શોધખોળ કરો

સોનમ વાંગચુકને જંતર-મંતરથી હટાવવા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, પવન ખેડા બોલ્યા- 'ગઈકાલે કમિશનર બદલાયા અને આજે...'

Jantar Mantar Protest: જંતર-મંતરથી સોનમ વાંગચુકને હોસ્પિટલ લઈ ગયા બાદ કોંગ્રેસ નેતા પવન ખેડાએ કેન્દ્ર સરકાર અને ગૃહ મંત્રાલય પર આકરા પ્રહારો કર્યા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સોનમ વાંગચુકને જંતર-મંતરથી તબિયત બગડતા હોસ્પિટલ ખસેડાયા.
  • પવન ખેડાએ શાંતિપૂર્ણ પ્રદર્શનો દબાવવાનો સરકાર પર આરોપ લગાવ્યો.
  • અન્ય પ્રદર્શનકારીઓ અડગ, ત્રણ વિદ્યાર્થીઓની તબિયત બગડી રહી છે.

Jantar Mantar Protest: જંતર-મંતરથી સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકને હોસ્પિટલ લઈ જવાની કાર્યવાહી બાદ કોંગ્રેસ નેતા પવન ખેડાએ કેન્દ્ર સરકાર અને ગૃહ મંત્રાલય પર તીખો હુમલો કર્યો. તેમણે કહ્યું કે આપણા બંધારણે દરેક નાગરિકને પોતાની વાત રાખવાનો અને શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર આપ્યો છે. પરંતુ એવું લાગે છે કે ગૃહ મંત્રાલય આ અધિકારને ખતમ કરવા માંગે છે. દિલ્હી પોલીસ સીધી ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે. ગૃહ મંત્રાલયે જ એક દિવસ પહેલા જૂના કમિશનરને હટાવીને દિલ્હીના નવા પોલીસ કમિશનરની નિમણૂક કરી હતી. જો તેમની પહેલી મોટી કાર્યવાહી શાંતિપૂર્ણ પ્રદર્શન પર કડકાઈ કરવાની હોય, તો આ ચિંતાની વાત છે. આનાથી લાગે છે કે સરકાર બંધારણ કરતાં રાજકીય આદેશોને વધુ મહત્વ આપી રહી છે.

 

તેમણે આગળ કહ્યું, "પહેલા મહિલા કુસ્તીબાજોના પ્રદર્શનમાં કાર્યવાહી થઈ, પછી પૂર્વ સૈનિકો સાથે પણ કડકાઈ કરવામાં આવી. હવે સોનમ વાંગચુક અને પ્રદર્શનકારીઓ સામે થયેલી કાર્યવાહીથી પણ એ જ સંદેશ મળે છે કે સરકાર શાંતિપૂર્ણ વિરોધને લોકતાંત્રિક અધિકાર નહીં, પરંતુ કાયદો અને વ્યવસ્થાની સમસ્યા માની રહી છે. આ દુઃખની વાત છે કે દુનિયાના સૌથી મોટા લોકતંત્રમાં લોકતાંત્રિક અધિકારોને આ રીતે દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે."

આ પણ વાંચો...ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન

બગડતી તબિયત બાદ હોસ્પિટલ પહોંચ્યા સોનમ વાંગચુક

આ દરમિયાન, જંતર-મંતર પર અનિશ્ચિત મુદતની ભૂખ હડતાળ કરી રહેલા સોનમ વાંગચુકને અનશનના 21મે દિવસે બગડતી તબિયત બાદ સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. દિલ્હી પોલીસે જણાવ્યું કે આ કાર્યવાહી તબીબી નિષ્ણાતોની સલાહ અને દિલ્હી હાઈકોર્ટના નિર્દેશો અનુસાર કરવામાં આવી છે.

હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, લાંબા સમયથી ભૂખ હડતાળ અને શરીરમાં પાણીની અછતને કારણે વાંગચુક ખૂબ જ નબળા પડી ગયા છે. જો કે તેમની હાલત હાલ સ્થિર છે, પરંતુ તેમને સતત મેડિકલ દેખરેખ અને સારવારની જરૂર છે.

પોલીસનો દાવો- કાર્યવાહી શાંતિપૂર્ણ રહી

દિલ્હી પોલીસે જણાવ્યું કે હોસ્પિટલ લઈ જવા દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓએ કાર્યવાહીમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેનાથી થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસનું કહેવું છે કે સમગ્ર કાર્યવાહી મહત્તમ સંયમ સાથે પૂર્ણ કરવામાં આવી છે. સાથે જ પ્રદર્શનકારીઓને જંતર-મંતર શાંતિપૂર્ણ રીતે ખાલી કરવાની અપીલ પણ કરવામાં આવી છે.

