શોધખોળ કરો

Coromandel Train Accident: ઓડિશા ટ્રેન દુર્ઘટનાના ત્રણ દિવસ બાદ પણ 100થી વધુ મૃતદેહોની ઓળખ થઇ શકી નથી

અકસ્માત અંગે માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું હતું કે, અકસ્માતમાં માર્યા ગયેલા લોકોમાંથી 101 મૃતદેહોની ઓળખ કરવાની હજુ બાકી છે

Odisha Train Accident:  2 જૂને ઓડિશામાં બનેલી ખૂબ જ દર્દનાક ટ્રેન દુર્ઘટનાને ભૂલવી સરળ નથી. આ અકસ્માતમાં 275 લોકોએ જીવ ગુમાવ્યા હતા, પરંતુ ત્રણ દિવસ પછી પણ 100થી વધુ મૃતદેહોની ઓળખ થઈ શકી નથી. અકસ્માત અંગે માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું હતું કે, અકસ્માતમાં માર્યા ગયેલા લોકોમાંથી 101 મૃતદેહોની ઓળખ કરવાની હજુ બાકી છે.

એએનઆઈ સાથે વાત કરતા પૂર્વ મધ્ય રેલવેના ડિવિઝન રેલવે મેનેજર રિંકેશ રોયે જણાવ્યું હતું કે લગભગ 200 લોકો હજુ પણ ઓડિશાની વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે.

900 ઘાયલોને રજા આપવામાં આવી

ડિવિઝન રેલવે મેનેજર રિંકેશ રોયે જણાવ્યું હતું કે ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં લગભગ 1,100 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 900 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. આ સિવાય ઓડિશાની ઘણી હોસ્પિટલમાં લગભગ 200 લોકોની સારવાર ચાલી રહી છે. આ અકસ્માત ઓડિશાના બાલાસોરમાં થયો હતો જેમાં બે એક્સપ્રેસ ટ્રેન અને 1 ગુડ્સ ટ્રેન વચ્ચે ટક્કર થઇ હતી. આ દુ:ખદ ઘટનાની સમગ્ર ભારત પર ઊંડી અસર પડી છે.

55 મૃતદેહો સંબંધીઓને સોંપવામાં આવ્યા

ભૂવનેશ્વર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય અમૃત કુલંગેએ ANIને જણાવ્યું હતું કે ભૂવનેશ્વરની હોસ્પિટલમાં રાખવામાં આવેલા કુલ 193 મૃતદેહોમાંથી 80 મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે. 55 મૃતદેહો પરિજનોને સોંપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે BMCના હેલ્પલાઈન નંબર પર 200 થી વધુ કોલ આવ્યા હતા.

ઓડિશામાં 2 જૂનના રોજ આ અકસ્માત થયો હતો જ્યારે શાલીમાર-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ માલગાડી ટ્રેન સાથે અથડાઈ હતી, જેના કારણે ઘણા ડબ્બા નજીકના ટ્રેક પર ઉતરી ગયા હતા. આ પછી બીજા ટ્રેક પર યશવંતપુરથી હાવડા જતી હાવડા એક્સપ્રેસ કોરોમંડલના કોચ સાથે ટકરાઇ હતી.  અકસ્માતના બીજા દિવસે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાલાસોર ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઘાયલોને પણ મળ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો, ટ્રેનના શૌચાલયમાં પુરાઈને બચાવ્યો જીવ
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો, ટ્રેનના શૌચાલયમાં પુરાઈને બચાવ્યો જીવ
Bihar Politics: JDUમાં સામેલ થયા નિશાંત કુમાર, જાણો પિતા નીતિશ કુમાર અંગે શું કરી ટિપ્પણી
Bihar Politics: JDUમાં સામેલ થયા નિશાંત કુમાર, જાણો પિતા નીતિશ કુમાર અંગે શું કરી ટિપ્પણી

વિડિઓઝ

ગૃહમંત્રી અમિત શાહે ટીમ ઈન્ડિયાને આપ્યા અભિનંદન, દિકરાને ગળે લગાવી જીતની ખુશી કરી વ્યક્ત
Valsad Fishermen : યુદ્ધ વચ્ચે ખાડી દેશોમાં ફસાયા વલસાડના માછીમારો
Himatnagar Looteri Dulhan : હિંમતનગરમાંથી ઝડપાઈ લૂંટેરી દુલ્હન ગેંગ
Hun To Bolish : હું તો બોલીશ : તમાકુનું વેચાણ બંધ કરાવવાની જવાબદારી શિક્ષકોની?
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી બહેનોનું દર્દ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી! 17 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ
ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી! 17 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ
રાંધણ ગેસ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર: હવે આટલા દિવસે મળશે નવો બાટલો, ભાવ પણ વધ્યા
રાંધણ ગેસ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર: હવે આટલા દિવસે મળશે નવો બાટલો, ભાવ પણ વધ્યા
ઈરાન યુદ્ધ અને $114 ક્રૂડ ઓઈલ! શું ભારતમાં વધશે મોંઘવારી? નિર્મલા સીતારમણે આપ્યો જવાબ
ઈરાન યુદ્ધ અને $114 ક્રૂડ ઓઈલ! શું ભારતમાં વધશે મોંઘવારી? નિર્મલા સીતારમણે આપ્યો જવાબ
Stock Market Highlights: શેર બજારમાં હાહાકાર, સેન્સેકસ 1353 અને નિફ્ટી 422 પોઈન્ટના ઘટાડા સાથે બંધ 
Stock Market Highlights: શેર બજારમાં હાહાકાર, સેન્સેકસ 1353 અને નિફ્ટી 422 પોઈન્ટના ઘટાડા સાથે બંધ 
યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર
યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર
વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા હવે ક્યારે મેદાનમાં ઉતરશે? જાણો સંપૂર્ણ શેડ્યૂલ
વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા હવે ક્યારે મેદાનમાં ઉતરશે? જાણો સંપૂર્ણ શેડ્યૂલ
T20 WC: ટીમ ઇન્ડિયાને ₹27 કરોડ, પણ સંજુ સેમસન પર થયો અલગથી પૈસાનો વરસાદ!
T20 WC: ટીમ ઇન્ડિયાને ₹27 કરોડ, પણ સંજુ સેમસન પર થયો અલગથી પૈસાનો વરસાદ!
Embed widget