શોધખોળ કરો

Covid-19: શું આગામી થોડા મહિનામાં ખત્મ થઈ જશે કોરોના ? જાણો નિષ્ણાંતોએ શું કહ્યું....

નિષ્ણાતો એમ પણ કહે છે કે રોગચાળો ત્યારે જ સમાપ્ત થશે જ્યારે કાં તો બધા લોકોને રસી આપવામાં આવશે અથવા બધા લોકો કોરોના વાયરસથી સંક્રમિત થશે.

Covid-19: શું આગામી કેટલાક મહિનાઓમાં કોવિડ -19 સમાપ્ત થશે? આ એક એવો પ્રશ્ન છે જે આજના સમયમાં દરેકના મનમાં ચાલી રહ્યો છે. વિશ્વભરના નિષ્ણાતોએ પણ કોવિડ -19 મહામારીના અંત વિશે પોતાનો અભિપ્રાય આપ્યો છે. આ નિષ્ણાતોનો આ અભિપ્રાય તમને નિરાશ કરી શકે છે. મોટાભાગના નિષ્ણાતો સહમત છે કે કોવિડ -19 મહામારીનો તાત્કાલિક અંત શક્ય નથી અને ઓછામાં ઓછા આગામી છથી આઠ મહિના સુધી તેનો સંપૂર્ણ અંત આવવાની કોઈ શક્યતા નથી.

નિષ્ણાતો એમ પણ માને છે કે કોવિડ -19 રોગચાળાની વધુ લહેર જોવા મળી શકે છે. જેના કારણે ફરી એકવાર બંધ શાળાઓ અને કોલેજો, દર્દીઓથી ભરેલી હોસ્પિટલોનું દ્રશ્ય જોઇ ​​શકાય છે. મિનેપોલિસની યુનિવર્સિટી ઓફ મિનેસોટામાં સેન્ટર ઓફ ઇન્ફેક્શિયસ ડિસીઝ રિસર્ચ એન્ડ પોલિસીના ડિરેક્ટર માઈકલ ઓસ્ટરહોલ્મના જણાવ્યા અનુસાર, "શિયાળાની મોસમમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં વધારો જોવા મળી શકે છે અને ત્યાર બાદ ફરી કેસમાં ઘટાડો નોંધાશે."

વિશ્વનો દરેક વ્યક્તિ એકવાર કોવિડ-19 થી સંક્રમિત થશે

નિષ્ણાતો એમ પણ માને છે કે વિશ્વનો દરેક વ્યક્તિ ઓછામાં ઓછો એક વખત કોવિડ -19 થી સંક્રમિત થશે. કેટલાક લોકો એવા હશે જે એક કરતાં વધારે વખત કોરોનાની ઝપેટમાં આવશે. કોરોના અને રસીકરણ વચ્ચેની આ લડાઈ ત્યાં સુધી સમાપ્ત થશે નહીં. નિષ્ણાતો એમ પણ કહે છે કે રોગચાળો ત્યારે જ સમાપ્ત થશે જ્યારે કાં તો બધા લોકોને રસી આપવામાં આવશે અથવા બધા લોકો કોરોના વાયરસથી સંક્રમિત થશે.

ઓસ્ટરહોલ્મ અનુસાર, "હું તમને કહી શકું છું કે, આ કોરોના વાયરસ જંગલની આગ જેવો છે. જ્યાં સુધી તે દરેક વ્યક્તિને પોતાની ઝપેટમાં નહીં લઈ લે ત્યાં સુધી તે અટકશે નહીં."

ક્યાંક વાયરસ વેક્સિન પ્રતિરોધક વેરિઅન્ટમા ન ફેરવાય જાય

કોવિડ-19 નો સૌથી મોટો ખતરો તેનું સ્વરૂપ એટલે કે પરિવર્તિત હિઓન બદલવાની શક્તિ છે. નિષ્ણાતો એ હકીકત વિશે પણ ચિંતિત છે કે આ રસી પ્રતિરોધક વેરિઅન્ટમાં ફેરવાઈ ન જાય. જો આવું થાય છે, તો ટૂંક સમયમાં આ વાયરસનો અંત માત્ર એક સ્વપ્ન જ રહેશે. વળી જ્યારે આવું થાય, ત્યારે આપણે શાળાઓ, જાહેર પરિવહન અને કચેરીઓમાં ફરી એક વખત આ વાયરસના પ્રકોપનો સામનો કરવો પડશે.

રસીકરણ પછી પણ ચેપની શક્યતા રહેશે

અત્યારે વિશ્વમાં અબજો લોકો એવા છે કે જેમણે કોરોનાની રસી મેળવી નથી. રસીના પુરવઠા અંગે હજુ પણ સમૃદ્ધ અને ગરીબ દેશો વચ્ચે મોટું અંતર છે. ટૂંક સમયમાં આ તફાવત ઓછો થતો જણાતો નથી. નિષ્ણાતોના મતે, દરેકને રસી આપવામાં આવ્યા પછી પણ, વસ્તીના એક ભાગને ચેપ લાગવાની શક્યતા રહેશે. આમાં નવજાત શિશુઓ, એવા લોકોનો સમાવેશ થાય છે જેમણે અન્ય કોઈ રોગને કારણે રસીકરણ કરાવ્યું ન હતું અને જે લોકો રસીકરણ કરાવ્યા હોવા છતાં ચેપ લાગ્યા હતા.

