શોધખોળ કરો

Coromandel Train Accident: ઓડિશા ટ્રેન દુર્ઘટનાના ત્રણ દિવસ બાદ પણ 100થી વધુ મૃતદેહોની ઓળખ થઇ શકી નથી

અકસ્માત અંગે માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું હતું કે, અકસ્માતમાં માર્યા ગયેલા લોકોમાંથી 101 મૃતદેહોની ઓળખ કરવાની હજુ બાકી છે

Odisha Train Accident:  2 જૂને ઓડિશામાં બનેલી ખૂબ જ દર્દનાક ટ્રેન દુર્ઘટનાને ભૂલવી સરળ નથી. આ અકસ્માતમાં 275 લોકોએ જીવ ગુમાવ્યા હતા, પરંતુ ત્રણ દિવસ પછી પણ 100થી વધુ મૃતદેહોની ઓળખ થઈ શકી નથી. અકસ્માત અંગે માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું હતું કે, અકસ્માતમાં માર્યા ગયેલા લોકોમાંથી 101 મૃતદેહોની ઓળખ કરવાની હજુ બાકી છે.

એએનઆઈ સાથે વાત કરતા પૂર્વ મધ્ય રેલવેના ડિવિઝન રેલવે મેનેજર રિંકેશ રોયે જણાવ્યું હતું કે લગભગ 200 લોકો હજુ પણ ઓડિશાની વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે.

900 ઘાયલોને રજા આપવામાં આવી

ડિવિઝન રેલવે મેનેજર રિંકેશ રોયે જણાવ્યું હતું કે ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં લગભગ 1,100 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 900 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. આ સિવાય ઓડિશાની ઘણી હોસ્પિટલમાં લગભગ 200 લોકોની સારવાર ચાલી રહી છે. આ અકસ્માત ઓડિશાના બાલાસોરમાં થયો હતો જેમાં બે એક્સપ્રેસ ટ્રેન અને 1 ગુડ્સ ટ્રેન વચ્ચે ટક્કર થઇ હતી. આ દુ:ખદ ઘટનાની સમગ્ર ભારત પર ઊંડી અસર પડી છે.

55 મૃતદેહો સંબંધીઓને સોંપવામાં આવ્યા

ભૂવનેશ્વર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય અમૃત કુલંગેએ ANIને જણાવ્યું હતું કે ભૂવનેશ્વરની હોસ્પિટલમાં રાખવામાં આવેલા કુલ 193 મૃતદેહોમાંથી 80 મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે. 55 મૃતદેહો પરિજનોને સોંપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે BMCના હેલ્પલાઈન નંબર પર 200 થી વધુ કોલ આવ્યા હતા.

ઓડિશામાં 2 જૂનના રોજ આ અકસ્માત થયો હતો જ્યારે શાલીમાર-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ માલગાડી ટ્રેન સાથે અથડાઈ હતી, જેના કારણે ઘણા ડબ્બા નજીકના ટ્રેક પર ઉતરી ગયા હતા. આ પછી બીજા ટ્રેક પર યશવંતપુરથી હાવડા જતી હાવડા એક્સપ્રેસ કોરોમંડલના કોચ સાથે ટકરાઇ હતી.  અકસ્માતના બીજા દિવસે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાલાસોર ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઘાયલોને પણ મળ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉછેરો છો રાક્ષસી વૃક્ષ ?Hun To Bolish : હું તો બોલીશ : ગોંડલમાં ગુનેગાર કોણ?Gondal Crime :  ગોંડલમાં પાટીદાર દીકરાને માર મારવા મુદ્દે જયેશ રાદડિયાએ શું કહ્યું?Gondal Crime : ગોંડલ સૌરાષ્ટ્રનું મીરઝાપુર, કયા પાટીદાર નેતાએ કહ્યું આવું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી
Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી
Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી
Embed widget