મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શિક્ષક દિવસ પર કરી મોટી જાહેરાત, હવે તમામ શિક્ષકોને મળશે...
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શિક્ષક દિવસ નિમિત્તે રાજ્યના શિક્ષકો માટે એક મોટી જાહેરાત કરી છે.

લખનઉ: ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શિક્ષક દિવસ નિમિત્તે રાજ્યના શિક્ષકો માટે એક મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટી જાહેરાત કરતા કહ્યું કે હવે રાજ્યના તમામ શિક્ષકોને કેશલેસ સારવારની સુવિધાનો લાભ મળશે. પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, ભંડોળ પ્રાપ્ત શાળાઓના તમામ શિક્ષકોને આ સુવિધા મળશે. શિક્ષા મિત્ર, પ્રશિક્ષકો અને રસોઈયાઓને પણ કેશલેસ સાથે જોડવામાં આવશે.
યોગી સરકારની આ પહેલ શિક્ષણ ક્ષેત્રમાં કામ કરતા લાખો પરિવારો માટે દિવાળી પહેલા મોટી ભેટથી ઓછી માનવામાં આવી રહી નથી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા શિક્ષક દિવસ પર તમામ શિક્ષકોને આ મોટી ભેટ આપવામાં આવી છે.
सभी शिक्षकों को...
— Yogi Adityanath (@myogiadityanath) September 5, 2025
हम कैशलेस उपचार की व्यवस्था का लाभ देंगे... pic.twitter.com/Vs88XgHiby
9 લાખ પરિવારોને લાભ થશે
આ નિર્ણયથી ઉત્તરપ્રદેશના 9 લાખ પરિવારોને ફાયદો થશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, તેમની સેવાને ધ્યાનમાં રાખીને સરકારે તેમના સ્વાસ્થ્ય અંગે આ ઐતિહાસિક નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી યોગીએ આ પછી એમ પણ કહ્યું કે આગામી સમયમાં શિક્ષા મિત્ર અને પ્રશિક્ષકોના માનદ વેતનમાં વધારો કરવા માટે એક સમિતિની પણ રચના કરવામાં આવી છે. સમિતિનો રિપોર્ટ ટૂંક સમયમાં આવવાનો છે, જેના પછી તેમના માનદ વેતનમાં વધારો કરવામાં આવશે.
सभी शिक्षकों को चाहे वह प्राथमिक, उच्च प्राथमिक, माध्यमिक, सहायता प्राप्त विद्यालयों और महाविद्यालयों के हों… इन सभी को हम कैशलेस उपचार की व्यवस्था का लाभ देंगे।
— CM Office, GoUP (@CMOfficeUP) September 5, 2025
साथ ही, शिक्षामित्र, अनुदेशक और रसोइया को भी हम इसके साथ जोड़ेंगे। प्रदेश के लगभग 09 लाख शिक्षक यानि 09 लाख परिवार… pic.twitter.com/ErO81ShsbS
શિક્ષકોએ શું કહ્યું ?
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આ નિર્ણયનું શિક્ષકો અને શિક્ષણ સંબંધિત સંગઠનોએ ઉમળકાભેર સ્વાગત કર્યું છે. તેમનું માનવું છે કે લાંબા સમયથી શિક્ષકોની સૌથી મોટી ચિંતા તેમના સ્વાસ્થ્ય ખર્ચની હતી, પરંતુ હવે સરકારની આ પહેલ તેમને મોટી રાહત આપશે.
5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી
દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે. ભારતના બીજા રાષ્ટ્રપતિ અને મહાન શિક્ષક ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિનની ઉજવણી માટે બધા ભારતીયો શિક્ષક દિવસ ઉજવે છે.





















