શોધખોળ કરો

Covid-19 Variants: વિશ્વમાં કોરોનાના ડેલ્ટા ઉપરાંત આ નવા વેરિયંટ પણ છે મહામારીનું કારણ

ડેલ્ટા ઉપરાંત કોરોનાના બીજા વેરિયંટ પણ ચિંતાનું કારણ બન્યા છે. લેમ્બડા વેરિયંટ ડિસેમ્બરમાં પ્રથમ વખત સામે આવ્યો હતો. શરૂઆતમાં આ વેરિંયંટના મામલા વધ્યા હતા પરંતુ તે બાદ ઘટાડો થયો હતો.

વિશ્વભરમાં  કોરોનાના મામલા વધીને 22.24 કરોડ થઈ ગયા છે. આ મહામારીથી મૃતકોની સંખ્યા વધીને 45.9 લાખ પર પહોંચી ગઈ છે. કોરોના સંક્રમણ હજુ પણ ચિંતાનો વિષય છે. કારણકે સતત કોરોનાના નવા વેરિયંટ સામે આવી રહ્યા છે.  તેમાં ડેલ્ટા વેરિંયટ સૌથી મુખ્ય છે.  કોવિડનો વેરિયંટ બી.1.617.2 કે ડેલ્ટાનો પ્રથણ મામલો 2020માં ભારતમાં સામે આવ્યો હતો અને તે બાદ સમગ્ર વિશ્વમાં પેલાયો હતો.

  • ડેલ્ટા ઉપરાંત કોરોનાના બીજા વેરિયંટ પણ ચિંતાનું કારણ બન્યા છે. લેમ્બડા વેરિયંટ ડિસેમ્બરમાં પ્રથમ વખત સામે આવ્યો હતો. શરૂઆતમાં આ વેરિંયંટના મામલા વધ્યા હતા પરંતુ તે બાદ ઘટાડો થયો હતો.
  • મ્યૂ વેરિયંટ પ્રથમ વખત જાન્યુઆરીમાં કોલંબિયામાં સામે આવ્યો હતો. ડબલ્યુએચઓ દ્વારા આ સંબંધિત અનેક મ્યૂટેશનના કારણે ઘણા નામ અપાયા છે. જેમકે મ્યૂ ઈ484કે, એન50વાઈ અને ડી16જી.
  • દક્ષિણ આફ્રિકા અને અન્ય કેટલાક દેશોમાં  મળી આવેલા કોરોના વાયરસનો એક નવો વેરિયંટ સી 1.2 પહેલાના સ્વરૂપોની તુલનામાં વધારે સંક્રામક છે. કોરોના વાયરસના નવા વેરિયંટનો ઉત્પરિવર્તન દર વાયરસના અન્ય સ્વરૂપોની તુલનામાં બેગણો વધારે છે.

રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ડેલ્ટા વેરિયંટ પહેલાથી સંક્રમિત લોકોની સીરાની તુલનામાં 5.7 ગણો ઓછો સંવેદનશીલ છે અન આલ્ફા વેરિયંટની તુલનામાં રસી સામે આઠ ગણો ઓછો સંવેદનશીલ છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર તથા વરિષ્ઠ લેખકો પૈકીના એક રવીન્દ્ર ગુપ્તાના કહેવા મુજબ, ભારતમાં 2021માં સંક્રમણની બીજી લહેર દરમિયાન અનેક લોકો ઝપેટમાં આવ્યા હતા.  ઓછામાં ઓછા અડધા દર્દીઓ પહેલા જ સંક્રમણના અન્ય સ્વરૂપની ઝપેટમાં આવી ચુક્યા હતા.  

