શોધખોળ કરો

Covid-19: શું આગામી થોડા મહિનામાં ખત્મ થઈ જશે કોરોના ? જાણો નિષ્ણાંતોએ શું કહ્યું....

નિષ્ણાતો એમ પણ કહે છે કે રોગચાળો ત્યારે જ સમાપ્ત થશે જ્યારે કાં તો બધા લોકોને રસી આપવામાં આવશે અથવા બધા લોકો કોરોના વાયરસથી સંક્રમિત થશે.

Covid-19: શું આગામી કેટલાક મહિનાઓમાં કોવિડ -19 સમાપ્ત થશે? આ એક એવો પ્રશ્ન છે જે આજના સમયમાં દરેકના મનમાં ચાલી રહ્યો છે. વિશ્વભરના નિષ્ણાતોએ પણ કોવિડ -19 મહામારીના અંત વિશે પોતાનો અભિપ્રાય આપ્યો છે. આ નિષ્ણાતોનો આ અભિપ્રાય તમને નિરાશ કરી શકે છે. મોટાભાગના નિષ્ણાતો સહમત છે કે કોવિડ -19 મહામારીનો તાત્કાલિક અંત શક્ય નથી અને ઓછામાં ઓછા આગામી છથી આઠ મહિના સુધી તેનો સંપૂર્ણ અંત આવવાની કોઈ શક્યતા નથી.

નિષ્ણાતો એમ પણ માને છે કે કોવિડ -19 રોગચાળાની વધુ લહેર જોવા મળી શકે છે. જેના કારણે ફરી એકવાર બંધ શાળાઓ અને કોલેજો, દર્દીઓથી ભરેલી હોસ્પિટલોનું દ્રશ્ય જોઇ ​​શકાય છે. મિનેપોલિસની યુનિવર્સિટી ઓફ મિનેસોટામાં સેન્ટર ઓફ ઇન્ફેક્શિયસ ડિસીઝ રિસર્ચ એન્ડ પોલિસીના ડિરેક્ટર માઈકલ ઓસ્ટરહોલ્મના જણાવ્યા અનુસાર, "શિયાળાની મોસમમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં વધારો જોવા મળી શકે છે અને ત્યાર બાદ ફરી કેસમાં ઘટાડો નોંધાશે."

વિશ્વનો દરેક વ્યક્તિ એકવાર કોવિડ-19 થી સંક્રમિત થશે

નિષ્ણાતો એમ પણ માને છે કે વિશ્વનો દરેક વ્યક્તિ ઓછામાં ઓછો એક વખત કોવિડ -19 થી સંક્રમિત થશે. કેટલાક લોકો એવા હશે જે એક કરતાં વધારે વખત કોરોનાની ઝપેટમાં આવશે. કોરોના અને રસીકરણ વચ્ચેની આ લડાઈ ત્યાં સુધી સમાપ્ત થશે નહીં. નિષ્ણાતો એમ પણ કહે છે કે રોગચાળો ત્યારે જ સમાપ્ત થશે જ્યારે કાં તો બધા લોકોને રસી આપવામાં આવશે અથવા બધા લોકો કોરોના વાયરસથી સંક્રમિત થશે.

ઓસ્ટરહોલ્મ અનુસાર, "હું તમને કહી શકું છું કે, આ કોરોના વાયરસ જંગલની આગ જેવો છે. જ્યાં સુધી તે દરેક વ્યક્તિને પોતાની ઝપેટમાં નહીં લઈ લે ત્યાં સુધી તે અટકશે નહીં."

ક્યાંક વાયરસ વેક્સિન પ્રતિરોધક વેરિઅન્ટમા ન ફેરવાય જાય

કોવિડ-19 નો સૌથી મોટો ખતરો તેનું સ્વરૂપ એટલે કે પરિવર્તિત હિઓન બદલવાની શક્તિ છે. નિષ્ણાતો એ હકીકત વિશે પણ ચિંતિત છે કે આ રસી પ્રતિરોધક વેરિઅન્ટમાં ફેરવાઈ ન જાય. જો આવું થાય છે, તો ટૂંક સમયમાં આ વાયરસનો અંત માત્ર એક સ્વપ્ન જ રહેશે. વળી જ્યારે આવું થાય, ત્યારે આપણે શાળાઓ, જાહેર પરિવહન અને કચેરીઓમાં ફરી એક વખત આ વાયરસના પ્રકોપનો સામનો કરવો પડશે.

