફેબ્રુઆરીએ રાત્રે 11 વાગ્યે યોજાશે. અગાઉ તેનો સમય સાંજે સાડા ચાર વાગ્યાનો હતો. શપથ સમારોહ દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાશે.

 આમ આદમી પાર્ટી (AAP) એ તૈયારીઓ વચ્ચે મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરવામાં વિલંબને લઈને ભાજપ પર નિશાન સાધ્યું છે. AAPના દિલ્હી પ્રદેશ સંયોજક ગોપાલ રાયે કહ્યું કે ભારતના ઈતિહાસમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે કે લગ્નની સરઘસ તૈયાર થઈ ગઈ છે, મંડપ પણ તૈયાર છે, પરંતુ ભાજપ હજુ પણ એ નક્કી કરી શક્યું નથી કે વર કોણ હશે.

 તેમણે કહ્યું, "ભાજપ બધું કરી રહી છે, પરંતુ હજુ સુધી મુખ્યમંત્રી નક્કી કરવામાં સક્ષમ નથી. અત્યાર સુધી ભાજપે પોતાના ધારાસભ્ય દળની બેઠક પણ યોજી નથી, આ ભાજપ છે, આગામી પાંચ વર્ષમાં આવા વધુ રેકોર્ડ બનાવશે. ભાજપ પોતાના આંતરિક વિખવાદને છુપાવવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહી છે. ભાજપે દિલ્હીની જનતાને આપેલા વચનો પૂરા કરવા જોઈએ.

 દિલ્હીમાં નવી સરકારની રચના અને શપથવિધિની તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન સૂત્રો પાસેથી મોટી માહિતી બહાર આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીના મુખ્યમંત્રીના શપથ ગ્રહણ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પૂર્વ મુખ્યમંત્રી આતિશીને આમંત્રિત કરવામાં આવશે. આ સિવાય દિલ્હીના તમામ 250 ઝૂંપડપટ્ટીવાસીઓ અને વડાઓને આમંત્રિત કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ધાર્મિક નેતાઓને પણ આમંત્રિત કરવામાં આવશે. શપથ ગ્રહણ સમારોહ માટે દિલ્હીના એક લાખ લોકોને આમંત્રિત કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

નોંઘનિય છે કે,  હજુ સુધી ભાજપે દિલ્હીના મુખ્યમંત્રીના નામને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. જો કે શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભાજપના મહાસચિવ વિનોદ તાવડે, તરુણ ચુગ અને પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા વચ્ચે આ સંબંધમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવી હતી.                                                                      

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Shani Amavasya 2025 : શનિ મંદિરમાં ઉમટી ભક્તોની ભીડ, જુઓ અહેવાલVikram Thakor : વિક્રમ ઠાકોરે છેડ્યો વધુ એક વિવાદ , શું આપ્યું સ્ફોટક નિવેદન?Gujarat Weather : ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે માવઠું?  હવામાન વિભાગની મોટી આગાહીRajkot Accident Case : રાજકોટ અકસ્માતમાં નબીરાને બચાવવાનો પ્રયાસ?  ડ્રાઇવર બદલી નાંખ્યાનો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, એન્કાઉન્ટરમાં 16 નક્સલીઓ ઠાર, દાંતેવાડા બોર્ડર પર સર્ચ ઓપરેશન તેજ
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Earthquake: દિવસે તબાહી મચાવ્યા બાદ મ્યાનમારમાં અડધી રાત્રે ફરી આવ્યો ભૂકંપ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Embed widget