શોધખોળ કરો

Controversy : રામકથામાં જ કુમાર વિશ્વાસનો 'કકળાટ', RSSને અભણ કહેતા વિવાદ

ભાજપના નેતાઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો કુમાર વિશ્વાસ માફી નહીં માંગે તો તેમની રામકથા કોઈપણ હિસાબે થવા દેવામાં નહીં આવે.

Kumar Vishwas News: મધ્ય પ્રદેશના સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત રામ કથામાં કવિ કુમાર વિશ્વાસે રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ (આરએસએસ) વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરીને વિવાદ સર્જ્યો છે. કુમાર વિશ્વાસે રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘને અભણ ગણાવતા રાજકીય ખળભળાટ મચા જવા પામ્યો છે. આ વિવાદાસ્પદ નિવેદન બાદ વિશ્વાસ ભાજપ અને આરએસએસના નિશાને છે. 

ભાજપના નેતાઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો કુમાર વિશ્વાસ માફી નહીં માંગે તો તેમની રામકથા કોઈપણ હિસાબે થવા દેવામાં નહીં આવે.

મધ્ય પ્રદેશના સંસ્કૃતિ વિભાગ દ્વારા ઉજ્જૈનમાં ત્રણ દિવસીય રામ કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેનું વર્ણન કવિ કુમાર વિશ્વાસે તેમના વક્તવ્ય દ્વારા કર્યું છે. રામ કથા દરમિયાન કુમાર વિશ્વાસે અચાનક જ આરએસએસ અને ડાબેરી પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, જ્યાં ડાબેરીઓ કુભણ છે, ત્યાં સંઘ અભણ છે. આ નિવેદનને લઈને ભાજપ અને સંઘના નેતાઓએ કુમાર વિશ્વાસ પર પ્રહારો કર્યા છે. ભાજપના નેતા અને ઉજ્જૈન મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ અધ્યક્ષ સોનુ ગેહલોતે કહ્યું હતું કે, જો કુમાર વિશ્વાસ મંચ પરથી જ માફી નહીં માંગે તો તેમનો કાર્યક્રમ ઉજ્જૈનમાં થવા દેવામાં આવશે નહીં.

રામ કથાના પહેલા જ દિવસે કુમાર વિશ્વાસ બરાબરના વિવાદોમાં ફસાઈ ગયા હતા. હજુ 2 દિવસ કથાનું આયોજન કરવામાં આવનાર છે. આવી સ્થિતિમાં RSS અને બીજેપીના નેતાઓ સતત કુમાર વિશ્વાસ પર નિશાન સાધી રહ્યા છે. જેથી તેમની રામ કથા પર વાદળો છવાયા છે. 

કુમાર વિશ્વાસે શું કહ્યું હતું? 

કુમાર વિશ્વાસે કહ્યું હતું કે, સંઘ માટે કામ કરતા એક યુવકે મને બજેટ પહેલા પૂછ્યું હતું કે, બજેટ કેવું હોવું જોઈએ? તો કુમાર વિશ્વાસે આ પ્રશ્ન પર સંઘ કાર્યકર્તાને કહ્યું હતું કે, જ્યાં ડાબેરીઓ કુભણ છે, એટલે કે તે શિક્ષિત તો છે પણ તેમને યોગ્ય શિક્ષણ નથી મળ્યું, તો બીજી તરફ આરએસએસ એટલે કે સંઘ અભણ છે. આ સમગ્ર પરિપ્રેક્ષ્યમાં તેમણે રામાયણનું ઉદાહરણ પણ આપ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે, ભગવાન રામના સમયે કયું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું? વાસ્તવમાં કુમાર વિશ્વાસે રામ રાજ્યને લઈને સંઘના સ્વયંસેવક પર નિશાન સાધ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
રાજકારણમાં શું કરવા માંગે છે અભિજીત દીપકે? પોતાનો પ્લાન કર્યો જાહેર, 5 ઓગસ્ટે નિર્ણય કરશે જાહેર
રાજકારણમાં શું કરવા માંગે છે અભિજીત દીપકે? પોતાનો પ્લાન કર્યો જાહેર, 5 ઓગસ્ટે નિર્ણય કરશે જાહેર
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Embed widget