શોધખોળ કરો

Controversy : રામકથામાં જ કુમાર વિશ્વાસનો 'કકળાટ', RSSને અભણ કહેતા વિવાદ

ભાજપના નેતાઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો કુમાર વિશ્વાસ માફી નહીં માંગે તો તેમની રામકથા કોઈપણ હિસાબે થવા દેવામાં નહીં આવે.

Kumar Vishwas News: મધ્ય પ્રદેશના સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત રામ કથામાં કવિ કુમાર વિશ્વાસે રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ (આરએસએસ) વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરીને વિવાદ સર્જ્યો છે. કુમાર વિશ્વાસે રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘને અભણ ગણાવતા રાજકીય ખળભળાટ મચા જવા પામ્યો છે. આ વિવાદાસ્પદ નિવેદન બાદ વિશ્વાસ ભાજપ અને આરએસએસના નિશાને છે. 

ભાજપના નેતાઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો કુમાર વિશ્વાસ માફી નહીં માંગે તો તેમની રામકથા કોઈપણ હિસાબે થવા દેવામાં નહીં આવે.

મધ્ય પ્રદેશના સંસ્કૃતિ વિભાગ દ્વારા ઉજ્જૈનમાં ત્રણ દિવસીય રામ કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેનું વર્ણન કવિ કુમાર વિશ્વાસે તેમના વક્તવ્ય દ્વારા કર્યું છે. રામ કથા દરમિયાન કુમાર વિશ્વાસે અચાનક જ આરએસએસ અને ડાબેરી પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, જ્યાં ડાબેરીઓ કુભણ છે, ત્યાં સંઘ અભણ છે. આ નિવેદનને લઈને ભાજપ અને સંઘના નેતાઓએ કુમાર વિશ્વાસ પર પ્રહારો કર્યા છે. ભાજપના નેતા અને ઉજ્જૈન મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ અધ્યક્ષ સોનુ ગેહલોતે કહ્યું હતું કે, જો કુમાર વિશ્વાસ મંચ પરથી જ માફી નહીં માંગે તો તેમનો કાર્યક્રમ ઉજ્જૈનમાં થવા દેવામાં આવશે નહીં.

રામ કથાના પહેલા જ દિવસે કુમાર વિશ્વાસ બરાબરના વિવાદોમાં ફસાઈ ગયા હતા. હજુ 2 દિવસ કથાનું આયોજન કરવામાં આવનાર છે. આવી સ્થિતિમાં RSS અને બીજેપીના નેતાઓ સતત કુમાર વિશ્વાસ પર નિશાન સાધી રહ્યા છે. જેથી તેમની રામ કથા પર વાદળો છવાયા છે. 

કુમાર વિશ્વાસે શું કહ્યું હતું? 

કુમાર વિશ્વાસે કહ્યું હતું કે, સંઘ માટે કામ કરતા એક યુવકે મને બજેટ પહેલા પૂછ્યું હતું કે, બજેટ કેવું હોવું જોઈએ? તો કુમાર વિશ્વાસે આ પ્રશ્ન પર સંઘ કાર્યકર્તાને કહ્યું હતું કે, જ્યાં ડાબેરીઓ કુભણ છે, એટલે કે તે શિક્ષિત તો છે પણ તેમને યોગ્ય શિક્ષણ નથી મળ્યું, તો બીજી તરફ આરએસએસ એટલે કે સંઘ અભણ છે. આ સમગ્ર પરિપ્રેક્ષ્યમાં તેમણે રામાયણનું ઉદાહરણ પણ આપ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે, ભગવાન રામના સમયે કયું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું? વાસ્તવમાં કુમાર વિશ્વાસે રામ રાજ્યને લઈને સંઘના સ્વયંસેવક પર નિશાન સાધ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
યુદ્ધ વચ્ચે ફ્લાઇટ્સ ઉડાન પર બ્રેક, એર ઇન્ડિયાએ 3 અઠવાડિયામાં 2,500 ફ્લાઇટ્સ કરી રદ, જાણો લેટેસ્ટ સ્ટેટસ
યુદ્ધ વચ્ચે ફ્લાઇટ્સ ઉડાન પર બ્રેક, એર ઇન્ડિયાએ 3 અઠવાડિયામાં 2,500 ફ્લાઇટ્સ કરી રદ, જાણો લેટેસ્ટ સ્ટેટસ
India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત, હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત
India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત, હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત
1 એપ્રિલથી હવાઈ મુસાફરી મોંઘી થશે? ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ એક મોટો સંકેત આપ્યો
1 એપ્રિલથી હવાઈ મુસાફરી મોંઘી થશે? ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ એક મોટો સંકેત આપ્યો

