શોધખોળ કરો
Advertisement
Coronavirus: દેશમાં સંક્રમિતોની સંખ્યા 40 હજાર નજીક પહોંચી, 1300થી વધુ લોકોના મોત, જાણો કયા રાજ્યમાં કેટલા થયા મોત
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 39,980 પર પહોંચી છે. 1301 લોકોના મોત થયા છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કેર દિવસેને દિવસે વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં કોરોનાથી મૃતકોની સંખ્યા 1300ને પાર કરી ગઈ છે, જ્યારે સંક્રમિતોની સંખ્યા 40 હજારની નજીક છે. છેલ્લા 24 કલાકમાં 83 લોકોના મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 39,980 પર પહોંચી છે. 1301 લોકોના મોત થયા છે અને 10,633 લોકો સાજા થઈ ગયા છે. હાલ 28,046 એક્ટિવ કેસ છે.
કયા રાજ્યમાં કેટલા મોત
મહારાષ્ટ્રમાં 521, ગુજરાતમાં 262, મધ્યપ્રદેશમાં 151, દિલ્હીમાં 64, આંધ્રપ્રદેશમાં 33, આસામમાં 1, બિહારમાં 4, હરિયાણામાં 4, હિમાચલ પ્રદેશમાં 1, જમ્મુ-કાશ્મીરમાં 8, ઝારખંડમાં 3, કર્ણાટકમાં 25, કેરળમાં 4, મેઘાલયમાં 1, ઓડિશામાં 1, પંજાબમાં 20, રાજસ્થાનમાં 65, તમિલનાડુમાં 29, તેલંગાણામાં 28, ઉત્તરપ્રદેશમાં 43 અને પશ્ચિમ બંગાળમાં 33 લોકોના મોત થયા છે.
સંક્રમિતોની સંખ્યામાં મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 12,296 પર પહોંચી છે. ગુજરાતમાં 5054, દિલ્હીમાં 4122, મધ્યપ્રદેશમાં 2846, રાજસ્થાનમાં 2770, તમિલનાડુમાં 2757, ઉત્તરપ્રદેશમાં 2487, આંધ્રપ્રદેશમાં 1525, તેલંગાણામાં 1063, પશ્ચિમ બંગાળમાં 922 સંક્રમિતો નોંધાયા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
શિક્ષણ
ક્રાઇમ
ક્રિકેટ
Advertisement