અભિજીત દીપકેના આક્ષેપો, અનશન શરૂ

કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દીપકેએ આક્ષેપ કર્યો કે પોલીસે તેમની સાથે મારપીટ કરી અને થોડા સમય માટે કસ્ટડીમાં રાખ્યા. તેમણે દેશભરમાં વિરોધ પ્રદર્શનનું આહવાન કરતા પોતે પણ અનિશ્ચિત મુદતની ભૂખ હડતાળ શરૂ કરવાની જાહેરાત કરી છે.

વિદ્યાર્થીઓ હજુ પણ અડગ, સ્વાસ્થ્ય અંગે ચિંતા વધી

આંદોલનના 21મે દિવસે પણ આઈસા (AISA) ના સભ્યો નેહા, આમીન અને મનીષ ભૂખ હડતાળ પર બેઠેલા રહ્યા. સંગઠનનો દાવો છે કે પ્રદર્શનકારીઓએ ત્રણેય વિદ્યાર્થીઓની આસપાસ માનવ સાંકળ (Human Chain) બનાવીને તેમને હટાવવાનો પ્રયાસ નિષ્ફળ બનાવી દીધો. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, ત્રણેય વિદ્યાર્થીઓની તબિયત સતત બગડી રહી છે. નેહાનું બ્લડ શુગર ખતરનાક સ્તરે પહોંચી ગયું છે, આમીનને શરીરમાં પાણીની ભારે અછત છે અને મનીષનું વજન 10 કિલોથી વધુ ઘટી ગયું છે.

આ પહેલા સોનમ વાંગચુક એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે 20 દિવસની ભૂખ હડતાળ દરમિયાન તેમના શરીરનો લગભગ 20 ટકા ભાગ ક્ષીણ થઈ ચૂક્યો છે, પરંતુ તેઓ વિદ્યાર્થીઓના સમર્થનમાં પોતાનું અનશન ચાલુ રાખવા માટે કટિબદ્ધ છે.

Frequently Asked Questions

સોનમ વાંગચુકને શા માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા?

21 દિવસની ભૂખ હડતાળ બાદ તેમની તબિયત બગડતાં, તબીબી સલાહ અને દિલ્હી હાઈકોર્ટના નિર્દેશો અનુસાર તેમને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

પવન ખેડાએ કેન્દ્ર સરકાર અને ગૃહ મંત્રાલય પર શા માટે હુમલો કર્યો?

તેમણે દાવો કર્યો કે બંધારણીય શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર ખતમ થઈ રહ્યો છે. તેમને લાગે છે કે ગૃહ મંત્રાલય શાંતિપૂર્ણ પ્રદર્શનોને કાયદો અને વ્યવસ્થાની સમસ્યા માની રહ્યું છે.

જંતર-મંતર પર વિદ્યાર્થી પ્રદર્શનકારીઓની વર્તમાન સ્થિતિ શું છે?

આઈસાના સભ્યો નેહા, આમીન અને મનીષ હજુ પણ ભૂખ હડતાળ પર છે. ડોકટરોના જણાવ્યા અનુસાર, ત્રણેય વિદ્યાર્થીઓની તબિયત સતત બગડી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
આવતીકાલનું હવામાનઃ 10 રાજ્યોમાં તબાહી મચાવશે વરસાદ: 80 kmph ની ઝડપે ફૂંકાશે પવન, IMDનું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ 10 રાજ્યોમાં તબાહી મચાવશે વરસાદ: 80 kmph ની ઝડપે ફૂંકાશે પવન, IMDનું એલર્ટ
વિદ્યાર્થી આંદોલનના પહેલા દિવસે જ ધર્મેન્દ્ર પ્રધાને કરી હતી રાજીનામાની ઓફર: ભાજપ નેતાનો મોટો દાવો
વિદ્યાર્થી આંદોલનના પહેલા દિવસે જ ધર્મેન્દ્ર પ્રધાને કરી હતી રાજીનામાની ઓફર: ભાજપ નેતાનો મોટો દાવો
18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, જાણો વધુ અપડેટ્
18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, જાણો વધુ અપડેટ્
Advertisement

વિડિઓઝ

Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી
Ahmedabad Mayor: અમદાવાદના મેયર બન્યા લોકોના રોષનો ભોગ
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
Ahmedabad Water Logging : ઘરોમાં ઘૂસ્યા, પાણી વાત કરતાં કરતાં મહિલા રડી પડી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું
શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
Embed widget