નિષ્ણાતોએ કહ્યું છે કે, આપણે છેલ્લા કેટલાક વર્ષોના ઈન્ફલ્યુએન્ઝા બીમારીના અનુભવોમાંથી બોધપાઠ લેવાની જરૂર છે. આ સાથે, શક્ય તેટલી વહેલી તકે કોવિડ -19 પર કાબુ મેળવવાનો માર્ગ શોધી શકાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મથુરામાં ગૌરક્ષક ફરસા બાબાના નિધન બાદ તોફાનો, આગ્રા-મથુરા હાઇવે બ્લોક
મથુરામાં ગૌરક્ષક ફરસા બાબાના નિધન બાદ તોફાનો, આગ્રા-મથુરા હાઇવે બ્લોક
PM મોદીએ કન્ટેન્ટ ક્રિએટરની રીલ પર આપી પ્રતિક્રિયા, પુત્રના પિતાને પણ આપી સલાહ
PM મોદીએ કન્ટેન્ટ ક્રિએટરની રીલ પર આપી પ્રતિક્રિયા, પુત્રના પિતાને પણ આપી સલાહ
બિહારના રાજકારણને લઇને મોટા સમાચાર, આ તારીખે નવી સરકાર લેશે શપથ, કોણ બનશે મુખ્યમંત્રી?
બિહારના રાજકારણને લઇને મોટા સમાચાર, આ તારીખે નવી સરકાર લેશે શપથ, કોણ બનશે મુખ્યમંત્રી?
Assam Elections: આસામમાં કૉંગ્રેસે જાહેર કર્યા 7 ઉમેદવાર, જાણો કોને મળી ટિકિટ 
Assam Elections: આસામમાં કૉંગ્રેસે જાહેર કર્યા 7 ઉમેદવાર, જાણો કોને મળી ટિકિટ 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મસ્તાની ગેંગની મોજ પૂરી
Hun To Bolish | હું તો બોલીશ | ખેતીનો વીમો ક્યારે ?
Surat News : સુરતની 80 લાખની વસ્તી સામે બોમ્બ શોધવા માત્ર એક સ્નિફર ડૉગ
Rajkot News: રાજકોટમાં કમોસમી વરસાદને કારણે PGVCLને અંદાજિત 1 કરોડ રૂપિયાનું નુકસાન થયું
Ambalal Patel Prediction : વાવાઝોડાને લઈ આગાહીકાર અંબાલાલ પટેલે કરી મોટી આગાહી.

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
USએ હટાવ્યો પ્રતિબંધ, હવે ઇરાની તેલ ખરીદશે ભારત? અમેરિકાનો યુટર્ન
USએ હટાવ્યો પ્રતિબંધ, હવે ઇરાની તેલ ખરીદશે ભારત? અમેરિકાનો યુટર્ન
બિહારના રાજકારણને લઇને મોટા સમાચાર, આ તારીખે નવી સરકાર લેશે શપથ, કોણ બનશે મુખ્યમંત્રી?
બિહારના રાજકારણને લઇને મોટા સમાચાર, આ તારીખે નવી સરકાર લેશે શપથ, કોણ બનશે મુખ્યમંત્રી?
યુદ્ધની અસર, LPGની અછતના કારણે કંડલામાં IFGL પ્લાન્ટ બંધ, જાણો ડિટેલ
યુદ્ધની અસર, LPGની અછતના કારણે કંડલામાં IFGL પ્લાન્ટ બંધ, જાણો ડિટેલ
Weather Update: રાજ્યમાં હજુ પડશે વરસાદ? વધુ એક વેસ્ટર્ન્સ ડિસ્ટબર્ન્સ 22 માર્ચે સર્જાશે, જાણો અપડેટ્સ
Weather Update: રાજ્યમાં હજુ પડશે વરસાદ? વધુ એક વેસ્ટર્ન્સ ડિસ્ટબર્ન્સ 22 માર્ચે સર્જાશે, જાણો અપડેટ્સ
સોનાના ખરીદદારો માટે મોટા સમાચાર! કિંમતમાં ભારે ઘટાડાની આશંકા, શું ભાવ ઘટીને ₹1.27 લાખ થઈ જશે?
સોનાના ખરીદદારો માટે મોટા સમાચાર! કિંમતમાં ભારે ઘટાડાની આશંકા, શું ભાવ ઘટીને ₹1.27 લાખ થઈ જશે?
મથુરામાં ગૌરક્ષક ફરસા બાબાના નિધન બાદ તોફાનો, આગ્રા-મથુરા હાઇવે બ્લોક
મથુરામાં ગૌરક્ષક ફરસા બાબાના નિધન બાદ તોફાનો, આગ્રા-મથુરા હાઇવે બ્લોક
Zomato platform fee: Zomato પર ફૂડ ડિલિવરી હવે થશે મોંઘી, કંપનીએ વધાર્યો પ્લેટફોર્મ ચાર્જ
Zomato platform fee: Zomato પર ફૂડ ડિલિવરી હવે થશે મોંઘી, કંપનીએ વધાર્યો પ્લેટફોર્મ ચાર્જ
Phone Tip: જો તમારા નવા ફોનને ખરાબ થતા અટકાવવો હોય તો ક્યારેય ન કરો આ ભૂલ
Phone Tip: જો તમારા નવા ફોનને ખરાબ થતા અટકાવવો હોય તો ક્યારેય ન કરો આ ભૂલ
Embed widget