શોધખોળ કરો

રાજસ્થાનમાં આજે કૉંગ્રેસનું ધરણા પ્રદર્શન, તમામ જિલ્લા મુખ્યાલય પર પ્રદર્શન કરશે કાર્યકર્તા

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે સરકાર જનતાના બહુમતથી બને છે, રાજ્યપાલે વિધાનસભા સત્ર બોલાવવું જોઈએ.

જયપુર: કૉંગ્રેસ આજે સમગ્ર રાજ્યમાં દરેક જિલ્લા મુખ્યાલય પર પર્દર્શન કરશે. આ પ્રદર્શન આજે સવારે 11 વાગ્યે થશે. પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ ગોવિંદ ડોટાસરાએ કાલે ટ્વિટ કરી કહ્યું, 'ભાજપા દ્વારા રાજસ્થાનમાં લોકતંત્રની હત્યાના ષડયંત્રની વિરૂદ્ધ કાલે (શનિવાર) સવારે 11 વાગ્યે તમામ જિલ્લા મુખ્યાલયો પર કૉંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવશે.'
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે સરકાર જનતાના બહુમતથી બને છે, રાજ્યપાલે વિધાનસભા સત્ર બોલાવવું જોઈએ. રાહુલ ગાંધીએ #ArrogantBJP સાથે ટ્વિટ કરતા કહ્યું, 'દેશમાં સંવિધાન અને કાયદાનું સાશન છે. સરકાર જનતાથી બહુમતથી બને છે અને ચાલે છે. રાજ્યપાલ મહોદયે વિધાનસભાનું સત્ર બોલાવવું જોઈએ એટલે સત્ય દેશ સામે આવે.'
રાજસ્થાનના રાજકારણમાં દિન-પ્રતિદિન રસપ્રદ વળાંક આવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે રાજસ્થાનના રાજકારણ અંગે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય રજૂ કર્યો કે વિરોધ વ્યક્ત કરવો તે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો એક ભાગ છે. ત્યારબાદ રાજસ્થાન હાઈકોર્ટે સચિન પાયલટને મોટી રાહત આપી છે. એટલે કે સ્પીકર ઈચ્છતા હોવા છતાં પણ પાયલટ તથા તેમના 18 સાથી ધારાસભ્યો સામે કોઈ કાર્યવાહી ન કરી શકે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે રાજ્યપાલ એક અત્યંત મહત્વની ભૂમિકા સાથે ઉભરી આવ્યા છે. વિધાનસભાનું સત્ર બોલાવવા અંગે અશોક ગેહલોત અને રાજભવન વચ્ચે ટકરાવ શરૂ થઈ ગયો છે. ગેહલોત વિધાનસભા સત્ર બોલાવવાની માગ સાથે ધારાસભ્યોને લઈ રાજભવન પહોંચ્યા હતા. અહીં ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ધરણા કર્યા. રાજભવનમાં ધારાસભ્યોની ધરણા કરવાની ઘટના અંગે રાજ્યપાલ કલરાજ મિશ્રએ મુખ્યમંત્રી અશોક ગેહલોતને પત્ર લખ્યો અને પૂછ્યું કે ધારાસભ્યોના રાજભવન સામે ધરણા કરવા ખોટો ટ્રેન્ડ નથી ? રાજ્યપાલ કલરાજ મિશ્ર ધારાસભ્યોને મળવા માટે આવ્યા અને કહ્યું કે આટલી શોર્ટ નોટિસ પર વિધાનસભાનું સત્ર બોલાવવું શક્ય નથી. ગેહલોતે મુલાકાત બાદ કહ્યું- આશા છે કે બંધારણીય હોદ્દા પર બેઠેલા રાજ્યપાલ તેમનું કર્તવ્ય નિભાવશે. કોરોનાના વધતા કેસના કારણે રાજ્યપાલ હાલ વિધાનસભા સત્ર બોલાવવાના પક્ષમાં નથી. રાજભવન ઘેરવાની ધમકી પર રાજ્યપાલે પોતાની સુરક્ષા જ ન હોવાનો બોંબ ફોડ્યો અને કહ્યું- હવે કઈ એજન્સી પાસે સુરક્ષા માગવી. જો કે, આજે ફરી ગેહલોત સરકાર સત્ર બોલાવવા માટે રાજ્યપાલને પ્રસ્તાવ મોકલશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અખિલેશ યાદવનું મોટું નિવેદન,
અખિલેશ યાદવનું મોટું નિવેદન, "અમે બધા લોકો મળીને નીતિશ કુમારને પ્રધાનમંત્રી..."
JDU એ CM પદ માટે ઠોક્યો દાવો, ધારાસભ્યોની માંગ , 'નિશાંત કુમારને બનાવવામાં આવે મુખ્યમંત્રી'
JDU એ CM પદ માટે ઠોક્યો દાવો, ધારાસભ્યોની માંગ , 'નિશાંત કુમારને બનાવવામાં આવે મુખ્યમંત્રી'
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
Russian oil: ભારતને તેલ ખરીદવા માટે 'પરવાનગી'ની જરૂર નથી
Russian oil: ભારતને તેલ ખરીદવા માટે 'પરવાનગી'ની જરૂર નથી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોળી સમાજમાં કેમ પડ્યા બે ભાગ ?
Hun To Bolish | હું તો બોલીશ | આ પનીર ન ખાતા
Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈરાન કોઈ શરત વગર સરેન્ડર કરે, તેમાં જ ભલાઈ', ડૉનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી 
'ઈરાન કોઈ શરત વગર સરેન્ડર કરે, તેમાં જ ભલાઈ', ડૉનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી 
8th Pay Commission: સરકારી કર્મચારી અને પેન્શનર્સને બખ્ખા! આ ફોર્મ્યૂલાથી 34 હજારથી વધુ હશે મિનિમમ સેલેરી?
8th Pay Commission: સરકારી કર્મચારી અને પેન્શનર્સને બખ્ખા! આ ફોર્મ્યૂલાથી 34 હજારથી વધુ હશે મિનિમમ સેલેરી?
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
Middle East Tensions: US-ઈરાન યુદ્ધની ભારત પર થઈ રહી છે આ 5 મોટી સાઈડ ઈફેક્ટ, જાણો 
Middle East Tensions: US-ઈરાન યુદ્ધની ભારત પર થઈ રહી છે આ 5 મોટી સાઈડ ઈફેક્ટ, જાણો 
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
Embed widget