શોધખોળ કરો

Controversy : રામકથામાં જ કુમાર વિશ્વાસનો 'કકળાટ', RSSને અભણ કહેતા વિવાદ

ભાજપના નેતાઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો કુમાર વિશ્વાસ માફી નહીં માંગે તો તેમની રામકથા કોઈપણ હિસાબે થવા દેવામાં નહીં આવે.

Kumar Vishwas News: મધ્ય પ્રદેશના સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત રામ કથામાં કવિ કુમાર વિશ્વાસે રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ (આરએસએસ) વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરીને વિવાદ સર્જ્યો છે. કુમાર વિશ્વાસે રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘને અભણ ગણાવતા રાજકીય ખળભળાટ મચા જવા પામ્યો છે. આ વિવાદાસ્પદ નિવેદન બાદ વિશ્વાસ ભાજપ અને આરએસએસના નિશાને છે. 

ભાજપના નેતાઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો કુમાર વિશ્વાસ માફી નહીં માંગે તો તેમની રામકથા કોઈપણ હિસાબે થવા દેવામાં નહીં આવે.

મધ્ય પ્રદેશના સંસ્કૃતિ વિભાગ દ્વારા ઉજ્જૈનમાં ત્રણ દિવસીય રામ કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેનું વર્ણન કવિ કુમાર વિશ્વાસે તેમના વક્તવ્ય દ્વારા કર્યું છે. રામ કથા દરમિયાન કુમાર વિશ્વાસે અચાનક જ આરએસએસ અને ડાબેરી પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, જ્યાં ડાબેરીઓ કુભણ છે, ત્યાં સંઘ અભણ છે. આ નિવેદનને લઈને ભાજપ અને સંઘના નેતાઓએ કુમાર વિશ્વાસ પર પ્રહારો કર્યા છે. ભાજપના નેતા અને ઉજ્જૈન મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ અધ્યક્ષ સોનુ ગેહલોતે કહ્યું હતું કે, જો કુમાર વિશ્વાસ મંચ પરથી જ માફી નહીં માંગે તો તેમનો કાર્યક્રમ ઉજ્જૈનમાં થવા દેવામાં આવશે નહીં.

રામ કથાના પહેલા જ દિવસે કુમાર વિશ્વાસ બરાબરના વિવાદોમાં ફસાઈ ગયા હતા. હજુ 2 દિવસ કથાનું આયોજન કરવામાં આવનાર છે. આવી સ્થિતિમાં RSS અને બીજેપીના નેતાઓ સતત કુમાર વિશ્વાસ પર નિશાન સાધી રહ્યા છે. જેથી તેમની રામ કથા પર વાદળો છવાયા છે. 

કુમાર વિશ્વાસે શું કહ્યું હતું? 

કુમાર વિશ્વાસે કહ્યું હતું કે, સંઘ માટે કામ કરતા એક યુવકે મને બજેટ પહેલા પૂછ્યું હતું કે, બજેટ કેવું હોવું જોઈએ? તો કુમાર વિશ્વાસે આ પ્રશ્ન પર સંઘ કાર્યકર્તાને કહ્યું હતું કે, જ્યાં ડાબેરીઓ કુભણ છે, એટલે કે તે શિક્ષિત તો છે પણ તેમને યોગ્ય શિક્ષણ નથી મળ્યું, તો બીજી તરફ આરએસએસ એટલે કે સંઘ અભણ છે. આ સમગ્ર પરિપ્રેક્ષ્યમાં તેમણે રામાયણનું ઉદાહરણ પણ આપ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે, ભગવાન રામના સમયે કયું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું? વાસ્તવમાં કુમાર વિશ્વાસે રામ રાજ્યને લઈને સંઘના સ્વયંસેવક પર નિશાન સાધ્યું હતું.