વિડિઓઝ

Parshottam Rupala : પરસોત્તમ રૂપાલાએ કડવા પાટીદાર સમાજને શું કરી ટકોર?
Patan Demolition News: ભાવેશ રબારીનું સામ્રાજ્ય ખતમ! આલિશાન ફાર્મહાઉસ કરાયું ધ્વસ્ત
Surat Fake Guru Case : બદમાશ બાબાના આલીશાન આશ્રમને લઈ વધુ એક મોટો ખુલાસો
Dakor Temple: ડાકોર મંદિરમાં ભોજન પ્રસાદી બંધ, કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતના લીધે નિર્ણય
Donald Trump: 48 કલાકમાં હોર્મુઝ નહીં ખૂલે તો...: હોર્મુઝ સ્ટ્રેટને લઈ ટ્રમ્પની ઈરાનને મોટી ધમકી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
અમદાવાદમાં માનવતા મરી પરવારી: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ દીકરીને પીંખવાનો પ્રયાસ કર્યો
અમદાવાદમાં માનવતા મરી પરવારી: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ દીકરીને પીંખવાનો પ્રયાસ કર્યો
PM મોદી સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા સરકારના વડા બન્યા, સિક્કિમના પૂર્વ CM નો રેકોર્ડ તોડ્યો
PM મોદી સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા સરકારના વડા બન્યા, સિક્કિમના પૂર્વ CM નો રેકોર્ડ તોડ્યો
India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત, હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત
India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત, હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપ્યું અલ્ટીમેટમ, 48 કલાકમાં નહિ ખોલ્યું હોર્મૂઝ સ્ટ્રેટ તો પાવર પ્લાન્ટ્સ પર કરીશું હુમલો
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપ્યું અલ્ટીમેટમ, 48 કલાકમાં નહિ ખોલ્યું હોર્મૂઝ સ્ટ્રેટ તો પાવર પ્લાન્ટ્સ પર કરીશું હુમલો
6,6,6,6,6,6..., અભિષેક શર્માએ SRH ની પ્રેક્ટિસ મેચમાં વર્તાવ્યો કહેર, 224 ના સ્ટ્રાઇક રેટથી મચાવી તબાહી
6,6,6,6,6,6..., અભિષેક શર્માએ SRH ની પ્રેક્ટિસ મેચમાં વર્તાવ્યો કહેર, 224 ના સ્ટ્રાઇક રેટથી મચાવી તબાહી
The impact of war: ઇઝરાયલ ઇરાનના યુદ્ધની અસર, રાજ્યના આ મંદિરમાં ભોજન-પ્રસાદ સેવા કરાઇ બંધ
The impact of war: ઇઝરાયલ ઇરાનના યુદ્ધની અસર, રાજ્યના આ મંદિરમાં ભોજન-પ્રસાદ સેવા કરાઇ બંધ
New Labour Code: 1 એપ્રિલથી તમારી સેલરી સ્લિપમાં જોવા મળશે મોટો ફેરફાર, લાગું થશે નવો નિયમ
New Labour Code: 1 એપ્રિલથી તમારી સેલરી સ્લિપમાં જોવા મળશે મોટો ફેરફાર, લાગું થશે નવો નિયમ
Embed widget