શોધખોળ કરો

Covid 19: દેશના આ રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો , એક દિવસમાં નોંધાયા નવા 125 કેસ

Covid 19 in Karnataka: આ સાથે રાજ્યમાં કોરોના વાયરસના કુલ એક્ટિવ કેસની સંખ્યા વધીને 436 થઈ ગઈ છે

Covid 19 in Karnataka: કર્ણાટકમાં કોવિડ 19ના કેસ સતત વધી રહ્યા છે. સોમવારે (25 ડિસેમ્બર) કોવિડ-19ના 125 નવા કેસ નોંધાયા હતા. આ સાથે રાજ્યમાં કોરોના વાયરસના કુલ એક્ટિવ કેસની સંખ્યા વધીને 436 થઈ ગઈ છે. દરમિયાન કોરોનાના કારણે ત્રણ લોકોના મોત થયા હતા.

કર્ણાટકના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, "છેલ્લા 24 કલાકમાં 30 દર્દીઓને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 3,155 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમાં 2,072 RT-PCR અને 1,083 રેપિડ એન્ટિજન ટેસ્ટનો સમાવેશ થાય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે "તમામ મૃત્યુ પામેલા દર્દીઓએ શ્વાસની તકલીફની ફરિયાદ કરી હતી. હાલમાં 400 લોકો હોમ આઇસોલેશનમાં છે, જ્યારે 36 હોસ્પિટલમાં દાખલ છે."

JN.1 વેરિઅન્ટના 34 કેસ

કર્ણાટકના આરોગ્ય વિભાગે સોમવારે (25 ડિસેમ્બર) જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધીમાં COVID-19 વેરિઅન્ટ JN.1 ના 34 કેસ મળી આવ્યા છે. આ પહેલા સ્વાસ્થ્ય મંત્રી દિનેશ ગુંડુ રાવે કહ્યું હતું કે કર્ણાટકમાં અત્યાર સુધીમાં JN.1ના લગભગ 35 કેસ મળી આવ્યા છે. જેમાંથી 34 કેસ જેએન.1 વાયરસના છે. તેમાંથી 20 કેસ એકલા બેંગલુરુ શહેરના છે.

કોવિડ -19 પોઝિટિવ કેસના સેમ્પલનું પુણેમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલોજી (NIV) અને બેંગલુરુમાં નેશનલ સેન્ટર ફોર બાયોલોજિકલ સાયન્સ (NCBS) ખાતે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. વિભાગે એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે 192 સેમ્પલ્સમાંથી 60 સેમ્પલના જીનોમ સિક્વન્સ આવ્યા છે. જેમાંથી કુલ 34 કેસ જેએન.1 વેરિઅન્ટના છે. બાકીના પોઝિટિવ કેસના રિઝલ્ટ બુધવાર સુધીમાં આવી શકે છે.

પ્રતિબંધો લગાવવાથી ડર ફેલાઈ શકે છે

પીટીઆઈના જણાવ્યા મુજબ, રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે હાલમાં WHO અને ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે JN.1 ને  વેરિઅન્ટ ઓફ ઇન્ટરેસ્ટ તરીકે વર્ગીકૃત કર્યું છે. આવી સ્થિતિમાં કોઈપણ પ્રકારના પ્રતિબંધ લગાવવાથી લોકોમાં ગભરાટ ફેલાઈ શકે છે. જો કે, રાજ્યમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ટેકનિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

'લોકોએ સાવચેત રહેવું જોઈએ'

લોકોને નાતાલ અને નવા વર્ષની સલામત ઉજવણી કરવા અપીલ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું છે કે લોકોએ સોશિયલ ડિસ્ટન્સ, ફેસ માસ્ક પહેરવા અને હાથ સાફ કરવા જેવી સાવચેતીઓનું પાલન કરવું જોઈએ.

દરમિયાન, રાજ્ય સરકારની કેબિનેટ પેટા સમિતિ આવતીકાલે રાજ્યમાં કોવિડ -19 પરિસ્થિતિને સંચાલિત કરવા માટેના વધુ પગલાં અંગે ટેકનિકલ સલાહકાર સમિતિ (TAC) દ્વારા કરાયેલી ભલામણોની ચર્ચા કરવા માટે બેઠક કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Embed widget