દેશમાં કોરોનાની શું છે સ્થિતિ 

ગુરુવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 42,263 નવા કેસ નોંધાયા છે અને 338 લોકોના મોત થયા છે. જ્યારે 40,567 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. બુધવારે 37,875 નવા કેસ નોંધાયા હતા અને 369 લોકોના મોત થયા હતા. દેશમાં રિકવરી રેટ 97થી વધારે છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ આજે નોંધાયેલા કુલ કેસ પૈકી 30,196 કેસ માત્ર કેરળમાં જ નોંધાયા છે. આ ઉપરાંત કેરળમાં જ 181 લોકોના કોરોનાથી મોત થયા છે અને 27,579 લોકો કોરોના મુક્ત થયા છે. કેરળમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 2,39,480 છે. જ્યારે કુલ 40,21,456 લોકો કોરોનાથી ઠીક થયા છે. કુલ મૃત્યુ આંક 22,001 છે.

કુલ કેસઃ 3 કરોડ 31 લાખ 39 હજાર 981

કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 23 લાખ 4 હજાર 618

કુલ એક્ટિવ કેસઃ 3 લાખ 93 હજાર 614

કુલ મોતઃ 4 લાખ 41 હજાર 749

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Surat: માંગરોળ ગેંગરેપ કેસમાં કોર્ટેનો મોટો ચૂકાદો, બે નરાધમોને આજીવન કેદની સજા ફટકારી 
Surat: માંગરોળ ગેંગરેપ કેસમાં કોર્ટેનો મોટો ચૂકાદો, બે નરાધમોને આજીવન કેદની સજા ફટકારી 
Gold Rate Today: સોના-ચાંદીની કિંમતોમાં થયો મોટો ઘટાડો, આટલા રુપિયા સસ્તુ થયું ગોલ્ડ, જાણો ભાવ
Gold Rate Today: સોના-ચાંદીની કિંમતોમાં થયો મોટો ઘટાડો, આટલા રુપિયા સસ્તુ થયું ગોલ્ડ, જાણો ભાવ
Weather Update: દેશના અનેક રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી 
Weather Update: દેશના અનેક રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat ST Nigam: એસટી નિગમના કર્મયોગીઓના હિતમાં સરકારનો મોટો નિર્ણયNew FASTag Rules | આજથી FasTagના નવા નિયમ લાગું | જો આ ન કર્યું તો લાગશે દંડShare Market News: કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેર માર્કેટ ઘડામ, સેન્સેક્સમાં 500 પોઇન્ટનો કડાકોIndian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 3 ગુજરાતી પહોંચ્યા અમદાવાદ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Surat: માંગરોળ ગેંગરેપ કેસમાં કોર્ટેનો મોટો ચૂકાદો, બે નરાધમોને આજીવન કેદની સજા ફટકારી 
Surat: માંગરોળ ગેંગરેપ કેસમાં કોર્ટેનો મોટો ચૂકાદો, બે નરાધમોને આજીવન કેદની સજા ફટકારી 
Gold Rate Today: સોના-ચાંદીની કિંમતોમાં થયો મોટો ઘટાડો, આટલા રુપિયા સસ્તુ થયું ગોલ્ડ, જાણો ભાવ
Gold Rate Today: સોના-ચાંદીની કિંમતોમાં થયો મોટો ઘટાડો, આટલા રુપિયા સસ્તુ થયું ગોલ્ડ, જાણો ભાવ
Weather Update: દેશના અનેક રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી 
Weather Update: દેશના અનેક રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી 
દિલ્હીમાં 20 ફેબ્રુઆરીએ નવા CM નો શપથ ગ્રહણ, આ નેતાઓ મુખ્યમંત્રીની રેસમાં સૌથી આગળ 
દિલ્હીમાં 20 ફેબ્રુઆરીએ નવા CM નો શપથ ગ્રહણ, આ નેતાઓ મુખ્યમંત્રીની રેસમાં સૌથી આગળ 
Ration Card eKYC Update: મફત રાશન માટે જલદી કરો આ કામ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ  
Ration Card eKYC Update: મફત રાશન માટે જલદી કરો આ કામ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ  
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.