રસીકરણ પછી પણ ચેપની શક્યતા રહેશે

અત્યારે વિશ્વમાં અબજો લોકો એવા છે કે જેમણે કોરોનાની રસી મેળવી નથી. રસીના પુરવઠા અંગે હજુ પણ સમૃદ્ધ અને ગરીબ દેશો વચ્ચે મોટું અંતર છે. ટૂંક સમયમાં આ તફાવત ઓછો થતો જણાતો નથી. નિષ્ણાતોના મતે, દરેકને રસી આપવામાં આવ્યા પછી પણ, વસ્તીના એક ભાગને ચેપ લાગવાની શક્યતા રહેશે. આમાં નવજાત શિશુઓ, એવા લોકોનો સમાવેશ થાય છે જેમણે અન્ય કોઈ રોગને કારણે રસીકરણ કરાવ્યું ન હતું અને જે લોકો રસીકરણ કરાવ્યા હોવા છતાં ચેપ લાગ્યા હતા.

નિષ્ણાતોએ કહ્યું છે કે, આપણે છેલ્લા કેટલાક વર્ષોના ઈન્ફલ્યુએન્ઝા બીમારીના અનુભવોમાંથી બોધપાઠ લેવાની જરૂર છે. આ સાથે, શક્ય તેટલી વહેલી તકે કોવિડ -19 પર કાબુ મેળવવાનો માર્ગ શોધી શકાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કાંકરિયા કાર્નિવલ 2025 નો આવતીકાલથી પ્રારંભ, ડ્રૉન શૉ, પેટ ફેશન શૉ સહિત દુબઈનો પાયરો શૉ બનશે આકર્ષણ
કાંકરિયા કાર્નિવલ 2025 નો આવતીકાલથી પ્રારંભ, ડ્રૉન શૉ, પેટ ફેશન શૉ સહિત દુબઈનો પાયરો શૉ બનશે આકર્ષણ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
Vijay Hazare Trophy: વૈભવ સૂર્યવંશીએ મચાવ્યો તરખાટ, 36 બોલમાં સદી ફટકારી રચ્યો ઈતિહાસ
Vijay Hazare Trophy: વૈભવ સૂર્યવંશીએ મચાવ્યો તરખાટ, 36 બોલમાં સદી ફટકારી રચ્યો ઈતિહાસ

વિડિઓઝ

Surendranagar ED Raid: સુરેન્દ્રનગરમાં EDની કાર્યવાહી મુદ્દે સૌથી મોટા સમાચાર
Kankaria Carnival: અમદાવાદ કાંકરિયા કાર્નિવલના પ્રારંભ પહેલા જ વિવાદ
ISRO Bluebird Block-2 Mission: ઈસરોની અંતરિક્ષમાં વધુ એક મોટી છલાંગ
Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાંકરિયા કાર્નિવલ 2025 નો આવતીકાલથી પ્રારંભ, ડ્રૉન શૉ, પેટ ફેશન શૉ સહિત દુબઈનો પાયરો શૉ બનશે આકર્ષણ
કાંકરિયા કાર્નિવલ 2025 નો આવતીકાલથી પ્રારંભ, ડ્રૉન શૉ, પેટ ફેશન શૉ સહિત દુબઈનો પાયરો શૉ બનશે આકર્ષણ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
Vijay Hazare Trophy: વૈભવ સૂર્યવંશીએ મચાવ્યો તરખાટ, 36 બોલમાં સદી ફટકારી રચ્યો ઈતિહાસ
Vijay Hazare Trophy: વૈભવ સૂર્યવંશીએ મચાવ્યો તરખાટ, 36 બોલમાં સદી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા
અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Bangladesh: ભારતીયોના ગુસ્સા સામે ઝૂકી બાંગ્લાદેશ સરકાર, દીપુ દાસના પરિવારને મળ્યા મંત્રી અબરાર
Bangladesh: ભારતીયોના ગુસ્સા સામે ઝૂકી બાંગ્લાદેશ સરકાર, દીપુ દાસના પરિવારને મળ્યા મંત્રી અબરાર
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
Embed widget