ટોપ સ્ટોરી

8મું પગાર પંચઃ 1.92 ફિટમેન્ટ ફેક્ટર સાથે લેવલ 1 થી 6 સુધીના કર્મચારીઓનો પગાર કેટલો વધશે? જુઓ ગણતરી
8મું પગાર પંચઃ 1.92 ફિટમેન્ટ ફેક્ટર સાથે લેવલ 1 થી 6 સુધીના કર્મચારીઓનો પગાર કેટલો વધશે? જુઓ ગણતરી
દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં ABVP ની શાનદાર જીત, અપક્ષ ઉમેદવારે ચોંકાવ્યા
દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં ABVP ની શાનદાર જીત, અપક્ષ ઉમેદવારે ચોંકાવ્યા
Weather Alert: કાલે 18 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Weather Alert: કાલે 18 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
જન્મ-મરણ નોંધણીના નિયમો બદલાયા: 1 ઓક્ટોબરથી શું થશે ફેરફાર? જુઓ વિગત
જન્મ-મરણ નોંધણીના નિયમો બદલાયા: 1 ઓક્ટોબરથી શું થશે ફેરફાર? જુઓ વિગત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : એક્સટેન્શન પ્રથા ક્યાં સુધી
Hun To Bolish : હું તો બોલીશ : મેડમનો સરકારી મેકઅપ ?
Vadodara News : વડોદરા મનપાની સામાન્ય સભા બની તોફાની, ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો આવ્યા આમને સામને
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ! AAPની પહેલી યાદી જાહેર
Bar Council Of Gujarat: જે.જે.પટેલ BCIના મેમ્બર બન્યા, ગુજરાત બાર કાઉન્સીલમાં નવા હોદ્દેદારોની વરણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Alert: કાલે 18 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Weather Alert: કાલે 18 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
શું રોહિત શર્માના કારણે અગરકરે પદ છોડવાનો નિર્ણય લીધો? જાણો અંદરની વાત
શું રોહિત શર્માના કારણે અગરકરે પદ છોડવાનો નિર્ણય લીધો? જાણો અંદરની વાત
IND vs WI 2026: ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 8 મેચ રમાશે, રોહિત-વિરાટની વાપસી; સંપૂર્ણ શિડ્યુલ જાહેર
IND vs WI 2026: ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 8 મેચ રમાશે, રોહિત-વિરાટની વાપસી; સંપૂર્ણ શિડ્યુલ જાહેર
ગાંધીનગર મનપા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ નક્કી, AAPએ 44માંથી 23 ઉમેદવારોના નામ જાહેર કર્યા
ગાંધીનગર મનપા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ નક્કી, AAPએ 44માંથી 23 ઉમેદવારોના નામ જાહેર કર્યા
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા પર વધુ એક ગંભીર આરોપ,કોંગ્રેસ નેતાએ ગણાવ્યા 'ચાચી 420'
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા પર વધુ એક ગંભીર આરોપ,કોંગ્રેસ નેતાએ ગણાવ્યા 'ચાચી 420'
PF Rule: નોકરી છૂટી ગઈ તો પણ PF વધશે! ₹10 લાખના 50 વર્ષે કેટલા મળશે?
PF Rule: નોકરી છૂટી ગઈ તો પણ PF વધશે! ₹10 લાખના 50 વર્ષે કેટલા મળશે?
આજથી Asian Games 2026 નો પ્રારંભ, જાણો ક્યાં જોવા મળશે Live એક્શન
આજથી Asian Games 2026 નો પ્રારંભ, જાણો ક્યાં જોવા મળશે Live એક્શન
IIT બોમ્બે કેમ્પસમાં વિરોધ પ્રદર્શન; વિદ્યાર્થીની આત્મહત્યા બાદ ભડક્યા સ્ટૂડન્ટ્સ
IIT બોમ્બે કેમ્પસમાં વિરોધ પ્રદર્શન; વિદ્યાર્થીની આત્મહત્યા બાદ ભડક્યા સ્ટૂડન્ટ્સ
Embed widget